૬(૨).૧૫

ગૉથિક નવલકથાથી ગોરે, નારાયણ ગણેશ

ગૉથિક નવલકથા

ગૉથિક નવલકથા : અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પશ્ચિમી દેશોમાં લોકપ્રિય નીવડેલી વીરશૃંગારરસની કથા. ‘ગૉથિક’નો કઢંગું, અસંસ્કૃત, અસંસ્કારી કે અણઘડ એવો અર્થ કરવામાં આવતો. અઢારમી સદીના પૂર્વાર્ધના નવપ્રશિષ્ટવાદ(neoclassicism)ની અતિશય ધીરગંભીરતાના પ્રત્યાઘાત રૂપે લેખકોને આ સાહિત્યપ્રકારનું આકર્ષણ જાગ્યું. આ નવલકથાઓમાં ભયંકર, રહસ્યરંગી તથા લોકોત્તર પાત્રો-પ્રસંગો આલેખવામાં આવતાં. તે માટે…

વધુ વાંચો >

ગૉથિક રિવાઇવલ 

ગૉથિક રિવાઇવલ  (ઈ.સ. અઢારમી-ઓગણીસમી સદી) : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યના સંદર્ભમાં ગૉથિક શૈલીની સ્થાપત્યકલાનો પુન:પ્રસાર. આ સમય દરમિયાન ગૉથિક શૈલીનો મકાનોનાં આયોજનમાં ખૂબ જ પ્રભાવ રહ્યો, જે તત્કાલીન શૈલીઓથી અલગ વિચારધારા દર્શાવતો હતો. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીથી આની અસર સારી પ્રસરેલી હતી અને તેના દ્વારા ભારતમાં પણ અંગ્રેજ સમયનાં બાંધકામોમાં…

વધુ વાંચો >

ગૉથિક સ્થાપત્ય

ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી…

વધુ વાંચો >

ગોદરેજ અદી

ગોદરેજ અદી (જન્મ 3 એપ્રિલ, 1942 -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું વર્ષ…

વધુ વાંચો >

ગોદાન

ગોદાન (1936) : મુનશી પ્રેમચંદની હિંદી નવલકથા. હિંદીની તે સર્વાધિક લોકપ્રિય નવલકથા છે. એમાં મુખ્ય કથાનક હોરીના મુખ્ય પાત્ર દ્વારા નિરૂપાયેલું ગ્રામીણ ખેડૂતનું છે. ગ્રામજીવનની પડખે એમણે પ્રોફેસર મહેતા, મહિલા ડૉક્ટર માલતી, મિલમાલિક ખન્ના તથા એની પત્ની ગોવિંદી દ્વારા શહેરી જીવનની ઉપકથા પણ સાંકળી છે, જેથી સાંપ્રતકાલીન બંને પ્રકારના વિરોધની…

વધુ વાંચો >

ગોદામ

ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત…

વધુ વાંચો >

ગોદાર્દ, ઝાં-લૂક

ગોદાર્દ, ઝાં-લૂક (જ. 3 ડિસેમ્બર 1930, પૅરિસ, ફ્રાંસ; અ. 13 સપ્ટેમ્બર 2022, રોલે, સ્વીટ્ઝર્લેન્ડ) : આધુનિકતાના નવા મોજા (new wave) માટે જાણીતા ફ્રેન્ચ ફિલ્મસર્જક, દિગ્દર્શક અને પટકથાલેખક. શિક્ષણ ન્યોં(સ્વિટ્ઝર્લૅન્ડ)માં અને પૅરિસમાં લીધેલું. પ્રથમ લગ્ન અભિનેત્રી અન્ના કરીના સાથે (1960), જે છૂટાછેડામાં પરિણમ્યું. બીજું લગ્ન એની વિઆઝેમ્સ્કી સાથે (1967), તેના પણ…

