૯.૨૦

દેવી ગણેશ નારાયણદાસથી દેસાઈ જયંત

દેવી, ગણેશ નારાયણદાસ

દેવી, ગણેશ નારાયણદાસ (જ. 1950, ભોર, મહારાષ્ટ્ર) : જાણીતા વિવેચક અને પ્રાધ્યાપક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘આફ્ટર એમ્નીસિયા : ટ્રેડિશન ઍન્ડ ચેંજ ઇન ઇન્ડિયન લિટરરી ક્રિટિસિઝમ’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર તથા લીડ્ઝ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાં મેળવ્યું છે. 1979માં તેમણે…

વધુ વાંચો >

દેવીભાગવત

દેવીભાગવત : બાર સ્કંધમાં વિભક્ત પુરાણ. આરંભે ભાગવત-માહાત્મ્ય અને દેવીભાગવતની શ્રવણવિધિ પછી પ્રથમ સ્કંધમાં ઋષિઓનો આ પુરાણ વિશે પ્રશ્ન, ગ્રંથસંખ્યા, વિષયકથન પછી પુરાણ સાહિત્યનું વિવરણ, શુકજન્મ, હયગ્રીવકથા, મધુકૈટભવૃત્તાંત, વ્યાસને પુત્ર માટે શિવનું વરદાન, બુધની ઉત્પત્તિ, પુરુરવા-ઉર્વશી-વૃત્તાંત, શુકદેવનો જન્મ, તેમનાં ગાર્હસ્થ્ય અને વૈરાગ્ય, દેવીનો વિષ્ણુને ઉપદેશ, શુકદેવજીને પુરાણનો ઉપદેશ, જનકની પરીક્ષા…

વધુ વાંચો >

દેવું

દેવું : ચોક્કસ સમયગાળા દરમિયાન આવક કરતાં ખર્ચ વધારે થાય ત્યારે તેને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવતો એક ઉપાય. વ્યક્તિ, ખાનગી પેઢીઓ તથા સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓને સંજોગોવશાત્ તેનો સહારો લેવો પડે છે. પ્રાચીન સમયમાં દેવાને અનિષ્ટ ગણવામાં આવતું. દરેક આર્થિક ઘટકે પછી તે વ્યક્તિ હોય કે જાહેર…

વધુ વાંચો >

દેવોની ઘાટી

દેવોની ઘાટી (1989) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નિબંધકાર અને વિવેચક ભોળાભાઈ પટેલના હિમાચલના કેટલાક ભૂભાગનું ભ્રમણવૃત્તાંત આપતું પુસ્તક. આ ભ્રમણવૃત્તાંત લેખમાળા રૂપે ‘સંદેશ’ દૈનિકની સાપ્તાહિક સંસ્કારપૂર્તિમાં 1987ના જુલાઈથી 1988ના ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થયો હતો. ભોળાભાઈનો ભ્રમણશોખ કાકાસાહેબ કાલેલકરના એ પ્રકારના પ્રવાસશોખનું સ્મરણ કરાવે છે. આ ભ્રમણવૃત્ત ડાયરી અને પત્ર રૂપે…

વધુ વાંચો >

દેશ

દેશ (1933) : બંગાળી સામયિક. હાલ તેના તંત્રી હર્ષ દત્ત છે. 1930માં નવોદિત બંગાળી લેખકોને પ્રોત્સાહિત કરે એવું માસિક ‘કલ્લોલ’ બંધ પડી ગયું હતું. ‘સબુજ પત્ર’ પણ ડચકાં ખાતું હતું. ‘પ્રવાસી’ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનું મુખપત્ર હતું. એથી નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરે એવા કોઈ સામયિકની આવશ્યકતા જણાઈ. બંગાળના વધુમાં વધુ ફેલાવાવાળા દૈનિકપત્ર…

વધુ વાંચો >

દેશદ્રોહ

દેશદ્રોહ : પોતાના દેશની અખંડિતતા તથા સાર્વભૌમિકતાને આંચ આવે તેવું નાગરિકનું ગુનાઇત વર્તન અથવા વ્યવહાર. પોતાના દેશ પ્રત્યે વફાદારી રાખવી, એ દરેક નાગરિકની ફરજ છે. આ ફરજનું યોગ્ય પાલન થાય, તે માટે રાજ્યે પોતાના કાયદાઓમાં જોગવાઈ કરેલી હોય છે. તે અનુસાર દેશદ્રોહ એ ફોજદારી ગુનો બને છે. દેશદ્રોહ અંગેના ગુનામાં…

