૯.૦૯

દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રથી દવે જનક

દરે, આન્દ્રે

દરે, આન્દ્રે (જ. 10 જૂન 1880, આઇવેનિલ, ફ્રાન્સ; અ. 8 સપ્ટેમ્બર 1954, ફ્રાન્સ) : ફૉવવાદી ફ્રેન્ચ ચિત્રકાર. વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં પૅરિસની ઍવાં ગાર્દ ચિત્રશૈલીમાં ખૂબ ચેતનાદાયક પ્રદાન કર્યું; પરંતુ તેમણે ફ્રાન્સની પ્રતિનિધાનવિહોણી (non-representational) લાક્ષણિકતાનો ઉગ્ર વિરોધ કર્યો અને એ રીતે ફ્રાન્સમાં વાસ્તવવાદની પરંપરાના સમર્થ પુરસ્કર્તા બની રહ્યા. 1904 થી…

વધુ વાંચો >

દર્દી (જ્ઞાની) હીરાસિંહ

દર્દી (જ્ઞાની) હીરાસિંહ (જ. 30 સપ્ટેમ્બર 1889, રાવળપિંડી, પાકિસ્તાન; અ. 1962) : પંજાબી લેખક. બાળપણથી જ કવિતાલેખનનો શોખ. પહેલાં ‘દુ:ખિયા’ તખલ્લુસથી કાવ્યો રચતા, પછી ‘દર્દી’ તખલ્લુસથી. એમને ઉર્દૂ, ફારસી, હિંદી તથા અંગ્રેજી ભાષાઓનું સારું જ્ઞાન હતું. 1920માં એમણે ‘અકાલી’ નામનું દૈનિક સમાચારપત્ર શરૂ કર્યું અને સાથે સાથે 1924–1956 સુધી ‘ફૂલવાડી’…

વધુ વાંચો >

દર્પણ એકૅડેમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ

દર્પણ એકૅડેમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ : મંચનલક્ષી કલાના તાલીમ કાર્યક્રમ તથા સંશોધન માટેની અમદાવાદની કલાસંસ્થા. તેની સ્થાપના 1949માં વિક્રમ સારાભાઈ તથા શ્રીમતી મૃણાલિની સારાભાઈના માર્ગદર્શન હેઠળ થઈ. થોડા નૃત્યકારો તથા કેટલાક અભિનયકારોનું નાનું જૂથ ભેગું મળ્યું અને એમાંથી સૌપ્રથમ તાલીમ માટેની શાળા રૂપે આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાનું બી રોપાયું.…

વધુ વાંચો >

‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ

‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ (જ. 15 ઑૅક્ટોબર 1914, પંચાશિયા, જિ. સુરેન્દ્રનગર; અ. 29 ઑગસ્ટ 2001, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક-કેળવણીકાર. પ્રાથમિક શાળાના શિક્ષકનાં આઠ સંતાનો પૈકી ચોથા મનુભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે તીથવા, લૂણસર અને વાંકાનેરમાં લીધેલું. દેશની આઝાદી માટે ગાંધીજીએ ચલાવેલા રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત થઈને…

વધુ વાંચો >

દર્શન

દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને જ્ઞાનચજ્ઞુ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉદભવેલી વિચારપરંપરાઓ. જગતમાં જન્મીને મનુષ્ય લૌકિક વસ્તુઓનું જ્ઞાન ચર્મચક્ષુથી મેળવે છે. એ પછી પોતાને થતી અનેક શંકાઓનું તે નિરાકરણ કરે છે. શરીર વગેરે જડ વસ્તુઓનું કે તેમાં રહેલા ચેતન-તત્વનું પૃથક્કરણ કરી આત્મા, પરમાત્મા અને જગત વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ…

વધુ વાંચો >

દર્શન અને ચિંતન, પુસ્તક 1–2

દર્શન અને ચિંતન, પુસ્તક 1–2 (1957) : સંસ્કૃત–પ્રાકૃત અને ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન તેમજ સ્વતંત્ર ચિંતક પંડિત સુખલાલજીનાં ગુજરાતી લખાણોનો સંગ્રહ. તેના સંપાદકો, દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ) છે. તે સંગ્રહના સાત વિભાગો પૈકી સમાજ અને ધર્મ વિભાગના ધર્મવિષયક…

વધુ વાંચો >

દર્શનસાર

દર્શનસાર (ઈ. સ. 853) : જૈનાભાસો વિશે ચર્ચા કરતો પ્રાકૃતમાં લખાયેલો ગ્રંથ. એમાંની એકાવન ગાથામાં મુખ્યત્વે મિથ્યા મતોનું અને જૈનાભાસોનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના સંગ્રહકર્તા દિગંબરાચાર્ય દેવસેનસૂરિ છે. અંતિમ પ્રશસ્તિગાથાઓના આધારે કૃતિની રચના 853માં થયેલી નિર્ણીત છે. આ ગ્રંથમાં વિવિધ દસ મતોની ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે, જેમાં બૌદ્ધ,…

