૬(૧).૧૫
ખીલણ અને ટેકણપટ્ટીઓ (nails and splints)થી ખેદીવ
ખીલણ અને ટેકણપટ્ટીઓ
ખીલણ અને ટેકણપટ્ટીઓ (nails and splints) : હાડકાં અને હાડકાંના સાંધાને આધાર આપવા અને તેમનું પ્રચલન (mobility) ઘટાડવા માટેની સંયોજનાઓ (devices). તૂટેલા હાડકાના બે ભાગને જોડીને સ્થિર રાખવા માટે ખીલણનો ઉપયોગ કરાય છે; દા.ત., થાપાનું હાડકું તૂટે ત્યારે. ટેકણપટ્ટીઓના ઉપયોગના વિવિધ હેતુઓ હોય છે; જેમ કે ઈજા પછી થતો દુખાવો…
વધુ વાંચો >ખીલી/ ખીલા
ખીલી/ ખીલા : બે ઘટકોને એકબીજા સાથે કાયમી રીતે જોડવા માટે જેનો એક છેડો અણીદાર અને બીજો છેડો નાના માથાવાળો હોય તે પ્રમાણે ધાતુના નાના સળિયા કે તારમાંથી બનાવેલ વસ્તુ. ખીલી/ખીલાના મુખ્ય ત્રણ ભાગ છે : (1) માથું, (2) દાંડી અને (3) અણી. ખીલી/ખીલાની લંબાઈ તેના માથાથી અણી સુધીનું માપ…
વધુ વાંચો >ખીવ (ચિવા)
ખીવ (ચિવા) : ઉઝબેક પ્રજાસત્તાક રાજ્યના ખોરેઝમ જિલ્લામાં આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન 41° 22′ ઉ.અ. અને 60° 24′ પૂ.રે. આમુદરિયા નદીની પશ્ચિમે પાલવન નહેરને કાંઠે તે વસેલું છે. તેની દક્ષિણે કારાકુમનું અને ઈશાને કાસિલકુમનું રણ છે. અહીં ખેતી માટે પૂરતો વરસાદ પડતો નથી. પણ સિંચાઈ દ્વારા કપાસની ઘનિષ્ઠ ખેતી…
વધુ વાંચો >ખુદાઈ ખિદમતગાર
ખુદાઈ ખિદમતગાર : વાયવ્ય સરહદ પ્રાંતમાં ભારતની આઝાદી પૂર્વે રચવામાં આવેલું પઠાણોનું સ્વયંસેવક સંગઠન. સ્થાપના 1929. ભારતની સ્વતંત્રતાની ચળવળના અગ્રણી ખાન અબ્દુલ ગફારખાન તેના સ્થાપક હતા. પ્રાણીમાત્રની સેવા એટલે ઈશ્વરની સેવા એ મૂળભૂત સિદ્ધાંતના પાયા પર આ સંગઠન રચવામાં આવ્યું હતું. ‘ખુદાઈ ખિદમતગાર’ એટલે ખુદાનો બંદો, ઈશ્વરનો સેવક. પઠાણ કોમ…
વધુ વાંચો >ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી
ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી : ઇસ્લામી સંસ્કૃતિને લગતી હસ્તપ્રતો તથા આ અંગે છપાયેલાં પુસ્તકોનો મોટો સંગ્રહ ધરાવતું પટણામાં આવેલું પુસ્તકાલય. અરબી અને ફારસીના જ્ઞાતા ખુદાબક્ષે આ પુસ્તકાલય સ્થાપ્યું હોવાથી તે ‘ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી’ તરીકે જાણીતું થયું છે. આ પુસ્તકાલયનો પ્રારંભ ખુદાબક્ષના પિતાની 1,400 અરબી, ફારસી વગેરે હસ્તપ્રતોના સંગ્રહથી થયો…
વધુ વાંચો >ખુદાવંદ ખાન ખ્વાજા સફર
ખુદાવંદ ખાન ખ્વાજા સફર (જ. 1500, ઑન્ટ્રાટો; અ.1546, દીવ) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ તથા મહમુદશાહ ત્રીજાના અમીર અને સૂરત તથા દીવના રક્ષક. એ ખ્વાજા સફર એ જ ખુદાવંદ ખાન. તેમનો જન્મ ઇટાલીના બ્રિન્ડિસી કે ઑન્ટ્રાટો નગરમાં રોમન કૅથલિક કુટુંબમાં થયો હતો. તેમણે ઇટાલી અને ફ્લૅન્ડર્સમાં નોકરી કરી હતી. કૅરોના સુલતાનના…
વધુ વાંચો >ખુમાણ, જોગીદાસ
