શિલ્પકલા

ઝ્યૂસ

ઝ્યૂસ : પ્રાચીન ગ્રીક લોકોનો મુખ્ય દેવ. તે બહુ શરૂઆતના આક્રમણકારો દ્વારા બહારથી ગ્રીસમાં પ્રસ્થાપિત થયો હતો. ઝ્યૂસને સંસ્કૃતમાં દ્યૌ અને લૅટિનમાં જ્યુપિટર તરીકે ઓળખવામાં આવે છે. તે અંતરિક્ષ અને મેઘગર્જનાના દેવ તરીકે જાણીતો છે. પ્રાચીન ગ્રીસમાં તેનાં મુખ્ય મંદિરો ડોડોના, ઑલિમ્પિયા અને નેમિયામાં આવેલાં હતાં. બધાં ગ્રીક દેવ-દેવીઓમાં તેનું…

વધુ વાંચો >

ટેરાકોટા (પ્રકાર અને નિર્માણપદ્ધતિ)

ટેરાકોટા (પ્રકાર અને નિર્માણપદ્ધતિ) : માટીનાં પકવેલાં શિલ્પો એ સામાન્ય જનસમાજની જરૂરિયાત ને પોષક લોકકલાનો વૈવિધ્યપૂર્ણ વૈભવ છે. ઘરગથ્થુ ઉપયોગ માટે, દેવસેવા કે પૂજન અર્થે, ગૃહસજાવટ માટે, બાળકોને રમવાનાં રમકડાં તરીકે અને જંતરમંતરના પ્રયોજનથી માટીનાં શિલ્પોનું નિર્માણ થયેલું જોવામાં આવે છે. વિદેશો સાથેના વ્યાપારવિનિમયમાં પણ પ્રારંભમાં માટીમાંથી બનાવેલી મુદ્રાઓનો ઉપયોગ…

વધુ વાંચો >

ટેરા કોટા(માટીનાં પકવેલાં શિલ્પો) 

ટેરા કોટા (માટીનાં પકવેલાં શિલ્પો) : માટીના પકવેલા શિલ્પના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાંઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને  જ્યાં રસળતી…

વધુ વાંચો >

ટ્રેબિયેટેડ

ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું  નામ. આ જાતની બાંધણી  દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે.…

વધુ વાંચો >

તાલમાન

તાલમાન : સામાન્ય રીતે શિલ્પકલામાં અને ક્યારેક સ્થાપત્ય કલામાં પ્રમાણમાપ મેળવવાની પદ્ધતિ. તેમાં શિલ્પના ચહેરાને એકમ ગણી તેના ગુણોત્તરમાં અન્ય માપ નક્કી કરાય છે. અન્ય ઉલ્લેખ પ્રમાણે ફેલાયેલાં અંગૂઠા તથા વચલી આંગળીનાં ટેરવાં વચ્ચેના અંતરને પણ એકમ  તરીકે લેવાય છે, જેને તાલ કહે છે. ‘માન-સાર’માં 10 તાલ તથા ‘બિમ્બમાન’માં 12…

વધુ વાંચો >

તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ)

તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ) : મધ્યયુગના ભારત, નેપાળ, તિબેટ, ભૂતાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, લાઓસ અને થાઇલૅન્ડના કાપાલિકો, અઘોરીઓ અને હઠયોગીઓ માટે યૌન-પ્રતીકોના ઉપયોગથી સર્જાયેલી કલા. મૂળમાં હિંદુ તાંત્રિકો માટે અસ્તિત્વમાં આવેલી આ કલા પછીથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પણ અપનાવી. શિવમંદિરમાં પેસતા જોવા મળતા યોનિ આકારના પાત્રમાં ખોડેલા ઉત્થાન પામેલ…

વધુ વાંચો >

તુસાઁ, મારી

તુસાઁ, મારી (જ. 7 ડિસેમ્બર 1761, સ્ટ્રાસબર્ગ, ફ્રાન્સ; અ. 16 એપ્રિલ 1850, લંડન) : લંડન ખાતેના માદામ તુસાઁના મીણનાં પૂતળાંના પ્રખ્યાત મ્યુઝિયમનાં સ્થાપક. એક સ્વિસ સૈનિકનાં પુત્રી. શરૂઆતનું જીવન બર્નમાં અને પછી પૅરિસમાં, જ્યાં તેમના ડૉક્ટર મામા ફિલિપ કર્ટિયસ પાસેથી મીણનાં શિલ્પો બનાવવાની કળા હસ્તગત કરી. 1794માં તેમના મામાના મૃત્યુ…

વધુ વાંચો >

દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ

દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ : અગ્નિ એશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિ એશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની ર્દષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે…

વધુ વાંચો >

દેસાઈ, (ડૉ.) દેવાંગના

દેસાઈ, (ડૉ.) દેવાંગના (જ. 15 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ખજૂરાહોના રતિમગ્ન અને કામોત્તેજક શિલ્પો પર ઊંડું અને મૌલિક સંશોધન કરનાર ભારતીય કલા-ઇતિહાસકાર. તેમણે મુંબઈમાં શાલેય શિક્ષણ પૂરું કર્યા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1957માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફિલસૂફીનાં સ્નાતક થયાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી જ સમાજવિદ્યાનાં અનુસ્નાતક થયાં. ભારતીય પ્રણાલીનાં રતિમગ્ન અને…

વધુ વાંચો >

દૉનાતેલો

દૉનાતેલો [Donatello] (જ. 1386; અ. 1466) : ફ્લૉરેન્સના રેનેસાં શિલ્પી. તેઓ શિલ્પી લૉરેન્ઝો ગિબેર્તીના શિષ્ય હતા. ગૉથિક પરંપરાની અસરમાંથી મુક્ત થતાં તેમને ઠીકઠીક વાર લાગી. ભુલાઈ ગયેલા પેગન (ગ્રીકો-રોમન) વિશ્વમાંથી વિષયો લઈને તેનો પંદરમી સદીમાં રેનેસાં યુગમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ શિલ્પી હતા. માન્તેન્યા [mantegna], બેલિની અને માઇકલ ઍન્જલો સુધ્ધાં…

વધુ વાંચો >