વધુ વાંચો >

દર્શપૂર્ણમાસયાગ

દર્શપૂર્ણમાસયાગ : દર્શ એટલે અમાસ અને પૂર્ણમાસ એટલે પૂનમ. એ બંને દિવસોએ કરવામાં આવતા યાગ એટલે ઇષ્ટિને દર્શપૂર્ણમાસયાગ કહે છે. અગ્નિહોત્ર રાખવો એ વેદના અધ્યયનનું ફળ છે. પ્રાચીન ભારતમાં વિદ્યાર્થી બ્રહ્મચર્યાશ્રમમાં વેદનો અભ્યાસ કરે એ પછી લગ્ન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે. આ લગ્ન જે અગ્નિની સાક્ષીએ થાય તે અગ્નિ પતિ કે…

વધુ વાંચો >

દલચક્ર

દલચક્ર (corolla) : આવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલું દ્વિતીય ક્રમનું સહાયક ચક્ર. તે ઘણા એકમોનું બનેલું હોય છે. પ્રત્યેક એકમને દલપત્ર (petal) કહે છે. વજ્રની જેમ દલચક્ર પણ પુષ્પમાં આવેલા પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્રનું રક્ષણ કરે છે. દલપત્રોમાં આવેલા રંગકણો(chromoplasts)માં જલદ્રાવ્ય એન્થોસાયનિન (લાલ, નારંગી, જાંબલી, વાદળી વગેરે) અને એન્થોઝેન્થિન (પીળાથી હાથીદાંત જેવાં…

વધુ વાંચો >

દલપત-પિંગળ

દલપત-પિંગળ (1862) : ગુજરાતી કવિ દલપતરામે લખેલું છંદશાસ્ત્રનું પુસ્તક. દલપતરામે દેવાનંદ સ્વામી પાસે ‘છંદશૃંગાર’ પુસ્તક દ્વારા પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરેલો. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં એમણે કકડે કકડે પિંગળ આપવાની શરૂઆત કરેલી’; 1862માં એ લેખોને ‘ગુજરાતી પિંગળ’ નામે ગ્રંથસ્થ કરેલા. એની 22મી આવૃત્તિથી એનું નામ ‘દલપત-પિંગળ’ રાખવામાં આવેલું. છંદશાસ્ત્રના આ શાસ્ત્રીય પ્રમાણભૂત પુસ્તકની ત્રીસેક…

વધુ વાંચો >

દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર

Mar 9, 1997

દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર (marine geology) દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર એટલે સમુદ્ર-મહાસાગરોના તળ પરનાં ભૂસ્તરલક્ષણોનો અભ્યાસ. પૃથ્વીની સપાટીનો 70 ટકાથી વધુ ભાગ દરિયાઈ જળથી આવરી લેવાયેલો છે. મહાસાગરના કુલ વિસ્તાર (361 × 106 ચોકિમી.) પૈકી 300 × 106  ચોકિમી. જેટલો ભાગ ઊંડાં સમુદ્રતળ આવરી લે છે, બાકીનો 61 x 106 ચોકિમી.નો ભાગ જળ નીચેની ખંડીય…

વધુ વાંચો >

દરિયાઈ વીમો

Mar 9, 1997

દરિયાઈ વીમો : વહાણના માલિક, વહાણમાં મોકલાતા માલના માલિક અને નૂર મેળવવા માટે હકદાર. આ ત્રણેનાં હિતને આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન થતા દરિયાઈ જોખમ અંગે રક્ષણ આપનાર વીમો. વીમો એ જોખમ સામેનું રક્ષણ છે. વીમાના તમામ પ્રકારોમાં સૌપ્રથમ વિકાસ દરિયાઈ વીમાનો થયો હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ જોખમનો ભાગ ઘણો મોટો હોય…

વધુ વાંચો >

દરિયાઈ સ્તરો

Mar 9, 1997

દરિયાઈ સ્તરો (oceanic layers) : દરિયાની ઊંડાઈથી કિનારા સુધીના જુદા જુદા સ્તરો. ભરતી અને ઓટના સમયે પાણીની સપાટીઓને સરેરાશ સમુદ્રની સપાટી (mean sea-level) તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની જમીનની ઊંચાઈ પણ સરેરાશ સમુદ્રની સપાટીના સંદર્ભે નક્કી કરવામાં આવે છે. પૃથ્વીના મહાસાગરોમાં 1,370 x 106 ઘકિમી. જેટલું પાણી સંગ્રહાયેલું છે અને…

વધુ વાંચો >

દરિયાકિનારો

Mar 9, 1997

દરિયાકિનારો : દરિયાનાં જળ અને ભૂમિ વચ્ચેની સરહદ બનાવતી કિનારા-રેખા. અચોક્કસ પહોળાઈની (સ્થાનભેદે થોડાક કે અનેક કિલોમીટર પહોળાઈની) ભૂમિપટ્ટી કે જે જળકિનારા-રેખાથી ભૂમિ તરફ વિસ્તરેલી હોય તેમજ જળલક્ષણોમાંથી પાર્થિવ લક્ષણોમાં શરૂ થતા પ્રાથમિક ફેરફારો લાવી મૂકે તેને દરિયાકિનારાપટ્ટી કહેવાય. જો દરિયાનું તળ ઊર્ધ્વગમન પામતું જાય તો ભૂમિ દરિયા તરફ વિસ્તરે.…

