૭.૧૫

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદથી છંદ

છત્રપતિ ડૉ. દ્રુપદ નૌતમલાલ

છત્રપતિ, ડૉ. દ્રુપદ નૌતમલાલ (જ. 10 ઑગસ્ટ 1933, ભરૂચ) : ઍનૅટૉમીના પ્રાધ્યાપક અને મેડિકલ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા. પિતા નૌતમરાય અને માતા કપિલાબહેન. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ. તેમના વડદાદા ભગવાનલાલ ઇતિહાસકાર હતા. એમણે ઇન્ડિયન પીનલકોડનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું અને સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખેલો. પિતા નૌતમરાય ઈડર પાસેના વિજયનગરના દીવાન. દ્રુપદભાઈએ ઈ. સ. 1959માં એમ.બી.બી.એસ.…

વધુ વાંચો >

છત્રપુર

છત્રપુર :  મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો  તથા શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 24 6´ ઉ. અ.થી 25 20´ ઉ. અ. જ્યારે 78 59´થી 80 26´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્ય અને પૂર્વે પન્ના જિલ્લો, દક્ષિણે દમોહ, નૈર્ઋત્યે સાગર જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. મધ્યપ્રદેશના સાગર વિભાગનો…

વધુ વાંચો >

છત્રસાલ

છત્રસાલ (જ. 4 મે 1649, કકર-કચનગામ, બુંદેલખંડ; અ. 4 ડિસેમ્બર 1731) : મુઘલ કાળના પ્રસિદ્ધ બુંદેલા યોદ્ધા અને પન્ના રાજ્યના સંસ્થાપક. બુંદેલા સરદાર ચંપતરાયના ચોથા પુત્ર. બચપણમાં અસ્ત્રસંચાલન, મલ્લયુદ્ધ અને ઘોડેસવારીની તાલીમ લીધી. યુવાન વયે પંવારવંશની કન્યા દેવકુંવર સાથે લગ્ન થયાં. પિતા ચંપતરાયને મુઘલો સાથેની અથડામણને લઈને નિર્વાસિત થઈને સપરિવાર…

વધુ વાંચો >

છત્રાયસ્તી

છત્રાયસ્તી : મૂર્તિકલામાં વ્યક્તિના માથે ધરેલ છત્રીવાળું આદમકદ શિલ્પ. સ્થાપત્ય સાથે સંલગ્ન મૂર્તિકલામાં જુદા જુદા આકારની છત્રીઓ કંડારવામાં આવે છે – ખાસ કરીને મહાનુભાવોની મૂર્તિઓ સાથે. આવી છત્રીઓના મુખ્ય આધારને છત્રાયસ્ત કહેવામાં આવે છે. છત્રીઓના ઘેરાવા પ્રમાણે તેની રચનાનો અલગ અલગ આકાર કરવામાં આવતો હતો. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

છત્રી

છત્રી : છત્રી અથવા છત્રાકારનો મંડપ. તે સ્તંભો વડે બાંધવામાં આવે છે. તે ઘેરાવામાં અષ્ટકોણાકાર અથવા ગોળ અથવા ચતુષ્કોણ હોય છે અને સ્તંભો દ્વારા આવરાયેલ ઘુમ્મટ વડે ઢંકાયેલ હોય છે. છત્રીઓ યાદગીરી માટે ઊભી કરાયેલ ઇમારત રૂપે રહેતી. આવા સ્થાપત્યની પરંપરા ખાસ કરીને રાજપૂત શૈલીના સ્થાપત્યમાં ખૂબ જ અગત્ય ધરાવે…

વધુ વાંચો >

છદ્મ-ઔષધો (placebo drugs)

છદ્મ-ઔષધો (placebo drugs) : શરીરની કોઈ પ્રક્રિયા પર અસર ન કરતું હોય તેવા ઔષધના રૂપે અપાયેલો અક્રિયક (inert) પદાર્થ. અંગ્રેજીમાં વપરાતો ‘placebo’ શબ્દનો મૂળ લૅટિન અર્થ ‘મને ગમશે’ (I shall please) થાય છે. સામાન્ય રીતે કોઈ દર્દીના માનસિક સંતોષ માટે તથા તેની સારવાર અંગેની ધારણા સંતોષવા માટે લૅક્ટોઝ, નિસ્યંદિત (distilled)…

વધુ વાંચો >

છપરા

છપરા : બિહાર રાજ્યના સરન જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન 25o 46’ ઉ. અ. અને 84o 45’ પૂ. રે. પર તે પટનાની પશ્ચિમે આશરે 48 કિમી. અંતરે આવેલું છે. ઘાઘરા નદીના ડાબા કિનારા પર તથા ગંગા અને ઘાઘરા નદીઓના સંગમ પાસે આ નગર વિકસ્યું છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન આ નગર…

