૭.૦૮
ચિનાબથી ચીકુ
ચિંતા
ચિંતા : અણગમતી, અસ્પષ્ટ (vague), વ્યાપક (diffuse) અજંપા(apprehension)ની લાગણી. તેમાં વિવિધ શારીરિક લક્ષણો પ્રગટ થાય છે. વ્યક્તિની સામાન્ય લાગણી, સ્વભાવગત લક્ષણ, મનની પ્રસંગોચિત સ્થિતિ, માનસિક રોગનું લક્ષણ અથવા માનસિક રોગ – એમ ચિંતાનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. ચિંતાના મુખ્ય બે પ્રકારો ગણી શકાય : (1) સામાન્ય અથવા સાહજિક (normal)…
વધુ વાંચો >ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર
ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર : અમદાવાદની પૂર્વે આવેલા સરસપુરમાં મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં શેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું જૈનમંદિર. આ મંદિર કાલાંતરે નામશેષ થઈ ગયું છે. પણ તે વિશે ઈ. સ. 1638માં જર્મન પ્રવાસી મેન્ડેલ્સ્લોએ કરેલી નોંધ મહત્વની છે. તે લખે છે કે આ વિસ્તારમાં સર્વોત્તમ બાંધકામો પૈકીના એક એવા આ મંદિરના…
વધુ વાંચો >ચિંતામણિ રસ
ચિંતામણિ રસ : હૃદયરોગની ઔષધિ. પાઠ તથા નિર્માણ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, અભ્રક ભસ્મ, લોહભસ્મ, બંગભસ્મ, મોતીપિષ્ટિ અને શિલાજિત 10-10 ગ્રામ, સોનાના વરખ 3 ગ્રામ અને ચાંદીના વરખ 6 ગ્રામ લઈ પહેલાં ખરલમાં પારા-ગંધકની સાથે ઘૂંટીને, તેની કજ્જલી કરી, પછી તેમાં અન્ય ભસ્મો અને શિલાજિત મેળવી, તેમાં ચિત્રકમૂળના ક્વાથ…
વધુ વાંચો >ચિંતાવિષ્ટા યા સીતા (1919)
ચિંતાવિષ્ટા યા સીતા (1919) : મલયાલમમાં કુમારન્ અસને (જ. 1873; અ. 1924) રચેલું કાવ્ય; કેટલાકને મતે કવિની ઉત્તમ કૃતિ. કાવ્યમાં સીતાની પરિકલ્પના ‘સ્વ’ને અતિક્રમી જતા પ્રેમના પ્રતીક રૂપે કરવામાં આવી છે. સીતાની વેદનાના અને ચિંતનના આલેખન સાથે કાવ્યના કેન્દ્રમાં સીતાની શૂન્યમનસ્કતા છે. સીતાના અચેતન મનમાં રહેલા વિચારો અને લાગણીઓને કવિ…
વધુ વાંચો >ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs)
ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs) : મનોવિકારી ચિંતા (anxiety) શમાવતી દવાઓ. મનોવિકારી ચિંતા અને ખિન્નતા(depression)ના વિકારમાં ક્યારેક નિદાન અને દવાઓની વિભિન્નતા સ્પષ્ટ થયેલી નથી હોતી તેથી ક્યારેક ખિન્નતા-નિવારક (anti-depressant) દવાઓ પણ ચિંતાને દબાવવા માટે વપરાય છે. આ ઉપરાંત પ્રોપેનોલોલ અને બુસ્પીરોન નામની બે જુદાં જ જૂથની દવાઓ પણ ચિંતાશમન માટે વપરાય…
વધુ વાંચો >ચીએન મૅન દરવાજો બેજિંગ
ચીએન મૅન દરવાજો બેજિંગ : આ ઇમારત ચેંગ યાન્ગ મૅન તરીકે પણ જાણીતી છે અને બેજિંગને ફરતા કોટની દીવાલના દક્ષિણ ભાગમાં દરવાજા તરીકે બંધાયેલ છે. મિંગ શાસન દરમિયાન બંધાયેલા આ દરવાજાઓ ઈંટનો ઉપયોગ કરી બંધાયેલ અને ચીની પદ્ધતિથી લાકડાના છાપરા વડે ઉપલી ઇમારત કરાયેલ. મિંગ શાસનકાળની પંદરમીથી સત્તરમી સદી દરમિયાનની…
વધુ વાંચો >ચીકુ
ચીકુ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achras sapota Linn. (ગુ., મ., હિં. : ચીકુ; અં. સેપોડિલા) છે. તે 3–4 મી. ઊંચું નાનકડું વૃક્ષ છે. તે વાતરોધી (wind-resistant) હોય છે. તેની છાલમાંથી સફેદ ગુંદર જેવો ક્ષીરરસ (latex) સ્રવે છે. જેને ‘ચિકલ’ (chicle) કહે છે. પર્ણો મધ્યમ…
વધુ વાંચો >ચિનાબ
ચિનાબ : પંજાબની પાંચ નદીઓમાંની એક. ઋગ્વેદમાં અસિકની (રેત વિનાની) નામથી આ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 960 કિમી. છે તથા સમુદ્રસપાટીથી 300 મીટર જેટલી ઊંચાઈ પરનું તેનું જલસ્રાવક્ષેત્ર 27,529 ચોકિમી. જેટલું છે. લાહુલ પ્રદેશમાં ઊગમ ધરાવતી તથા ચંદ્રા અને ભાગા નદીઓના સંગમથી તે ચિનાબ નામ ધારણ કરે…
વધુ વાંચો >ચિનાર
