૭.૩૧

જૈન પુરાણ સાહિત્યથી જૈવિક અંકશાસ્ત્ર (vital statistics)

જૈન પુરાણ સાહિત્ય :

જૈન પુરાણ સાહિત્ય : ‘પુરાણ’ એટલે પુરાતન કથાનક. રામાયણ-મહાભારતની કથાઓ અને 63 શલાકાપુરુષો તથા અન્ય મહાપુરુષોનાં ચરિત્રોનો આમાં સમાવેશ થવાથી આ સાહિત્યખંડ અતિવિપુલ અને સમૃદ્ધ બન્યો છે. જૈન મહાકાવ્યોનું વસ્તુ પૌરાણિક હોઈ તે પણ આમાં સમાવિષ્ટ થાય છે. ધાર્મિક સાહિત્ય હોઈ તેમાં આચારોનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ અર્થે આદર્શોની…

વધુ વાંચો >

જૈન પ્રબંધસાહિત્ય

જૈન પ્રબંધસાહિત્ય : એક પ્રકારનું ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કથાનક તે પ્રબંધ. તે સમગ્ર પ્રાકૃત કે સંસ્કૃત ગદ્ય અને ક્વચિત્ પદ્યમાં રચાયેલું હોય છે. ‘પ્રબંધચિંતામણિ’, ‘પ્રબંધકોશ’, ‘ભોજપ્રબંધ’, ‘વિવિધ તીર્થકલ્પ’, ‘પ્રભાવકચરિત્ર’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ વગેરે ગ્રંથો આ પ્રકારના સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબંધકોશકાર રાજશેખરસૂરિએ ‘ભગવાન મહાવીર પછીના વિશિષ્ટ પુરુષોનાં વૃત્તો એટલે પ્રબંધ’ તેવી પ્રબંધની…

વધુ વાંચો >

જૈન લાક્ષણિક સાહિત્ય

જૈન લાક્ષણિક સાહિત્ય : વિવિધ શાસ્ત્રોને લગતા જૈન લેખકોએ રચેલા ગ્રંથો. પ્રાચીન ભારતની જ્ઞાન-વિજ્ઞાનની બધી શાખાઓમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. લાક્ષણિક કે શાસ્ત્રીય સાહિત્યમાં પણ જૈનોનું પ્રદાન ગણનાપાત્ર છે. વ્યાકરણ, અલંકાર, કોશ, છંદ જેવા ભાષા-સાહિત્યશાસ્ત્રના વિષયો હોય કે નાટ્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, વાસ્તુ જેવી કળાઓ હોય; ગણિત, જ્યોતિષ કે…

વધુ વાંચો >

જૈન વ્રતો

જૈન વ્રતો : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન, વચન અને કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત. જૈન સાધુ હિંસા આદિમાંથી સંપૂર્ણ નિવૃત્ત થાય છે તેથી તેમનાં આ પાંચ વ્રતો મહાવ્રતો કહેવાય છે. એથી ઊલટું, ગૃહસ્થાવસ્થાની મર્યાદાને કારણે જૈન ગૃહસ્થ હિંસા આદિમાંથી થોડા નિવૃત્ત થાય છે, તેથી તેમનાં આ…

વધુ વાંચો >

જૈન, શ્રેયાંસપ્રસાદ

જૈન, શ્રેયાંસપ્રસાદ (જ. 3 નવેમ્બર 1908, નાજીબાબાદ; અ. 17 માર્ચ 1992, મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ તથા અગ્રણી સમાજસેવક. જાણીતા જમીનદાર શાહુ કુટુંબમાં જન્મેલા શ્રેયાંસપ્રસાદને નાનપણથી કુટુંબની મિલકતના વહીવટની જવાબદારી ઉઠાવવી પડી. સાથોસાથ યુવાન વયે નાજીબાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા બિજનોર જિલ્લા બોર્ડની શિક્ષણ સમિતિના અધ્યક્ષની કામગીરી માથે લીધી. લાહોરની એક…

