૯.૨૦

દેવી ગણેશ નારાયણદાસથી દેસાઈ જયંત

દેવી, ગણેશ નારાયણદાસ

દેવી, ગણેશ નારાયણદાસ (જ. 1950, ભોર, મહારાષ્ટ્ર) : જાણીતા વિવેચક અને પ્રાધ્યાપક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘આફ્ટર એમ્નીસિયા : ટ્રેડિશન ઍન્ડ ચેંજ ઇન ઇન્ડિયન લિટરરી ક્રિટિસિઝમ’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર તથા લીડ્ઝ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાં મેળવ્યું છે. 1979માં તેમણે…

વધુ વાંચો >

દેવીભાગવત

દેવીભાગવત : બાર સ્કંધમાં વિભક્ત પુરાણ. આરંભે ભાગવત-માહાત્મ્ય અને દેવીભાગવતની શ્રવણવિધિ પછી પ્રથમ સ્કંધમાં ઋષિઓનો આ પુરાણ વિશે પ્રશ્ન, ગ્રંથસંખ્યા, વિષયકથન પછી પુરાણ સાહિત્યનું વિવરણ, શુકજન્મ, હયગ્રીવકથા, મધુકૈટભવૃત્તાંત, વ્યાસને પુત્ર માટે શિવનું વરદાન, બુધની ઉત્પત્તિ, પુરુરવા-ઉર્વશી-વૃત્તાંત, શુકદેવનો જન્મ, તેમનાં ગાર્હસ્થ્ય અને વૈરાગ્ય, દેવીનો વિષ્ણુને ઉપદેશ, શુકદેવજીને પુરાણનો ઉપદેશ, જનકની પરીક્ષા…

વધુ વાંચો >

દેવું

દેવું : ચોક્કસ સમયગાળા દરમિયાન આવક કરતાં ખર્ચ વધારે થાય ત્યારે તેને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવતો એક ઉપાય. વ્યક્તિ, ખાનગી પેઢીઓ તથા સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓને સંજોગોવશાત્ તેનો સહારો લેવો પડે છે. પ્રાચીન સમયમાં દેવાને અનિષ્ટ ગણવામાં આવતું. દરેક આર્થિક ઘટકે પછી તે વ્યક્તિ હોય કે જાહેર…

વધુ વાંચો >

દેવોની ઘાટી

દેવોની ઘાટી (1989) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નિબંધકાર અને વિવેચક ભોળાભાઈ પટેલના હિમાચલના કેટલાક ભૂભાગનું ભ્રમણવૃત્તાંત આપતું પુસ્તક. આ ભ્રમણવૃત્તાંત લેખમાળા રૂપે ‘સંદેશ’ દૈનિકની સાપ્તાહિક સંસ્કારપૂર્તિમાં 1987ના જુલાઈથી 1988ના ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થયો હતો. ભોળાભાઈનો ભ્રમણશોખ કાકાસાહેબ કાલેલકરના એ પ્રકારના પ્રવાસશોખનું સ્મરણ કરાવે છે. આ ભ્રમણવૃત્ત ડાયરી અને પત્ર રૂપે…

વધુ વાંચો >

દેશ

દેશ (1933) : બંગાળી સામયિક. હાલ તેના તંત્રી હર્ષ દત્ત છે. 1930માં નવોદિત બંગાળી લેખકોને પ્રોત્સાહિત કરે એવું માસિક ‘કલ્લોલ’ બંધ પડી ગયું હતું. ‘સબુજ પત્ર’ પણ ડચકાં ખાતું હતું. ‘પ્રવાસી’ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનું મુખપત્ર હતું. એથી નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરે એવા કોઈ સામયિકની આવશ્યકતા જણાઈ. બંગાળના વધુમાં વધુ ફેલાવાવાળા દૈનિકપત્ર…

વધુ વાંચો >

દેશદ્રોહ

દેશદ્રોહ : પોતાના દેશની અખંડિતતા તથા સાર્વભૌમિકતાને આંચ આવે તેવું નાગરિકનું ગુનાઇત વર્તન અથવા વ્યવહાર. પોતાના દેશ પ્રત્યે વફાદારી રાખવી, એ દરેક નાગરિકની ફરજ છે. આ ફરજનું યોગ્ય પાલન થાય, તે માટે રાજ્યે પોતાના કાયદાઓમાં જોગવાઈ કરેલી હોય છે. તે અનુસાર દેશદ્રોહ એ ફોજદારી ગુનો બને છે. દેશદ્રોહ અંગેના ગુનામાં…

