૯.૦૨

તોપથી ત્રિપાઠી આર. પી.

તોપ

તોપ : લશ્કરની પરિભાષામાં ગોળા ફેંકવાની નળીના અંદરના ભાગમાં 30 મિમી. અથવા તેનાથી વધુ વ્યાસ ધરાવતું શસ્ત્ર. તોપ તરીકે ઓળખાતાં તમામ યુદ્ધ આયુધોનાં વિકાસ, સંચાલન તથા જાળવણીના કૌશલને તોપવિદ્યા (gunnery) કહેવામાં આવે છે. આધુનિક તોપોમાં પ્રવેગક તરીકે સ્ફોટક દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ અગાઉના પ્રક્ષેપકોમાં વળ, તાણ અને પ્રતિભાર(counter…

વધુ વાંચો >

તોમર રાજ્ય

તોમર રાજ્ય : તોમર નામની રાજપૂત જાતિનું રાજ્ય. ભારતની છત્રીસ રાજપૂત જાતિઓમાંની એક તે તોમર. તોમરો હરિયાણા પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા.  તેમની રાજધાની ઢિલ્લિકા (દિલ્હી) હતી. અનુશ્રુતિ પ્રમાણે તુઅરો કે તોમરોએ દિલ્હીની સ્થાપના ઈ. સ. 736માં કરી હતી. તેમનો સૌપ્રથમ ઉલ્લેખ પેહોવા (પ્રાચીન પૃથૂદક) પંજાબના કર્નાલ જિલ્લામાં પ્રતિહાર મહેન્દ્રપાલ…

વધુ વાંચો >

તોરણ

તોરણ : પ્રાચીન બૌદ્ધ સ્તૂપમાં પ્રવેશમાર્ગ નિર્ધારિત કરતી રચના. પાછળથી હિન્દુ સ્થાપત્યમાં પણ તેનો ઉપયોગ થયો. સ્તૂપનું તળદર્શન ગોળાકાર હોવાથી તેમાં દિશાનું અનુમાન કરવું કઠિન બનતું, તેથી ચારે દિશામાં ચાર પ્રવેશદ્વાર-તોરણ બનાવી સ્તૂપની પ્રવેશની દિશા નિર્ધારિત કરાતી. શરૂઆતમાં લાકડાના બાંધકામની રીત પ્રમાણે બનાવાતાં આવાં તોરણથી પ્રવેશ ઔપચારિક, શિષ્ટ તથા પવિત્રતાની…

વધુ વાંચો >

તોરમાણ

તોરમાણ : હૂણ લોકોનો  સરદાર અને રાજવી. ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો હ્રાસ થતાં, હૂણોએ તોરમાણ નામે રાજાના નેતૃત્વ નીચે  ભારત પર આક્રમણ કરી છેક મધ્યપ્રદેશ સુધી વિજયકૂચ કરી, ને ત્યાં પોતાની સત્તા જમાવી. તોરમાણની સત્તા આ પ્રદેશમાં ઈ. સ. 510ના અરસામાં સ્થપાઈ હોવાનું એરણ(જિ. સાગર)માંના અભિલેખો પરથી માલૂમ  પડે છે. એની…

વધુ વાંચો >

તોરી

તોરી : પ્રાચીન જાપાનના શિન્ટો મંદિર સંકુલમાં પ્રવેશસ્થાન નિર્ધારિત કરતું તોરણ. તેની રચનામાં બે સ્તંભ પર સ્તંભની બંને  તરફ બહાર નીકળતા એક અથવા બે મોભ મુકાતા. આ મોભના છેડા ઉપરની તરફ વળેલા રહેતા. શરૂઆતના તબક્કામાં તોરીની રચના લાકડામાંથી કરાતી. પાછળથી તેમાં પથ્થરનો ઉપયોગ પણ થતો. જાપાનમાં બૌદ્ધ ધર્મના પ્રસાર પછી…

વધુ વાંચો >

તોરીનો

તોરીનો (તુરિન) : ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08’ ઉ. અ. અને 7° 22’ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ.…

વધુ વાંચો >

તોળકાપ્પિયમ્

તોળકાપ્પિયમ્ (ઈ. સ. પૂ. બીજી સદી) : તમિળનો પ્રાચીનતમ  પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ. એના રચયિતા તોળકાપ્પિવર હતા. કેટલાક વિદ્વાનોના મતાનુસાર એ પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય અગસ્ત્યના શિષ્ય હતા. એ ગ્રંથ મુખ્ય તો વ્યાકરણગ્રંથ છે. એમાં તમિળ ભાષાનું સ્વરૂપ,  વ્યાકરણ, નિયમો, અર્થાલંકારો, વિવિધ છંદો, જનપદો અને નગરોનાં વર્ણનો, જીવનપ્રણાલી, સાંસ્કૃતિક વિકાસ, પ્રેમ, સંયોગ, વિયોગ,…