વધુ વાંચો >

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય : પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ રાશિમાં રચાયેલું સ્તોત્રસાહિત્ય. જૈન ધર્મમાં કોઈ જગત્કર્તા ઈશ્વરને માન્યો નથી; પરંતુ કર્મક્ષય દ્વારા મુક્ત થયેલા અને અન્યને મુક્તિ અપાવનાર તારક તીર્થંકરોને ઈશ્વર જેટલું મહત્વ અપાય છે. આમ, જૈનોના સ્તોત્રસાહિત્યમાં મુખ્યત્વે વિવિધ તીર્થંકરોની સ્તુતિ કે ગુણવર્ણન જોવા મળે છે.…

વધુ વાંચો >

જૈન, હરિકૃષ્ણ

જૈન, હરિકૃષ્ણ (જ. 28 મે 1930, ગુડગાંવ, હરિયાણા) : ભારતના કૃષિવિશારદ. પિતાનું નામ નેમચંદ. અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. તેમણે 1949માં બી.એસસી. વનસ્પતિશાસ્ત્ર અને 1951માં એમ.એસસી. સમકક્ષ ઍસોશિયેટ, આઇ.એ.આર.આઇ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે પાસ કરી. 1952માં રૉયલ કમિશનની સાયન્સ રિસર્ચ ફેલોશિપ મેળવી 1955માં યુનિવર્સિટી ઑવ્ વેલ્સમાંથી પીએચ.ડી. થયા. તેમણે કૃષિસંશોધન…

વધુ વાંચો >

જૈનેન્દ્રકુમાર

જૈનેન્દ્રકુમાર (જ. 1905, કોડિયાગંજ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1988) : અનુપ્રેમચંદ યુગના અગ્રગણ્ય હિંદી નવલકથાકાર. મૂળ નામ આનંદીલાલ. જૈન કુટુંબમાં જન્મ. હસ્તિનાપુરમાં શિક્ષણનો પ્રારંભ. 1919માં પંજાબમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પછી વધુ અભ્યાસ માટે બનારસ યુનિવર્સિટીમાં દાખલ થયા. ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળમાં જોડાવા એક જ વર્ષમાં કૉલેજ છોડી. 1923માં…

વધુ વાંચો >

જૈનેન્દ્ર વ્યાકરણ

જૈનેન્દ્ર વ્યાકરણ (ઈ. સ.ની પાંચમી સદી) : પાણિનીય વ્યાકરણના આધારે દેવનંદીએ રચેલો ગ્રંથ. સ્વર અને વૈદિક પ્રકરણને બાદ રાખી તે 5 અધ્યાયોમાં પૂરો કરાયો છે. આ વ્યાકરણનાં અત્યારે 2 સંસ્કરણો મળે છે : (1) ઔદીચ્ય, તેમાં 3 હજાર સૂત્રો છે અને (2) દાક્ષિણાત્ય, તેમાં 3,700 સૂત્રો છે. દાક્ષિણાત્ય સંસ્કરણમાં સૂત્રોની…

વધુ વાંચો >

જૈમિનિ ભારત

જૈમિનિ ભારત : કન્નડનો લોકપ્રિય ગ્રંથ. તેના આધારે કેટલાય યક્ષગાન પ્રસંગો રચાયા છે. મૂળ સંસ્કૃત ‘જૈમિનિ ભારત’નો સંગ્રહાનુવાદ છે. મૂળ સંસ્કૃતમાં 68 અધ્યાયોમાં વર્ણવાયેલું કાવ્ય કન્નડમાં 35 સંધિઓમાં સંગૃહીત છે. કન્નડ ‘જૈમિનિ ભારત’ના રચયિતા લક્ષ્મીશે કથાના નિરૂપણમાં મોટે ભાગે મૂળનું અનુસરણ જ કર્યું છે. પણ સંગ્રહ કરવામાં જ એમની પ્રતિભાનો…

