શિક્ષણ

દક્ષિણામૂર્તિ (સંસ્થા)

દક્ષિણામૂર્તિ (સંસ્થા) : ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી ર્દષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી…

વધુ વાંચો >

દલાલ, ચંદુલાલ ભગુભાઈ

દલાલ, ચંદુલાલ ભગુભાઈ (જ. 6 નવેમ્બર 1899, ધ્રાંગધ્રા; અ. 2 માર્ચ 1980, અમદાવાદ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસૈનિક, ગાંધીવાદી સમાજસેવક, સંનિષ્ઠ વહીવટદાર, લેખક, સંપાદક. મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ 1922–25 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વાણિજ્ય વિદ્યામંદિરમાં અધ્યાપનકાર્ય કર્યું. 1927માં તેઓ અમદાવાદ નગરપાલિકામાં હિસાબનીસ તરીકે જોડાયા, જ્યાં ઑડિટર તરીકે તેમને બઢતી…

વધુ વાંચો >

દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ

દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ (જ. 11 ઑક્ટોબર 1932, થાણે, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 2012, મુંબઈ) : ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક. ઉછેર અને શિક્ષણ મુંબઈમાં. ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. (1953), મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. (1955) અને તે જ યુનિવર્સિટીમાં ‘ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્ય : છ આધુનિક…

વધુ વાંચો >

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર (જ. 21 ઑક્ટોબર 1901, સૂરત; અ. 11 સપ્ટેમ્બર 1980) : ગુજરાતના અદ્વિતીય હાસ્યકાર તથા સંસ્કૃત સાહિત્યના અને રસશાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચશિક્ષણ સૂરતમાં થયું. 1919માં મૅટ્ર્રિકની પરીક્ષા પસાર કર્યા પછી કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતી વિષયો સાથે તેઓ 1923ની સાલમાં બી.એ. અને તે જ વિષયો…

વધુ વાંચો >

દવે, પ્રશાંત (સાંઈરામ)

દવે, પ્રશાંત (સાંઈરામ) (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતી લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવા માગતા આ કલાકારે વર્ષ 1997માં લોકકલાક્ષેત્રે પદાર્પણ કર્યું અને 31 વર્ષની ઉંમરે 31 જેટલા વિષયો પર હાસ્ય અને લોકસાહિત્યના ઑડિયો-વીડિયો…

વધુ વાંચો >

દવે, બાલમુકુંદ મણિશંકર

દવે, બાલમુકુંદ મણિશંકર (જ. 7 માર્ચ 1916, મસ્તપુરા, જિ. વડોદરા; અ. 28 ફેબ્રુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતી કવિ. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મૅટ્રિક્યુલેશનનો અભ્યાસ પૂરો કરી અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા (1938). તે પછી નવજીવન કાર્યાલયમાં 30 વર્ષ સુધી સેવા આપી. ‘લોકજીવન’નું સંપાદન કર્યું. કવિતા માટે તેમને ‘કુમાર’ ચંદ્રક (1949)…

વધુ વાંચો >

દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ

દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ (જ. 6 જાન્યુઆરી 1929, વીરમગામ) : વિશ્વમાન્ય શિક્ષણવિદ અને શિક્ષણજગતના ઘણા ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂકેલા સન્નિષ્ઠ કેળવણીકાર. વતન ગામ પીંપળ, જિ. પાટણ. માતા મંગળાબહેન, પિતા હરગોવિંદદાસ. 1954માં વિમળાબહેન સાથે લગ્ન થયાં. પ્રાથમિક માધ્યમિક, સ્નાતક (બી.એસસી. ઑનર્સ) તથા એમ. એડ. સુધીનું શિક્ષણ અમદાવાદમાં લીધું. પ્રોફેસર બૅન્જામિન બ્લૂમની રાહબરી…

વધુ વાંચો >

દવે, વજુભાઈ જટાશંકર

દવે, વજુભાઈ જટાશંકર (જ. 12 મે 1899, વઢવાણ; અ. 30 માર્ચ 1972, અમદાવાદ) : કેળવણીકાર. વજુભાઈના પિતાનું નામ જટાશંકર. માતા ચંચળબા. પિતાનું એમના જન્મવર્ષમાં જ મૃત્યુ. એમનો ઉછેર એમના નાના કાળિદાસને ત્યાં થયો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં થયું. 1914માં લગ્ન થયું અને 1916માં હળવદની શાળામાં શિક્ષક બન્યા. ચાર વર્ષ બાદ વઢવાણની…

વધુ વાંચો >

દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી)

દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી) (જ. 3 નવેમ્બર 1952, ઉપલેટા, જિલ્લો રાજકોટ) : પ્રાચીન સંતવાણીના જાણીતા ભજનિક. મૂળ વતન જેતપુર તાલુકાનું અમરનગર ગામ. શિક્ષણ એમ.એ., બીએડ્. સુધીનું. વ્યવસાયે શિક્ષક. વર્ષ 1972માં આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રાચીન ભજનિક તરીકે માન્યતા મળી. અત્યાર સુધીની 35 વર્ષની ભજનયાત્રામાં અમદાવાદ, રાજકોટ અને ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી તેમના…

વધુ વાંચો >

દંડવતે, મધુ

દંડવતે, મધુ (જ. 21 જાન્યુઆરી 1924, અહમદનગર; અ. 12 નવેમ્બર 2005, મુંબઈ) : ભારતના સંઘર્ષ અને સ્વાધ્યાય-પ્રવણ સમાજવાદી નેતા તેમજ સદા સજ્જ સાંસદ. પિતાનું નામ રામચંદ્ર. મુંબઈના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ખાતે ઉચ્ચ શિક્ષણ લઈ એમ.એસસી. થયા બાદ તેમણે 1946થી 1971નાં વરસો દરમિયાન સિદ્ધાર્થ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપવા…

વધુ વાંચો >