અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

સાવયધમ્મ દોહા (શ્રાવક-ધર્મ દોહા)

સાવયધમ્મ દોહા (શ્રાવક–ધર્મ દોહા) : વિ. સં. 990 લગભગ માળવાની ધારાનગરીમાં દિગમ્બર મુનિ દેવસેન દ્વારા રચાયેલ અપભ્રંશ દોહાસંગ્રહ. તેમાં જૈન ધર્મના ગૃહસ્થોનાં કર્તવ્યોનું વર્ણન છે. દેવસેન સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. સાવયધમ્મ દોહા ઉપરાંત તેમણે સંસ્કૃતમાં ‘આલાપપદ્ધતિ’ અને પ્રાકૃતમાં ‘દર્શનસાર’, ‘આરાધનાસાર’, ‘તત્ત્વસાર’ અને ‘ભાવસંગ્રહ’ નામના ગ્રંથો પણ લખ્યા છે. ‘સાવયધમ્મ…

વધુ વાંચો >

સિદ્ધહેમ

સિદ્ધહેમ : સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ. તેનું આખું નામ છે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. તેના કર્તા છે જૈન આચાર્ય હેમચન્દ્ર. ગ્રન્થના શીર્ષકમાં ગૂર્જરનરેશ સિદ્ધરાજ અને હેમચન્દ્રનાં નામોનાં આગલાં પદોનો નિર્દેશ છે. સિદ્ધરાજ માલવાને જીતી ધારાનગરીનો અમૂલ્ય ભંડાર પાટણ લાવ્યા હતા. તેમાં ભોજે રચેલો ‘સરસ્વતી-કંઠાભરણ’ નામનો વ્યાકરણનો ગ્રન્થ તેમણે જોયો. ગુજરાતમાં ગુજરાતના વિદ્વાનના…

વધુ વાંચો >

સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય)

સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય) : પ્રાકૃત ભાષામાં કૃષ્ણલીલાશુકે રચેલું મહાકાવ્ય. વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ અને ત્રિવિક્રમના ‘પ્રાકૃત વ્યાકરણ’ના નિયમોને સમજાવવા ઈ. સ.ની 13મી શતાબ્દીમાં કેરળના કૃષ્ણલીલાશુકે આ ‘શ્રીચિહનકાવ્ય’ની રચના કરી છે. ભટ્ટિ કવિએ ‘અષ્ટાધ્યાયી’નાં સૂત્રોનાં ઉદાહરણોને ક્રમ મુજબ કાવ્યમાં મૂકીને ‘ભટ્ટિકાવ્ય’(રાવણવધ)ની રચના કરી છે અને હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ વ્યાકરણ’નાં સૂત્રોનાં ઉદાહરણો અનુક્રમે ગોઠવી ‘દ્વયાશ્રય’ની રચના…

વધુ વાંચો >

સિરિવાલકહા (શ્રીપાળકથા)

સિરિવાલકહા (શ્રીપાળકથા) : નવપદનું માહાત્મ્ય બતાવતી રચના. બૃહદગચ્છના પછીના નાગોરી તપાગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. 1428માં તે રચી હતી. સં. 1400માં આચાર્યપદે આવી સં. 1407માં તેમણે ફિરોઝશાહ તુગલુકને બોધ આપ્યો હતો. ડૉ. વી. જે. ચોકસી દ્વારા ઈસવી સન 1932માં અમદાવાદથી આ કથા પ્રકાશિત થઈ છે. તેના થોડાક ભાગની પ્રો. કે.…

વધુ વાંચો >

સિંગારમંજરી

સિંગારમંજરી : વિશ્વેશ્વરે પ્રાકૃતમાં કરેલી નાટ્યરચના. પ્રાકૃતમાં રચાયેલ પાંચ સટ્ટકોમાંનું એક. પ્રથમ મુંબઈની કાવ્યમાલા ગ્રંથશ્રેણીના 8મા ભાગમાં પ્રકાશિત. તે પછી 1978માં ઇંદોરના પ્રા. બાબુલાલ શુક્લ શાસ્ત્રીએ સંસ્કૃત છાયા, પ્રસ્તાવના, હિન્દી વ્યાખ્યા, પરિશિષ્ટ આદિ સાથે સંપાદિત કરેલ આવૃત્તિ વારાણસીથી વિશ્વવિદ્યાલય પ્રકાશન રૂપે પ્રગટ થઈ છે. બાબુલાલની આ હિન્દી વ્યાખ્યા-અનુવાદ-નું નામ ‘સુરભિ’…

