કન્નડ સાહિત્ય

બસવેશ્વર (બસવણ્ણા)

બસવેશ્વર (બસવણ્ણા) (જ. 1131, ઇંગાલેશ્વર બાગેવાડી, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 1167, સંગમેશ્વર) : કર્ણાટકના એક મહાન આધ્યાત્મિક નેતા, ક્રાંતિકારી સંત, કન્નડ ભાષાના મહાન કવિ, વિખ્યાત રહસ્યવાદી તથા સમાજસુધારક. પિતા મદિરાજ કે મદારસ બાગેવાડી અગ્રહારના પ્રધાન હતા, જે ‘ગ્રામ નિમાની’ કહેવાતા. માતા મદાલંબિ કે મદાંબિ ધર્મનિષ્ઠ મહિલા અને બાગેવાડીના મુખ્ય દેવતા…

વધુ વાંચો >

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર (1961) : કન્નડ સાહિત્યના અગ્રણી વિવેચક અને બંગાળી સાહિત્યના અઠંગ અભ્યાસી એ. આર. કૃષ્ણશાસ્ત્રીએ કન્નડમાં લખેલો બંકિમચંદ્રની નવલકથાઓ વિશેનો વિવેચનગ્રંથ. તેમાં બંગાળી વિવેચકોનું ધ્યાન ન ગયું હોય એવા કેટલાક મુદ્દાઓ છે; જેમ કે, બંકિમચંદ્રની કઈ કઈ નવલકથાઓ પર પશ્ચિમની કઈ કઈ નવલકથાઓની કેવી અને કેટલી અસર છે,…

વધુ વાંચો >

બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર

બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર (જ. 1896, ધારવાડ, કર્ણાટક; અ. 1981) : કન્નડના અગ્રણી કવિ તથા સાહિત્યકાર. ઉત્કટ જ્ઞાનપિપાસા તેમને તેમના પૂર્વજો તરફથી વારસામાં મળી હતી. તેમના શિક્ષણનો પ્રારંભ પુણેમાં થયો અને 1918માં બી.એ. થયા પછી તેઓ ધારવાડ પરત આવી સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને સાથે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. તેમણે…

વધુ વાંચો >

બેરળ, ગેંડોરેલ

બેરળ, ગેંડોરેલ (1904) : કન્નડ નાટ્ય કૃતિ. આધુનિક કન્નડ સાહિત્યના અગ્રગણ્ય નાટકકાર કુવલપ્પુ પુટપ્પા ( ) કૃત આ નાટકમાં તેમણે જડ રૂઢિગ્રસ્તતા અને અમાનુષી આચરણ સામે બુલંદ અવાજે આક્રોશ ઠાલવ્યો છે. નાટક 3 ર્દશ્યમાં વહેંચાયેલું છે. પહેલા ર્દશ્યનું નામ ‘ગુરુ’ રાખ્યું છે. બીજાનું ‘કર્મ’ અને ત્રીજાનું ‘યજ્ઞ’. મહાભારતની કથામાં એકલવ્યની…

વધુ વાંચો >

ભરતેશ્વરવૈભવ

ભરતેશ્વરવૈભવ (સોળમી સદી) : કન્નડ કૃતિ. સોળમી શતાબ્દીના અંતમાં જૈન કવિ રત્નાકરવર્ણીએ રચેલી કાવ્યકૃતિ. 18 સર્ગોમાં  રચાયેલી એ બૃહદ મહાકાય રચના છે. એમાં 2,000 જેટલાં કાવ્યો છે. કાવ્યનું શીર્ષક દર્શાવે છે, તે પ્રમાણે એ પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતેશ્વરના જીવન પર આધારિત છે. પૂર્ણ જાહોજલાલી તથા સર્વ પ્રકારની સમૃદ્ધિમાં ઊછર્યા હોવા…

વધુ વાંચો >

ભુસ્નુરમઠ, એસ. એસ.

ભુસ્નુરમઠ, એસ. એસ. (જ. 1911, નિડાગુંડી, ધારવાર) : કન્નડ લેખક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બેલગામ અને કૉલેજ-શિક્ષણ ધારવાડમાં. ધારવાડમાં એમ. એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મળવાથી પોતાની જ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ. પાછળથી કર્ણાટક યુનિવર્સિટીમાં કન્નડના પ્રાધ્યાપક થયા. ‘વીરશૈવ સંપ્રદાય’ એમનો શોધપ્રબંધ હોવાથી, એ સંપ્રદાયના સાહિત્યના તે નિષ્ણાત છે. એમણે…

વધુ વાંચો >

મહાક્ષત્રિય

મહાક્ષત્રિય : કન્નડ ભાષાના સાહિત્યકાર દેવુડુ (નરસિંહ શાસ્ત્રી)(1896–1962)ની નવલકથા. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1962ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. નરસિંહ શાસ્ત્રી કન્નડ ભાષાના નામાંકિત નવલકથાકાર અને સાહિત્યકાર હતા. તેમના બહુવિધ શોખના વિષયોમાં સાહિત્ય, તત્વજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, લલિત કળાઓ તથા રંગભૂમિ-પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ‘મહાક્ષત્રિય’ એ તેમની નવલત્રયીમાંની એક કૃતિ છે,…

વધુ વાંચો >

મુગલી, આર. એસ.

મુગલી, આર. એસ. (જ. 15 જુલાઈ 1906, હોલે, અલૂર, કર્ણાટક; અ. 20 ફેબ્રુઆરી 1992, બૅંગાલુરુ) : ક્ન્નડ ભાષાના કવિ, વિવેચક અને નવલકથાકાર. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે 14 વર્ષની વયે થોડા સમય માટે શાળા-અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી અભ્યાસ શરૂ કરીને તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ., એમ. એ. તથા ડી. લિટ્.ની ડિગ્રી…

વધુ વાંચો >

મૂર્તિ, ચિદાનંદ

મૂર્તિ, ચિદાનંદ (જ. 10 મે 1931, હીરેકોગલુર, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમના વિવેચનગ્રંથ ‘હોસતુ હોસતુ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા પીએચ. ડી. ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના વિષયમાં ઉચ્ચ સંશોધન કર્યું. વિભિન્ન વિષયોને લગતાં તેમનાં 19 પુસ્તકોમાં ઊંડી…

વધુ વાંચો >

મૂર્તિરાવ, અક્કિહેબ્બાલુ નરસિંહ

મૂર્તિરાવ, અક્કિહેબ્બાલુ નરસિંહ (જ. 16 જૂન 1900, અક્કિહેબાલુ, મંડ્યા જિલ્લો, કર્ણાટક; અ. 23 ઑગસ્ટ 2003) : કન્નડમાં નિબંધ-સ્વરૂપના પ્રણેતા. તેમને તેમની કૃતિ ‘ચિત્રગલુ-પત્રગલુ’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે વૅસ્લેયન મિશન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે દરમિયાન બીજી ભાષા તરીકે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો અને…

વધુ વાંચો >