ધર્મ-પુરાણ

સિન્ક્રૉનિઝમ (synchronism)

સિન્ક્રૉનિઝમ (synchronism) : પૅરિસમાં 1912માં બે ચિત્રકારો મૉર્ગન રસેલ અને સ્ટૅન્ટન મૅક્ડૉનાલ્ડ રાઇટ દ્વારા શરૂ કરવામાં આવેલી માત્ર રંગો પર ખાસ ભાર મૂકતી અમૂર્ત ચિત્રકલાની શાખા. આ ચિત્રોમાં રંગરંગીન વમળોની સૃદૃષ્ટિ જોવા મળે છે. એ બંનેએ આ પ્રકારનાં ચિત્રો ચીતરવાની પ્રેરણા ઑર્ફિઝન શાખાના કાર્યરત ચિત્રકારો રૉબર્ટ ડેલોને અને ફ્રૅન્ટિસેક કુટકામાંથી…

વધુ વાંચો >

સિલ્વેસ્ટર-1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ)

સિલ્વેસ્ટર–1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ) : કૅથલિક સંપ્રદાયના વડા પોપ. તેઓ જન્મે રોમન હતા અને ઈ. સ. 314થી 335 સુધી પોપ હતા. પોપ થયા તેના થોડા સમય અગાઉ રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને તેના સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની તરફેણમાં ધાર્મિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. સિલ્વેસ્ટર વિશે આધારભૂત માહિતી ઘણી…

વધુ વાંચો >

સિંહનાદ

સિંહનાદ : મહાયાન સંપ્રદાયમાં અવલોકિતેશ્વરનું રોગવિનાશક ઉગ્ર સ્વરૂપ. અવલોકિતેશ્વર બોધિસત્વ તરીકે ચીન, જાપાન, તિબેટ તેમજ પ્રાચીન ભારતમાં ખૂબ લોકપ્રિય હતા. ધ્યાની બુદ્ધ અમિતાભ અને તેમની બુદ્ધશક્તિ પાંડરામાંથી પ્રગટેલા અવલોકિતેશ્વરનાં બધાં સ્વરૂપોમાં મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા બતાવાય છે. એમનાં પૂજાતાં વિવિધ સ્વરૂપો પૈકી પંદર સ્વરૂપોનું સાધનમાલામાં નામજોગ વર્ણન…

વધુ વાંચો >

સીડોન

સીડોન : પ્રાચીન ફિનિશિયાનું, ભૂમધ્ય સમુદ્ર પરનું બંદર અને વેપારનું મથક. તે લૅબેનોનના કિનારે, બૈરુતની દક્ષિણે 40 કિમી. દૂર આવેલું છે. પ્રાચીન સમયમાં તે કાચ, રંગ તથા દારૂના ઉદ્યોગો માટે જાણીતું હતું. ત્યાં અલંકારોના ધાતુકામના અને કાપડ-વણાટના ઉદ્યોગો પણ હતા. પ્રાચીન સમયથી તે વેપારનું મથક છે. ત્યાંના વિશાળ બગીચાઓમાં થતાં…

વધુ વાંચો >

સુકન્યા

સુકન્યા : રાજા શર્યાતિની પુત્રી અને ચ્યવન ઋષિની પત્ની. શર્યાતિના પુત્રોએ ભાર્ગવ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવન ઋષિએ શાર્યાતોમાં વિગ્રહ કરાવ્યો. તેથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવન સાથે પરણાવીને ઋષિને પ્રસન્ન કર્યા એવી એક વાત શતપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુનર્યૌવન પામ્યા…

