૯.૧૯

દૃષ્ટિપટલદોષથી દેવી

દેવતાધ્યાય બ્રાહ્મણ

દેવતાધ્યાય બ્રાહ્મણ : સામવેદનો બ્રાહ્મણગ્રંથ. તેનું કદ નાનું છે. તે દૈવતબ્રાહ્મણ તરીકે પણ જાણીતો છે. આ બ્રાહ્મણની ભાષ્યભૂમિકા-(1:7)માં સામવેદના આઠ બ્રાહ્મણગ્રંથોનો ઉલ્લેખ કરતાં સાયણાચાર્ય આ બ્રાહ્મણગ્રંથનો તેમાં ઉલ્લેખ કરે છે. આ ગ્રંથ ચાર ખંડમાં વિભાજિત છે. પ્રત્યેક ખંડનું કંડિકામાં ઉપવિભાજન થયેલું છે. ઉપર જણાવ્યું તેમ આ બ્રાહ્મણગ્રંથ ઉપર ‘વેદાર્થ-પ્રકાશ’ નામક…

વધુ વાંચો >

દેવદાર

દેવદાર : અનાવૃત બીજધારી વિભાગના પાઈનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cedrus deodara (Roxb.) Loud. syn. C. libani Barrel, var. deodara Hook. F. (સં. देवदारू; હિં., મ., બં, ગુ. દેવદાર) છે. તે વિશાળ, સદાહરિત અને સુંદર વૃક્ષ છે. તેની વિસ્તાર પામતી શાખાઓને લઈને તે વિશાળકાય બને છે. તે અતિદીર્ઘાયુષી હોય…

વધુ વાંચો >

દેવદાર્વાદિ ક્વાથ

દેવદાર્વાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. દેવદાર, ઘોડાવજ, કઠ, લીંડીપીપર, સૂંઠ, કાયફળ, નાગરમોથ, કરિયાતું, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ધમાસો, ગોખરુ, બેઠી ભોંરિંગણી, ઊભી ભોંરિંગણી, અતિવિષની કળી, ગળો, કાકડાશીંગી અને શાહજીરું – એ વીસ ઔષધિઓને લાવી સાફ કરી ખાંડણીદસ્તા વડે અધકચરાં ખાંડી જૌકૂટ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. તેમાંથી જરૂરિયાત પ્રમાણે લઈ…

વધુ વાંચો >

દેવદાસ

દેવદાસ : ભારતીય ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપી ગણાયેલાં ચલચિત્રો પૈકીનું એક. ‘દેવદાસ’નું સર્જન ખ્યાતનામ બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચૅટરજીની શ્રેષ્ઠ કૃતિ પરથી કરાયું છે. નિર્માણવર્ષ : 1935; શ્વેત અને શ્યામ; ભાષા : બંગાળી અને હિંદી; નિર્માણસંસ્થા : ન્યૂ થિયેટર્સ, કૉલકાતા; નિર્માતા : બી. એન. સરકાર; લેખક : શરદચંદ્ર ચૅટરજી; દિગ્દર્શક-પટકથાલેખક : પી.…

વધુ વાંચો >

દેવધર ટ્રૉફી

દેવધર ટ્રૉફી : ક્રિકેટની રમતના ઉત્તેજન માટેની ટ્રૉફી. 1974માં ઇંગ્લૅન્ડ ખાતે પહેલી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા યોજાઈ. આ જાતની એક-દિવસીય મર્યાદિત ઓવરની ક્રિકેટ મૅચ માટે ભારતીય ખેલાડીઓ તૈયાર થઈ શકે તે આશયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 1973–74ની સિઝનથી એક-દિવસીય ક્રિકેટ મૅચવાળી દેવધર ટ્રૉફીનું આયોજન કર્યું. મહારાષ્ટ્રના વિખ્યાત ક્રિકેટર દિનકર બળવંત…

વધુ વાંચો >

દેવધર, દિનકર બળવંત

દેવધર, દિનકર બળવંત (જ. 14 જાન્યુઆરી 1892, આંધળ, જિલ્લો પુણે; અ. 24 ઑગસ્ટ 1993, પુણે) : ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ તરીકે પ્રસિદ્ધ જમોડી બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ તથા સ્લિપના સ્થાનના ચપળ ફિલ્ડર. અભ્યાસમાં તેજસ્વી. સંસ્કૃત મુખ્ય વિષય સાથે 1915માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 13 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

દેવધર, બી. આર.