ચિનાર : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લેટેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Platanus orientalis Linn. (કા. ચિનાર, બુના, બોનીન; અં. ઑરિયેન્ટલ પ્લેન) છે. તે વિશાળ, સુંદર પર્ણપાતી વૃક્ષ છે. તેની ઊંચાઈ 30 મી. જેટલી અને ઘેરાવો 12 મી. જેટલો હોય છે. તે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં સતલજની પશ્ચિમે 1200–2400 મી.ની ઊંચાઈએ થાય…
વધુ વાંચો >ચિન્તયામિ મનસા (1982)
ચિન્તયામિ મનસા (1982) : ગુજરાતી વિવેચનસંગ્રહ. તેમાં 1977થી 1980ના ગાળામાં સુરેશ જોષીએ લખેલા લેખો છે. અધુનાતન યુરોપીય વિચારણાઓ વિશે અંગ્રેજી ભાષાના લેખોને આધારે તે લખેલા છે. ક્યાંક સારાનુવાદ, વિવરણ પણ છે. ખાસ કરીને અહીં સાહિત્ય અને ફિલસૂફીના પ્રશ્નો, કાવ્યવિવેચનના નવા અભિગમો અને સંકેતવિજ્ઞાન વિશેના લેખો આધુનિક સાહિત્ય અને વિવેચન પાછળ…
વધુ વાંચો >ચિમેડ
ચિમેડ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia absus Linn. (સં. અરણ્યકુલ્લિથકા; મ. ઈવળા, રાનકુળીથ, રાનહુલગે; હિં. બનકુલથી, ચાક્ષુ; બં. વનકુલથી; ક. કણ્ણકુટકીનબીજ; ફા. ચષ્મક; અ. ચશ્મિઝજ, તશ્મિજ; અં. ફોરલીવ્હડ કેસિયા) છે. તે ટટ્ટાર, એકવર્ષાયુ, 25–60 સેમી. ઊંચી, કડક, ભૂખરા ચીકણા રોમ વડે આવરિત શાકીય…
વધુ વાંચો >ચિમ્પાન્ઝી (Pan troglodytes)
ચિમ્પાન્ઝી (Pan troglodytes) : માનવજાતની સૌથી નજીકનો જનીનિક સંબંધ ધરાવનારું, અપુચ્છ વાનર પ્રકારનું, અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું અને પૉન્જીડી (Pongidae) કુળનું સસ્તન પ્રાણી. મનુષ્ય અને ચિમ્પાન્ઝીના 98 % જનીન-સંકેતો મળતા આવે છે. ચિમ્પાન્ઝીને મળતા આવતા અન્ય અપુચ્છ વાનરો(Apes)માં મધ્ય આફ્રિકાની ગોરીલાની બે જાતિઓ, દક્ષિણ પૂર્વ એશિયાની ઉરાંગ-ઉટાંનની બે જાતિઓ અને ઝાઇર(આફ્રિકા)ની…
વધુ વાંચો >ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics)
ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics) બળની અસર હેઠળ સમયના વિધેય (function) તરીકે પદાર્થના સ્થાનને લગતું વર્ણનાત્મક વિજ્ઞાન(એને ન્યૂટોનિયન યાંત્રિકી પણ કહે છે). યાંત્રિકી એ ભૌતિક વિજ્ઞાનની શાખા છે. તે દ્રવ્યની સાદામાં સાદી યાંત્રિકીય ગતિ સાથે સંબંધ ધરાવે છે. તેવી ગતિ દરમિયાન પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર થતો હોય છે. પદાર્થ સ્થૂળ…
વધુ વાંચો >ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી
ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી (જ. ?; અ. 14 સપ્ટેમ્બર 1356, દિલ્હી) : ભારતના પાંચ મહાન ચિશ્તી સૂફી સંતોમાંના એક. તે અવધ(યુ.પી.)માં જન્મ્યા હતા. પ્રાથમિક શિક્ષણ મૌલાના અબ્દુલકરીમ શરવાની તથા મૌલાના ઇફ્તિખારુદ્દીન મુહમ્મદ ગીલાની પાસે મેળવીને પયગંબર સાહેબનાં સુવચનો (હદીસ), કુરાનનું ભાષ્ય (તફસીર), ઇસ્લામી ધર્મશાસ્ત્ર (ફિકહ), તર્કશાસ્ત્ર (મન્તિક), વ્યાકરણ વગેરેનું…
વધુ વાંચો >ચિરામીન (1926)
ચિરામીન (1926) : મલયાળમ ભાષાની ઉચ્ચકોટિની જાનપદી નવલકથા. લેખક તકષિ શિવશંકર. ‘ચિરામીન’ના ભારતની અને વિદેશની અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. વિશ્વની ઉત્તમ નવલકથાઓમાં એને સ્થાન મળ્યું છે. એના રશિયન અનુવાદની અનેક આવૃત્તિઓ થઈ છે. એ નવલકથામાં નાવિકોના જીવનનું ચિત્રણ છે. માઝી ચેંપનની પુત્રી કરુ તમ્માના જીવનની આસપાસ પ્રસંગોની ગૂંથણી થઈ…
વધુ વાંચો >ચિરોડી (1)
ચિરોડી (1) (ભૂસ્તરશાસ્ત્ર) : કૅલ્શિયમનો જળયુક્ત સલ્ફેટ. રા. બં. : CaSO4 • 2H2O. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ.: મેજ આકારના જાડા-પાતળા, ચપટા સ્ફટિકો, ચોકટના એક્કા જેવા, લાંબા-ટૂંકા પ્રિઝમ (ક્યારેક 3 મીટરની આસપાસની લંબાઈવાળા); સોયાકાર, વીક્ષાકાર, ગુલાબની પાંખડીઓની જેમ આંતરગૂંથણી પામેલી પોપડી સ્વરૂપે, ક્યારેક જથ્થામય, કે સૂક્ષ્મ કે મોટા દાણા…
વધુ વાંચો >