વધુ વાંચો >

છપ્પનિયો કાળ

છપ્પનિયો કાળ : વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો. સૌરાષ્ટ્રનાં રાજ્યો, વડોદરા અને ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની ભયંકર અસર પડી. ગુજરાતમાં સરાસરી 940 મિમી.ને બદલે…

વધુ વાંચો >

છપ્પા (છપ્પય, ષટ્પદ)

છપ્પા (છપ્પય, ષટ્પદ) : છ પદ(ચરણ કે પંક્તિઓ)ની પદ્યરચના. છયે પદો એક છંદમાં હોઈ શકે અગર એમાં એકથી વધુ છંદોનો વિનિયોગ થયો હોય. અખાભગત(સત્તરમી સદી મધ્યભાગ)ની ‘છપ્પા’ને નામે પ્રસિદ્ધ કૃતિમાં ચોપાઈનાં છ ચરણની પદ્યરચના છે. એ પૂર્વે માંડણ(પંદરમી સદી ઉત્તરાર્ધ)ની ‘પ્રબોધબત્રીશી’માં પણ ષટ્પદી ચોપાઈ વપરાયેલી હતી, પણ એને ‘છપ્પા’નું નામાભિધાન…

વધુ વાંચો >

છબીકલા (ફોટોગ્રાફી)

છબીકલા (ફોટોગ્રાફી) છબીકલા — કલા તરીકે ગ્રીક શબ્દ ‘photos’ એટલે પ્રકાશ અને ગ્રીક શબ્દ ‘graphos’ એટલે લખાણ. તેથી ફોટોગ્રાફી – Photography એટલે સપાટ ફલક પર પ્રકાશ વડે કરાતું અંકન. તેની કલા તે છબીકલા. 15મી સદીમાં કલાકાર લિયૉનાર્દો દ. વિન્ચીએ પોતાની નોંધપોથીમાં ‘Camera-obscura’ (‘કૅમેરા’ એટલે ઓરડો, ‘ઑબ્સ્કુરા’ એટલે અંધારું)નો ઉલ્લેખ કર્યો…

વધુ વાંચો >

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ

Jan 15, 1996

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ (જ. 1911 મથુરા; અ.?) : ધ્રુપદ અને ધમાર તથા વ્રજ-સંગીતની પરંપરાના વિખ્યાત ગાયક. તેર વર્ષની ઉંમરે તેમણે પંડિત લાલનજી ચૌબે પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી તેમણે સંગીતની સઘન તાલીમ પોતાના મામા પંડિત ચંદનજી ચૌબે પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી. ખયાલ ગાયકીની…

વધુ વાંચો >

ચૌર પંચાશિકા

Jan 15, 1996

ચૌર પંચાશિકા : કાશ્મીરી કવિ બિલ્હણ(સમય ઈ. સ. 1050–1127)નું પ્રસિદ્ધ કાવ્ય. તે વસંતતિલકા છંદમાં રચેલા 50 શ્લોકોનું છે. એનાં ‘ચૌરપંચાશિકા’, ‘ચૌરસુરતપંચાશિકા’, ‘ચૌરીસુરત- પંચાશિકા’ અને ‘બિલ્હણકાવ્ય’ – એવાં ચાર નામો પ્રચલિત છે. એમાં યુવાન કવિના રાજકુમારી સાથેના છૂપા પ્રેમની વાર્તા ગૂંથેલી છે. પરંપરા મુજબ યુવાન અને રૂપાળો કવિ રાજકુમારીના પ્રેમમાં પડી…

વધુ વાંચો >

ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ

Jan 15, 1996

ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ (જ. 1 જુલાઈ 1938, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ) : ભારતના અગ્રણી બંસરીવાદક. તેમના પિતા કુસ્તીબાજ હતા અને હરિપ્રસાદે પણ કુસ્તીબાજ થવું જોઈએ એવી પિતાની ઇચ્છા હતી. પરંતુ હરિપ્રસાદ કુસ્તીમાં નબળા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની શિક્ષા પંદર વર્ષની ઉંમરે પિતાની જાણ વગર તેમના એક મિત્રના નિવાસ પર લેવાની…

વધુ વાંચો >

ચૌરંગીનાથ

Jan 15, 1996

ચૌરંગીનાથ (નવમી–દસમી સદી) : ચોરાસી સિદ્ધો પૈકીના એક સિદ્ધ. સિદ્ધોના ક્રમમાં એમને ત્રીજું અને અન્ય મતે દસમું સ્થાન અપાયું છે. ચૌરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ હતા. એમનો જન્મ સિયાલકોટના રાજા શાલિવાહનને ત્યાં થયો હતો પરંતુ એમની ઓરમાન માતાએ દ્વેષથી એમના પગ કપાવી નાખ્યા હતા. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીને મતે પંજાબ…

વધુ વાંચો >

ચૌલા :

