૮.૨૭

તાઇપિંગનો બળવોથી તાપમાન-વ્યુત્ક્રમણ

તાઇપિંગનો બળવો

તાઇપિંગનો બળવો : ચીનના મંચુવંશી શાસન સામે 1850–1864 દરમિયાન થયેલો સૌથી મહત્વનો બળવો. આ બળવો પંદર વર્ષો દરમિયાન ચીનના 18 પ્રાંતો પૈકી 16 પ્રાંતોમાં ફેલાયો હતો. આ સૌથી વધુ સુવ્યવસ્થિત અને મોટા પાયા ઉપરનો બળવો હતો. બળવાખોરોની પ્રવૃત્તિને કારણે મોટી સંખ્યામાં માણસો મરણ પામ્યાં હતાં. સામાજિક અજંપો, કુદરતી આફતો અને…

વધુ વાંચો >

તાઇપેઈ

તાઇપેઈ : ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ…

વધુ વાંચો >

તાઇવાન

તાઇવાન : ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120o 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે  ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્યભૂમિથી અલગ પડેલો…

વધુ વાંચો >

તાઇસુંગ

તાઇસુંગ (600 –649) : ચીનમાં તેંગ સામ્રાજ્યનો સ્થાપક અને પ્રતિભાશાળી સમ્રાટ. તેનું  મૂળ નામ બી શીહ-મીન (પિન્યીન તાઇ ઝોંગ) હતું. સુઈ વંશ (581–618)ના છેલ્લા રાજવી હેઠળ લશ્કરી સૂબા તરીકે કામ કરતા અને તેંગ વંશના સ્થાપક લી યુયાન(618–626)નો તે દ્વિતીય પુત્ર હતો. નાની વયે જ તેણે તેના પિતાને નબળા પડતા સુઈ…

વધુ વાંચો >

તાઉત બ્રૂનો

તાઉત બ્રૂનો (જ. 4 મે 1880, કોઇન્સબર્ગ, જર્મની; અ. 24 ડિસેમ્બર 1938, ઇસ્તંબુલ) : 1910થી 1923માં જર્મનીમાં સ્થાપત્યક્ષેત્રે શરૂ થયેલ અભિવ્યક્તિવાદી (expressionist) ચળવળના એક પ્રણેતા. મ્યૂનિકમાં થિયૉડૉર ફિશરના વિદ્યાર્થી રહ્યા. 1908માં તેઓ બર્લિનમાં સ્થાયી થયા. 1931માં બર્લિનમાં કૉલેજ ઑવ્ ટૅકનૉલૉજીમાં અને 1936માં અંકારામાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. એ દરમિયાન 1932માં…

વધુ વાંચો >

તાઓ-તે-ચિંગ

તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત  શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ…

વધુ વાંચો >

તાઓ ધર્મ

તાઓ ધર્મ : ચીનમાં લાઓ-ત્ઝે (ઈ. સ. પૂ.  570-517) દ્વારા રજૂ કરવામાં આવેલ તત્વદર્શનને આધારે પાછળથી સ્થપાયેલો ધર્મ. મધ્યચીનમાં હોનાન પ્રાંતમાં જન્મેલા લાઓ-ત્ઝેની ઐતિહાસિકતા અંગે શંકા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ લાઓ-ત્ઝે એ વ્યક્તિવાચક નામ નથી; પરંતુ તેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. તેમનું ખરું નામ લી હતું. ચીનમાં…

વધુ વાંચો >

તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ

તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ (જ. 369, નાનચેંગ; અ. 427) : ચીની કવિ અને નિબંધકાર. તેમનાં માત્ર 150 કાવ્યો અને કેટલીક ગદ્યરચનાઓ હાલ પ્રાપ્ય છે. જોકે ઘણા જાણીતા ચીની સાહિત્યકારોની બાબતમાં બન્યું છે તેમ મિએનના નામે અનેક કૃતિઓ ચડાવવામાં આવી છે. તેમની અનેક જાણીતી કૃતિઓ તેમના જીવનનાં છેલ્લાં વીસેક…