વધુ વાંચો >

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’ (જ. 11 સપ્ટેમ્બર 1901, મૂર્તિજાપુર; અ. 1982; નાગપુર) : મરાઠી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ નાગપુરમાં. બી.એ., એલએલ.બી. થયા પછી ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી. ત્યારપછી નાગપુર ખાતે સમાજશિક્ષણ-વિભાગના સંચાલક તરીકે કામ કર્યું. ત્યાર બાદ દિલ્હી ખાતેના નૅશનલ ફંડામેન્ટલ એજ્યુકેશન સેન્ટરના નિયામક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી…

વધુ વાંચો >

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ (જ.10 નવેમ્બર 1904, નાગપુર; અ. 17 નવેમ્બર 1961, દિલ્હી) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. અંગ્રેજી વિષય લઈને બી.એ. નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી પ્રથમ ક્રમે પાસ થયાં. પછી અંગ્રેજી સાહિત્યના વિશેષ અધ્યયન માટે લંડન ગયાં. ત્યાં અંગ્રેજીમાં પ્રથમ વર્ગમાં બી.એ. કર્યા પછી નાગપુરની મૉરિસ કૉલેજમાં 1931–55 દરમિયાન અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં.…

વધુ વાંચો >

દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ

દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ (જ. 21 ઑગસ્ટ 1909, સેનદુર્જાન, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર; અ. 2000) : મરાઠીના જાણીતા કવિ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં બી. એ.ની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી. તેમની કૃતિઓની વિશેષતા એ છે કે તેમાં સંગીતમયતા અને કોઈ પણ સમસ્યા પ્રત્યે તટસ્થતા અથવા કોઈ પ્રયોગ પ્રતિ એક પ્રકારની અલિપ્તતા…

વધુ વાંચો >

દેશપાંડે, પાંડુરંગ ગણેશ

દેશપાંડે, પાંડુરંગ ગણેશ (જ. 19 ડિસેમ્બર 1900, નારાયણગામ, જિ. પુણે; અ. 15 જૂન 2002, પણજી, ગોવા) : સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી લેખક. પિતાનું નામ ગણેશરાવ તથા માતા સરસ્વતીબાઈ. પાંડુરંગના શિક્ષણની શરૂઆત પરંપરિત રીતે થઈ. વડદાદા રામચંદ્ર માધવ દેશપાંડે પાસેથી શિક્ષણના પ્રારંભિક પાઠ શીખ્યા. પાંડુરંગે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના ચિંચોડી અને વડગામમાં મેળવ્યું.…

વધુ વાંચો >

દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ

Mar 20, 1997

દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ (જ. 10 ઑગસ્ટ 1853, સૂરત; અ. 5 ડિસેમ્બર 1912) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. શાળાજીવનથી જ પુસ્તકો અને હસ્તલિખિત ગ્રંથો વાંચવાનો શોખ લાગેલો. સૂરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં ગોઠવવાનું કામ કર્યું. 1876માં નોકરી માટે મુંબઈ ગયેલા ઇચ્છારામે થોડો સમય ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચલાવ્યું.…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ

Mar 20, 1997

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ (જ. 18 જુલાઈ 1903, વાલોડ, સૂરત જિલ્લો; અ. 19 જાન્યુઆરી 1979, સૂરત) : લેખક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા વ્યારામાં તલાટી હોવાથી ત્યાં રહ્યા. પિતાનું અવસાન થતાં તેમણે ધરમપુર, મુંબઈ અને સૂરતમાં રહીને મૅટ્રિક સુધી અભ્યાસ કર્યો. 1921માં અસહકારની લડતમાં ભાગ લેવા  સૂરતની મિશન હાઈસ્કૂલમાંથી અભ્યાસ…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ

Mar 20, 1997

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ (જ. 31 જુલાઈ 1911, પરુજણ, નવસારી; અ. 26 જાન્યુઆરી 1985) : ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી. પ્રોફેસર જી. એ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ તેમણે 1942માં ‘ગુનાનાં સામાજિક પરિબળો’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે (1952 થી 1966) એમણે શિક્ષણકાર્ય કર્યું…

