૭.૧૯

જયવર્દને, જે. આર.થી જર્મન સાહિત્ય

જરાયુ (placenta)

જરાયુ (placenta) : સ્ત્રીકેસર(pistil)ની વક્ષસીવને અંડકો(જે ફલન બાદ બીજમાં પરિણમે છે.)ના ઉદભવનું સ્થાન. પ્રજનન માટે રૂપાંતરિત થયેલા પર્ણને સ્ત્રીકેસર કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુઓનો ઉદભવ અને તેમની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહે છે. સપુષ્પ વનસ્પતિઓના વર્ગીકરણમાં જરાયુવિન્યાસનું અત્યંત મહત્વ છે. બીજાશયની દીવાલની ધાર જ્યાં જોડાય ત્યાં વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય…

વધુ વાંચો >

જરીર

જરીર (જ. 649, હજરા, યમામા, અરબસ્તાન; અ. આશરે 729) : અરબી ભાષાના મધ્યયુગના કવિ. તેમનું પૂરું નામ જરીર બિન અતય્યા બિન અલ-ખતફી હતું. યમામા વિસ્તાર હવે રિયાદ નામે ઓળખાય છે, જે સાઉદી અરબ રાજ્યનું પાટનગર છે. તેમનો વ્યવસાય ઢોર-ઉછેરનો હતો. જરીરનું શિક્ષણ નહિવત્  હતું; પરંતુ કવિતા તેમને વારસામાં મળી હતી.…

વધુ વાંચો >

જરીવાલા, લીલા

જરીવાલા, લીલા (જ. 12 ઑક્ટોબર 1926, સિકંદરાબાદ; અ. 30 ડિસેમ્બર 1995, મુંબઈ) : ગુજરાતી અભિનેત્રી, દિગ્દર્શિકા, નિર્માત્રી, ગુજરાતી રંગભૂમિની એક વિશિષ્ટતા એ રહી છે કે ખાસ કરીને મહારાષ્ટ્રીય, હિન્દી-ઉર્દૂભાષી અને ગોવાનીઝ બહેનોને ‘સ્ત્રીપાત્રો’ની ભૂમિકા માટે સ્વીકારવામાં આવી હતી. શ્રીમતી લીલા જરીવાલા એ વૈવિધ્યમાં જરા જુદાં તરી આવે છે. તેમનું શિક્ષણ…

વધુ વાંચો >

જરૂરિયાતો (આર્થિક)

જરૂરિયાતો (આર્થિક) : અર્થપરાયણ માનવીને તેના સંજોગોના સંદર્ભમાં તુષ્ટિગુણ આપે તેવી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટેની અસરકારક રીતે કાર્યાન્વિત થઈ શકે તેવી ઇચ્છા. તે સાધનોની ઉપલભ્યતા વગર કાર્યાન્વિત થઈ શકતી નથી, કારણ કે આવી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટે કિંમત ચૂકવવી પડે છે અને તે માટે ઉત્પાદક પ્રવૃત્તિઓ…

વધુ વાંચો >

જર્ને, નીલ્સ કાજ

જર્ને, નીલ્સ કાજ (જ. 23 ડિસેમ્બર 1911, લંડન) : પ્રતિરક્ષાતંત્ર(immune system)ના વિકાસ અને નિયમનની ચોક્કસ (specificity) તથા એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)ના ઉત્પાદનના સિદ્ધાંતની શોધ માટે 1984ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ મૂળ ડેનિશ વિજ્ઞાની છે. તેમની સાથેના અન્ય વિજેતા હતા  જૉર્જેઝ જે. એફ. કૉહલર તથા સીઝર મિલ્સ્ટેન. વિવિધ પ્રકારના બાહ્ય પદાર્થો સામે…

વધુ વાંચો >

જર્બેરા

જર્બેરા : લે. Gerbera gamesonii તથા બીજી જાતિઓ. કુળ : Astenaceae (compositae) સહસભ્યો : એસ્ટર, ઝીનીઆ વગેરે. અંગ્રેજીમાં એને Transval Daisy of Barberton daisy કહે છે. લગભગ 30થી 40 સેમી. ઊંચા થતા આ બહુવર્ષાયુ છોડના થડનો ભાગ દેખાતો નથી. જમીનમાંથી ચારે બાજુ લાંબાં પાન નીકળતાં હોય તેમ દેખાય છે. પાન…

વધુ વાંચો >

જર્મન કન્ફેડરેશન

જર્મન કન્ફેડરેશન : જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, 1815માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં 300 રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં 300 રાજ્યોને ભેગાં…