વધુ વાંચો >

સુખવાદ

સુખવાદ (Hedonism) : એક મહત્ત્વનો મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર(normative ethics)નો સિદ્ધાંત. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં મનુષ્યોનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કરવાના જે કેટલાક સિદ્ધાંતો છે તેમાંનો તે એક છે. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં પરિણામવાદી (consequentialist) અને અપરિણામવાદી (non-consequentialist) – એમ બે પ્રકારના નૈતિક સિદ્ધાંતો છે, તેમાં સુખવાદ એ પરિણામવાદી નૈતિક સિદ્ધાંત છે. નૈતિક પરિણામવાદ પ્રમાણે માત્ર એવાં…

વધુ વાંચો >

સુખાવતીલોકેશ્વર

સુખાવતીલોકેશ્વર : નેપાળમાં પ્રચલિત બોધિસત્વ અવલોકિતેશ્વરનું એક વિશિષ્ટ સ્વરૂપ. અમૃતાનંદરચિતા ‘ધર્મકોશસંગ્રહ’માં આ સ્વરૂપનું વર્ણન મળે છે. અવલોકિતેશ્વર વર્તમાન ભદ્રકલ્પના અધિષ્ઠાતા મનાતા હોઈ વર્તમાન જગતના રક્ષણની જવાબદારી એમના શિરે છે. સાધનમાલામાં અવલોકિતેશ્વરનાં લગભગ 31 સાધનો જાણવા મળે છે, જે એમની જે-તે સ્વરૂપની ઉપાસનાનાં સૂચક છે. આમાંથી 15 સાધનોનું વર્ણન સાધનમાલામાં પ્રાપ્ત…

વધુ વાંચો >

સુદર્શનચક્ર

સુદર્શનચક્ર : ભગવાન વિષ્ણુનું એક જાણીતું આયુધ. तेजस्तत्त्व सुदशनिम्(ભાગવતપુરાણ 12-11-14)માં તેને તેજતત્વ કહ્યું છે. ગોપાલોત્તરતાપનીય ઉપનિષદ (25) અનુસાર બાળકસમું અતિચંચળ સમદૃષ્ટિમન જ સુદર્શનચક્ર છે. (बालस्वरूपमित्यन्तं मनश्चक्रं निगद्यते ।)સુદર્શનચક્રનો મંત્ર जं खं वं सुदर्शनाय नम: છે. તે અગ્નિપુરાણમાં મળે છે. અગ્નિપુરાણમાં સુદર્શનચક્રનાં ન્યાસ, ધ્યાન વગેરેનું વર્ણન પણ છે. ‘सहस्रार हुं फट्…

વધુ વાંચો >

સુન્નત

સુન્નત : પયગંબરસાહેબનાં અને સહાબીઓનાં વાણી અને વર્તનની પરંપરાને વર્ણવતા ગ્રંથો. અરબી ભાષામાં ‘સુન્નત’ એટલે માર્ગ, પદ્ધતિ, રીત વગેરે. પવિત્ર કુરાનમાં ‘સુન્નત’નો અર્થ અલ્લાહનો અર્થ અલ્લાહનો કાનૂન અને કાયદો થાય છે. ‘સુન્નત’નું બહુવચન ‘સુનન’ થાય છે. ઇસ્લામમાં પયગંબર મુહમ્મદ (સ. અ. વ.) તથા તેમની પહેલાંના પયગંબરોનાં વચનો તથા વ્યવહારને સુન્નત…

વધુ વાંચો >

સુન્નત વલ જમાઅત

સુન્નત વલ જમાઅત : પયગંબરસાહેબના અને સહાબીઓનાં વાણી-વર્તનને સહી અનુસરી જન્નતમાં જનારા મુસલમાનો. ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મુહમ્મદ(સ.અ.વ.)ની વાણી અને વર્તનને સુન્નત કહેવામાં આવે છે અને તેમના સહાબીઓ, વિશેષ કરીને પ્રથમ ચાર ખલીફાઓ હજરત અબૂબક્ર, હ. ઉમર, હ. ઉસ્માન અને હ. અલીએ જે બાબતોમાં સંમતિ દર્શાવી હોય તથા મોટાભાગના મુસ્લિમો…

વધુ વાંચો >