વધુ વાંચો >

ત્બિલિસિ

ત્બિલિસિ (Tbilisi) : એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43’ ઉ. અ. તથા 44° 49’ પૂ.…

વધુ વાંચો >

ત્યાગ

ત્યાગ : પોતાની પાસે હોય તેવી વસ્તુ બીજાને આપવી કે પોતે ન સ્વીકારવી તેનું નામ ત્યાગ. સારી વસ્તુ બીજાને આપવી કે ખરાબ વસ્તુથી પોતે દૂર રહેવું તે બંને વાત ત્યાગમાં સંભવે છે. ભારતીય દર્શનોમાં ત્યાગના અંતર્ત્યાગ અને બહિર્ત્યાગ – એવા બે પ્રકારો ગણાવ્યા છે. સારી કે ખરાબ બંને જાતની વસ્તુઓનો…

વધુ વાંચો >

ત્યાગપત્ર

ત્યાગપત્ર (1937) : હિંદી નવલકથાકાર જૈનેન્દ્રની મનોવૈજ્ઞાનિક નવલકથા. તે તેમની ત્રીજી નવલકથા છે. અહીં લેખક નવલકથાની નાયિકા મૃણાલના આત્મસંઘર્ષ દ્વારા આત્મવ્યથાનું એક દર્શન સ્થાપે છે. માત્ર 86 પૃષ્ઠની નવલકથાની શરૂઆતમાં પ્રારંભિક અને અંતમાં પુનશ્ચ (તા.ક.) મૂકીને નવલકથામાં નિરૂપિત કથામાં સત્યઘટનાનો આભાસ ઊભો કર્યો છે. આ કથા એક નિવૃત્ત ન્યાયાધીશ સર…

વધુ વાંચો >

ત્યાગરાજ, સંત

Mar 2, 1997

ત્યાગરાજ, સંત (જ. 4 મે 1767, તિરુવારૂર; અ. 6 જાન્યુઆરી 1847) : દક્ષિણ ભારતના વિખ્યાત તેલુગુ સંત, કર્ણાટક સંગીતના શ્રેષ્ઠ રચનાકાર અને કવિ. પિતાનું નામ રામબ્રહ્મન અને માતાનું નામ સીતામ્મા. પિતા કીર્તનકાર અને રામભક્ત હતા. માતા ભક્ત રામદાસનાં ગીતો સુરીલા કંઠમાં ગાતાં. તેને લીધે ત્યાગરાજ પર ભક્તિ અને સંગીતના સંસ્કારો…

વધુ વાંચો >

ત્યાગી, મહાવીર

Mar 2, 1997

ત્યાગી, મહાવીર (જ. 31 ડિસેમ્બર 1899, ધબરસી, ઉ. પ્ર.; અ. 22 જાન્યુઆરી 1980, ન્યૂ દિલ્હી) : ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર. પિતાનું નામ શિવનાથસિંહ તથા માતાનું નામ જાનકીદેવી. ખેતીવાડી તેમનો વ્યવસાય હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ મેરઠની હાઈસ્કૂલમાં. ભારતીય લશ્કરમાં જોડાઈને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન…

વધુ વાંચો >

ત્રયોદશાંગ ક્વાથ

Mar 2, 1997

ત્રયોદશાંગ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. આયુર્વેદના ચિકિત્સા અંગેના ગ્રંથ ‘ચક્રદત્ત’માં આ ક્વાથ અંગે નિરૂપણ છે. ધાણા, લીંડીપીપર, સૂંઠ, બીલીનું મૂળ, અરણીનું મૂળ, શ્યોનાકનું મૂળ, ગંભારીમૂળ, પાટલામૂળ, શાલપર્ણીમૂળ, પૃશ્નિપર્ણીમૂળ, ઊભી ભોરીંગણીનું મૂળ, બેઠી ભોરીંગણીનું મૂળ અને ગોખરુનું મૂળ એ તેર ઓસડિયાં એકસરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડીને અધકચરું ચૂર્ણ બનાવી લેવામાં આવે…

વધુ વાંચો >

ત્રયોદશાંગ ગુગ્ગુલ

Mar 2, 1997

ત્રયોદશાંગ ગુગ્ગુલ : આયુર્વેદિક ઔષધ. બાવળની છાલ, અશ્વગંધા, પલાશી, ગળો, શતાવરી, ગોખરુ, રાસના, નસોતર, સુવાદાણા, કચૂરો, અજમો અને સૂંઠ – આ બારેય ઔષધો એકસરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી તેમાં તેટલા જ પ્રમાણમાં શુદ્ધ કરેલો ગૂગળ તથા ગૂગળ કરતાં અડધા પ્રમાણમાં ગાયનું ઘી લઈ પ્રથમ ગૂગળને ઘીમાં ખૂબ કૂટી નરમ કરી…