વધુ વાંચો >

દેસાઈ, ઉપેન્દ્ર ધીરજલાલ

Mar 20, 1997

દેસાઈ, ઉપેન્દ્ર ધીરજલાલ (જ. 10 માર્ચ 1925, અમદાવાદ) : ઇલેક્ટ્રૉનિક્સ, કૉસ્મિક કિરણો અને અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1941માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થઈ મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિતશાસ્ત્ર સાથે 1945માં બી.એસસી. થયા. તેમની કૉલેજ કારકિર્દી સામાન્ય હતી. પણ ઇલેક્ટ્રૉનિક્સમાં…

વધુ વાંચો >

દેસાઈ, ઉમાકાન્ત

Mar 20, 1997

દેસાઈ, ઉમાકાન્ત (જ. 13 જૂન 1908, પેટલાદ, જિ. ખેડા; અ. 25 જાન્યુઆરી 2007) : હિંદી તથા ગુજરાતી ચલચિત્રોના અભિનેતા. મૂળ સંખેડાના વતની, પણ 1927થી મુંબઈમાં વસેલા. ભાવપવ્રણ અભિનય અને મોહક ચહેરાથી જાણીતા આ અભિનેતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જોયેલા એકમાત્ર ચલચિત્ર ‘રામરાજ્ય’(1944)માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને વિશેષ ખ્યાતિપ્રાપ્ત બન્યા. ગુજરાતી ભાષાના પ્રથમ…

વધુ વાંચો >

દેસાઈ, એમ. એન.

Mar 20, 1997

દેસાઈ, એમ. એન. (જ. 8 જાન્યુઆરી 1931, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 2009, અમદાવાદ) : જાણીતા રસાયણવિદ અને કેળવણીકાર. આખું નામ મહેન્દ્ર નાનુભાઈ દેસાઈ. માતાનું નામ લલિતાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુખ્યત્વે નવસારીમાં. 1952માં નવસારીની એસ. બી. ગાર્ડા કૉલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની એમ.…

વધુ વાંચો >

દેસાઈ, એસ. વી.

Mar 20, 1997

દેસાઈ, એસ. વી. (જ. 2 ઑગસ્ટ 1901, અમદાવાદ; અ. 10 નવેમ્બર 1976, અમદાવાદ) : અગ્રણી કેળવણીકાર તથા કુશળ વહીવટકર્તા. આખું નામ સુરેન્દ્ર વૈકુંઠરાય દેસાઈ. માતાનું નામ વિજયાગૌરી. મૂળવતન અલીણા, જિલ્લો ખેડા. ગુજરાતમાં અનુસ્નાતક કક્ષાની બેવડી પદવી ધરાવતી પ્રથમ વ્યક્તિ (ડબલ ગ્રૅજ્યુએટ), નામાંકિત ન્યાયમૂર્તિ તથા અગ્રણી રાજપુરુષ અંબાલાલ સાકરલાલ દેસાઈના તેઓ…

વધુ વાંચો >

દેસાઈ, કનુ

Mar 20, 1997

દેસાઈ, કનુ (જ. 12 માર્ચ 1907, અમદાવાદ; અ. 8 ડિસેમ્બર 1980, મુંબઈ) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલી સંસ્થા ઘરશાળા અને પછી રવિશંકર રાવળે સ્થાપેલા ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં તૈયાર થયેલા ગુજરાતના ચિત્રકારોના અગ્રણી તેજસ્વી પ્રતિનિધિ. તેમણે પોતાના કલાગુરુની બંગાળ-શૈલીની જળરંગી ચિત્રપદ્ધતિનો વિશેષ પ્રભાવ ઝીલ્યો. તેમને શાંતિનિકેતન ખાતે નંદબાબુ…

વધુ વાંચો >

દેસાઈ, કાનજીભાઈ

Mar 20, 1997

દેસાઈ, કાનજીભાઈ (જ. 1886, સૂરત; અ. 6 ડિસેમ્બર 1961, સૂરત) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. તેમનું નામ ક્ધૌયાલાલ નાનાભાઈ દેસાઈ હતું. એમના પૂર્વજો ઓલપાડના જાગીરદાર હતા. એમના દાદા રતિલાલ સૂરતમાં રહેતા હતા. કાનજીભાઈ 1901માં મૅટ્રિક પાસ થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રીવિયસની પરીક્ષા પસાર કર્યા પછી પિતાની માંદગીને…

વધુ વાંચો >

દેસાઈ, કુમારપાળ

Mar 20, 1997

દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…

વધુ વાંચો >