દેહવિચારગીત : અસમિયા આધ્યાત્મિક ગીત. વેરાગી ભક્તો, એકતારા પર દેહની નશ્વરતાનાં, જગતના મિથ્યાત્વનાં, આત્માપરમાત્માની એકતાનાં ભટકતાં ભટકતાં જે ગીતો ગાતાં હોય છે તે. એ ગીતોમાં મોહમાયામાંથી મુક્ત થવાનું કહેવામાં આવે છે અને પરમાત્માને માટેનું માર્ગદર્શન હોય છે. એ ગીતોમાં વર્ણમાધુર્યને કારણે આધ્યાત્મિક તથ્યો સરળતાથી સમજાય એવી રીતે કહેવાયાં હોય છે. બંગાળનાં બાઉલ ગીતો જેવાં જ આ ગીતો હોય છે.

ચન્દ્રકાન્ત મહેતા