જ્યોતિષ

નીલકંઠ

નીલકંઠ (ઈ. સ. 1431) : પ્રસિદ્ધ ભારતીય જ્યોતિષી. પત્ની ચંદ્રિકા. વિદર્ભપ્રદેશના ગોદાથડના ધર્મપુરીના મૂળ રહેવાસી. તેમનું ગોત્ર ગાર્ગ્ય હતું. તેમના પિતા અનંત કાશીનિવાસી થયા ત્યારથી આ કુટુંબ કાશીનિવાસી થયું. આ વંશની પાંચ પેઢી સુધી બધા જ મુખ્ય પુરુષો વંશપરંપરાગત જ્યોતિષશાસ્ત્રવિશારદ થયા હતા. તેમના પૂર્વજ ચિંતામણિ પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમના પુત્ર…

વધુ વાંચો >

નોસ્ત્રડેમસ

નોસ્ત્રડેમસ (માઇકલ દ નોત્રેડેમનું લૅટિન નામ) (જ. 14 ડિસેમ્બર  1503, સેંટ રેમી, ફ્રાન્સ; અ. 2 જુલાઈ 1566, સલોં, ફ્રાન્સ) : ફ્રાન્સનો ભવિષ્યવેત્તા અને તબીબ. 1529માં એજનમાં તબીબ વ્યવસાયનો પ્રારંભ કર્યો; 1544માં સલોંમાં વસવાટ કર્યો. 1546–47માં પ્લેગ ફાટી નીકળતાં તેમણે જે નવતર અને મૌલિક પ્રકારની દવા અને સારવાર આપી તેથી ત્યાં…

વધુ વાંચો >

પનોતી

પનોતી : જ્યોતિષશાસ્ત્ર મુજબ ખરાબ ગ્રહદશા. પનોતીનો મૂળ સિદ્ધાંત શનિ-ચંદ્રના રાશિપ્રવેશ અને પરિભ્રમણ ઉપર રહેલો છે. જાતકની જન્મરાશિથી શનિ જ્યારે 12મી રાશિમાં આવે ત્યારે તે રાશિના જાતકના જીવનમાં મોટી ‘પનોતી’ બેઠી એમ કહેવાય છે. આ મોટી પનોતીનો સામાન્ય સમય સાડાસાત વર્ષનો ગણવામાં આવે છે. તેના ત્રણ તબક્કા પાડવામાં આવે છે.…

વધુ વાંચો >

પંચસિદ્ધાંતિકા (ઈ. સ. 508થી 548)

પંચસિદ્ધાંતિકા (ઈ. સ. 508થી 548) : વરાહમિહિરરચિત જ્યોતિષશાસ્ત્રનો ‘કરણ’ ગ્રંથ. તેમણે આ ગ્રંથનો ઉલ્લેખ ક્યાંય ‘પંચસિદ્ધાંતિકા’ના નામથી કર્યો નથી. જોકે એમાં ‘પ્રાચીનસિદ્ધાંત – પંચક’ના નિયમો તેમજ સૌરાદિ પાંચ સિદ્ધાંતોની ચર્ચા કરી છે. પૂર્વાચાર્યોએ જે જે બાબતો કહી નથી, તે તે બાબતો તેમણે ઉમેરી છે. ગણિતસ્કંધ એવા નામે પણ ઓળખવામાં આવતો…

વધુ વાંચો >

પ્રશ્નજ્યોતિષ

પ્રશ્નજ્યોતિષ : પ્રશ્નના સમય પરથી ફળાદેશ કરવાની ભારતીય જ્યોતિષશાસ્ત્રની પદ્ધતિ. ભારતીય પરંપરાગત ‘હોરા’ પદ્ધતિ પ્રમાણે એનું ગણિત મૂકવામાં આવે છે. સામાન્ય રીતે જાતકના જન્મ, સમય અને તારીખ કે તિથિ, નક્ષત્રના આધારે ફળાદેશ માટે જન્માક્ષર તૈયાર કરવામાં આવે છે. અહીં પ્રશ્નના સમયના આધારે કુંડળી માંડવામાં આવે છે. પ્રશ્નજ્યોતિષ એ પ્રત્યક્ષ-પદ્ધતિ છે.…