વધુ વાંચો >

તા કાઓ દેવળ, કંબોડિયા

તા કાઓ દેવળ, કંબોડિયા : કંબોડિયાના ખ્મેર શાસનકાળમાં રાજા સૂર્યવર્મન પહેલા (ઈ. સ. 1002–50) દ્વારા બનાવાયેલ ઉલ્લેખનીય દેવળ. 103 મી. × 122 મી.ના વિશાળ મંચ પર બનાવાયેલ આ દેવળ ખ્મેર શાસનકાળની 200 વર્ષની અવધિમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું આખરી સ્વરૂપ છે. આ દેવળની રચનામાં વિવિધ ઊંચાઈએ મંચો આવેલા છે અને તે બધા સમકેન્દ્રીય…

વધુ વાંચો >

તાકાહામા, ક્યોશી

તાકાહામા, ક્યોશી (જ. 22 ફેબ્રુઆરી 1874, જાપાન; અ. 8 એપ્રિલ 1959, કામાકુરા, જાપાન) : જાપાની હાઇકુ કવિ અને નવલકથાકાર. માત્સુયામાં જન્મેલા આ કવિએ આ સદીના પૂર્વાર્ધમાં હાઇકુની દુનિયામાં મહત્વનો ફાળો આપ્યો છે. જાપાનના ‘હોતોતોનીશુ’ સામયિકના તંત્રી તરીકે તાકાહામા ક્યોશીએ અન્ય લેખકોની ખ્યાતનામ કૃતિઓ અને કાવ્યમય ગદ્યનો પરિચય આપીને પ્રશંસનીય કામ…

વધુ વાંચો >

તાજખાન નરપાલી

Jan 27, 1997

તાજખાન નરપાલી : ગુજરાતમાં મુઝફ્ફરશાહ–બીજા અને બહાદુરશાહના સમયનો (1511થી 1537) અગ્રગણ્ય અમીર. તે ઉદાર અને પરાક્રમી હતો. મુઝફ્ફરશાહ-બીજાએ તેને ‘મજલિસે-સમીખાને –આઝમ તાજખાન’નો ઇલકાબ આપ્યો હતો. મુઝફ્ફરશાહ-બીજા પછી ગાદીએ આવેલા સુલતાન સિકંદરનું ખૂન ઇમાદ ઉલ મુલ્ક ખુશકદમ નામના અમીરે કરાવ્યું ત્યારથી તાજખાન તેનો વિરોધી થઈ ગયો હતો. બહાદુરશાહને સુલતાનપદે સ્થાપવામાં તેનો…

વધુ વાંચો >

તાજ ગાંઠ

Jan 27, 1997

તાજ ગાંઠ (crown gall) : ચેપને કારણે ટમેટાં, રાસબરી, સફરજન વગેરે ફળવાળી વનસ્પતિના પ્રકાંડ ઉપર ઊગતી ગાંઠ Agrobacterium tumefaciens બૅક્ટેરિયાના ચેપને કારણે આ ગાંઠનો દેખાવ તાજ જેવો હોય છે, તેથી તેને તાજની ગાંઠ કહે છે. આ ગાંઠ મનુષ્યમાં થતી કૅન્સરની ગાંઠને મળતી આવે છે. ચેપ દરમિયાન આ બૅક્ટેરિયા પોતાના કોષમાં…

વધુ વાંચો >

તાજનો સાક્ષી

Jan 27, 1997

તાજનો સાક્ષી : ગુનાના ખટલા દરમિયાન ન્યાયાલય સમક્ષ સત્ય હકીકતોની રજૂઆતના બદલામાં માફી આપવાની શરતે સાક્ષી તરીકે રજૂ કરાતો તે જ ગુનાનો સહતહોમતદાર. સામાન્ય રીતે ગંભીર ગુનાઓના પુરાવા મેળવવા માટે તાજનો સાક્ષી બનાવવામાં આવે છે. 1973ના ભારતીય ફોજદારી કાર્યવાહી ધારા(IPC)ની કલમ 306થી કલમ 309ની જોગવાઈઓ મુજબ જે ગુનો સાત કે…

વધુ વાંચો >

તાજમહેલ, આગ્રા

Jan 27, 1997

તાજમહેલ, આગ્રા : યમુનાની દક્ષિણે આગ્રા નજીક મુઘલ સ્થાપત્યની સિદ્ધિ સમો શાહજહાંએ બંધાવેલ મકબરો. 1631માં બાળકના જન્મ વખતે બુરહાનપુરમાં મૃત્યુ પામેલ તેની બેગમ મુમતાઝની યાદમાં તેણે આ ઇમારતનું બાંધકામ 1632માં શરૂ કરાવેલું. તેને માટેની ભારતીય, ફારસી તથા મધ્ય એશિયાના સ્થપતિઓની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા 20,000 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કરેલું.…

