૯.૨૧

દેસાઈ ઝિયાઉદ્દીન અબ્દુલહૈથી દેહવિચારગીત

દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ

દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ (જ. 18 મે 1925, ધંધૂકા, જિ. અમદાવાદ; અ. 24 માર્ચ 2002) : નિવૃત્ત નિયામક, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, દિલ્હી. અરબી, ફારસી અને ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસવિદ. પિતા શિક્ષક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધંધૂકામાં. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી 1946માં ફારસી મુખ્ય વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ

દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1903, વેગામ, દક્ષિણ ગુજરાત; અ. 15 જૂન 1971, અમદાવાદ) : ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ ભરૂચ અને થાણાની હાઈસ્કૂલમાં લીધું હતું. 1919માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા. સરકારી કૉલેજો છોડવાની ગાંધીજીની…

વધુ વાંચો >

દેસાઈ, દિનકરરાવ નરભેરામ

દેસાઈ, દિનકરરાવ નરભેરામ (જ. 1 જુલાઈ 1889, ગોધરા, જિ. પંચમહાલ; અ. 21 એપ્રિલ 1959, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસ-પક્ષના નેતા. મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી. ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ દિનકરરાવ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1910માં બી. એ. તથા 1912માં એમ.એ. થયા. 1913માં એલએલ.બી. થઈને તેમણે ભરૂચમાં વકીલાત…

વધુ વાંચો >

દેસાઈ, (ડૉ.) દેવાંગના

દેસાઈ, (ડૉ.) દેવાંગના (જ. 15 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ખજૂરાહોના રતિમગ્ન અને કામોત્તેજક શિલ્પો પર ઊંડું અને મૌલિક સંશોધન કરનાર ભારતીય કલા-ઇતિહાસકાર. તેમણે મુંબઈમાં શાલેય શિક્ષણ પૂરું કર્યા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1957માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફિલસૂફીનાં સ્નાતક થયાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી જ સમાજવિદ્યાનાં અનુસ્નાતક થયાં. ભારતીય પ્રણાલીનાં રતિમગ્ન અને…

વધુ વાંચો >

દેસાઈ, ધીરુભાઈ અંબેલાલ

દેસાઈ, ધીરુભાઈ અંબેલાલ (જ. 9 મે 192૦, સૂરત) : પ્રખર ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. પિતા જૂના મુંબઈ રાજ્યના મહેસૂલ ખાતાના અમલદાર. પ્રાથમિક શિક્ષણ દિહેણ અને સૂરત ખાતે. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી 1942માં ગ્રૅજ્યુએટ તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી 1944માં એલએલ.બી. થયા. ત્યારપછી સાર્વજનિક લૉ કૉલેજમાં કાયદાના પ્રાધ્યાપક તરીકે માનાર્હ…

વધુ વાંચો >

દેસાઈ, નાનુભાઈ

દેસાઈ, નાનુભાઈ (જ. 19૦2, કાલિયાવાડી, નવસારી; અ. 1967) : પ્રારંભિક સ્ટન્ટ ચલચિત્રોના નિર્માતા તથા દિગ્દર્શક. મુંબઈ આવી અરદેશર ઈરાની(1886–1969)ની સ્ટાર ફિલ્મ કંપનીમાં જોડાયા. દોરાબશા કોલા અને નવરોજી પાવરી સાથે ભાગીદારી કરી. 1924માં સ્થપાયેલી સરસ્વતી ફિલ્મમાં ભોગીલાલ દવેના સાથી બન્યા. 1925માં દવે સાથે તેમણે સ્થાપેલા શારદા સ્ટુડિયોનો પાયો નંખાયો. 1929માં સરોજ…

વધુ વાંચો >

દેસાઈ, નારાયણ મહાદેવભાઈ

દેસાઈ, નારાયણ મહાદેવભાઈ (જ. 24 ડિસેમ્બર 1924, વલસાડ; અ. 15 માર્ચ 2૦15, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક અને ભૂદાન કાર્યકર, લેખક અને યુવકોના નેતા. તેમના પિતાશ્રી મહાદેવભાઈ મહાત્મા ગાંધીના અંગત મંત્રી અને સ્વાતંત્ર્યસૈનિક હતા. તેમનાં માતા દુર્ગાબહેન પણ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન બે વાર જેલમાં ગયાં હતાં. નારાયણ બાળપણમાં ગાંધીજી સાથે સાબરમતી તથા…