વધુ વાંચો >

ત્રસદસ્યુ

Mar 2, 1997

ત્રસદસ્યુ : દસ્યુઓ જેનાથી ત્રાસ પામતા હતા તેવો રાજા. ઋગ્વેદ 4/42 સૂક્તનો તે દ્રષ્ટા ઋષિ છે. તાંડ્ય બ્રાહ્મણ, મહાભારત, હરિવંશ અને વરાહપુરાણમાં તેનો નિર્દેશ થયો છે. વેદકાળ અને પુરાણકાળનો તે રાજા અને ઋષિ છે. વેદ મુજબ પુરુ વંશના પુરુકુત્સનો તે પુત્ર હતો. તેના જન્મ સમયે તેનો પિતા મુશ્કેલીમાં હતો. તૃત્સુઓ…

વધુ વાંચો >

ત્રાજન ફોરમ, રોમ

Mar 2, 1997

ત્રાજન ફોરમ, રોમ : પ્રાચીન રોમનાં લોકોપયોગી સંકુલોમાંનું એક વિશાળ તથા સુંદર ઇમારત-સંકુલ. તેની રચનામાં લંબચોરસની બે નાની બાજુ પર અર્ધગોળાકાર આકારમાં આવેલી દુકાનોવાળું સાર્વજનિક સ્થાન, ઉપર કમાનાકાર છતવાળી તથા વિવિધ નિસરણીઓ વડે સંકળાયેલ બે માળની દુકાનો, બે બાજુ અર્ધગોળાકારમાં ગોઠવેલા ઓરડાઓવાળું ત્રાજનનું સભાગૃહ, તેની પાસે ત્રાજનના સંસ્મરણાત્મક સ્તંભની બંને…

વધુ વાંચો >

ત્રાપજકર, પરમાનંદ

Mar 2, 1997

ત્રાપજકર, પરમાનંદ (જ. 24 ફેબ્રુઆરી 1902, ત્રાપજ, જિ. ભાવનગર; અ. 1992) : ગુજરાતી નાટ્યકાર. પિતાશ્રી મણિશંકર ભટ્ટ સાગરખેડુ વ્યાપારી હતા. એમનાં માતુશ્રી બેનકુંવરબાનું પિયર સાહિત્ય અને સંગીતના રંગે રંગાયેલું હતું. તેઓ ત્રાપજની શાળામાં સાત ગુજરાતી અને ભાવનગર સનાતન હાઈસ્કૂલમાં ચોથી અંગ્રેજી સુધી ભણેલા. પંદર વર્ષની વયે એમણે કાવ્યો લખ્યાં, ઓગણીસ…

વધુ વાંચો >

ત્રાયમાણ

Mar 2, 1997

ત્રાયમાણ : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gentiana kurroo Royle (સં., ગુ., મ. ત્રાયમાણ; બ. બલાહુસુર; ફા. અસ્ફાક; યૂ. ગ્રાફિક્સ; અં. ઇન્ડિયન જેન્શિયન રૂટ) છે. તે એક નાની બહુવર્ષાયુ વનસ્પતિ છે અને મજબૂત ગાંઠામૂળી ધરાવે છે. તેની શાખાઓ ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓના અગ્ર ભાગો…

વધુ વાંચો >

ત્રિઅંગી વનસ્પતિઓ

Mar 2, 1997

ત્રિઅંગી વનસ્પતિઓ (pteridophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી, વાહકપેશીધારી, અપુષ્પી અને બીજરહિત વનસ્પતિઓનો સમૂહ. તે બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. આ વનસ્પતિસમૂહે ભૂમિ પર સફળતાપૂર્વક વસવાટ કર્યો છે. ગ્રીક શબ્દ ‘pteron’ (પીછું) અને ‘phyton’ (વનસ્પતિ) પરથી આ વનસ્પતિસમૂહને માટે ‘pteridophytes’ શબ્દ પ્રયોજાયો છે. આ વનસ્પતિસમૂહ આશરે 40 કરોડ વર્ષ…

વધુ વાંચો >

ત્રિકટુ કલ્પ

Mar 2, 1997

ત્રિકટુ કલ્પ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, કાળાંમરી અને લીંડીપીપર – આ ત્રણે વનસ્પતિ સરખા વજને લઈ બનાવેલ ચૂર્ણને આયુર્વેદમાં ‘ત્રિકટુ’ (ત્રણ તીખાં) નામે ઓળખે છે. આયુર્વેદમાં ‘કલ્પ’ એ ‘કાયાકલ્પ’ કરનાર ઔષધિપ્રયોગ માટે વપરાતો શબ્દ છે. જે લોકોની કફદોષની તાસીર હોય; જેમને શરદી, સળેખમ, શ્વાસ, મંદાગ્નિ, ડાયાબિટીસ જેવા કફદોષપ્રધાન દર્દો હોય;…

વધુ વાંચો >