દેવધર, બી. આર. (જ. 11 સપ્ટેમ્બર 1902, મીરજ; અ. 10 માર્ચ 1990, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક, સંગીતશાસ્ત્રજ્ઞ તથા સંગીતવિવેચક. સંગીતની પ્રારંભિક તાલીમ તેમણે અણ્ણાજીપંત સુખદેવ પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી નીલકંઠ બુવા અને પંડિત વિનાયકરાવ પટવર્ધન પાસેથી અને છેલ્લે 1922 સુધી મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર…

વધુ વાંચો >

દેવની મોરી

દેવની મોરી : ગુજરાતમાં સૌથી પ્રાચીનતમ બૌદ્ધ અવશેષો. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાતા આ સ્થળેથી મોટા કદની ઈંટો અને માટીનાં વાસણોના અવશેષો મળી આવતાં 1960માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ-વિભાગ દ્વારા ત્યા…

વધુ વાંચો >

દેવનૂર, મહાદેવ

દેવનૂર, મહાદેવ (જ. 1948, દેવનૂર, તા. નન્નમગુડ, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની ટૂંકી નવલકથા ‘કુસુમબાલે’ને સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. કન્નડ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની આયોવા યુનિવર્સિટીમાં ‘ક્રિએટિવ રાઇટિંગ’ વિશે અભ્યાસ કર્યો. તે પછી મસૂરી ખાતેના ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંડિયન લૅંગ્વેજિઝ’માં થોડો સમય અધ્યાપક રહ્યા. બેન્દ્રે…

વધુ વાંચો >

દેવપાલ (ગૌડનરેશ)

દેવપાલ (ગૌડનરેશ) (શાસન નવમી સદીમાં) : આ નામના ચાર રાજાઓ પૂર્વકાલીન ભારતના રાજકીય ઇતિહાસમાં થઈ ગયા : (1) પ્રતીહાર વંશનો 14મો રાજા, મહીપાલનો પુત્ર અને વિજયપાલનો ગુરુબંધુ, ઈસવી 10મી સદીનો પૂર્વાર્ધ, રાજધાની કનોજ – કાન્યકુબ્જ, (2) માળવાના પરમાર વંશનો 19મો રાજા, યશોવર્માનો પ્રપૌત્ર અને હરિશ્ચંદ્રનો પુત્ર, 10મી સદીનું ચોથું ચરણ,…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલદોષ

Mar 19, 1997

ર્દષ્ટિપટલદોષ : ર્દષ્ટિપટલ(retina)ના વિકારો. ર્દષ્ટિપટલના વિવિધ વિકારોને સારણી 1માં દર્શાવ્યા છે. ર્દષ્ટિપટલમાં વિવિધ કારણોસર વિકારો થાય છે; જેમ કે, જન્મજાત તથા વિકાસલક્ષી પરિબળોના કારણે, શોથ (inflammation) કરતા વિકારોના કારણે, લોહીના આંખમાંના પરિભ્રમણમાં ઉદભવેલ વિકારો કે નસોમાં થતા વિકારોના કારણે, અપક્ષીણતા કે અન્ય સંરચનાલક્ષી (strurctural) વિકારોના કારણે કે ગાંઠ અથવા કૅન્સરને…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન

Mar 19, 1997

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન (detachment of retina) : આંખની અંદરની બાજુનું ર્દષ્ટિપટલનું સ્તર ઊપસીને છૂટું પડવાની ક્રિયા. તેને પડદામાં કાણું પડવું પણ કહે છે. ર્દષ્ટિપટલ એક પાતળો કોમળ પડદો (પટલ, membrane) છે. તે આંખના ગોળાના પોલાણમાં ર્દષ્ટિચકતી(optic disc)થી શરૂ કરીને આગળની બાજુ સકશાકાય (ciliary body) સુધી ફેલાયેલું હોય છે. આંખ…

વધુ વાંચો >

ર્દષ્ટિબિંદુ

Mar 19, 1997

ર્દષ્ટિબિંદુ (point of view) : ચોક્કસ બિંદુએથી કોઈ વસ્તુને જોવી કે એનું નિરીક્ષણ કરવું. આ અર્થ પરથી કોઈ પણ વ્યક્તિના ચોક્કસ મનોવલણનો કે પછી એની પરિસ્થિતિઓથી બંધાયેલા અભિગમનો અર્થ પણ સૂચવાય છે. સાહિત્યક્ષેત્રે અને ખાસ કરીને કથાસાહિત્યક્ષેત્રે એનો વિશિષ્ટ પારિભાષિક અર્થ નિર્ધારિત છે. હેન્રી જેમ્સની પોતાની વિવિધ નવલકથાઓની લખેલી પ્રસ્તાવનાઓના…

વધુ વાંચો >

ર્દષ્ટિલક્ષી ચેતાપથ

Mar 19, 1997

ર્દષ્ટિલક્ષી ચેતાપથ (visual pathway) : ર્દષ્ટિની સંવેદનાનું વહન કરતા ચેતાતંતુઓ અને તેમનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રોનો સમૂહ. તેમાં બે ર્દષ્ટિચેતા (optic nerves), ર્દષ્ટિચતુષ્ક (optic chiasma), બે ર્દષ્ટિચેતાપથ (optic tracts), બે પાર્શ્વકોણીય કાય (lateral geniculate bodies), મગજના બંને અર્ધગોળામાં આવેલા ર્દષ્ટિલક્ષી ચેતાવિસ્તરણ (optic radiation) તથા મગજના ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર(visual cortex)નો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ર્દષ્ટિસ્વાસ્થ્ય

