૭.૩૧

જૈન પુરાણ સાહિત્યથી જૈવિક અંકશાસ્ત્ર (vital statistics)

જૈન પુરાણ સાહિત્ય :

જૈન પુરાણ સાહિત્ય : ‘પુરાણ’ એટલે પુરાતન કથાનક. રામાયણ-મહાભારતની કથાઓ અને 63 શલાકાપુરુષો તથા અન્ય મહાપુરુષોનાં ચરિત્રોનો આમાં સમાવેશ થવાથી આ સાહિત્યખંડ અતિવિપુલ અને સમૃદ્ધ બન્યો છે. જૈન મહાકાવ્યોનું વસ્તુ પૌરાણિક હોઈ તે પણ આમાં સમાવિષ્ટ થાય છે. ધાર્મિક સાહિત્ય હોઈ તેમાં આચારોનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ અર્થે આદર્શોની…

વધુ વાંચો >

જૈન પ્રબંધસાહિત્ય

જૈન પ્રબંધસાહિત્ય : એક પ્રકારનું ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કથાનક તે પ્રબંધ. તે સમગ્ર પ્રાકૃત કે સંસ્કૃત ગદ્ય અને ક્વચિત્ પદ્યમાં રચાયેલું હોય છે. ‘પ્રબંધચિંતામણિ’, ‘પ્રબંધકોશ’, ‘ભોજપ્રબંધ’, ‘વિવિધ તીર્થકલ્પ’, ‘પ્રભાવકચરિત્ર’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ વગેરે ગ્રંથો આ પ્રકારના સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબંધકોશકાર રાજશેખરસૂરિએ ‘ભગવાન મહાવીર પછીના વિશિષ્ટ પુરુષોનાં વૃત્તો એટલે પ્રબંધ’ તેવી પ્રબંધની…

વધુ વાંચો >

જૈન લાક્ષણિક સાહિત્ય

જૈન લાક્ષણિક સાહિત્ય : વિવિધ શાસ્ત્રોને લગતા જૈન લેખકોએ રચેલા ગ્રંથો. પ્રાચીન ભારતની જ્ઞાન-વિજ્ઞાનની બધી શાખાઓમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. લાક્ષણિક કે શાસ્ત્રીય સાહિત્યમાં પણ જૈનોનું પ્રદાન ગણનાપાત્ર છે. વ્યાકરણ, અલંકાર, કોશ, છંદ જેવા ભાષા-સાહિત્યશાસ્ત્રના વિષયો હોય કે નાટ્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, વાસ્તુ જેવી કળાઓ હોય; ગણિત, જ્યોતિષ કે…

વધુ વાંચો >

જૈન વ્રતો

જૈન વ્રતો : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન, વચન અને કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત. જૈન સાધુ હિંસા આદિમાંથી સંપૂર્ણ નિવૃત્ત થાય છે તેથી તેમનાં આ પાંચ વ્રતો મહાવ્રતો કહેવાય છે. એથી ઊલટું, ગૃહસ્થાવસ્થાની મર્યાદાને કારણે જૈન ગૃહસ્થ હિંસા આદિમાંથી થોડા નિવૃત્ત થાય છે, તેથી તેમનાં આ…

વધુ વાંચો >

જૈન, શ્રેયાંસપ્રસાદ

જૈન, શ્રેયાંસપ્રસાદ (જ. 3 નવેમ્બર 1908, નાજીબાબાદ; અ. 17 માર્ચ 1992, મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ તથા અગ્રણી સમાજસેવક. જાણીતા જમીનદાર શાહુ કુટુંબમાં જન્મેલા શ્રેયાંસપ્રસાદને નાનપણથી કુટુંબની મિલકતના વહીવટની જવાબદારી ઉઠાવવી પડી. સાથોસાથ યુવાન વયે નાજીબાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા બિજનોર જિલ્લા બોર્ડની શિક્ષણ સમિતિના અધ્યક્ષની કામગીરી માથે લીધી. લાહોરની એક…

વધુ વાંચો >

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય : પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ રાશિમાં રચાયેલું સ્તોત્રસાહિત્ય. જૈન ધર્મમાં કોઈ જગત્કર્તા ઈશ્વરને માન્યો નથી; પરંતુ કર્મક્ષય દ્વારા મુક્ત થયેલા અને અન્યને મુક્તિ અપાવનાર તારક તીર્થંકરોને ઈશ્વર જેટલું મહત્વ અપાય છે. આમ, જૈનોના સ્તોત્રસાહિત્યમાં મુખ્યત્વે વિવિધ તીર્થંકરોની સ્તુતિ કે ગુણવર્ણન જોવા મળે છે.…