વધુ વાંચો >

જૈવ પ્રકાર

Jan 31, 1996

જૈવ પ્રકાર (Biotype) : શરીરમાં આવેલા જનીનો એકસરખા હોય તેવા સજીવોનો કુદરતી સમૂહ. એક જ જાતિ(species)માં આવેલા હોય અથવા બંધારણની ર્દષ્ટિએ સરખા હોવા છતાં, દેહધાર્મિક, જૈવરાસાયણિક અને રોગજનક (pathogenic) લાક્ષણિકતાઓમાં ભિન્નતા હોય તેવા સજીવોના સમૂહનો પણ જૈવ પ્રકારમાં સમાવેશ થાય છે; પરંતુ, જો આ સમૂહ વિશિષ્ટ પર્યાવરણમાં રહેવા અનુકૂળ થયેલા…

વધુ વાંચો >

જૈવ પ્રતિનિવેશ

Jan 31, 1996

જૈવ પ્રતિનિવેશ (Biofeedback) : જીવોમાં સ્વનિયંત્રણની વિશિષ્ટ વ્યવસ્થા. આ એક એવી પ્રવિધિ છે, જેમાં મનુષ્ય પોતાના શરીરમાં જે ક્ષણે જૈવ ક્રિયાઓ ઊપજતી હોય તે જ ક્ષણે એ ક્રિયાઓ વિશે સ્પષ્ટ માહિતી મેળવે છે અને એ માહિતીને આધારે પોતાની જૈવ ક્રિયાઓને અંકુશમાં લે છે કે તેમાં ઇચ્છિત ફેરફાર કરે છે; દા.…

વધુ વાંચો >

જૈવ પ્રદીપ્તિ

Jan 31, 1996

જૈવ પ્રદીપ્તિ (bioluminescence) : સજીવો દ્વારા થતી પ્રકાશ- ઉત્સર્જનની ક્રિયા (emission of light). આગિયો, કેટલાક સમુદ્રી સૂક્ષ્મજીવો જેવા પ્રકાશનું ઉત્સર્જન કરનાર સજીવોમાં વગેરેમાં લ્યુસિફેરિન નામનું જૈવ-રસાયણ આવેલું છે. લ્યુસિફેરેઝ ઉત્સેચકની અસર હેઠળ તેનું ઓક્સિડેશન થાય છે. ઉચ્ચ ઊર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાં તેનું રૂપાંતરણ થાય છે. પરિણામે આ અણુઓમાં આવેલ રાસાયણિક-કાર્યશક્તિનું રૂપાંતર…

વધુ વાંચો >

જૈવ ભૂગોળ (biogeography)

Jan 31, 1996

જૈવ ભૂગોળ (biogeography) પૃથ્વી પર સજીવોનું વિતરણ; તેમની રહેણીકરણી અને તે જે પ્રદેશમાં જોવા મળે છે તે પ્રદેશનું પર્યાવરણ; ત્યાં જોવા મળતા અન્ય સજીવોની અને અન્ય કોઈ પણ પરિબળોની તેઓ પર થતી અસર – આ સર્વનો અભ્યાસ તે ભૂગોળની એક શાખા છે. જૈવભૂગોળના અભ્યાસના બે અભિગમ છે : (1) સ્થૈતિક…

વધુ વાંચો >

જૈવ ભૂરાસાયણિક ચક્રો

Jan 31, 1996

જૈવ ભૂરાસાયણિક ચક્રો (biogeochemical cycles) : રાસાયણિક તત્વોનું સજીવમાંથી ભૌતિક પર્યાવરણમાં અને પાછું સજીવમાં, ઘણુંખરું ચક્રીય માર્ગો દ્વારા થતું સંચલન (movement). જો આ તત્વો જીવન માટે આવશ્યક હોય તો તેવા ચક્રને ‘પોષક ચક્ર’ (nutrient cycle) કહે છે. આવા તત્વનું સ્વરૂપ (form) અને તેનો જથ્થો (quantity) ચક્રો દરમિયાન બદલાય છે. સામાન્ય…

વધુ વાંચો >

જૈવરસાયણ (biochemistry)