ખુમાણ, જોગીદાસ : ખેલદિલી અને વીરધર્મના પાલનથી ખ્યાતનામ થયેલો ભાવનગર રાજ્યનો કાઠી બહારવટિયો. જોગીદાસના દાદા સામંત ખાચરે ખસિયાઓને હરાવી કુંડલાની ચોવીસી કબજે કરી હતી. સામંતના પુત્ર આલા ખાચરના 1784માં અવસાન બાદ રાજ્યની વહેંચણીમાં ઝઘડો થતાં ભોજ ખાચરે કુહાડીનો હાથો થઈને ભાવનગરના રાજવી વખતસિંહ ઉર્ફે આતાભાઈનું શરણ સ્વીકાર્યું અને તેનો ભાગ…
વધુ વાંચો >ખુમાણ લોમો
ખુમાણ લોમો : સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ખેરડી ગામનો કાઠી સરદાર. બહાદુરશાહ પછી ગુજરાતના સુલતાનોની સત્તા નબળી પડતાં તેના ઘોડેસવારો ધંધૂકા સુધીના પ્રદેશમાં લૂંટફાટ કરતા હતા. ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો (1561-73) મીરજાખાનના લશ્કરથી બચવા નાસભાગ કરતા હતા ત્યારે લોમા ખુમાણે 1583 સુધી તેમને ખેરડીમાં આશ્રય આપ્યો હતો. 1590માં ભૂચર મોરીના…
વધુ વાંચો >ખુમ્માણ 1લો
ખુમ્માણ 1લો : જુઓ કાલભોજ
વધુ વાંચો >ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની
ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની : ફારસી વિદ્વાન અને ઇતિહાસકાર. સુલતાન કુલી કુતુબશાહના પુત્ર જમશેદ કુલી કુતુબશાહ(ઈ. સ. 1543-1550)ના ખાસ દરબારી હતા. તે મૂળ ઇરાકના વતની હતા. તેમણે બાદશાહની આજ્ઞાથી એક દળદાર ઇતિહાસ રચ્યો હતો જેમાં ઈરાનના પ્રાચીન ઇતિહાસથી માંડીને ઈ. સ. 1562 સુધીની ઐતિહાસિક ઘટનાઓ નોંધવામાં આવી છે. આ…
વધુ વાંચો >ખુંદમીર
ખુંદમીર : અમદાવાદના મુસ્લિમ સંત. સૈયદ ખુંદમીરના વડવા ઈરાનથી પાટણ અને પાટણથી અમદાવાદ આવ્યા હતા. ઉરઝી સૈયદોમાં એમનું નામ ખૂબ જાણીતું છે. ઈ. સ. 1454માં ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને સૈયદ ખુંદમીર બિન સૈયદ વડા, બિન સૈયદ યાકુબની મા બીબીજી માટે અમદાવાદમાં સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ હાલતા મિનારાવાળી મસ્જિદ રાજપુર-હીરપુરમાં બંધાવી હતી. તે…
વધુ વાંચો >ખૂજલી
ખૂજલી : ચામડીને ખંજવાળવી (scratching) પડે કે ઘસવી પડે તેવી ચામડીમાં ઉદભવતી સંવેદના વિશેની સભાનતા. તેને કારણે શરીરની સપાટી ઉપરના નકામા પદાર્થને દૂર કરવા ખંજવાળવાની પરાવર્તી (reflex) ક્રિયા થાય છે. ખર્જનિકા (pruritus) પણ એક પ્રકારની ખૂજલી (itching) છે જેમાં ખંજવાળની સંવેદના સૌપ્રથમ અને મુખ્ય તકલીફ હોય છે અને ચામડીનો કોઈ…
વધુ વાંચો >ખૂણાવાળાં પર્ણટપકાં
ખૂણાવાળાં પર્ણટપકાં (angular leaf spots) : કપાસ, કેરી, તમાકુ વગેરેના પાકમાં બૅક્ટેરિયા દ્વારા થતો મહત્ત્વનો રોગ. પાનનાં વાયુરંધ્રો (stomata) દ્વારા અથવા તો કીટકોએ પાડેલાં કાણાં દ્વારા બૅક્ટેરિયા પાંદડાંમાં દાખલ થઈને શરૂઆતમાં પાણી-પોચાં ટપકાં કરે છે જે સમય જતાં સુકાઈને કથ્થાઈ કે કાળાં બને છે. ટપકાં મોટે ભાગે નસથી આગળ વધતાં…
વધુ વાંચો >ખૂણો
