ધર્મ-પુરાણ

શાંતિદેવ (સાતમી સદી)

શાંતિદેવ (સાતમી સદી) : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય. નેપાળમાંથી મળેલી નેવારી લિપિમાં લખાયેલ 14મી શતાબ્દીની એક તાડપત્રીય પ્રતમાંના નિર્દેશ અનુસાર શાંતિદેવ રાજપુત્ર હતા અને તેમના પિતાનું નામ મંજુવર્મા હતું. તિબેટના ઇતિહાસકાર લામા તારાનાથ અનુસાર શાંતિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો અને તેઓ શ્રીહર્ષના પુત્ર શીલના સમકાલીન હતા. શાંતિદેવ રાજપુત્ર…

વધુ વાંચો >

શાંતિનાથ

શાંતિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના સોળમા તીર્થંકર. જૈન પરંપરા અનુસાર પ્રવર્તમાન કાળચક્રમાં ત્રેસઠ શલાકાપુરુષો અર્થાત્ સર્વશ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. આ શલાકાપુરુષોમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ અર્થાત્ અર્ધચક્રવર્તી, 9 બલદેવ (વાસુદેવના મોટાભાઈ) અને 9 પ્રતિવાસુદેવ (વાસુદેવના પ્રતિસ્પર્ધી રાજા) હોય છે. ક્વચિત્ એક જ વ્યક્તિ પૂર્વજીવનમાં ચક્રવર્તી અને પછીના…

વધુ વાંચો >

શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર)

શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર) : પ્રાચીન વેદમંત્રોનાં ઉચ્ચારણોને લગતું શાસ્ત્ર અને છ વેદાંગોમાંનું એક વેદાંગ. શિક્ષાની વ્યુત્પત્તિ એવી છે કે વેદના ઉચ્ચાર માટે શક્તિશાળી બનાવે તે શિક્ષા. વેદના રચનાકાળથી હજારો વર્ષો પહેલાં વેદમંત્રોનો ઉચ્ચાર થતો હતો તે પ્રમાણે જ આજે પણ તેનો ઉચ્ચાર થાય અને સ્વર કે વર્ણના ઉચ્ચારમાં દોષો…

વધુ વાંચો >

શિક્ષાપત્રી

શિક્ષાપત્રી : સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ. સં. 1882ના મહા સુદ પાંચમે (વસંતપંચમીએ) ભગવાન સ્વામિનારાયણે (સહજાનંદ સ્વામીએ) સ્વયં શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણે સર્વ ધર્મશાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં સુસ્પષ્ટપણે ગ્રથિત કર્યો છે. આથી આ ગ્રંથનું લાઘવસૂચક ‘શિક્ષાપત્રી’ એવું નામ અન્વર્થક છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત સત્સંગીઓને ઉદ્દેશીને…

વધુ વાંચો >

શિખર

શિખર : મંદિરના ગર્ભગૃહની ઉપર થતું શાસ્ત્રોક્ત બાંધકામ. શિખરોના બાંધકામના વૈવિધ્યને કારણે જુદી જુદી શિખરશૈલીઓ અસ્તિત્વમાં આવી. ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શૈલીઓનું વિવરણ જોવા મળે છે. આમાં મુખ્યત્વે નાગર અને દ્રાવિડ પણ ઓળખાય છે. તલમાનની ષ્ટિએ આ બે શૈલીઓ વચ્ચે ભાગ્યે શિખરશૈલીઓ જાણીતી છે. નાગરશૈલી ઉત્તરભારતીય શૈલી કે ઇન્ડો-આર્યન શૈલી…

વધુ વાંચો >

શિન્તો ધર્મ

શિન્તો ધર્મ : જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ. ‘શિન્તો’ મૂળ ચીની ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ‘દેવોનો માર્ગ’ એવો છે. શિન્તો ધર્મનું જાપાની નામ કમી-નો-મીચી છે. ‘કમી’ એટલે દેવો અને ‘મીચી’ એટલે માર્ગ. ઈ. પૂ. છઠ્ઠા સૈકાથી ‘શિન્તો’ – એ નામ જાપાનના ધર્મને લગાડવામાં આવ્યું. જાપાનમાં ઈ. સ. 600થી તાઓ તેમજ…

વધુ વાંચો >

શિબિ

શિબિ : વેદોના સમયની એક જાતિ અને તે નામનું પ્રાચીન ગણરાજ્ય. ઘણુંખરું ઋગ્વેદના શિવ જાતિના લોકો, તે જ શિબિ હતા. તેમનું પાટનગર શિબિપુર પંજાબના ઝંગ (Jhang) જિલ્લામાં આધુનિક શોરકોટ હતું. શિબિઓ ઉશિનર લોકો સાથે ઘણો સંબંધ ધરાવતા હતા. ‘ઐતરેય બ્રાહ્મણ’માં શિબિઓના રાજા અમૃતતાપણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવપુરને શિબિપુર તરીકે…

વધુ વાંચો >

શિમૂક

શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી…

વધુ વાંચો >

શિયા

શિયા : ઇસ્લામ ધર્મનો સંપ્રદાય. મુસલમાનોમાં એક પેટાવિભાગ (ફિરકો) શિયા નામથી ઓળખાય છે અને શિયા ફિરકાના પણ બીજા અનેક પેટાવિભાગો છે. આ પેટાવિભાગોમાં બાર ઇમામોને માનનારો ઇસ્ના અશરિયા ફિરકો સૌથી મોટો છે. બીજો મહત્વનો પેટાવિભાગ ઇસ્માઇલી શિયાઓનો છે જે સાત ઇમામોને માને છે. અરબી ભાષામાં ‘શિયા’નો અર્થ ‘ટેકેદાર’, ‘પક્ષકાર’ (supporter)…

વધુ વાંચો >

શિવ

શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’…

વધુ વાંચો >