શિલ્પકલા

ક્લૉદિયોં

ક્લૉદિયોં (Clodion) (જ. 20 ડિસેમ્બર 1738, નેન્સી, ફ્રાન્સ; અ. 29 માર્ચ 1814, પૅરિસ, ફ્રાંસ) : રોકોકો શૈલીના અગ્રણી ફ્રેન્ચ શિલ્પી. મૂળ નામ ક્લૉદ મિશે. 1775માં ફ્રેન્ચ શિલ્પી લામ્બે-સિગિસ્બે (Lamberl-Sigisbert) હેઠળ ક્લૉદિયોંએ શિલ્પકલા શીખવી શરૂ કરેલી. લામ્બે-સિગિસ્બેના અવસાન પછી પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી જે. બી. પિગાલેના તેઓ શિષ્ય બન્યા. 1759માં ક્લૉદિયોંને શિલ્પસર્જન…

વધુ વાંચો >

ક્ષત્રપ શિલ્પકલા

ક્ષત્રપ શિલ્પકલા : ઈ. સ. 1થી ઈ. સ. 400 દરમિયાન પશ્ચિમી ક્ષત્રપોના અમલ દરમિયાન ગુજરાતમાં પણ ક્ષત્રપ શિલ્પકલાનો વિકાસ થયો, જેમાં ખડકોમાં કંડારેલી ગુફાઓમાં તથા ઈંટેરી સ્તૂપો પર કરેલાં અર્ધશિલ્પ રૂપાંકનો તેમજ દેવતાઓનાં પૂર્ણમૂર્ત શિલ્પોનો સમાવેશ થાય છે. જૂનાગઢની બાવાપ્યારાની અને ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ તથા સાણા અને તળાજાની બૌદ્ધ ગુફાઓ…

વધુ વાંચો >

ગયૂર હસન

ગયૂર હસન (જ. 1939, શ્રીનગર) : કાશ્મીરી શિલ્પકાર. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મ્યૂઝિક ઍન્ડ ફાઇન આર્ટ્સ, શ્રીનગરના વડા તરીકે સેવાઓ આપેલી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી શિલ્પ વિષય સાથે સ્નાતક થયેલા. જમ્મુ અને કાશ્મીર અકાદમી તરફથી તેમને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલી. રાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં 1973–76 દરમિયાન ભાગ લીધો. તેમનાં શિલ્પ અમૂર્તલક્ષી (abstract) રહ્યાં છે.…

વધુ વાંચો >

ગાઉધી, આન્તોન્યો

ગાઉધી, આન્તોન્યો (જ. 26 જૂન, 1852, રેઉસ, સ્પેન; અ. 7 જૂન, 1926, બાર્સેલોના, સ્પેન) : સ્થપતિ, શિલ્પી અને માટીકામના કલાકાર. મૂળ નામ આન્તોન્યો ગાઉધી ઇ કોર્નેત. બાર્સેલોનાની સ્થાપત્યસંસ્થામાં અભ્યાસ. મુખ્યત્વે તરંગી કલ્પનાશીલતા પ્રયોજીને સ્થાપત્યકલામાં અનેક પ્રયોગો કરીને અવકાશી મોકળાશ (spacial) અને અંગસંયોજન માટે એ જાણીતા છે. સ્થાપત્યવિધાનમાં એમનું મહત્વનું પ્રદાન…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ઘનતાવાદ (Cubism)

ઘનતાવાદ (Cubism) : વીસમી સદીનો ચિત્રકલા અને શિલ્પકલા ક્ષેત્રનો એક પ્રભાવશાળી પ્રવાહ અને વાદ. કેટલાક આધુનિક ઍબ્સ્ટ્રૅક્ટ ઝુંબેશોનું આદ્ય પ્રેરણાસ્થાન બની રહ્યો છે. તે ઇમ્પ્રેશનિસ્ટ અભિગમમાંથી મુક્ત થવા તથા પ્રવૃત્તિઓની નરી ર્દશ્યાત્મકતાનું સ્થાન લેવા પિકાસો તથા બ્રાક જેવા કલાકારોએ જે ચિત્રશૈલી પ્રયોજી તેમાંથી ‘ક્યૂબિઝમ’ નામે ઓળખાતી ચિત્રશૈલીનો 1907થી 1914 દરમિયાન…

વધુ વાંચો >

ચીન

ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…

વધુ વાંચો >

ચૌધરી, શંખો

ચૌધરી, શંખો (જ. 25 ફેબ્રુઆરી 1916, દેવઘર, બિહાર, અ. 2007) : પ્રસિદ્ધ ભારતીય શિલ્પી. વીસમી સદીમાં ભારતીય ચિત્રશિલ્પક્ષેત્રે ભારે પરિવર્તન આવ્યું. પરદેશના વાદોની સાર્વત્રિક અસરો હતી. શાળાશિક્ષણ ઢાકામાં થયું. પછી શાંતિનિકેતનમાં જોડાયા. વિશેષ યોગ્યતા સાથે શાંતિનિકેતનમાંથી કલાનો ડિપ્લોમા લીધો. 1948માં મિનિસ્ટ્રી ઑવ્ એજ્યુકેશન દ્વારા યુવાનો માટેની સ્કૉલરશિપ મેળવી. 1949માં તેમણે…

વધુ વાંચો >

છત્રાયસ્તી

છત્રાયસ્તી : મૂર્તિકલામાં વ્યક્તિના માથે ધરેલ છત્રીવાળું આદમકદ શિલ્પ. સ્થાપત્ય સાથે સંલગ્ન મૂર્તિકલામાં જુદા જુદા આકારની છત્રીઓ કંડારવામાં આવે છે – ખાસ કરીને મહાનુભાવોની મૂર્તિઓ સાથે. આવી છત્રીઓના મુખ્ય આધારને છત્રાયસ્ત કહેવામાં આવે છે. છત્રીઓના ઘેરાવા પ્રમાણે તેની રચનાનો અલગ અલગ આકાર કરવામાં આવતો હતો. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

જાકૉમેત્તી, આલ્બર્ટો

જાકૉમેત્તી, આલ્બર્ટો (જ. 10 ઑક્ટોબર 1901, સ્ટામ્પા, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1966) : સ્વિસ શિલ્પકાર તથા ચિત્રકાર. તેમના પિતા જોવાની (1868–1933) પ્રભાવશાળી ચિત્રકાર અને ભત્રીજો ઑગસ્ટો પણ ચિત્રકાર હતા. જિનીવા સ્કૂલ ઑવ્ આર્ટ અને ક્રાફ્ટમાં કલાશિક્ષણ લીધા પછી પૅરિસમાં બોરદેલના હાથ નીચે કલાશિક્ષણ લીધું. તેમની કલામાં આદિવાસી કલાનાં તત્વો તથા…

વધુ વાંચો >