વધુ વાંચો >

તાજિકિસ્તાન

Jan 27, 1997

તાજિકિસ્તાન : ભૂતપૂર્વ સોવિયેત સંઘના વિઘટન પછી અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. લગભગ 1,43,100 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલા આ પહાડી દેશનું ભૌગોલિક સ્થાન મધ્ય એશિયાની ઊંચી ગિરિમાળાઓ અને ઉચ્ચપ્રદેશોમાં આશરે 37° ઉ.થી 40° ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 67° પૂ.થી 75° પૂ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું છે. તેની ઉત્તરમાં કિંર્ગિઝસ્તાન (કીર્ઘિયા), પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, પૂર્વમાં…

વધુ વાંચો >

તાજુલ મઆસિર

Jan 27, 1997

તાજુલ મઆસિર : કુત્બુદ્દીન અને અલ્તમશના શાસનનો ઇતિહાસગ્રંથ. તેના લેખકનું નામ હસન નિઝામી અથવા તાજુદ્દીન હસન બિનનિઝામી હતું. 1205માં હસન નિઝામીએ તાજુલ મઆસિર લખવાની શરૂઆત કરી. આ ગ્રંથમાં 1217 સુધીની ઘટનાઓ તેમજ બનાવો નોંધાયા છે. તાજુલ મઆસિર કુત્બુદ્દીન ઐબક અને સમશુદ્દીન અલ્તમશનો ઇતિહાસ હોવાથી તેની ઘણી અગત્ય છે. અલ્તમશના શાસનકાળનાં…

વધુ વાંચો >

તાડ

Jan 27, 1997

તાડ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક.તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો…

વધુ વાંચો >

તાડકા

Jan 27, 1997

તાડકા : મારીચ-સુબાહુની માતા, સુકેતુ નામના યક્ષની પુત્રી, જે અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસી બની ગઈ હતી. તે સરયૂ નદીને કાંઠે તાડકાવનમાં રહીને ઋષિઓનાં યજ્ઞોમાં વિઘ્નો નાખતી હતી. તેના અત્યાચારોથી પીડિત થયેલા વિશ્વામિત્રે તેના વધ માટે અયોધ્યાના રાજા દશરથ પાસે રામ-લક્ષ્મણની માંગણી કરી અને પોતાના આશ્રમે લઈ આવ્યા હતા. સ્ત્રી જાણીને…

વધુ વાંચો >

તાણ્ડ્ય બ્રાહ્મણ

Jan 27, 1997

તાણ્ડ્ય બ્રાહ્મણ : સામવેદના આઠ બ્રાહ્મણ ગ્રંથોમાંનો સર્વપ્રથમ ગ્રંથ. તે તાંડ્ય બ્રાહ્મણ કે તાંડ્ય મહાબ્રાહ્મણ ગણાય છે. તાંડ્ય બ્રાહ્મણ કદમાં મોટું હોવાથી અને તેમાં ઘણાબધા યજ્ઞો વિશે વિધાન હોવાથી તેને તાંડ્ય મહાબ્રાહ્મણ કે પ્રૌઢ બ્રાહ્મણ કહે છે. તેમાં 25 વિભાગો હોવાથી પંચવિંશ બ્રાહ્મણ અને તાંડિ નામના ઋષિએ રચ્યું હોવાથી તાંડ્ય…

વધુ વાંચો >

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ

Jan 27, 1997

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ : ગણિતશાસ્ત્ર, સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન અને અંતરિક્ષ-કિરણોના ક્ષેત્રે મૌલિક સંશોધન માટે 1945માં મુંબઈ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધનકેન્દ્ર. ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અદ્યતન સંશોધનની સુવિધાઓ સુલભ થાય તથા રાષ્ટ્રના યુવાન અને પ્રખર બૌદ્ધિકોને સંશોધનની તકો પૂરી પાડી શકાય એ હેતુથી આ સંસ્થા…

વધુ વાંચો >