વધુ વાંચો >

જર્મન ભાષા

જર્મન ભાષા : જર્મની ઉપરાંત ઑસ્ટ્રિયાની પણ રાષ્ટ્રભાષા તથા સ્વિટ્ઝર્લૅન્ડની 4 પૈકીની એક રાષ્ટ્રભાષા. ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ તે ઉત્તર યુરોપના બીજા દેશો એટલે કે બેલ્જિયમ, ડેન્માર્ક, સ્વીડન, નૉર્વે, ઇંગ્લૅન્ડ, આઇસલૅન્ડ વગેરે ભાષાઓની સજાત (cognate) ભાષા છે; કારણ કે એ બધી વચ્ચે કેટલાંક મૂળભૂત સામ્યો ર્દગ્ગોચર થાય છે. આ ભાષકો પ્રાચીન કુળોના…

વધુ વાંચો >

જર્મન સાહિત્ય

જર્મન સાહિત્ય પૂર્વ અને પશ્ચિમ જર્મની (હવે એક જ) ઉપરાંત મોટા ભાગના ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે જર્મન ભાષાનો વ્યવહાર થાય છે. વિશ્વની તે એક સમૃદ્ધ ભાષા છે. ઐતિહાસિક ર્દષ્ટિએ તેના Old High German – ઓલ્ડ હાઈ જર્મન, Middle High German – મિડલ હાઈ જર્મન અને New High German – ન્યૂ…

વધુ વાંચો >

જયવર્દને, જે. આર.

Jan 19, 1996

જયવર્દને, જે. આર. (જ. 17 સપ્ટેમ્બર 1906, કોલંબો; અ. 1 નવેમ્બર 1996, કોલંબો, શ્રીલંકા) : શ્રીલંકાના પ્રમુખ (1978-79), સર્વોચ્ચ અદાલતના વકીલ અને રાજપુરુષ. પૂરું નામ જુનિયસ રિચર્ડ જયવર્દને. પિતા ઈ. ડબલ્યુ. જયવર્દને ન્યાયમૂર્તિ હતા; માતા એ. એચ. વિજેવર્દને. તેમણે કોલંબોની રૉયલ કૉલેજ અને યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો અને કાયદાનો અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

જયવંત, નલિની

Jan 19, 1996

જયવંત, નલિની (જ. 18 ફેબ્રુઆરી 1926, મુંબઈ) : રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી તથા અગ્રણી અભિનેત્રી શોભના સમર્થની પિતરાઈ બહેન. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ. માત્ર 6 વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં. 10 વર્ષની વયે શાળાના કાર્યક્રમમાં અભિનય આપ્યો. આ પછી રવીન્દ્રનાથ ટાગોરના…

વધુ વાંચો >

જયવંતસૂરિ (સોળમી સદી)

Jan 19, 1996

જયવંતસૂરિ (સોળમી સદી) : અપરનામ ગુણસૌભાગ્યસૂરિ. જૈન સાધુ. વડતપગચ્છની રત્નાકર શાખામાં વિનયમંડન ઉપાધ્યાયના સૌથી નાના શિષ્ય. ‘કાવ્યપ્રકાશ’ની ટીકાની પ્રત લખાવડાવી જ્ઞાનભંડારમાં મુકાવવાનો રસ ધરાવનાર આ સાધુકવિ કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, સમસ્યાબંધો, સંગીતશાસ્ત્ર, સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરા તથા લોકવ્યવહારની ઊંડી અભિજ્ઞતા દર્શાવે છે અને પોતાની ‘પંડિત’ એવી ઓળખ સાર્થક કરે છે તથા પોતાની કૃતિઓમાં…

વધુ વાંચો >

જયશિખરી

Jan 19, 1996

જયશિખરી : (ઈ. સ.ની 8મી સદી) ઉત્તર ગુજરાતમાં પંચાસરનો શૂરવીર રાજવી તથા વનરાજ ચાવડાનો પિતા. કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં રચેલ ‘રત્નમાળ’(સત્તરમી-અઢારમી સદી)માં વનરાજનો પિતા જયશિખરી એના સોળ સામંતો સાથે પંચાસરમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે. આનુશ્રુતિક વૃત્તાંત અનુસાર જયશિખરીએ કનોજના રાજા ભુવડનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. ભુવડે તેની સામે સેના મોકલી;…

વધુ વાંચો >

જયશેખરસૂરિ (ચૌદમી સદી ઉત્તરાર્ધપંદરમી સદી પૂર્વાર્ધ)

