ધર્મ-પુરાણ

ઉષા

ઉષા : વૈદિક દેવતા ઋષિઓનું આરાધ્ય સુંદર પ્રકૃતિતત્વ. કાવ્યર્દષ્ટિએ સૌથી મહત્વનાં અને તેથી વૈદિક કવિતાનાં સર્વાધિક સુન્દરતમ સર્જન સમાં ઉષાદેવીના અદભુત વ્યક્તિત્વમાંના નિત્યનવીન તાજગીભર્યા સૌન્દર્યને વર્ણવતા ઋગ્વેદના ઋષિઓની પ્રતિભા પરાકાષ્ઠાએ પહોંચી છે. પ્રકાશ-વસ્ત્રોમાં સજ્જ અને અતુલનીય સૌંદર્યથી દેદીપ્યમાન ઉષાદેવી એકધારી નિયમિતતાથી ऋतावरी-સ્વરૂપે પૂર્વ દિશામાં પધારે, અંધકારગુપ્ત અઢળક સંપત્તિના ખજાનાઓ ખુલ્લા…

વધુ વાંચો >

ઉષારાત્રી

ઉષારાત્રી : વૈદિક યુગ્મદેવતા. ઉષારાત્રીનું યુગ્મરૂપે (ક્યારેક नक्तोषासा તરીકે) આવાહન અનેક વાર છતાં સામાન્ય રીતે ઋગ્વેદમાં विश्वदेवा: સૂક્તોમાં અને आप्री સૂક્તોમાં જ થયું છે, એ નોંધપાત્ર છે. ‘સમૃદ્ધ દેવીઓ’, ‘દિવ્ય ક્ધયાઓ’, ‘આકાશની પુત્રીઓ’ અને ‘ઋતની માતાઓ’ સમું આ દેવીયુગ્મ પરસ્પરના રંગનું પરિવર્તન કરીને વારાફરતી પ્રગટ થાય છે, પ્રાણીઓને જાગ્રત કરે…

વધુ વાંચો >

ઊરુભંગ

ઊરુભંગ : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસનાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતકથા ઉપર રચાયેલું છે. આ કથા મહાભારતમાં શલ્યપર્વના ગદાયુદ્ધપર્વમાં મળી આવે છે. મહાભારતના યુદ્ધમાં સર્વસ્વનો નાશ થયા પછી દુર્યોધન પોતાની જલસ્તંભવિદ્યાના બલે એક જળાશયમાં ભરાઈને સંતાઈ જાય છે. પાંડવોએ અહીંથી તેને શોધી કાઢ્યો. પછી દુર્યોધન તથા…

વધુ વાંચો >

ઋક્ પ્રાતિશાખ્ય

ઋક્ પ્રાતિશાખ્ય : ઋગ્વેદના ઉચ્ચારણ ઇત્યાદિના નિયમોને લગતો વ્યાકરણગ્રંથ. વૈદિક મંત્ર અને બ્રાહ્મણની ભાષા ને પરિભાષાના ગ્રહણસૌકર્ય સારુ શિક્ષા, કલ્પ આદિ જે શાસ્ત્ર રચાયાં તે વેદાંગ કહેવાયાં. પ્રાતિશાખ્ય એ શિક્ષા વેદાંગનું સહકારી શાસ્ત્ર છે. વર્ણ, સ્વર, સંધિ આદિ વ્યાકરણનાં અંગોની ચર્ચા પ્રાતિશાખ્યમાં છે એ પૂરતું તે વ્યાકરણ પણ છે. શાખા…

વધુ વાંચો >

ઋગ્વિધાન

ઋગ્વિધાન : શ્રૌત કે ગૃહ્ય કલ્પમાં ઉક્ત કર્મો સિવાયનાં કામ્યકર્મોમાં પ્રયોજવાનાં ઋક્સંહિતાનાં સૂક્ત, વર્ગ, મંત્ર, મંત્રચરણ આદિના વિનિયોગનું નિરૂપણ કરતો ગ્રંથ. ઋષ્યાદિ અનુક્રમણીઓના રચયિતા શૌનકની એ કૃતિ છે. તેમાં કુલ 506 શ્લોકો છે. ગ્રંથમાં ‘ઇત્યાહ…. શૌનક:’ જેવા શબ્દપ્રયોગો છે તેથી જણાય છે કે ઋગ્વિધાનના મૂળ શૌનકોક્ત પાઠનું સમયાંતરે પુન: સંપાદન…