ખૂણો (angle) : એક જ ઉદભવબિંદુ (initial point) ધરાવતાં બે અસમરેખ (non-collinear) કિરણોનો યોગ. ખૂણો રચતાં કિરણો તે ખૂણાના ભુજ (arms) કહેવાય છે અને તે કિરણોનું સામાન્ય ઉદભવબિંદુ તે ખૂણાનું શિરોબિંદુ (vertex) કહેવાય છે; જેમ કે, બિંદુ Oમાંથી ઉદભવતાં બે કિરણો OA અને OB ખૂણો AOB રચે છે. તેને સંકેતમાં…
વધુ વાંચો >ખૂન
ખૂન : જિંદગીને અસર કરતા ગુનામાં અંતિમ પ્રકારનો ગુનો. તેમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબ ક. 299 ગુનાઇત મનુષ્ય-વધ (culpable homicide) અને ખૂન (murder) તથા ક. 300 મુજબ મૃત્યુ નિપજાવવાના ગુનાનો સમાવેશ થાય છે. ઈ. પૂ. આશરે 880 વર્ષ પહેલાં મનુ ભગવાને ધર્મશાસ્ત્રની રચના કરી ત્યારે તેમાં પણ રાજાની ફરજોમાં ખૂનના…
વધુ વાંચો >ખૂંટિયોં પર ટંગે લોગ
ખૂંટિયોં પર ટંગે લોગ (1982) : હિન્દી કાવ્યસંગ્રહ. હિન્દીના પ્રસિદ્ધ આધુનિક કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાના 1976-1981નાં વર્ષોમાં લખાયેલાં 55 કાવ્યોના આ સંગ્રહને 1982ના હિન્દીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયો હતો. 1960 પછીના કવિઓમાં સર્વેશ્વર દયાલનું સ્થાન મોખરે છે અને વિષય અને નિરૂપણની ર્દષ્ટિએ એ સતત અવનવા સફળ પ્રયોગો…
વધુ વાંચો >ખૂંધ
ખૂંધ : કરોડસ્તંભની ગોઠવણીમાં ઉદભવતો વિષમ (abnormal) વળાંક. કરોડસ્તંભ સીધો દંડ જેવો નથી. તે ગળા અને કમરના ભાગમાં અંદરની તરફ અને પીઠના ભાગમાં બહારની તરફ વળાંકવાળો હોય છે. આ વળાંક અવિષમ (normal) છે અને તે કરોડસ્તંભને સ્થિતિસ્થાપકતા આપે છે. કરોડસ્તંભ કોઈ એક બાજુ વળેલો હોતો નથી. જ્યારે તે ડાબી કે…
વધુ વાંચો >ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું તાલુકામથક અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન 29° 01′ ઉ. અ. અને 73° 02′ પૂ. રે. આ તાલુકાનું ક્ષેત્રફળ 846.3 ચોકિમી. છે અને 2011માં તેની વસ્તી 2,93,143 હતી. આ તાલુકામાં એક શહેર અને 136 ગામો છે. તાલુકાનો ઉત્તર અને પૂર્વનો રાજસ્થાનને સીમાવર્તી…
વધુ વાંચો >ખેડા જિલ્લો
ખેડા જિલ્લો : ગુજરાતના ચરોતર પ્રદેશમાં આવેલો ખેડા જિલ્લો. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 22 45´ ઉ. અ. અને 72 41 ´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 4,219 ચો.કિમી. છે. આ જિલ્લો ઉત્તરે અરાવલી (અરવલ્લી), ઈશાને મહીસાગર, પૂર્વે પંચમહાલ, અગ્નિએ વડોદરા, દક્ષિણે આણંદ, નૈઋત્યે અને પશ્ચિમે…
વધુ વાંચો >ખેડાણઘટક
ખેડાણઘટક : વાસ્તવિક ખેડાણ હેઠળની જમીનનો એકમ. ખેતીની ઉત્પાદકતા માપવાનાં પરિબળોમાં ખેડાણઘટકનું કદ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ (optimum) ઉપયોગ કરવા માટે ખેડાણઘટક ઇષ્ટ કદનું હોવું જોઈએ, અન્યથા લઘુતમ ખર્ચનું સંયોજન (least cost combination) પ્રાપ્ત કરી શકાય નહિ અને ખેતીનું સંયોજન વ્યાપારી કે નફાલક્ષી ધોરણે થઈ શકે નહિ.…
વધુ વાંચો >