સ્થાપત્યકલા
ગોળ ગુંબજ, બિજાપુર
ગોળ ગુંબજ, બિજાપુર : મહંમદ આદિલશાહનો મકબરો. 1626થી 56માં બિજાપુર સલ્તનત દરમિયાન બંધાયેલ આ ઇમારત એક જ ભવ્ય ઘુમ્મટ નીચે બંધાયેલી હોવાને લીધે ગોળ ગુંબજ તરીકે ઓળખાય છે. દુનિયાનો આ સૌથી વધારે વિસ્તાર ધરાવતો, સૌથી વિશાળ ઘુમ્મટ છે. આના બાંધકામની રચના અત્યંત કાબેલિયત ધરાવે છે. ઘુમ્મટનું વજન અને વિશાળતા ઝીલવા…
વધુ વાંચો >ગ્રીક સ્થાપત્ય
ગ્રીક સ્થાપત્ય (ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 146) : ગ્રીક સ્થાપત્ય અને મૂર્તિકલાએ સૌંદર્ય અને પૂર્ણતાની પરિસીમા એટલે સુધી હાંસલ કરી હતી કે ગ્રીસની કલાકૃતિઓ સૌંદર્યનો પર્યાય ગણાય છે. પછીની અન્ય સંસ્કૃતિઓ પણ ગ્રીસના કલાધોરણે જ મપાવા લાગી હતી. ગ્રીક સ્થાપત્યે અન્ય પશ્ચિમી સ્થાપત્યશૈલી પર ભારે પ્રભાવ પાડ્યો છે. ગ્રીસનો…
વધુ વાંચો >ગ્રોપિયસ, વૉલ્ટર
ગ્રોપિયસ, વૉલ્ટર (જ. 18 મે 1883, બર્લિન, જર્મની; અ. 5 જુલાઈ 1969, બૉસ્ટન, યુ.એસ.) : આધુનિક સ્થાપત્યકલા માટે વિશ્વવિખ્યાત પ્રયોગશીલ સ્થપતિ ‘બાઉહાઉસ’ વિચારધારાના ઉદગાતા સ્થાપત્ય-શિક્ષક. જર્મનીના પાટનગર બર્લિનના મધ્યમ વર્ગના સ્થપતિ વૉલ્ટર ઍડૉલ્ફના પુત્ર. પિતાએ એમને મ્યૂનિકની ટૅકનિક હોકશુલના સ્થાપત્યની તાલીમ માટે મૂક્યા, પછી વિયેનામાં તાલીમ પામેલ જાણીતા સ્થપતિ પીટર…
વધુ વાંચો >ગ્વાલિયરનો કિલ્લો
ગ્વાલિયરનો કિલ્લો : મધ્યપ્રદેશનું જાણીતું દુર્ગસ્થાપત્ય. વર્તમાન ગ્વાલિયર શહેર બહાર આવેલા 91.4 મીટર (300 ફૂટ) ઊંચા ડુંગર પર આ કિલ્લો આવેલો છે. અનુશ્રુતિ પ્રમાણે આ કિલ્લાની પ્રાચીનતા ઈ. સ.ની 8મી સદી સુધી જાય છે. સૂરજસેન નામના એક સરદારને કુષ્ઠરોગ થયો હતો. ગ્વાલિય નામના એક સાધુએ તેને ત્યાં આવેલા એક તળાવનું…
વધુ વાંચો >ઘાટ
ઘાટ : મંદિરોના સંકુલમાં જળાશયોની રચનામાં નદીકિનારાનાં તીર્થસ્થાનોને સંલગ્ન કિનારાના બાંધકામમાં પગથિયાંની હારમાળાથી થતી કાંઠાની રચના. ઘાટની રચનાઓમાં કિનારાની જરૂરિયાતને અનુરૂપ આયોજન કરાતું. પગથિયાં, ઓટલા અને નાની દેરીઓ આવા ઘાટને આગવી પ્રતિભા પ્રદાન કરે છે. વારાણસી, નાસિક વગેરે વિખ્યાત નદીકિનારાનાં તીર્થસ્થાનો આનાં અગત્યનાં ર્દષ્ટાંત છે. વીરમગામનું મુનસર તળાવ, મોઢેરાનો કુંડ…
