સંગીતકલા

ભરતાચાર્ય (ભરતમુનિ)

ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી…

વધુ વાંચો >

ભાઈ હરજિંદર સિંહજી

ભાઈ હરજિંદર સિંહજી (જ. 1 એપ્રિલ 1958, બલ્લારહ વાલ, પંજાબ) : શીખ કીર્તન પરંપરાની ગુરબાનીના વાહક. વતનની સરકારી શાળામાંથી મૅટ્રિક થયા પછી તેમણે અમૃતસરની ગુરમત સંગીત કૉલેજમાંથી તાલીમ પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુરમત સાહિત્ય અને રાગ સંયોજન પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિષ્કામ કીર્તનને માટે સ્વયંને સમર્પિત કરી દીધા. ત્યારબાદના…

વધુ વાંચો >

ભાટકર, સ્નેહલ

ભાટકર, સ્નેહલ (જ. 17 જુલાઈ 1919, મુંબઈ; અ. 28 મે, 2007, મુંબઈ) : હિંદી અને મરાઠી ફિલ્મોના જાણીતા સંગીતસર્જક. સ્નેહલ ભાટકરનું મૂળ નામ વાસુદેવ ગંગારામ ભાટકર. તેમના માતાં શિક્ષક અને ગાયિકા હતાં. માતાનાં પ્રેમ અને પ્રેરણાથી સ્નેહલ ભાટકરે દસમું ધોરણ પસાર કર્યા પછી દાદર(મુંબઈ)ની સંગીતશાળામાં સંગીત શીખવાનું શરૂ કર્યું હતું.…

વધુ વાંચો >

ભાટિયા, વનરાજ

ભાટિયા, વનરાજ (જ. 31 મે 1927, મુંબઈ અ. 7 મે 2021, મુંબઈ) : સમાંતર ધારાની ચળવળના સૌથી મોટા હિસ્સેદાર એટલે વનરાજ ભાટિયા. વનરાજ ભાટિયાનો જન્મ એક કચ્છી ધંધાદારી પરિવારમાં થયો હતો. મુંબઈ ખાતે તેમની પ્રાથમિક સંગીતશિક્ષા દેવધર સ્કૂલ ઑફ મ્યુઝિકમાં થઈ. ન્યૂ એરા શાળામાં ભણતાં ભણતાં યુવાવયમાં તેમને પાશ્ચાત્ય સંગીતનો…

વધુ વાંચો >

ભાતખંડે, વિષ્ણુ નારાયણ

ભાતખંડે, વિષ્ણુ નારાયણ (જ. 10 ઑગસ્ટ 1860, મુંબઈ; અ. 19 સપ્ટેમ્બર 1936, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના વિખ્યાત શાસ્ત્રકાર અને પ્રવર્તક. તેમનો જન્મ એક મહારાષ્ટ્રીય કુટુંબમાં કૃષ્ણજન્માષ્ટમીને દિવસે થયો હતો. નાનપણથી જ તેમને સંગીતમાં રુચિ પેદા થઈ હતી, કારણ કે તેમનાં માતા-પિતાને શાસ્ત્રીય સંગીતમાં રસ હતો. 10–12 વર્ષના હતા…

વધુ વાંચો >

ભાવસાર, ભીખુભાઈ

ભાવસાર, ભીખુભાઈ (જ. 3 મે 1929, વલસાડ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર. વ્યવસાયે જાણીતા વેપારી હોવા ઉપરાંત સંગીતક્ષેત્રે ગાયક તરીકે તેમણે નામના મેળવી છે. ગુજરાતી ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અભ્યાસને તિલાંજલિ આપી અને હાર્મોનિયમવાદનથી સંગીતક્ષેત્રમાં પદાપર્ણ કર્યું. પિતા ભગવાનદાસ પોતે સારા હાર્મોનિયમવાદક હતા…

વધુ વાંચો >

ભૈરવ

ભૈરવ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રાત:કાલનો સંધિપ્રકાશ રાગ. રાત્રિ અને દિવસની સંધિના સમયે તે ગવાય છે, અને તેથી તેને સંધિપ્રકાશ રાગ કહેવાય છે : प्रातसमय मध्यम प्रबल, रि-द कोमल रिधि जान । शिवगण पुनि रागधिपत, गुनि कर भैरव गान ।। આ રાગમાં રિષભ અને ધૈવત કોમળ તથા બાકીના…

વધુ વાંચો >

ભૈરવી

ભૈરવી : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતપદ્ધતિનો એક જાણીતો રાગ. ભૈરવી એક રાગિણી છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ભૈરવ રાગની સ્ત્રી તરીકે થયેલો છે. એમ કહેવાય છે કે માતા ભૈરવી ભગવાન શંકરનું ભજન કરે છે માટે ભૈરવીના સ્વરોમાં નિતાંત પ્રેમ અને ભક્તિની અનુભૂતિ થાય છે. ભૈરવીના સ્વરો મગજને, મનને અને હૃદયને…

વધુ વાંચો >

ભોજક, દલસુખરામ વસ્તારામ

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન…

વધુ વાંચો >

ભોજક, રસિકલાલ ચીમનલાલ

ભોજક, રસિકલાલ ચીમનલાલ (જ. 29 ડિસેમ્બર 1926, ભાવનગર; અ. 17 સપ્ટેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સ્વરકાર. પિતા ભાવનગર રાજ્યના રેવન્યૂ કમિશનર અને સંગીતના ભારે શોખીન હતા. ભોજક તરીકે સંગીત સંસ્કારનો જ્ઞાતિગત વારસો રસિકલાલને સાંપડ્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ કિશોરાવસ્થાથી જ પ્રથમ સ્થાન મેળવતા…

વધુ વાંચો >