સંગીતકલા
ભોજક, રસિકલાલ ચીમનલાલ
ભોજક, રસિકલાલ ચીમનલાલ (જ. 29 ડિસેમ્બર 1926, ભાવનગર; અ. 17 સપ્ટેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સ્વરકાર. પિતા ભાવનગર રાજ્યના રેવન્યૂ કમિશનર અને સંગીતના ભારે શોખીન હતા. ભોજક તરીકે સંગીત સંસ્કારનો જ્ઞાતિગત વારસો રસિકલાલને સાંપડ્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ કિશોરાવસ્થાથી જ પ્રથમ સ્થાન મેળવતા…
વધુ વાંચો >ભોસલે, આશા
ભોસલે, આશા (જ. 8 સપ્ટેમ્બર 1932, સાતારા, મહારાષ્ટ્ર) : ભારતીય ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. મોટી બહેન લતા મંગેશકર સાથે તેમણે પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસે લીધું. આ સિવાય પિતા દીનાનાથ મંગેશકરનાં ગીતોની રેકર્ડ સાંભળીને પોતે જ ગાવાની તાલીમ લીધી. 1944માં…
વધુ વાંચો >ભોળે, જ્યોત્સ્ના
ભોળે, જ્યોત્સ્ના (જ. 1913) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં આગ્રા ઘરાનાનાં જાણીતાં કલાકાર. મૂળ નામ દુર્ગા કેળેકર. તેમનો જન્મ ગોવાના એક નાના ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મુંબઈમાં લેતાં હતાં તે દરમિયાન શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ પેદા થઈ. બાલ્યાવસ્થામાં પંડિત સુખદેવપ્રસાદ પાસેથી કથક નૃત્યની શિક્ષા લીધી…
વધુ વાંચો >મકાર્ટની, પૉલ (સર)
મકાર્ટની, પૉલ (સર) (જ. 1942, લિવરપૂલ, નૉર્થવેસ્ટ ઇંગ્લૅન્ડ) : નામી સંગીતકાર, ગીતલેખક તથા સંગીતનિયોજક (composer). બીટલ્સ વૃંદમાં તેઓ મંદ્ર સૂરના ગિટારવાદક, ગાયક તથા ગીતકાર હતા. ‘મકાર્ટની’ (1970) નામના આલબમથી તેમણે એકલ-ગાયક (soloist) તરીકે પ્રારંભ કર્યો અને એ વૃંદના વિભાજનની જાણે આગાહી કરી. 1971માં તેમણે પોતાનાં પત્ની લિન્ડા(જ. 1942)ના સહયોગથી ‘વિંગ્ઝ’…
વધુ વાંચો >મજુમદાર, નીનુ
મજુમદાર, નીનુ (જ. 9 નવેમ્બર 1915, વડોદરા; અ. 3 માર્ચ 2000, મુંબઈ) : ગુજરાતી સુગમ સંગીતના મોભી. નીનુ મજુમદાર સંગીતકાર હોવા ઉપરાંત બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક અને સુગમ સંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. બાળપણમાં ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે તેમણે સંગીતની…
વધુ વાંચો >મણિરામ
મણિરામ (જ. 1910, હિસાર, હરિયાણા) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાનાના ગાયક. તેમને પરિવારમાંથી જ શાસ્ત્રીય સંગીતનો વારસો મળેલો છે. તેમના પિતા પંડિત મોતીરામ પોતે સારા ગાયક હતા અને જમ્મુ તથા કાશ્મીર રિયાસતના દરબારમાં રાજગાયક હતા. તેમના કાકા પંડિત જ્યોતિરામ પણ સારા ગાયક હતા. મણિરામે નાની ઉંમરથી પિતા પાસેથી શાસ્ત્રીય…
વધુ વાંચો >મતંગ
મતંગ : ભારતીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર અને કિન્નરી વીણાવાદ્યના સર્જક. તેમનો સમયગાળો વિવાદાસ્પદ છે. કિંવદંતી મુજબ તેમનો જીવનકાળ છઠ્ઠી શતાબ્દી ગણાય છે; પરંતુ પ્રો. રામકૃષ્ણ કવિ નામના વિદ્વાનના મતે તેમનો જીવનકાળ નવમી સદીનો મધ્યભાગ છે. તેમના ગ્રંથનું નામ ‘બૃહદ્દેશીય’ છે, જેના આઠ અધ્યાયોમાં શાસ્ત્રીય સંગીતનાં વિવિધ પાસાંઓની છણાવટ કરવામાં આવી…
વધુ વાંચો >મદનમોહન
મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે…
વધુ વાંચો >મનરંગ (અઢારમી સદીમાં હયાત)
મનરંગ (અઢારમી સદીમાં હયાત) : શાસ્ત્રીય ગાયક. સદારંગના પુત્ર અને શિષ્ય. તેમનું સાચું નામ ભૂપતખાં હતું, પરંતુ ‘મનરંગ’ના ઉપનામથી તેઓ સંગીતના ક્ષેત્રમાં વધુ જાણીતા બન્યા છે. તેમના જીવનકાળ વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઇતિહાસકારોના મત મુજબ, તેઓ દિલ્હીના બાદશાહ મુહમ્મદશાહના જમાના(1719–48)માં થઈ ગયા છે. આ અભિપ્રાય અનુસાર ‘મનરંગ’ અઢારમી…
વધુ વાંચો >મનસૂર, મલ્લિકાર્જુન
મનસૂર, મલ્લિકાર્જુન (જ. 31 ડિસેમ્બર 1910, મનસૂર, ધારવાડ; અ. 12 સપ્ટેમ્બર 1992, ધારવાડ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક કલાકાર. પિતાનું નામ ભીમરાયપ્પા તથા માતાનું નામ નીલમ્મા હતું. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ ધારવાડમાં મેળવ્યા બાદ ઔપચારિક શિક્ષણને તિલાંજલિ આપીને સંગીતના અધ્યયનમાં જ મન પરોવ્યું. તેમણે શરૂઆતની સંગીતતાલીમ ગ્વાલિયર ઘરાનાની લીધી…
વધુ વાંચો >