વધુ વાંચો >ચતુર્મુખ પ્રાસાદ
ચતુર્મુખ પ્રાસાદ : જૈન મંદિરનું વિશિષ્ટ સ્થાપત્ય-સ્વરૂપ. આમાં મધ્યના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ચતુર્મુખ જિનમૂર્તિઓનાં સમ્મુખ દર્શન થાય એવી રીતે ચારેય દિશાઓમાં એક એક પ્રવેશદ્વાર ઊભું કરવામાં આવેલ હોય છે. આમાં એક જ તીર્થંકરની ચાર પ્રતિમાઓ અથવા તો જુદા જુદા ચાર તીર્થંકરોની પ્રતિમાઓને પીઠથી એકબીજી સાથે એવી રીતે ગોઠવવામાં આવે છે કે…
વધુ વાંચો >ચયન
ચયન : નિત્યહોમ અને અન્ય વૈદિક યજ્ઞો માટે અરણિવૃક્ષનાં બે લાકડાંનું મંથન કરી ઉત્પન્ન કરેલો અગ્નિ (શ્રૌતાગ્નિ) રાખવા માટેની ઓટલી કે સ્થંડિલ. તે સ્થંડિલની રચનાનો વિધિ પણ ચયન કહેવાય. ચયનનું બીજું નામ ચિતિ છે. અગ્નિશાળામાં ઉત્તરવેદીના ઓટલા ઉપર જુદા જુદા આકારની ઇષ્ટકાઓ(ઈંટો)ના પાંચ થર કરી ચિતિની રચના થાય છે. ચિતિ…
વધુ વાંચો >ચર્ચ ઇમાત્રા
ચર્ચ ઇમાત્રા : ફિનલૅન્ડમાં ઇમાત્રા ખાતેનું ચર્ચ. સ્થાપત્યની આધુનિક શૈલીના એક પ્રણેતા સમા આલ્વાર આલ્ટોએ તેના સ્થાપત્યનું આયોજન કરેલું. તે 1957–59 દરમિયાન બંધાયેલું. આજુબાજુની ઔદ્યોગિક વસાહતને લક્ષમાં લઈને દેવળના સ્થાપત્યમાં ઘંટ માટે બંધાતો મિનાર ખાસ પ્રકારનો રચાયેલ જેથી તેનો આકાર આગવી છાપ ઊભી કરી શકે; જ્યારે દૂરથી દેવળની બાહ્ય રચના…
વધુ વાંચો >ચંદ્રશિલા
ચંદ્રશિલા : મંદિરની અર્ધગોળાકાર પગથી. મંદિરોના સ્થાપત્યમાં ગર્ભગૃહના પ્રવેશમાં બારસાખ તથા અર્ધગોળાકાર પગથી દ્વારા પ્રવેશદ્વારની રચના કરવામાં આવે છે. પ્રવેશદ્વારની રચનામાં તેનો મુખ્ય પ્રભાવ છે. ચંદ્રશિલાનું ઘડતર મંદિરોના સ્થાપત્યની શૈલીને અનુલક્ષીને જુદી જુદી રીતે કરવામાં આવે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ચાન્સેલેરી પૅલેસ, રોમ
ચાન્સેલેરી પૅલેસ, રોમ : ઈ. સ. 1486 અને 1496 વચ્ચે રોમમાં બંધાયેલ આ મહેલ કાર્ડિનલ રીઆરીઓ માટે બાંધેલો; પરંતુ પાછળથી પોપની ચાન્સેલેરી દ્વારા તે લઈ લેવાયેલો જેથી તે ચાન્સેલેરી પૅલેસ તરીકે ઓળખાય છે. આ ઇમારત ઇટાલીની સ્થાપત્યકળાનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. માન-પ્રમાણની ર્દષ્ટિએ આ ઇમારત ઇટાલિયન રેનેસાંનું અદ્વિતીય પ્રતિનિધિત્વ કરે…
વધુ વાંચો >