વધુ વાંચો >

દરિયાખાનનો રોજો

Mar 9, 1997

દરિયાખાનનો રોજો : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલો અમદાવાદ ખાતે આવેલો ભવ્ય રોજો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાના પ્રસિદ્ધ અમીર દરિયાખાને ઈ. સ. 1453માં અમદાવાદમાં પોતાને માટે જે રોજો બનાવેલો તે દરિયાખાનનો રોજો. તે મુખ્યત્વે દરિયાખાનના ઘુંમટ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગુજરાતમાં આ ઘુંમટની ગણતરી મોટામાં મોટા ઘુંમટ તરીકે થાય છે. સમગ્ર…

વધુ વાંચો >

દરિયાણી, હરિ ગુરુડિનોમસ, ‘દિલગીર’

Mar 9, 1997

દરિયાણી, હરિ ગુરુડિનોમસ, ‘દિલગીર’ (જ. 15 જૂન 1916, લાડકાણા, સિંધ પાકિસ્તાન) : સિંધીના લબ્ધપ્રતિષ્ઠ કવિ. બાર વરસની વયે તેમને કવિતા રચવાની પ્રેરણા થઈ હતી. રાષ્ટ્રીય કવિ કિશનચંદ બેવસના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી પરિપક્વતા પ્રાપ્ત કરી. 1941માં તેમનો કાવ્યસંગ્રહ ‘કોડ’ અને 1942માં ‘હરિશ્ચંદ્ર જીવન કવિતા’ પ્રગટ થયાં હતાં. 1942માં ‘મૌજી ગીત’ તથા…

વધુ વાંચો >

દરિયાદાસ

Mar 9, 1997

દરિયાદાસ (જ. 1734, ધરકંધાનગર, જિ. શાહબાદ, બિહાર; અ. 1780, ધરકંધા) : નિર્ગુણોપાસક હિંદી સંતકવિ. એમનો જન્મ પૃથુદેવસિંહ નામના  દરજીના કુટુંબમાં થયો હતો. નવમા વર્ષે તેમનાં લગ્ન થયાં, પરંતુ તેઓ વિરક્ત થઈ સાધુઓ, સંતો સાથે ફરવા લાગ્યા. દરિયાદાસ મુસલમાન હતા, એવો કેટલાક અભ્યાસીઓનો મત છે; છતાં દરિયાદાસના શિષ્યો તેમને હિંદુ માને…

વધુ વાંચો >

દરિયા સંબંધી કાયદો

Mar 9, 1997

દરિયા સંબંધી કાયદો : ‘દરિયાઈ વિસ્તાર’ હેઠળ ગણાતા માન્ય પ્રદેશના ઉપયોગને તથા દરિયાઈ સંપત્તિના ઉપભોગને નિયંત્રિત કરતી જોગવાઈઓની સંહિતા. ભૂતકાળમાં દરિયો માત્ર નૌકાવહન માટે ઉપયોગી ગણાતો, તેથી તે અંગેનો કાયદો નૌકાવહન પૂરતો મર્યાદિત હતો. હવે દરિયાના તળ ઉપર તથા તેની નીચે ગર્ભમાં રહેલી કુદરતી સંપત્તિને કારણે આ વિષયમાં નવાં પરિમાણો…

વધુ વાંચો >

દરિયાસાહેબ

Mar 9, 1997

દરિયાસાહેબ (મારવાડી) (જ. 1676, જૈતારન, મારવાડ; અ. 1758) : રાજસ્થાનના નિર્ગુણોપાસક સંતકવિ. પીંજારા અથવા મુસલમાન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બિહારના દરિયાદાસના તેઓ સમકાલીન હોવાથી અલગ પાડવા તેમના નામ સાથે મારવાડી લખવામાં આવે છે. પિતાના અવસાન પછી તેઓ મોસાળના રૈન ગામે (મેડતા પરગણું) રહેવા ગયા. બિકાનેર રાજ્યના ખિયાંસર ગામના પ્રેમદયાળ…

વધુ વાંચો >

દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ

Mar 9, 1997

દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ (જ. 23 જૂન 1916, રાજપીપળા; અ. 15 મે 1979, યુ.એસ.) : ગુજરાતના અગ્રણી ધારાશાસ્ત્રી તથા નાગરિક સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. કટોકટી-કાળે નાગરિક-સ્વાતંત્ર્યના રક્ષણાર્થે રાષ્ટ્રીય સ્તરે તેઓ ધ્યાનાર્હ બની રહેલા. જન્મ એક મધ્યમવર્ગી પરિવારમાં. વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવી બી.એસસી. થયા બાદ એમણે પહેલાં છોટાઉદેપુરમાં ને પછી અમદાવાદમાં શિક્ષક તરીકે…

વધુ વાંચો >