તેલુગુ સાહિત્ય

દિગંબર કવિતા

દિગંબર કવિતા : આધુનિક ક્રાંતિકારી તેલુગુ કવિતા. પૂર્વનિશ્ચિત જીવનમૂલ્યોનો અસ્વીકાર કરીને સમગ્ર પ્રાચીનતાને ફગાવીને, નવા જીવનબોધનું મૂલ્યાંકન, દિગંબરપણે કશાય મુખવટા સિવાય કરવાના આશયથી આંધ્રના કેટલાક કવિઓએ દિગંબર પંથની સ્થાપના કરી. એ કવિઓમાં મુખ્ય હતા નગ્નમુનિ નિખિલેશ્વર, જ્વાલામુખી, ચેરખંડ રાજુ, ભૈરવપ્પા તથા મહાસ્વપ્ન. એમણે એમના નામથી નવો સંવત્સર ચલાવ્યો. ઋતુઓ અને…

વધુ વાંચો >

નન્નેચોડ

નન્નેચોડ (સમય : 1080થી 1125) : તેલુગુના વીરશૈવ સંપ્રદાયના પ્રથમ કવિ. એ ઓસ્યુરુના સૂર્યવંશી ક્ષત્રિય રાજા હતા. એમને એમની કવિપ્રતિભાને લીધે ‘કવિરાજશિખામણિ’ તથા વીરતાને લીધે ‘ટેંકણાદિત્યુડુ’ની ઉપાધિ મળી હતી. એ સંસ્કૃતના પંડિત હતા. તેઓ એવા કવિ હતા કે તેમની કવિતામાં તેમણે કન્નડ અને તમિળ ભાષાના શબ્દો પ્રયોજ્યા હતા. એમણે શૈવમતના…

વધુ વાંચો >

નવીન ડી. (ડોંગરી મલ્લાહ)

નવીન ડી. (ડોંગરી મલ્લાહ) (જ. 24 ડિસેમ્બર 1941, વાવિલાલા, જિ. વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલરેખલુ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી તેમજ હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ અર્થશાસ્ત્રના…

વધુ વાંચો >

નાટ્યશાસ્ત્રમુ

નાટ્યશાસ્ત્રમુ (1960) : તેલુગુ નાટ્યવિવેચના. પોનંગી શ્રીરામ અપ્પારવુકૃત ‘નાટ્યશાસ્ત્રમુ’ એ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ભાષ્યનો ગ્રંથ છે, એમાં એમણે નાટ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખી ભરતના ગ્રંથની ઉપર તો ટિપ્પણી કરી જ છે; પરંતુ સંગીત નૃત્ય, નાટક, અભિનય, રસસિદ્ધાંત ઇત્યાદિ વિશે અન્ય પુસ્તકોમાં આપેલી એ વિષયોની ચર્ચા જોડે ભરતનાં મંતવ્યોની તુલના કરી છે.…

વધુ વાંચો >

નાયક, વિજયરાઘવ

નાયક, વિજયરાઘવ (સત્તરમી સદી) : તેલુગુ લેખક. તેમના પિતા રઘુનાથ તંજાવુર રાજ્યના રાજકવિ હતા. એટલે કાવ્યત્વ એમના લોહીમાં હતું. એમના પિતાના મૃત્યુ પછી એમની રાજકવિ તરીકે નિયુક્તિ થઈ હતી. યક્ષગાન એ આંધ્રપ્રદેશનું લોકનાટ્ય છે. વિજયરાઘવે અનેક યક્ષગાનો રચ્યાં છે. એમનાં યક્ષગાનો રાજાના દરબારમાં ભજવાતાં. વિજયરાઘવે રચેલાં યક્ષગાનો પૌરાણિક કૃતિઓ, વિશેષે…

વધુ વાંચો >

નારલા, વી. આર.

નારલા, વી. આર. (જ. 1 ડિસેમ્બર 1908, જબલપુર, મધ્યપ્રદેશ; અ. 13 માર્ચ 1985) : તેલુગુ ભાષાના નાટ્યકાર, કવિ અને નિબંધકાર. તેમની નાટ્યકૃતિ ‘સીતાજોસ્યમ્’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1934માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ વ્યવસાયે પત્રકાર હતા અને અનેક વર્ષો સુધી ‘આંધ્રપ્રભા’ તથા ‘આંધ્રજ્યોતિ’ના…

વધુ વાંચો >

નારાયણ રેડ્ડી, સી.

નારાયણ રેડ્ડી, સી. (જ. 29 જુલાઈ, 1931, હનુમાજિપેઠ, જિ. કરીમનગર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન પંડિત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મેન્ટાલુ માનવડુ’ (‘બ્લેઝિઝ ઍન્ડ હ્યૂમન્સ’, 1970) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેના તેલુગુ-વિભાગમાં અધ્યાપક…

વધુ વાંચો >

નારાયણશતકમ્

નારાયણશતકમ્ (પંદરમી શતાબ્દી) : તેલુગુ કાવ્ય. મધ્યયુગમાં પૌરાણિક કથાઓને તેલુગુમાં કાવ્યદેહ આપનાર કવિ પોતના બમ્મેર પ્રારંભમાં શિવભક્ત હતા. એમણે શિવભક્તિનાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે. પાછળથી એ વિષ્ણુભક્ત બન્યા. એમનો વ્યવસાય ખેતીનો હતો. એમનું પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન પ્રશસ્ય હતું. એમણે શ્રીમદભાગવતને આધારે વિષ્ણુના અવતારો વિશે આ મુક્તકો રચ્યાં છે. એમાં મત્સ્ય,…

વધુ વાંચો >

નેલટુરિ, વ્યંકટ સુબય્યા

નેલટુરિ, વ્યંકટ સુબય્યા (જ. 1915, નેલટુર ગામ, જિ. નેલ્લોર) : તેલુગુ ઇતિહાસકાર અને લેખક. શિક્ષણ ચેન્નાઈમાં. 1936માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય લઈને એમ. એ. થયા. તે પછી બૅંગાલુરુ તથા ચેન્નાઈમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1940માં એમણે ‘દક્ષિણનાં મંદિરોના સ્રોત’ પર સંશોધન કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1940થી 1975 સુધી મદ્રાસ…

વધુ વાંચો >

નોરિ નરસિંહરાવ

નોરિ નરસિંહરાવ (જ. 1900, ગન્ટુર, આંધ્રપ્રદેશ; અ. 1982) : તેલુગુ લેખક. કૉલેજ સુધીનું અને તે પછી એલએલ.બી.નું શિક્ષણ હૈદરાબાદમાં. ત્યાં જ વકીલાત શરૂ કરી. આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના તેઓ મંત્રી હતા. તેમણે સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું. તેમણે કન્નડ સાહિત્યમાં નવલકથાઓ, વાર્તાઓ, કવિતા, નાટક, વિવેચન એમ અનેક ક્ષેત્રે મહત્વનું…

વધુ વાંચો >