વધુ વાંચો >

ગોદાવરી નદી

ગોદાવરી નદી : ભારતની એક પ્રાચીન નદી. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે પશ્ચિમઘાટના ઉત્તર છેડા પરથી ઉદગમ પામી અગ્નિદિશા તરફ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં રાજ્યોમાં 1,465 કિમી. લાંબો માર્ગ કાપી બંગાળની ખાડીને મળે છે. આ નદીનો સ્રાવ પ્રદેશ 3,23,800 ચોકિમી. જેટલો છે. નદીનો ઉપરવાસ ઉનાળા દરમિયાન છીછરો બનતાં તેમાં નૌકાનયન…

વધુ વાંચો >

ગોધરા

ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો…

વધુ વાંચો >

ગોધૂલિ

ગોધૂલિ : ભારતીય સંસ્કૃતિમાં મહત્વ પામેલ ગાયના મહિમા વિશેની ફિલ્મ. ગ્રામજીવનની સંસ્કૃતિ અને શહેરની ‘સભ્યતા’ વચ્ચેનું અંતર પણ આમાં જોવા મળે છે. હેતુપુર:સર નિર્માણ થયેલી આ ફિલ્મ સાથે બુદ્ધિજીવીઓનો એક મોટો વર્ગ સંકળાયેલો છે. ફિલ્મનિર્માણને લગતી વિગતો આ પ્રમાણે છે : નિર્માણસંસ્થા : મહારાજા મૂવીઝ; નિર્માણવર્ષ : 1977; પટકથા-દિગ્દર્શન :…

વધુ વાંચો >

ગોયા, ફ્રાંસેસ્કો (Goya, Francesco)

Feb 15, 1994

ગોયા, ફ્રાંસેસ્કો (Goya, Francesco) [જ. 30 માર્ચ 1746, ફુન્ડેતોસ, એરાગોન, સ્પેન; અ. 16 એપ્રિલ 1828, બોર્દ્યુ (Borduex), ફ્રાન્સ] : વ્યંગ, કટાક્ષ અને ઉપહાસ દ્વારા સામાજિક, રાજકીય ટીકા કરનાર સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. ભવ્યતાની અને ઉદાત્તતાની આભા વિના યુદ્ધ, વિજય અને રાજદરબારી જીવનને આલેખવા બદલ ગોયાને બૉદલેર અને આન્દ્રે માલ્રોએ આધુનિકતાનો વૈતાલિક…

વધુ વાંચો >

ગોર, આલ્બર્ટ (જુનિયર)

Feb 15, 1994

ગોર, આલ્બર્ટ (જુનિયર) (જ. 31 માર્ચ 1948, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના 45મા ઉપપ્રમુખ અને 2007ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. આ પુરસ્કારમાં સહભાગી હતી ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ નામની સંસ્થા. અમેરિકાના આ અગ્રિમ રાજનીતિજ્ઞ બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા છે. તેમના પિતા આલ્બર્ટ ગોર સિનિયર લાંબો સમય અમેરિકાની પ્રતિનિધિસભા અને સેનેટના…

વધુ વાંચો >

ગોરખ આંબલી

Feb 15, 1994

ગોરખ આંબલી : જુઓ રૂખડો.

વધુ વાંચો >

ગોરખગાંજો

Feb 15, 1994

ગોરખગાંજો (પ્રશ્નપર્ણી, રાનગાંજો, કપૂરી-મધુરી, ગોરખડી, સાનીબર) : દ્વિબીજદલાની શ્રેણી અદલાના કુળ Amarantha ceaeનો નાનો 20થી 30 સેમી. ઊંચાઈવાળો રુવાંટીવાળો ઊભો છોડ. તેનું લૅટિન નામ Aerva lanata (L) Juss છે. તેની અન્ય જાતોમાં બુર કે ગોરખગાંજડો તે સંખેડા-બહાદરપુર પાસે મળતો A. javanica (Burm – f) Juss, ઝીણા પાનનો બુર, એમ. એચ.…

વધુ વાંચો >

ગોરખનાથ (ગોરક્ષનાથ 1)