વધુ વાંચો >

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’ (જ. 11 સપ્ટેમ્બર 1901, મૂર્તિજાપુર; અ. 1982; નાગપુર) : મરાઠી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ નાગપુરમાં. બી.એ., એલએલ.બી. થયા પછી ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી. ત્યારપછી નાગપુર ખાતે સમાજશિક્ષણ-વિભાગના સંચાલક તરીકે કામ કર્યું. ત્યાર બાદ દિલ્હી ખાતેના નૅશનલ ફંડામેન્ટલ એજ્યુકેશન સેન્ટરના નિયામક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી…

વધુ વાંચો >

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ (જ.10 નવેમ્બર 1904, નાગપુર; અ. 17 નવેમ્બર 1961, દિલ્હી) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. અંગ્રેજી વિષય લઈને બી.એ. નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી પ્રથમ ક્રમે પાસ થયાં. પછી અંગ્રેજી સાહિત્યના વિશેષ અધ્યયન માટે લંડન ગયાં. ત્યાં અંગ્રેજીમાં પ્રથમ વર્ગમાં બી.એ. કર્યા પછી નાગપુરની મૉરિસ કૉલેજમાં 1931–55 દરમિયાન અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં.…

વધુ વાંચો >

દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ

દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ (જ. 21 ઑગસ્ટ 1909, સેનદુર્જાન, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર; અ. 2000) : મરાઠીના જાણીતા કવિ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં બી. એ.ની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી. તેમની કૃતિઓની વિશેષતા એ છે કે તેમાં સંગીતમયતા અને કોઈ પણ સમસ્યા પ્રત્યે તટસ્થતા અથવા કોઈ પ્રયોગ પ્રતિ એક પ્રકારની અલિપ્તતા…

વધુ વાંચો >

દેશપાંડે, પાંડુરંગ ગણેશ

દેશપાંડે, પાંડુરંગ ગણેશ (જ. 19 ડિસેમ્બર 1900, નારાયણગામ, જિ. પુણે; અ. 15 જૂન 2002, પણજી, ગોવા) : સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી લેખક. પિતાનું નામ ગણેશરાવ તથા માતા સરસ્વતીબાઈ. પાંડુરંગના શિક્ષણની શરૂઆત પરંપરિત રીતે થઈ. વડદાદા રામચંદ્ર માધવ દેશપાંડે પાસેથી શિક્ષણના પ્રારંભિક પાઠ શીખ્યા. પાંડુરંગે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના ચિંચોડી અને વડગામમાં મેળવ્યું.…

વધુ વાંચો >

દેશપાંડે, પુરુષોત્તમ યશવંત

Mar 20, 1997

દેશપાંડે, પુરુષોત્તમ યશવંત (જ. 11 ડિસેમ્બર 1899, અમરાવતી; અ. 1986) : મરાઠી લેખક. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. (1925) અને પછી પુણે વિશ્વવિદ્યાલયમાંથી એલએલ.બી.-(1927)ની પરીક્ષા આપ્યા પછી વકીલાત શરૂ કરી. યુવાનવયથી જ રાજકારણમાં રસ હતો. અને એથી 1921, 1932 અને 1942ના સ્વાતંત્ર્યસંગ્રામમાં એમણે ભાગ લીધો. 1932 અને 1942ના આંદોલનમાં ભાગ લેવા બદલ…

વધુ વાંચો >

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ

Mar 20, 1997

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ (જ. 8 નવેમ્બર 1919, મુંબઈ; અ. 12 જૂન 2000, પુણે) : મરાઠીના ઉત્કૃષ્ટ કોટિના હાસ્યલેખક, નાટ્યકાર, રંગભૂમિ તથા ચલચિત્ર જગત સાથે અભિનેતા, સંગીતકાર, પટકથાલેખક તથા દિગ્દર્શક તરીકે નજીકથી સંકળાયેલા કલાકાર. શાસ્ત્રીય સંગીતમાં તેઓ પારંગત છે. પિતાના મૃત્યુને કારણે બી.એ. થયા પછી નોકરીએ લાગી ગયા. સાથે સાથે મહાન…

વધુ વાંચો >

દેશપાંડે, મધુસૂદન નરહર

Mar 20, 1997

દેશપાંડે, મધુસૂદન નરહર (જ. 11 નવેમ્બર 1920, રહિમતપુર, જિ. સતારા) : ભારતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. તેમણે 1942માં મુંબઈ વિશ્વવિદ્યાલય અંતર્ગત ફર્ગ્યુસન કૉલેજમાંથી અર્ધમાગધી ભાષા લઈ પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમના સંશોધન તરફના ખેંચાણને કારણે પુરાતત્વના પિતામહ અને ડેક્કન કૉલેજ, પુણેના સર્વેસર્વા એવા ડૉ. એચ. ડી. સાંકળિયા પાસે જૈન સાહિત્ય…