વધુ વાંચો >

સીલોવએસમાલા (સં. શીલોપદેશમાલા)

સીલોવએસમાલા (સં. શીલોપદેશમાલા) : જૈન કથાસાહિત્યની એક રચના. જૈન ધર્મના ઉપદેશોનો પ્રચાર કરવા માટે જ જૈન આચાર્યોએ ઔપદેશિક કથાસાહિત્યની રચના કરી છે. આથી તેમાં કથાનો અંશ પ્રાય: ગૌણ હોય છે. આમ ‘ઉપદેશમાલા’ નામના ઘણા ગ્રંથો રચાયા છે. ‘સીલોવએસમાલા’ અર્થાત્ ‘શીલોપદેશમાલા’માં શીલ અર્થાત્ બ્રહ્મચર્યપાલનનો ઉપદેશ આપેલો છે. 116 ગાથાઓના આ ગ્રંથના…

વધુ વાંચો >

સુકૃતકીર્તિકલ્લોલિની

સુકૃતકીર્તિકલ્લોલિની : આચાર્ય ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલનાં સુકૃત્યોની પ્રશસ્તિ રૂપે રચેલ કાવ્ય. તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે ઈ. સ. 1221માં શત્રુંજયની યાત્રા કરી હતી. તે વખતે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં ઇન્દ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો >

સુદંસણાચરિય (સુદર્શનાચરિત)

સુદંસણાચરિય (સુદર્શનાચરિત) : જૈન કથાકાવ્ય. તેના લેખક દેવેન્દ્રસૂરિ છે. ચાર હજારથી વધુ પ્રાકૃત ગાથાઓવાળું ‘સુદંસણાચરિય’ આઠ અધિકારો અને સોળ ઉદ્દેશોનું બનેલું છે. ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલમતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી – એ આઠ અધિકારોના મુખ્ય વર્ણ્યવિષયો છે. તેના પ્રથમ ઉદ્દેશમાં ધનપાલની વાતમાં ‘જૈન ધર્મકથાનું શ્રવણ હિતકારી છે’ – તે…

વધુ વાંચો >

સુપાસનાહચરિય

સુપાસનાહચરિય : શ્રી ચન્દ્રસૂરિના ગુરુભાઈ અને હેમચન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ 1142માં રાજા કુમારપાળના રાજ્યારોહણના વર્ષમાં કરેલી ગ્રંથરચના. પ્રાકૃત પદ્યની આ રચનામાં ક્યારેક સંસ્કૃત અને અપભ્રંશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુભાષિતો પણ મૂકવામાં આવ્યાં છે. સાતમા તીર્થંકર સુપાર્શ્ર્વનાથના ચરિત્રના વર્ણનને સ્થાને, ગ્રંથમાં તેમના ઉપદેશોની રજૂઆત વધુ પ્રમાણમાં છે. શ્રાવકોના…

વધુ વાંચો >

સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર)

સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર) : જૈન આગમોમાંનું બીજું અંગ. તેનાં બીજાં નામ છે : ‘સૂતગડસુત્ત’, ‘સુત્તકડસુત્ત’, ‘સૂયગડસુત્ત’. જૈનોના આગમોમાંનાં 11 અંગોમાં પ્રથમ છે ‘આયારંગ’ (‘આચારાંગ’) અને તે પછીનું તે આ ‘સુયગડંગ’. આગમોની ભાષા પ્રાચીન પ્રાકૃત છે, જેને અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત કહે છે. આ મૂળ ભાષામાં મહાવીર પછીનાં 1000 વર્ષ દરમિયાન…

વધુ વાંચો >