શિક્ષણ

દેહલવી, સૈયદ અહમદ

દેહલવી, સૈયદ અહમદ (જ. 1846, દિલ્હી; અ. 1918, દિલ્હી) : ઉર્દૂ ભાષાના કોશકાર અને ભાષાશાસ્ત્રી. જન્મ દિલ્હીમાં થયો હતો તે પરથી ‘દહલ્વી’ (દેહલવી) અટક રાખેલી છે. તેમના પિતા સૈયદ અબ્દુર્રેહમાન પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા હતા. સૈયદ અહમદ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની નૉર્મલ સ્કૂલમાં મેળવીને લેખનકાર્યમાં વ્યસ્ત રહેવા લાગ્યા. શાળાકીય જીવનમાં તેમણે ‘તિફલીનામા’…

વધુ વાંચો >

દ્રોણ

દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું. આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં,…

વધુ વાંચો >

દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર

દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર (જ. 26 ફેબ્રુઆરી 1901; અ. 21 ઑક્ટોબર 1987) : ગુજરાતના પ્રાચીન પેઢીના નામી અને અનુભવી વૈદ્યરાજોની શ્રેણીમાં પ્રસિદ્ધ રસવૈદ્ય. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બ્રાહ્મણ કુટુંબના, વૈદ્ય પરિવારના પુત્ર. મૅટ્રિક્યુલેશન (1916) કર્યા પછી કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ. ત્યારબાદ મોરબીના રાજવૈદ્ય વિશ્વનાથ ભટ્ટને ગુરુ તરીકે સ્વીકારી આયુર્વેદનો અભ્યાસ…

વધુ વાંચો >

ધ્રુવ, આનંદશંકર

ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના…

વધુ વાંચો >

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (જ. 17 ઑક્ટોબર 1859, બહિયેલ, દહેગામ; અ. 13 માર્ચ 1938) : અગ્રણી ગુજરાતી સાક્ષર. 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા. 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા. 1934માં નિવૃત્ત થયા. 1920થી 1938 સુધી…

વધુ વાંચો >

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નાયક (ડૉ.) રઘુભાઈ મોરારજીભાઈ

નાયક, (ડૉ.)  રઘુભાઈ મોરારજીભાઈ   (જ. 15 ઑગસ્ટ, 1907, ચલથાણ, જિ. સૂરત; અ. 31 માર્ચ, 2003, અમદાવાદ) : ગુજરાતના ઉચ્ચ કોટિના આજીવન કેળવણીકાર અને આદર્શ શાળાઓના સ્થાપક. પિતાનું નામ મોરારજીભાઈ અને માતાનું નામ કાશીબા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ માસીના ઘરે સુરત જિલ્લાના ગોતા ગામમાં રહીને મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સુરતના અનાવિલ છાત્રાલયમાં…

વધુ વાંચો >

નાલંદા

નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની…

વધુ વાંચો >

નિઝામિયા

નિઝામિયા : વિદ્યાકેન્દ્ર સમી સંસ્થા. સલ્જુકી શાહ અલપ અરસલાન તથા મલેકશાહના દરબારના પ્રસિદ્ધ રાજપુરુષ, વહીવટકર્તા અને રાજનીતિજ્ઞ વજીર નિઝામ-ઉલ-મુલ્ક તૂસી સાથે નિઝામિયા સંબંધ ધરાવે છે. આ ઉદાર વિદ્યા-ઉત્તેજક વઝીરે બસરા, બલ્ખ, બગદાદ, નિશાપુર, હિરાત, ઇસ્ફહાન તથા મર્વ અને બીજાં અનેક કેન્દ્રોમાં નિઝામિયા નામથી મહાન શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને પોતાના સમયના વિદ્વાનોએ…

વધુ વાંચો >

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ : શિક્ષણ દ્વારા નિદાન અને ઉપચાર દર્શાવતી પદ્ધતિ. શિક્ષણના ક્ષેત્રમાં પણ તબીબીક્ષેત્રના જેવી પરિસ્થિતિ અમુક અંશે રહેલી છે. વિકસતાં બાળકો ‘તકલીફ’ અનુભવતાં હોય છે. ફ્રૅન્ક બટલરના મતે, ‘‘શિક્ષણનું ધ્યેય અસરકારક રીતે સિદ્ધ કરવાનું મુશ્કેલ બને તેને ‘તકલીફ’ કહેવાય. શિક્ષણમાં નિદાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કેટલીક વાર…

વધુ વાંચો >