Jan 19, 1996

જયશેખરસૂરિ (ચૌદમી સદી ઉત્તરાર્ધપંદરમી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. અંચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. 1364માં આચાર્યપદ પ્રાપ્ત થયું. 1406 સુધીની એમની રચનાઓ મળે છે. ખંભાતની રાજસભાએ એમને ‘કવિચક્રવર્તી’નું બિરુદ આપેલું. ‘જૈન કુમારસંભવ’ નામક પોતાની રચનામાં તેમણે પોતાને ‘વાણીદત્તવર:’ તરીકે ઓળખાવેલ છે. સંસ્કૃત-પ્રાકૃતના પ્રખર જ્ઞાતા આ સાધુકવિના અનેક વિદ્વાન…

વધુ વાંચો >

જયસિંઘાણી, શ્યામ

Jan 19, 1996

જયસિંઘાણી, શ્યામ [જ. 12 ફેબ્રુઆરી, 1937 ક્વેટા, બલૂચિસ્તાન (હાલ પાકિસ્તાનમાં)] : જાણીતા સિંધી નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, કવિ અને સંપાદક. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ઝિલઝિલો’(1998) માટે 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. (ઑનર્સ) થયા. તેમણે જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, મુંબઈમાંથી ફોટોગ્રાફીના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

જયસિંહ, સિદ્ધરાજ

Jan 19, 1996

જયસિંહ, સિદ્ધરાજ (જ. 1091; અ. 1142) : અણહિલ્લપુર પાટણનો સુપ્રસિદ્ધ 6ઠ્ઠો ચૌલુક્ય (સોલંકી) રાજવી. તે કર્ણદેવની મહારાણી મયણલ્લા(મીનળ)ને પેટે અવતરેલો હતો. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા પ્રમાણે જયસિંહ 3 વર્ષનો હતો ત્યારે રાજસભાના સિંહાસન ઉપર ચડી બેઠો એને સુમુહૂર્ત ગણી કર્ણે જયસિંહનો રાજ્યાભિષેક (1094) કરેલો અને પોતે સાબરમતીને તીરે આવેલા આશાવલમાં આવ્યો ને…

વધુ વાંચો >

જયસિંહા, એમ. એલ.

Jan 19, 1996

જયસિંહા, એમ. એલ. (જ. 3 માર્ચ 1939, હૈદરાબાદ) : ભારતના પ્રારંભિક તથા મધ્યમ ક્રમના છટાદાર બૅટધર તથા મધ્યમ ઝડપી ગોલંદાજ. હૈદરાબાદ તરફથી 1954–55માં આંધ્ર સામે જયસિંહાએ રણજી ટ્રૉફી મૅચથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ મૅચમાં 90 રન નોંધાવ્યા અને 56 રનમાં 3 વિકેટો ઝડપી. 1963 –64થી હૈદરાબાદની રણજી ટ્રૉફી…

વધુ વાંચો >

જય સોમનાથ

Jan 19, 1996

જય સોમનાથ : ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી(1887–1971)ની ઐતિહાસિક નવલકથા. મહમદ ગઝની 1026માં સોમનાથ ઉપર આક્રમણ કરે છે. આંતરિક કલહમાં સબડતા ગુજરાતના રાજપૂત રાજાઓ તેને ખાળી શકતા નથી. અણહિલવાડ પાટણનો સોલંકી રાજા ભીમદેવ અને સૌરાષ્ટ્ર-કચ્છના ગણ્યાગાંઠ્યા રાજાઓ મળીને સોમનાથમાં જ મહમદ ગઝનીને ખાળવાનો પ્રયત્ન કરે છે. બાણાવળી ભીમદેવનો પ્રથમ વિજય…

વધુ વાંચો >

જયસ્તંભ (ચિતોડનો જયસ્તંભ કે વિજયસ્તંભ)

Jan 19, 1996

જયસ્તંભ (ચિતોડનો જયસ્તંભ કે વિજયસ્તંભ) : ખાસ કરીને પ્રતિષ્ઠિત રાજાઓ દ્વારા વિજયની યાદમાં બંધાવવામાં આવતો ઊંચો મિનારો. 1450માં બંધાયેલ ચિતોડનો વિજયસ્તંભ આનો ઘણો જ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ જ કિલ્લામાં આશરે 1100માં કીર્તિસ્તંભ પણ બંધાયેલો છે. આ સ્તંભો ખાસ કરીને મંદિરો જોડે સંકળાયેલા રહેતા. ચિતોડમાં આ બંને સ્તંભો પાસેનાં મંદિરોના…

વધુ વાંચો >