વધુ વાંચો >

જૈન, હરિકૃષ્ણ

જૈન, હરિકૃષ્ણ (જ. 28 મે 1930, ગુડગાંવ, હરિયાણા) : ભારતના કૃષિવિશારદ. પિતાનું નામ નેમચંદ. અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. તેમણે 1949માં બી.એસસી. વનસ્પતિશાસ્ત્ર અને 1951માં એમ.એસસી. સમકક્ષ ઍસોશિયેટ, આઇ.એ.આર.આઇ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે પાસ કરી. 1952માં રૉયલ કમિશનની સાયન્સ રિસર્ચ ફેલોશિપ મેળવી 1955માં યુનિવર્સિટી ઑવ્ વેલ્સમાંથી પીએચ.ડી. થયા. તેમણે કૃષિસંશોધન…

વધુ વાંચો >

જૈનેન્દ્રકુમાર

જૈનેન્દ્રકુમાર (જ. 1905, કોડિયાગંજ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1988) : અનુપ્રેમચંદ યુગના અગ્રગણ્ય હિંદી નવલકથાકાર. મૂળ નામ આનંદીલાલ. જૈન કુટુંબમાં જન્મ. હસ્તિનાપુરમાં શિક્ષણનો પ્રારંભ. 1919માં પંજાબમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પછી વધુ અભ્યાસ માટે બનારસ યુનિવર્સિટીમાં દાખલ થયા. ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળમાં જોડાવા એક જ વર્ષમાં કૉલેજ છોડી. 1923માં…

વધુ વાંચો >

જૈનેન્દ્ર વ્યાકરણ

જૈનેન્દ્ર વ્યાકરણ (ઈ. સ.ની પાંચમી સદી) : પાણિનીય વ્યાકરણના આધારે દેવનંદીએ રચેલો ગ્રંથ. સ્વર અને વૈદિક પ્રકરણને બાદ રાખી તે 5 અધ્યાયોમાં પૂરો કરાયો છે. આ વ્યાકરણનાં અત્યારે 2 સંસ્કરણો મળે છે : (1) ઔદીચ્ય, તેમાં 3 હજાર સૂત્રો છે અને (2) દાક્ષિણાત્ય, તેમાં 3,700 સૂત્રો છે. દાક્ષિણાત્ય સંસ્કરણમાં સૂત્રોની…

વધુ વાંચો >

જૈમિનિ ભારત

જૈમિનિ ભારત : કન્નડનો લોકપ્રિય ગ્રંથ. તેના આધારે કેટલાય યક્ષગાન પ્રસંગો રચાયા છે. મૂળ સંસ્કૃત ‘જૈમિનિ ભારત’નો સંગ્રહાનુવાદ છે. મૂળ સંસ્કૃતમાં 68 અધ્યાયોમાં વર્ણવાયેલું કાવ્ય કન્નડમાં 35 સંધિઓમાં સંગૃહીત છે. કન્નડ ‘જૈમિનિ ભારત’ના રચયિતા લક્ષ્મીશે કથાના નિરૂપણમાં મોટે ભાગે મૂળનું અનુસરણ જ કર્યું છે. પણ સંગ્રહ કરવામાં જ એમની પ્રતિભાનો…

વધુ વાંચો >

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ

Jan 31, 1996

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ : સામવેદીય જૈમિનીય શાખાનું આરણ્યક સર્દશ બ્રાહ્મણ. તે તલવકાર ઉપનિષદ-બ્રાહ્મણ તરીકે પણ જાણીતું છે. તેને તલવકાર (જૈમિનીય) શાખાનું આરણ્યક ગણવામાં આવે છે. હેન્સ ઓએર્ટલે આ ગ્રંથ, તેનું ભાષાન્તર અને ટિપ્પણ Journal of American Oriental Society, New Haven – JAOS, Vol. XVI, Part I(1894)માં પ્રસિદ્ધ કર્યાં છે, જે…