વધુ વાંચો >

દેસાઈ, નિમેષ

દેસાઈ, નિમેષ (જ. 1 એપ્રિલ 1956) : નટ, દિગ્દર્શક અને ટીવી કાર્યક્રમ-નિર્માતા. ગુજરાત કૉલેજના નાટ્યવિભાગમાં જશવંત ઠાકરના હાથ નીચે નાટ્યનો ડિપ્લોમા મેળવ્યો. પછી ખેડા (ઇસરો) ટેલિવિઝનમાં કાર્યક્રમ-સહાયક તરીકે 1975માં કારકિર્દી શરૂ કરી. અમદાવાદમાં આધુનિક ગુજરાતી તખ્તાના સાહસિક અને ઉત્સાહી નટ-દિગ્દર્શક તરીકે પોતાના કોરસ જૂથ દ્વારા અનેક દેશીવિદેશી નાટકોનું નિર્માણ કર્યું…

વધુ વાંચો >

દેસાઈ, નીરુભાઈ

દેસાઈ, નીરુભાઈ (જ. 13 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 1 ડિસેમ્બર 1993, અમદાવાદ) : જાણીતા ગુજરાતી પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની અને જાહેર કાર્યકર. નીરુભાઈનો જન્મ મધ્યમ વર્ગના બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તે ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન 1929માં પ્રિન્સિપાલ શીરાઝ સામેની વિદ્યાર્થીઓની હડતાળમાં તેમણે ભાગ લીધો હતો. તે કૉલેજની વિદ્યાર્થી સમિતિના…

વધુ વાંચો >

દેસાઈ, પદ્મા

દેસાઈ, પદ્મા (જ. 12 ઑક્ટોબર 1931 સુરત,  અ. 29 એપ્રિલ  2023 ન્યૂયોર્ક, યુએસએ) : સોવિયેત રશિયાના વિદ્વાન અભ્યાસુ અને ભારતીય-અમેરિકન વિકાસ અર્થશાસ્ત્રી. તેમનો જન્મ એક ગુજરાતી અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતાનું નામ શાંતા અને પિતાનું નામ કાલિદાસ. તેમણે 1951માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં બી.એ. કર્યું. 1953માં એ જ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

દેસાઈ, વિભા

Mar 21, 1997

દેસાઈ, વિભા (જ. 25 જાન્યુઆરી 1944, પોરબંદર) : ગુજરાતી સુગમ સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ વિભા વૈષ્ણવ. 1964માં ગુજરાતી સુગમ સંગીતના વિખ્યાત ગાયક અને સ્વરકાર રાસબિહારી દેસાઈ સાથે લગ્ન થયા પછી વિભા દેસાઈ નામથી વધુ પરિચિત થયાં. પિતા જયેન્દ્રભાઈ વૈષ્ણવ જીવનવીમા કૉર્પોરેશનમાંથી ડેવલપમેન્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ કનકતારા.…

વધુ વાંચો >

દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ

Mar 21, 1997

દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ (જ. 6 ઑગસ્ટ 19૦8, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 3 એપ્રિલ 2૦૦૦, જૂનાગઢ) : ઇતિહાસકાર, જૂનાગઢ રાજ્યના વહીવટદાર અને નિવૃત્ત કલેક્ટર. તેમના પિતાશ્રી પણ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. તેઓ નાગર જ્ઞાતિના હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે 1926માં મૅટ્રિકની અને…

વધુ વાંચો >

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા

Mar 21, 1997

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા (જ. 22 જુલાઈ 1929, હલિયાલ, જિ. ઉત્તર કન્નડ, કર્ણાટક; અ. 1998) : કન્નડ વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઓમ્ નમો’ બદલ 2૦૦૦ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે હલિયાલ, કર્ણાટક કૉલેજ, ધારવાડ; વિલ્સન કૉલેજ, મુંબઈ અને લીડ્સ યુનિવર્સિટી, યુ.કે.માં શિક્ષણ…

વધુ વાંચો >

દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ

Mar 21, 1997

દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ (જ. 26 જાન્યુઆરી 19૦1, મહેમદાવાદ; અ. 12 એપ્રિલ 1992, અમદાવાદ) : ગુજરાતના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ અને વિખ્યાત ધારાશાસ્ત્રી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં શિક્ષણ લીધું. તેમના દાદા રાવબહાદુર રણછોડલાલ દેસાઈ અને પિતા ત્રિકમલાલ દેસાઈ વિખ્યાત ધારાશાસ્ત્રીઓ હતા. સુંદરલાલ પણ એલએલ.બી.નાં બંને વર્ષોમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા…