Mar 19, 1997

ર્દષ્ટિસ્વાસ્થ્ય : જોવાની ક્ષમતા જાળવી રાખવી તથા અંધાપો આવતો રોકવાનું પૂર્વનિવારણ કરવું તે. અંધાપો (blindness) એક વૈશ્વિક સમસ્યા છે અને તેથી વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના પૂર્વનિવારણ (prevention) માટે વિવિધ અભ્યાસો યોજ્યા છે તથા સુવ્યવસ્થિત સૂચનો કરેલાં છે. 1966ના WHO-એ કરેલા અભ્યાસમાં દર્શાવ્યું હતું કે વિશ્વમાં અંધાપા માટેની જુદી જુદી 65…

વધુ વાંચો >

દેડકો

Mar 19, 1997

દેડકો : પાણીમાં તેમજ જમીન પર રહેવા અનુકૂલન પામેલ ઉભયજીવી વર્ગનું અપુચ્છ (anura) શ્રેણીનું પૂંછડી વગરનું પૃષ્ઠવંશી પ્રાણી. તેની આંખ પાર્શ્વ બાજુએથી ગોઠવાયેલી અને ઊપસેલી હોય છે. તેના પાછલા પગ લાંબા, માંસલ અને મજબૂત હોવા ઉપરાંત તેની આંગળીઓ વચ્ચે પડદાઓ આવેલા હોય છે. તેથી દેડકો પગોની મદદથી કૂદકો મારીને  લાંબું…

વધુ વાંચો >

દે, બીરેન

Mar 19, 1997

દે, બીરેન (જ. 8 ઑક્ટોબર 1926, બંગાળ; અ. 12 માર્ચ 2011) : બંગાળ-શૈલીના તાંત્રિક ચિત્રકાર. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ (1944–48). દિલ્હીની સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણકાર્ય કર્યું (1952–64). ફુલબ્રાઇટ ગ્રાન્ટ મેળવી ન્યૂયૉર્કમાં કામ કર્યું (1959–60). રાષ્ટ્રીય પ્રદર્શનો (1958 –68), ટવેન્ટીફાઇવ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ (1972) તથા દિલ્હીમાં…

વધુ વાંચો >

દે, મુકુલચંદ્ર

Mar 19, 1997

દે, મુકુલચંદ્ર (જ. 23 જુલાઈ 1895, બંગાળ; અ. 1 માર્ચ 1989, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : બંગાળ-શૈલીના ચિત્રકાર. છેક કિશોરવયથી શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથ ટાગોરના સાન્નિધ્યમાં તથા પાછળથી કૉલકાતામાં અવનીન્દ્રનાથ ટાગોર પાસે રહી કલાનું શિક્ષણ મેળવ્યું. જાપાન અને અમેરિકાના પ્રવાસમાં રવીન્દ્રનાથની સાથે હતા. તેમનાં ચિત્રોનું પ્રદર્શન 1916માં સાનફ્રાન્સિસ્કો, શિકાગો અને ન્યૂયૉર્કમાં યોજાયેલું.…

વધુ વાંચો >

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ

Mar 19, 1997

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ (જ. 11 ઑક્ટોબર 1857, સૂરત; અ. 14 માર્ચ 1938) : ગુજરાતી કવિ, વિવેચક, કોશકાર. મૂળ વતન કપડવણજ. વિસનગરા નાગર બ્રાહ્મણ. ચોથી વિસનગરા જ્ઞાતિ પરિષદ(બનારસ)ના પ્રમુખ. એમના પ્રપિતામહ અમદાવાદમાં આવી રહેલા એટલે ડાહ્યાભાઈ પી. દેરાસરીનું કાર્યક્ષેત્ર અમદાવાદ બન્યું. 1887માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તે પુણેની સાયન્સ કૉલેજમાં જોડાયા.…

વધુ વાંચો >

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન

Mar 19, 1997

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન (જ. 18 એપ્રિલ 1809, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 26 ડિસેમ્બર 1831, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી કવિ અને દેશભક્ત. પૉર્ટુગીઝ પિતા અને ભારતીય માતાનું સંતાન. ચૌદ વર્ષની વયે અંગ્રેજીમાં કવિતા લખવી શરૂ કરી અને કૉલકાતાના ડૉ. જૉન ગ્રાન્ટનું તેના તરફ ધ્યાન ખેંચાયું. અઢાર વર્ષની વયે હિન્દુ કૉલેજ,…

વધુ વાંચો >