વધુ વાંચો >

જૈમિનીય ગૃહ્યસૂત્ર

Jan 31, 1996

જૈમિનીય ગૃહ્યસૂત્ર : જુઓ, કલ્પ

વધુ વાંચો >

જૈમિનીય બ્રાહ્મણ

Jan 31, 1996

જૈમિનીય બ્રાહ્મણ : સામવેદની જૈમિનીય શાખાનું બ્રાહ્મણ. આ બ્રાહ્મણ વૈદિક સાહિત્યના અગત્યના અને બૃહત્કાય ગ્રંથો (દા. ત., શતપથ બ્રાહ્મણ) પૈકી એક વિખ્યાત બ્રાહ્મણ ગ્રંથ છે; તે ‘તલવકાર બ્રાહ્મણ’ તરીકે પણ જાણીતું છે. સામગોના ગૂંચવણભર્યા આયોજનને સમજવા માટે ગ્રંથ ઘણો ઉપયોગી છે. બ્રાહ્મણના સંકલનકાર આચાર્ય જૈમિનિ અને તલવકાર ઋષિ છે. આ…

વધુ વાંચો >

જૈમિનીય શાખા

Jan 31, 1996

જૈમિનીય શાખા : જુઓ, સામવેદ

વધુ વાંચો >

જૈમિનીય શ્રોતસૂત્ર

Jan 31, 1996

જૈમિનીય શ્રોતસૂત્ર : જુઓ, કલ્પ

વધુ વાંચો >

જૈવ આંતરક્રિયાઓ

Jan 31, 1996

જૈવ આંતરક્રિયાઓ : જુઓ, ચયાપચય

વધુ વાંચો >

જૈવ-ઇજનેરી ઉપકરણન

Jan 31, 1996

જૈવ-ઇજનેરી ઉપકરણન : (biomedical instrumentation) રોગનાં નિદાન અને સારવાર માટે વપરાતાં ભૌતિક સાધનો અને યંત્રો સંબંધિત અભ્યાસ. પુરાતન કાળમાં વૈદ્યો તબીબો પોતાના સાદાં ઓજારો સોય, ચપ્પુ વગેરે બનાવવા માટે ગામના કારીગરોની સહાય લેતા થયા, ત્યારથી આયુર્વિજ્ઞાન અને તકનીકી વિદ્યા (technology) વચ્ચે સહકારનાં મંડાણ થયાં. સમય જતાં તબીબી ઓજારો વધુ જટિલ,…

વધુ વાંચો >

જૈવ ક્ષમતા

Jan 31, 1996

જૈવ ક્ષમતા (biotic potential) : ઇષ્ટતમ પર્યાવરણીય સંજોગોમાં સજીવની મહત્તમ પ્રજનન-ક્ષમતા (capacity). સંજ્ઞા r. આ દર અને ક્ષેત્રીય (field) અથવા પ્રયોગશાળાના પ્રયોગોમાં ખરેખર જે વૃદ્ધિ જોવા મળે છે તે દર વચ્ચેનો તફાવત એ પર્યાવરણીય (environmental) અવરોધને પ્રતિબિંબિત કરે છે. ચૅપમૅન (1928) નામના વૈજ્ઞાનિકે આને બાયૉટિક પોટેન્શિયલ નામ આપ્યું છે. ચૅપમૅન…

વધુ વાંચો >

જૈવ ટૅક્નૉલૉજી

Jan 31, 1996

જૈવ ટૅક્નૉલૉજી (bio-technology) : માનવહિતાર્થે જૈવી તંત્રો- (biological systems)ના પરિવર્તન માટે યોજાતી પ્રવિધિ. જૈવ ટૅક્નૉલૉજીમાં માનવનિદાન અને સારવારમાં વપરાતાં યંત્રોનો પણ સમાવેશ થાય છે. જોકે હાલમાં જનીન-ઇજનેરી (genetic engineering), પેશી-સંવર્ધન (tissue-culture) અને એકક્લોની પ્રતિપિંડ (monoclonal antibody) સંવર્ધનને લગતી પ્રવિધિને પણ જૈવ ટૅક્નૉલૉજી તરીકે ઓળખવામાં આવે છે. અસલ જનીનમાં ફેરફાર કરવા…

વધુ વાંચો >

જૈવ નિયંત્રણ

Jan 31, 1996

જૈવ નિયંત્રણ (biological control) : જમીન પર ઊગી નીકળતું નકામું ઘાસ, વનસ્પતિમાં રોગનું પ્રસારણ કરતાં કીટકો, સૂત્રકૃમિ (nematoda) અને વનસ્પતિમાં રોગ માટે કારણભૂત જંતુઓ તથા જીવાતોના નાશ માટે અન્ય સજીવો અથવા તેમની નીપજ દ્વારા અપનાવવામાં આવતી નિયંત્રણપદ્ધતિ. રાસાયણિક નિયંત્રણની સરખામણીમાં આ પદ્ધતિ વધુ અસરકારક અને ઓછી હાનિકર્તા નીવડે છે; ઘણી…

વધુ વાંચો >