Jan 15, 1996

ચૌલા : ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’(1937)ની નાયિકા. ચૌલાદેવી ભગવાન શિવને સમર્પિત નર્તકી હતી. ‘જય સોમનાથ’ નવલકથામાં સોલંકી વંશના બાણાવળી રાજા ભીમદેવની પ્રેમિકા તરીકે તેનું ચરિત્ર ઊપસી આવેલું છે. ગુજરાતની અસ્મિતાને જાળવવા ઝઝૂમતાં પાત્રોમાં ચૌલાનું સ્થાન પણ સ્મરણીય છે. મુનશીએ આલેખેલી ચૌલા વિલક્ષણ છે. તેની મા પણ…

વધુ વાંચો >

ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત

Jan 15, 1996

ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત : ગુજરાતના ચૌલુક્યો(સોલંકીઓ)નો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ નિરૂપતું અંગ્રેજી પુસ્તક (1956). લેખક ભારતીય વિદ્યાભવન, મુંબઈના પ્રાધ્યાપક ડૉ. અશોકકુમાર મજુમદાર. રાજકીય ઇતિહાસમાં લેખકે ચૌલુક્યોની ઉત્પત્તિને લગતા વિવિધ મતોની મીમાંસા કરી, મૂલરાજના વંશના તેમજ વાઘેલા વંશના ચૌલુક્ય રાજાઓની કારકિર્દી 9 પ્રકરણોમાં નિરૂપી છે. એ પછી એ રાજાઓની સાલવારી અલગ…

વધુ વાંચો >

ચૌલુક્ય વંશ

Jan 15, 1996

ચૌલુક્ય વંશ (942–1304) : ગુજરાતમાં શાસન કરતા ચૌલુક્યોનો વંશ. ગુજરાતીમાં જેને ‘સોલંકી’ કહે છે તેને સંસ્કૃતમાં ‘ચૌલુક્યો’ કહેતા. મૂળમાં આ કુળનું નામ ‘ચુલિક’ (કે ‘શુલિક’) નામે જાતિના નામ પરથી પડ્યું લાગે છે; પરંતુ આગળ જતાં એની વ્યુત્પત્તિ ‘ચુલુક’ (ખોબો) પરથી દર્શાવવામાં આવી છે. અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય સત્તા સ્થાપનાર મૂલરાજના પિતા…

વધુ વાંચો >

ચૌલ્ટ્રી

Jan 15, 1996

ચૌલ્ટ્રી : દક્ષિણનાં મંદિરોના સ્થાપત્યમાં મંદિરોના સંકુલમાં રચવામાં આવતો વિશાળ મંડપ. આવા મંડપોની રચના એક અથવા વધારે દાનવીરોની યાદમાં કરવામાં આવતી અને તેમાં વપરાયેલા સ્તંભો સાથે ઘણી વખત દાનવીરોની પ્રતિમાઓ જોડવામાં આવતી. આવા મંડપોમાં ધાર્મિક વિધિઓ માટે સમૂહોમાં લોકો એકઠા થતા. ખાસ કરીને મદુરા અને તાંજોરનાં મંદિરો સાથે બંધાયેલી આવી…

વધુ વાંચો >

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ

Jan 15, 1996

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ (જ. 21 જુલાઈ 1947 બરેલી, ઉત્તર- પ્રદેશ; અ. 16 ઑગસ્ટ 2020, ગુરુગ્રામ) : ભારતનો ઓપનિંગ બૅટ્સમૅન તથા ઑફબ્રેક ગોલંદાજ અને વિકેટની નજીકનો ચપળ ક્ષેત્રરક્ષક. ચેતન ચૌહાણના પિતા આર્મી ઑફિસર હતા. 1960માં તેમણે પૂનામાં વસવાટ કર્યો. ચેતન ચૌહાણે બી.એ.ની ડિગ્રી વાડિયા કૉલેજ પુણેમાંથી મેળવી. તેમણે રોહનટન બારિમા ટ્રોફી…

વધુ વાંચો >

ચૌહાણ, ભેરૂસિંહ

Jan 15, 1996

ચૌહાણ, ભેરૂસિંહ (જ. 27 જુલાઈ 1961) : કબીરાદિ નિર્ગુણ ગાયક-પરંપરાના પદ્મશ્રીથી પુરસ્કૃત માળવી લોકગાયક. તેમનો જન્મ મધ્યપ્રદેશના મઉ નગરમાં થયો જ્યારે ઇંદોર જિલ્લાના બજરંગપુરા નામના નાના ગામે એમનો પૈતૃક વસવાટ હતો. એમના પિતા માદૂ ચૌહાણ કબીરની વાણી ગાતા હતા. ભેરૂસિંહ નવ વર્ષે પિતાની સાથે ગામેગામ કબીરવાણી ગાવા જતા. આથી એમને…

વધુ વાંચો >