વધુ વાંચો >

દેશપાંડે, શશી

Mar 20, 1997

દેશપાંડે, શશી (જ. 1938, ધારવાડ, કર્ણાટક) : કર્ણાટકનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને વાર્તાકાર. તેમની ઉત્તમ નવલકથા ‘ધૅટ લૉન્ગ સાઇલન્સ’ માટે તેમને 1990ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રખ્યાત લેખક પરિવારમાં જન્મ. મુંબઈમાં ભણ્યાં. અર્થશાસ્ત્ર, કાયદો અને સાહિત્યમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે ભારતીય વિદ્યાભવનમાંથી પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો છે.…

વધુ વાંચો >

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ

Mar 20, 1997

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ (જ. 14 જાન્યુઆરી 1896, નાતા, કોલાબા જિ., મહારાષ્ટ્ર; અ. 2 ઑક્ટોબર 1982, હૈદરાબાદ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા સનદી અધિકારી, બૅંકિંગ અને નાણાક્ષેત્રના નિષ્ણાત, ભારતીય રિઝર્વ બૅંકના પ્રથમ ભારતીય ગવર્નર તથા ભારતના ભૂતપૂર્વ નાણાપ્રધાન. પિતા મહાડ તાલુકાનાં ગામોમાં વકીલાત કરતા હતા. માતાનું નામ ભાગીરથી. પ્રાથમિક શિક્ષણ મહાડ તાલુકાની…

વધુ વાંચો >

દેશમુખ, દુર્ગાબાઈ

Mar 20, 1997

દેશમુખ, દુર્ગાબાઈ (જ. 15 જુલાઈ 1909, રાજામુંદ્રી; અ. 9 મે 1981, હૈદરાબાદ) : ભારતનાં અગ્રણી સામાજિક કાર્યકર, બાહોશ સાંસદ અને કુશળ વહીવટકર્તા. રાષ્ટ્રીયતાથી રંગાયેલા આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. માતા જિલ્લા કૉંગ્રેસ કમિટીનાં મંત્રી હતાં. આઠ…

વધુ વાંચો >

દેશમુખ, સદાનંદ નામદેવરાવ

Mar 20, 1997

દેશમુખ, સદાનંદ નામદેવરાવ (જ. 1959, અમ્દાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બારેમાસ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મરાઠી સાહિત્યમાં એમ.એ. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા બાદ હાલ તેઓ એક જુનિયર કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેમણે અત્યાર સુધીમાં 5 ગ્રંથો…

વધુ વાંચો >

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે

Mar 20, 1997

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે (જ. 27 જુલાઈ 1876, કન્યાકુમારી; અ. 26 સપ્ટેમ્બર 1954) : તમિળ લેખક. આધુનિક તમિળ સાહિત્યના અગ્રગણ્ય કવિ. વતન તેરુરમાં પ્રાથમિક શિક્ષણ ને કોટ્ટારુમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે પછી તિરુવનંતપુરમમાં તમિળ અને સંસ્કૃતના વિદ્વાન પંડિત શાંતલિંગ તંપિરાન પાસે પ્રાચીન તમિળ ગ્રંથો તથા સંસ્કૃતનું અધ્યયન કર્યું. તિરુવનંતપુરમમાં પહેલાં શાળાશિક્ષક…

વધુ વાંચો >

દેશી ચાષ

Mar 20, 1997

દેશી ચાષ (Indian Roller or Blue Jay) : ભારતમાં ગુજરાતમાં જોવા મળતું એક સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Caracias benghalensis. હિંદી નામ ‘નીલકંઠ’ અથવા ‘સબજાક’ છે. તેનું બીજું નામ ‘લીલછા’ પણ છે. જોકે સામાન્ય રીતે તે ‘ચાષ’ નામે જાણીતું છે. આછા નીલ રંગનું આ પંખી લગભગ કબૂતરના કદનું,…

વધુ વાંચો >

દેશી નાટક સમાજ

Mar 20, 1997

દેશી નાટક સમાજ (1889થી 1980) : ગુજરાતની વ્યવસાયી નાટકમંડળી. 1889માં અધ્યાપક કેશવલાલ શિવરામે જૈન કથા-સાહિત્યમાંથી એક હૃદયસ્પર્શી ગતિશીલ કથાને કેવળ ગીતોમાં આલેખી ‘સંગીત લીલાવતી’ નામે નાટ્યસ્વરૂપ આપ્યું. આ નાટકે ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીને આકર્ષ્યા. લેખક સાથે કરાર કરી એમણે અમદાવાદમાં શ્રી દેશી નાટક સમાજની સ્થાપના કરી. આ પૂર્વે ગુજરાતી રંગમંચ પર…

વધુ વાંચો >