શિક્ષણ

દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’

દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’ (જ. 25 માર્ચ 1844; અ. 12 સપ્ટેમ્બર 1914) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર અને સ્વદેશીના હિમાયતી, ઉદ્યોગપતિ. અંબાલાલનો જન્મ, ગુજરાતની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમનું વતન અલીણા. તેમના પિતા અમદાવાદના વિખ્યાત વકીલ હતા. વિદ્યાર્થી અવસ્થાથી જ તેમણે તેમનું જીવન ખૂબ જ નિયમિત બનાવેલું. 1864માં મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ (જ. 31 જુલાઈ 1911, પરુજણ, નવસારી; અ. 26 જાન્યુઆરી 1985) : ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી. પ્રોફેસર જી. એ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ તેમણે 1942માં ‘ગુનાનાં સામાજિક પરિબળો’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે (1952 થી 1966) એમણે શિક્ષણકાર્ય કર્યું…

વધુ વાંચો >

દેસાઈ, એમ. એન.

દેસાઈ, એમ. એન. (જ. 8 જાન્યુઆરી 1931, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 2009, અમદાવાદ) : જાણીતા રસાયણવિદ અને કેળવણીકાર. આખું નામ મહેન્દ્ર નાનુભાઈ દેસાઈ. માતાનું નામ લલિતાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુખ્યત્વે નવસારીમાં. 1952માં નવસારીની એસ. બી. ગાર્ડા કૉલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની એમ.…

વધુ વાંચો >

દેસાઈ, એસ. વી.

દેસાઈ, એસ. વી. (જ. 2 ઑગસ્ટ 1901, અમદાવાદ; અ. 10 નવેમ્બર 1976, અમદાવાદ) : અગ્રણી કેળવણીકાર તથા કુશળ વહીવટકર્તા. આખું નામ સુરેન્દ્ર વૈકુંઠરાય દેસાઈ. માતાનું નામ વિજયાગૌરી. મૂળવતન અલીણા, જિલ્લો ખેડા. ગુજરાતમાં અનુસ્નાતક કક્ષાની બેવડી પદવી ધરાવતી પ્રથમ વ્યક્તિ (ડબલ ગ્રૅજ્યુએટ), નામાંકિત ન્યાયમૂર્તિ તથા અગ્રણી રાજપુરુષ અંબાલાલ સાકરલાલ દેસાઈના તેઓ…

વધુ વાંચો >

દેસાઈ, કુમારપાળ

દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…

વધુ વાંચો >

દેસાઈ, પ્રબોધ દિનકરરાવ

દેસાઈ, પ્રબોધ દિનકરરાવ (જ. 14 ડિસેમ્બર 193૦, ભરૂચ; અ. 17 મે 2૦૦4) : ખ્યાતનામ ન્યાયવિદ. ભારતની વિવિધ વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતા દિનકરરાવ મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી હતા. પ્રબોધભાઈએ ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લઈ 1946માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તેમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ, યુનિવર્સિટી સ્કૂલ…

વધુ વાંચો >

દેસાઈ, ભૂલાભાઈ જીવણજી

દેસાઈ, ભૂલાભાઈ જીવણજી (જ. 13 ઑક્ટોબર 1877, ચીખલી, જિ. વલસાડ; અ. 6 મે 1946, મુંબઈ) : પ્રખર ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસના નેતા. તેમના પિતા જીવણજી વકીલ હતા અને વકીલાત કરવા વલસાડમાં વસ્યા હતા. ભૂલાભાઈ 1895માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરીને વર્ડ્ઝવર્થ…

વધુ વાંચો >

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ (જ. 11 ઑક્ટોબર 1899, ધર્મજ, જિ. ખેડા; અ. 1 ફેબ્રુઆરી 1969, અમદાવાદ) : ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, શિક્ષણકાર અને પત્રકાર. જન્મ પાટીદાર કુટુંબમાં. તેમના પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. તેમની માતા હીરાબહેન (સૂરજબહેન) તથા પિતા ધાર્મિક વૃત્તિનાં હતાં. મગનભાઈને માતાપિતાની ધર્મભાવના વારસામાં મળી હતી. નાની…

વધુ વાંચો >

દેસાઈ રણછોડજી દાજીભાઈ

દેસાઈ રણછોડજી દાજીભાઈ (જ. 4 મે 1897, ઉમરસાડી, દક્ષિણ ગુજરાત; અ. 16 નવેમ્બર 1991, વલસાડ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સમર્થ રસાયણશાસ્ત્રી. મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ દાજીભાઈના છ પુત્રોમાં રણછોડજી બીજા પુત્ર હતા. માધ્યમિક શિક્ષણ વલસાડની બાઈ આવાંબાઈ હાઈસ્કૂલમાં લઈ 1916માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઊંચી કક્ષામાં પસાર કર્યા બાદ 1916થી…

વધુ વાંચો >

દેસાઈ, રમણલાલ વસંતલાલ

દેસાઈ, રમણલાલ વસંતલાલ (જ. 12 મે 1892, શિનોર, જિ. વડોદરા; અ. 2૦ સપ્ટેમ્બર 1954, વડોદરા) : ગાંધીયુગના લોકપ્રિય ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ શિનોરમાં, માધ્યમિક શિક્ષણ વડોદરામાં. 19૦8માં મૅટ્રિક. 1912માં લગ્ન. પત્નીનું નામ કૈલાસવતી. 1914માં બી.એ તથા 1916માં એમ.એ. થયા. એ પછી થોડા માસ શ્રી સયાજી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી.…

વધુ વાંચો >