Feb 15, 1994

ગોરખનાથ (ગોરક્ષનાથ 1) (ઈ. સ.ની દસમી કે અગિયારમી સદી) : ગુજરાતમાં સોલંકીકાળ દરમિયાન પ્રચલિત બનેલા સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક. આ સંપ્રદાયના સાધુઓના નામાન્તે ‘નાથ’ શબ્દ પ્રયોજાતો. નાથ એટલે અનાદિ ધર્મ. ‘નાથ’ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીન કાળથી આ સંપ્રદાય સિદ્ધમતને નામે…

વધુ વાંચો >

ગોરખનાથ 2

Feb 15, 1994

ગોરખનાથ 2 (ચૌદમી–પંદરમી સદી) : હિન્દી લેખક. નાથ સંપ્રદાયની ગુરુશિષ્યપરંપરામાં ગોરખનાથનું વિશિષ્ટ સ્થાન છે. એમણે ગદ્ય અને પદ્ય બંનેમાં રચના કરી છે. એમનાં પુસ્તકો છે : ‘ગોરખ-ગણેશ ગોષ્ઠી’, ‘મહાદેવગોરખ સંવાદ’, ‘ગોરખજી કી સત્રહ કલા’, ‘ગોરખબોધ’, ‘દત્ત-ગોરખ સંવાદ’, ‘યોગેશ્વર સાખી’, ‘નરવઈ બોધ’, ‘વિરાટપુરાણ’ તથા ‘ગોરખવાણી’. આમાંની કેટલીક રચનાઓ સંદિગ્ધ મનાય છે.…

વધુ વાંચો >

ગોરખપુર

Feb 15, 1994

ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર…

વધુ વાંચો >

ગોરખપુરી, ફિરાક રઘુપતિસહાય

Feb 15, 1994

ગોરખપુરી, ફિરાક રઘુપતિસહાય (જ. 18 ઑગસ્ટ 1896, ગોરખપુર, ઉત્તરપ્રદેશ; અ. 3 માર્ચ 1982, દિલ્હી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ અને જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા. તે સમીક્ષક તરીકે પણ નામના પામ્યા હતા. તેમના પિતા પણ ઉર્દૂના એક સારા કવિ હોઈ ફિરાકને કવિતાના સંસ્કાર વારસામાં મળ્યા હતા. 1913માં જ્યુબિલી સ્કૂલ, ગોરખપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવીને અલ્લાહાબાદની…

વધુ વાંચો >

ગોરખ મૂંડી

Feb 15, 1994

ગોરખ મૂંડી : દ્વિદળીના યુક્તદલાના કુળ Compositae-(Asteraceae)નો પથરાતો છોડ. (સં. मुण्डिका, श्रावणी; ગુ. ભુરાંડી કલાર; Bhurandi). તેના સહસભ્યોમાં કલહાર, ગાડરુ, ઉત્કંટો, સોનકી વગેરે છે. તેનું લૅટિન નામ Sphaeranthus indicus છે. જમીન ઉપર પથરાતાં પ્રકાંડ અને શાખા સપક્ષ અને રોમમય ગ્રંથિવાળાં હોય છે. અદંડી, સાદાં અધોગામી પર્ણોની કિનારી કંટકમય હોય છે.…

વધુ વાંચો >

ગોરડ

Feb 15, 1994

ગોરડ : બાવળની જાતનું નાના કદનું કાંટાવાળા પાનખર જંગલનું વૃક્ષ. શાસ્ત્રીય નામ : એકેસિયા સેનેગાલ (Acacia senegal); કુળ માઇમૉસેસી (Mimosaceae). ગોરડનાં ઝાડ 4.6થી 6 મીટર (15–20 ફૂટ) ઊંચાઈનાં થાય છે. તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે સ્થળે અર્ધશુષ્ક કાંટાવાળા પાનખર જંગલ કે વગડામાં કે નદીના વાંઘામાં ઊગતાં જોવા મળે છે. તે…

વધુ વાંચો >