ધર્મ-પુરાણ

ઋષભ વૈશ્વામિત્ર

ઋષભ વૈશ્વામિત્ર : વૈદિક ઋષિ અને વિશ્વામિત્રના એકસો પુત્રોમાંના મધુચ્છંદા આદિ પાછલા પચાસમાંનો એક પુત્ર. ઐતરેય બ્રાહ્મણ(7-3-5)માં તેના નામનો ઉલ્લેખ છે. ઐતરેય બ્રાહ્મણના શુન:શેપ આખ્યાનમાં શુન:શેપ દેવોના પાશમાંથી મુક્ત થયો ત્યારે ઋષિ વિશ્વામિત્રે મધુચ્છંદા આદિ પુત્રોના સાક્ષ્યમાં તેને પોતાના જ્યેષ્ઠ પુત્ર તરીકે સ્વીકારી દેવરાત નામ આપ્યું. તે પ્રસંગમાં વિશ્વામિત્રે બોલાવેલા…

વધુ વાંચો >

એકલવ્ય

એકલવ્ય : મહાભારતનું એક પાત્ર. નિષાદોના રાજા હિરણ્યધનુનો પુત્ર. સત્યવાદી, નિષ્ઠાવાન, વિદ્યાવ્યાસંગી. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં સૂતપુત્ર કર્ણ સહિત કૌરવો અને પાંડવોને શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવતા હતા. એમની આચાર્ય તરીકેની ખ્યાતિ ચોમેર ફેલાતાં દૂર દેશાવરોથી હજારો રાજાઓ અને રાજપુત્રો દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદનું શિક્ષણ લેવા આવવા લાગ્યા. એ પ્રમાણે નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ વિદ્યાર્જન…

વધુ વાંચો >

એડિક્ટ ઑવ્ નાન્ટિસ

એડિક્ટ ઑવ્ નાન્ટિસ (1598) : ફ્રેન્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા બક્ષતો કાયદો. ધર્મસુધારણાના આંદોલનને પરિણામે પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક સંપ્રદાયમાં વિભાજિત થયેલા યુરોપમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફેલાયું. સોળમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં આ ધાર્મિક અસહિષ્ણુતાને પરિણામે આંતરવિગ્રહ પેદા થયો. ઑગસ્ટ 1572માં સેંટ બાર્થોલોમ્યુ દિન નિમિત્તે હજારોની સંખ્યામાં હ્યૂજ્યુનૉટ તરીકે ઓળખાતા…

વધુ વાંચો >

એપિફની

એપિફની : ખ્રિસ્તી ધર્મ અને સાહિત્યના સંદર્ભમાં અલક્ષિત વાસ્તવનું સર્જનાત્મક ક્ષણે થતું ત્વરિત આંતરદર્શન. ગ્રીક ભાષાના આ શબ્દનો અર્થ પ્રાગટ્ય કે દર્શન થાય છે. ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’માં તેનો સંદર્ભ ઈસુ ખ્રિસ્તના પ્રાગટ્ય સાથે જોડાયેલો છે. મજાઈ યાત્રીઓને ઈસુ ખ્રિસ્તે છઠ્ઠી જાન્યુઆરીએ બારમી રાત્રીએ દર્શન દીધાં હતાં. ઈસુદર્શનનો આ પર્વદિન છે. જેમાં…

વધુ વાંચો >

એશિયાટિક સોસાયટી

એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન,…

વધુ વાંચો >

ઐક્ષ્વાકુ વંશ

ઐક્ષ્વાકુ વંશ : વૈવસ્વત મનુના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુમાંથી નીકળેલો રાજવંશ. એની રાજધાની અયોધ્યા હતી. આ વંશમાં શશાદ, કકુત્સ્થ, શ્રાવસ્ત, માંધાતા, ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, અંબરીષ, ઋતુપર્ણ, દિલીપ, રઘુ, અજ અને દશરથ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. દશરથના પુત્ર રામ ભગવાન વિષ્ણુના અવતાર ગણાયા. રામના પુત્ર કુશના વંશમાં પાંડવોના સમયમાં બૃહદબલ…

વધુ વાંચો >

ઐતરેય બ્રાહ્મણ

ઐતરેય બ્રાહ્મણ : વૈદિક સાહિત્યનો એક ગ્રંથ. સમગ્ર વૈદિક સાહિત્યને (1) સંહિતા, (2) બ્રાહ્મણ, (3) આરણ્યક અને (4) ઉપનિષદ – એવા ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે. ચાર વેદનાં કુલ અઢાર બ્રાહ્મણો આજે મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમાં ઋગ્વેદનાં (1) ઐતરેય બ્રાહ્મણ, (2) કૌષિતકી બ્રાહ્મણ અને (3) શાંખાયન બ્રાહ્મણ મુદ્રિત…

વધુ વાંચો >

ઐતિહાસિક કાવ્ય

ઐતિહાસિક કાવ્ય : ઇતિહાસવસ્તુને સીધી કે આડકતરી રીતે ઓછેવત્તે અંશે સ્પર્શતું સંસ્કૃત કે પ્રાકૃત કાવ્ય. સંસ્કૃતમાં ‘કાવ્ય’ પદનો અર્થ છે – ‘સાહિત્ય’. તેથી અહીં કાવ્ય દ્વારા કોઈ પણ પ્રકારનું સાહિત્યસ્વરૂપ અભિપ્રેત છે, જેમાં ઇતિહાસની આસપાસ વસ્તુ ગૂંથાયું હોય. કેવળ ઇતિહાસનો આશ્રય લઈને કાવ્ય લખવાની પરિપાટી સંસ્કૃત સાહિત્યમાં નથી, કવિઓએ તો…

વધુ વાંચો >

ઓખાહરણ

ઓખાહરણ : ઉષા-અનિરુદ્ધની પૌરાણિક કથા, જેના પરથી ગુજરાતીમાં પ્રેમાનંદ આદિ કવિએ આખ્યાનો રચ્યાં છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જે કથાઓ લોકપ્રિય હતી, એમાંની એક ઓખા/ઉષાની કથા છે. એ સમયના ઘણા કવિઓએ યથાશક્તિમતિ ઓખાની કથાને રસમય બનાવવાની કોશિશ કરી છે. આ પૌરાણિક કથા હરિવંશપુરાણના વિષ્ણુપર્વના 116થી 128મા અધ્યાયમાં અને શ્રીમદભાગવતના દશમસ્કંધના ઉત્તરાર્ધમાં…

વધુ વાંચો >

ઓઝા, રમેશ વ્રજલાલ

ઓઝા, રમેશ વ્રજલાલ (‘ભાઈશ્રી’) (જ. 31 ઑગસ્ટ 1957, દેવકા) : ગુજરાત અને ગુજરાત બહાર ભાગવતરામાયણનું પારાયણ કરનારા વિદ્વાન કથાકાર. સમાજમાં ‘ભાઈશ્રી’ના નામથી વિખ્યાત. એમના પિતાનું નામ વ્રજલાલ કાનજીભાઈ ઓઝા. માતાનું નામ લક્ષ્મીબહેન. એમના પરિવારમાં તેઓ બીજું સંતાન હતા. જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ. કુટુંબ સંસ્કારી અને ધર્મપ્રિય. ભાઈશ્રી પછી બે પુત્રો…

વધુ વાંચો >