વધુ વાંચો >

બટાલવી, સજાનરાય

બટાલવી, સજાનરાય : હિન્દુ તવારીખકાર. હિન્દુસ્તાનના દળદાર, માહિતીપૂર્ણ ઇતિહાસ ‘ખુલાસતુત્તવારીખ’માં લેખકે પોતાના વિશે જે માહિતી આપી છે તે મુજબ તેઓ બટાલાના રહેવાસી હતા. તેમણે કાબુલ અને બિજનોરનો પ્રવાસ ખેડેલો. તેમનો ખાનદાની વ્યવસાય મુનશીગીરીનો હતો. તેઓ જ્ઞાતિએ ખત્રી (ક્ષત્રિય) હતા. તેમણે આ પુસ્તકમાં પોતાનું નામ પણ લખ્યું નથી. સજાનરાયની એક બીજી…

વધુ વાંચો >

બલ્લાલસેન

બલ્લાલસેન (અગિયારમી સદીનો ઉત્તરાર્ધ) : મહાન ભારતીય જ્યોતિર્વિદ્. બંગાળના રાજા વિજયસેનના પુત્ર. રાજ્યારોહણ 1158માં. તેમના ગુરુનું નામ અનિરુદ્ધ ભટ્ટ હતું. રાજવી તરીકે ફરજ બજાવતાં બજાવતાં એમણે ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં માત્ર લેખક જ નહિ, પણ સંશોધક તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી. તેમના સમકાલીન પંડિતોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતીય વૈદિક જ્યોતિષથી માંડીને…

વધુ વાંચો >

બુધ (મૂર્તિવિધાન)

બુધ (મૂર્તિવિધાન) : હિંદુ ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાંના નવ ગ્રહ તરીકે જાણીતા ગ્રહો પૈકીનો એક. ગ્રહો કેટલાંક મંદિરોમાં પૂજાતા હોવાથી ત્યાં એમની મૂર્તિઓ જોવામાં આવે છે. બુધને સામાન્યપણે ચંદ્રનો પુત્ર ગણવામાં આવે છે. તેની મૂર્તિ સિંહાસન પર બેઠેલી હોય છે. તેને પીળાં પુષ્પોનો હાર, સોનાના અલંકારો પહેરાવાય છે. બુધના શરીનો વર્ણ…

વધુ વાંચો >

બૃહત્સંહિતા

બૃહત્સંહિતા (ઈ. સ. 505) : વરાહમિહિરે વૃદ્ધ વયે રચેલો ફલિત જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. એનો અનુવાદ અરબી ભાષામાં બરૂનીએ કર્યો છે. આ ગ્રંથ મૂળ પ્રત ઉપરથી ડૉ. કર્નેએ સૌપ્રથમ છાપ્યો. અંગ્રેજી ભાષાન્તર રૉયલ એશિયાટિક સોસાયટીએ તેના પાંચમા પુસ્તક તરીકે પ્રગટ કર્યું. બિબ્લિઑથેકા ઇંડિકા(કલકત્તા)એ મૂળ ‘બૃહત્સંહિતા’ પ્રગટ કરી. તેની સાથે મૂળ અને ભાષાન્તર…

વધુ વાંચો >

બૃહદ્ જાતક

બૃહદ્ જાતક : જ્યોતિષશાસ્ત્રનો એક જાણીતો ગ્રંથ. રચયિતા વરાહમિહિર. જન્મસ્થળ ઉજ્જૈન. પિતા આદિત્ય. ગુરુ પણ એ જ. સૂર્યવંશી બ્રાહ્મણકુળ. ઇષ્ટદેવ સૂર્ય. છઠ્ઠી સદીના પૂર્વભાગમાં જન્મેલા આ જ્યોતિષાચાર્યે સૂર્યસિદ્ધાંતના અનેક ગ્રંથોની રચના કરી છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રની ત્રણ શાખાઓ સિદ્ધાંત, સંહિતા અને હોરામાં નિપુણતા પ્રાપ્ત કરી અજોડ જ્યોતિર્વિદનું સ્થાન પ્રાપ્ત કર્યું…

વધુ વાંચો >