વધુ વાંચો >

ઋગ્વેદ

ઋગ્વેદ : હિંદુ ધર્મના ચાર વેદમાંનો પ્રથમ. ભારતીય ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ, સમાજ, ભાષા, તત્વજ્ઞાન અને લોકમાનસના ઘડતરમાં વેદનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે. વેદ ચાર છે : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ચારે વેદમાં ઋગ્વેદનું મહત્વ પરંપરાથી સવિશેષ સ્વીકારાયું છે. ઋક્ અર્થાત્ ઋચા અને તેનો વેદ તે ઋગ્વેદ. अर्च (પૂજા…

વધુ વાંચો >

ઋત

ઋત : વિશ્વયોજનાના હાર્દરૂપ શાશ્વત નિયમ. ગતિવાચક ‘ઋ’ ધાતુ પરથી બનેલા ઋત શબ્દના ગતિ, પ્રગતિ, ગતિનો ક્રમ, સત્ય, વિશ્વવ્યવસ્થા, સત્યનો માર્ગ, પ્રશસ્ય આચાર અને યજ્ઞ વગેરે પર્યાયો વપરાયેલા છે. વિશ્વની વ્યવસ્થા, પ્રતિષ્ઠા અને તેના નિયમન માટે જે કારણરૂપ છે તથા સકળ સૃષ્ટિનું જે આદિ તત્વ છે તે ઋત છે. સૃષ્ટિની…

વધુ વાંચો >

ઋત્વિજ

ઋત્વિજ : યજ્ઞ કરાવનાર યાજ્ઞિક. આ શબ્દમાં યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોના સર્વ પ્રકારોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ અનુસાર અગ્નિની સ્થાપના, દર્શપૂર્ણમાસાદિ પાકયજ્ઞો, સોમયાગો, અશ્વમેધાદિ મહાયજ્ઞો અને અગ્નિષ્ટોમ આદિ યજ્ઞો યજમાન માટે કરાવનાર બ્રાહ્મણ ઋત્વિજ કહેવાય છે. ઋતુ પ્રમાણે યોગ્ય સમયે યજ્ઞ કરે તે ઋત્વિજ એવો ‘ઋત્વિજ’ શબ્દનો અર્થ થાય. પ્રધાનપણે તે…

વધુ વાંચો >

ઋભુગણ

ઋભુગણ : ત્રણ ‘મર્ત્ય’ ભાઈઓ. ‘ઋભુ’, ‘વિભ્વન્’ અને ‘વાજ’ નામ છે. ઇન્દ્ર માટે અશ્વોનું, અશ્વિનૌ માટે રથનું અને બૃહસ્પતિ માટે અમૃતપદ ગાયનું નિર્માણ; પોતાનાં વૃદ્ધ માતાપિતાને યૌવન-પ્રદાન અને એકમાંથી ચાર चमस(સોમપાનનું પાત્ર)નું સર્જન : सुहस्ता: જેવું યથાર્થ વિશેષણ પામેલ ઋભુત્રયીના અદ્ભુત હસ્તકૌશલનાં આવાં કાર્યોથી પ્રભાવિત થયેલા દેવોએ ઋભુઓને દેવત્વ આપ્યું.…

વધુ વાંચો >

ઋષભદેવ

ઋષભદેવ : જૈન ધર્મના વર્તમાન અવસર્પિણી કાળચક્રના ચોવીસ તીર્થંકરોમાં આદ્ય તીર્થંકર. જૈન પૌરાણિક માન્યતા અનુસાર ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા હતા. તેમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી હતી. પ્રાચીન કુલવ્યવસ્થામાં માનવસમૂહના મુખ્ય નાયકને કુલકર કહેવામાં આવતા. આવા સાત કે ચૌદ કુલકરો થઈ ગયા. તેમાં અંતિમ કુલકર નાભિના…

વધુ વાંચો >