વધુ વાંચો >

દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય

Mar 21, 1997

દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય (જ. 2૦ નવેમ્બર 188૦, ગોધરા, જિ. પંચમહાલ; અ. 31 માર્ચ 195૦, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના ઉમદા સામાજિક કાર્યકર. શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. પછી અમદાવાદની બી. જે. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી કોલકાતા યુનિવર્સિટીમાંથી 1906માં  એલ.સી.પી.એસ. થઈને ડૉક્ટર બન્યા હતા. પૂર્વજો મૂળ અલીણા ગામના…

વધુ વાંચો >

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ

Mar 21, 1997

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ (જ. 9 ઑગસ્ટ 1915, સૂરત; અ. 12 સપ્ટેમ્બર 1993, અમદાવાદ) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા કનૈયાલાલ જમીનદાર. તેઓ વ્યવહારજગતમાં કાનજીભાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતાં. ચાર સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના. બાળપણમાં એ ક્રિકેટના શોખીન. ફાસ્ટ બૉલર તરીકે માન પામેલા. કાનજીભાઈનું આખું કુટુંબ દેશપ્રેમી…

વધુ વાંચો >

દેહરાદૂન

Mar 21, 1997

દેહરાદૂન : ઉત્તરાખંડની શિવાલિક ગિરિમાળામાં દૂનની ખીણમાં આવેલો જિલ્લો તેમજ રમણીય ગિરિમથક. ‘દેહરાદૂન’ શબ્દ ‘દેહરા (દહેરા > ડેરા)’ અને ‘દૂન’ એ બે શબ્દોથી બન્યો છે. શીખગુરુ હરરાયના પુત્ર રામરાય દ્વારા સ્થાપિત ‘ડેરા’ સાથે આ નામને સંબંધ છે. આ ‘દેહરા’ને સંસ્કૃત ‘દેવગ્રહ’ સાથે તથા ‘દૂન’ને ‘દ્રોણિ’ (ઘાટી) શબ્દ સાથે સંબંધ હોવાનું…

વધુ વાંચો >

દેહલવી, સૈયદ અહમદ

Mar 21, 1997

દેહલવી, સૈયદ અહમદ (જ. 1846, દિલ્હી; અ. 1918, દિલ્હી) : ઉર્દૂ ભાષાના કોશકાર અને ભાષાશાસ્ત્રી. જન્મ દિલ્હીમાં થયો હતો તે પરથી ‘દહલ્વી’ (દેહલવી) અટક રાખેલી છે. તેમના પિતા સૈયદ અબ્દુર્રેહમાન પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા હતા. સૈયદ અહમદ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની નૉર્મલ સ્કૂલમાં મેળવીને લેખનકાર્યમાં વ્યસ્ત રહેવા લાગ્યા. શાળાકીય જીવનમાં તેમણે ‘તિફલીનામા’…

વધુ વાંચો >

દેહવિકાસનાં સોપાનો

Mar 21, 1997

દેહવિકાસનાં સોપાનો (milestones of development) : બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાઓ. સંપૂર્ણપણે માતા પર આધારિત એવા ગર્ભમાંથી બાળપણ દરમિયાન જે વૃદ્ધિ અને વિકાસ થાય છે તેને કારણે તે સ્વતંત્ર પુખ્ત વ્યક્તિ બને છે. શરીરના કોષોની સંખ્યામાં તથા પેશીઓ અને અવયવોના કદમાં વધારો થાય છે તે પ્રક્રિયાને વૃદ્ધિ (growth) કહે…

વધુ વાંચો >

દેહવિચારગીત

Mar 21, 1997

દેહવિચારગીત : અસમિયા આધ્યાત્મિક ગીત. વેરાગી ભક્તો, એકતારા પર દેહની નશ્વરતાનાં, જગતના મિથ્યાત્વનાં, આત્માપરમાત્માની એકતાનાં ભટકતાં ભટકતાં જે ગીતો ગાતાં હોય છે તે. એ ગીતોમાં મોહમાયામાંથી મુક્ત થવાનું કહેવામાં આવે છે અને પરમાત્માને માટેનું માર્ગદર્શન હોય છે. એ ગીતોમાં વર્ણમાધુર્યને કારણે આધ્યાત્મિક તથ્યો સરળતાથી સમજાય એવી રીતે કહેવાયાં હોય છે.…

વધુ વાંચો >