Jan 31, 1996

જૈવરસાયણ (biochemistry) : વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેમજ સૂક્ષ્મજીવાણુઓમાં જોવા મળતા રાસાયણિક પદાર્થો અને રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનની શાખા. આધુનિક કાર્બનિક રસાયણની ઉપશાખા તરીકે વિકસેલી છે. તેમાં ભૌતિક વિદ્યાઓ અને જીવશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. તે મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોને આવરી લે છે : (1) જૈવિક ક્રિયાઓ સાથે સંકળાયેલા રાસાયણિક…

વધુ વાંચો >

જૈવરાસાયણિક ઑક્સિજન માંગ

Jan 31, 1996

જૈવરાસાયણિક ઑક્સિજન માંગ (biochemical oxygen demand — BOD) : સ્યૂએઝ(વાહિતમળમૂત્ર)માં રહેલ વિવિધ કાર્બનિક પદાર્થોના સૂક્ષ્મજીવો દ્વારા થતા જારક વિઘટન-ઉપચયન (oxidation) માટેની પ્રાણવાયુની જરૂરિયાતને જૈવરાસાયણિક ઑક્સિજન માંગ કહે છે. ઑક્સિજનની આ જરૂરિયાત સ્યૂએઝમાં રહેલ કાર્બનિક પદાર્થના પ્રમાણના અનુસંધાનમાં બદલાતી રહે છે. કાર્બનિક પદાર્થોનું વધુ પ્રમાણ ધરાવતી તીવ્ર અને મધ્યમ સ્યૂએઝનો જૈવરાસાયણિક…

વધુ વાંચો >

જૈવરાસાયણિક જનીનવિદ્યા

Jan 31, 1996

જૈવરાસાયણિક જનીનવિદ્યા : જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તેવી જનીનવિદ્યાની શાખા. આનુવંશિક લક્ષણોના સંચારણમાં જનીનો અગત્યનો ભાગ ભજવે છે. વારસા રૂપે માતા-પિતાનાં શરીરમાં આવેલા જનીનો સંતાનોમાં ઊતરે છે. જનીનોમાં આનુવંશિક લક્ષણો સાથે સંકળાયેલી માહિતી સંકેત રૂપે આવેલી હોય છે. ગર્ભની વિકાસાવસ્થા દરમિયાન સંકેતોના લિપ્યંતરથી, કોષો વિશિષ્ટ જૈવરસાયણોનું સંશ્લેષણ…

વધુ વાંચો >

જૈવરાસાયણિક નિક્ષેપો

Jan 31, 1996

જૈવરાસાયણિક નિક્ષેપો (biochemical deposits) : જીવંત જીવનસ્વરૂપોની પ્રવૃત્તિઓ દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે તૈયાર થતા નિક્ષેપો. જીવનસ્વરૂપોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સીધી કે આડકતરી રીતે પરિણમતા અવક્ષેપિત નિક્ષેપોનો પણ આ પર્યાય હેઠળ સમાવેશ થાય છે; જેમ કે, બૅક્ટેરિયાજન્ય લોહધાતુખનિજનિક્ષેપો અને ચૂનાખડકો. પાણીમાં રહેલા દ્રાવ્ય ઘટકો વચ્ચે અવક્ષેપણ થવાના સંજોગો હેઠળ પ્રક્રિયાઓ…

વધુ વાંચો >

જૈવ વર્ણપટ

Jan 31, 1996

જૈવ વર્ણપટ (biological spectrum) : કોઈ પણ પ્રકારના પર્યાવરણમાં અથવા નિયત નિવસનતંત્રની પરિસીમામાં વિકાસ પામતા વનસ્પતિ અને પ્રાણીના સમુદાય. ઉદાહરણ તરીકે, જંગલમાં આવેલાં વૃક્ષો, ક્ષુપ, છોડ, વેલી-મહાકાય લતા, પરરોહી છોડ તથા આ વનસ્પતિઓ પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, જીવ-જંતુઓ, ફૂગ તથા જીવાણુઓ વગેરે એકકોષી સજીવોથી માંડી બહુકોષી મહાકાય સજીવો જૈવ…

વધુ વાંચો >