૬(૧).૧૫

ખીલણ અને ટેકણપટ્ટીઓ (nails and splints)થી ખેદીવ

ખીલણ અને ટેકણપટ્ટીઓ

ખીલણ અને ટેકણપટ્ટીઓ (nails and splints) : હાડકાં અને હાડકાંના સાંધાને આધાર આપવા અને તેમનું પ્રચલન (mobility) ઘટાડવા માટેની સંયોજનાઓ (devices). તૂટેલા હાડકાના બે ભાગને જોડીને સ્થિર રાખવા માટે ખીલણનો ઉપયોગ કરાય છે; દા.ત., થાપાનું હાડકું તૂટે ત્યારે. ટેકણપટ્ટીઓના ઉપયોગના વિવિધ હેતુઓ હોય છે; જેમ કે ઈજા પછી થતો દુખાવો…

વધુ વાંચો >

ખીલી/ ખીલા

ખીલી/ ખીલા : બે ઘટકોને એકબીજા સાથે કાયમી રીતે જોડવા માટે જેનો એક છેડો અણીદાર અને બીજો છેડો નાના માથાવાળો હોય તે પ્રમાણે ધાતુના નાના સળિયા કે તારમાંથી બનાવેલ વસ્તુ. ખીલી/ખીલાના મુખ્ય ત્રણ ભાગ છે : (1) માથું, (2) દાંડી અને (3) અણી. ખીલી/ખીલાની લંબાઈ તેના માથાથી અણી સુધીનું માપ…

વધુ વાંચો >

ખીવ (ચિવા)

ખીવ (ચિવા) : ઉઝબેક પ્રજાસત્તાક રાજ્યના ખોરેઝમ જિલ્લામાં આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન 41° 22′ ઉ.અ. અને 60° 24′ પૂ.રે. આમુદરિયા નદીની પશ્ચિમે પાલવન નહેરને કાંઠે તે વસેલું છે. તેની દક્ષિણે કારાકુમનું અને ઈશાને કાસિલકુમનું રણ છે. અહીં ખેતી માટે પૂરતો વરસાદ પડતો નથી. પણ સિંચાઈ દ્વારા કપાસની ઘનિષ્ઠ ખેતી…

વધુ વાંચો >

ખુદાઈ ખિદમતગાર

ખુદાઈ ખિદમતગાર : વાયવ્ય સરહદ પ્રાંતમાં ભારતની આઝાદી પૂર્વે રચવામાં આવેલું પઠાણોનું સ્વયંસેવક સંગઠન. સ્થાપના 1929. ભારતની સ્વતંત્રતાની ચળવળના અગ્રણી ખાન અબ્દુલ ગફારખાન તેના સ્થાપક હતા. પ્રાણીમાત્રની સેવા એટલે ઈશ્વરની સેવા એ મૂળભૂત સિદ્ધાંતના પાયા પર આ સંગઠન રચવામાં આવ્યું હતું. ‘ખુદાઈ ખિદમતગાર’ એટલે ખુદાનો બંદો, ઈશ્વરનો સેવક. પઠાણ કોમ…

વધુ વાંચો >

ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી

ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી : ઇસ્લામી સંસ્કૃતિને લગતી હસ્તપ્રતો તથા આ અંગે છપાયેલાં પુસ્તકોનો મોટો સંગ્રહ ધરાવતું પટણામાં આવેલું પુસ્તકાલય. અરબી અને ફારસીના જ્ઞાતા ખુદાબક્ષે આ પુસ્તકાલય સ્થાપ્યું હોવાથી તે ‘ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી’ તરીકે જાણીતું થયું છે. આ પુસ્તકાલયનો પ્રારંભ ખુદાબક્ષના પિતાની 1,400 અરબી, ફારસી વગેરે હસ્તપ્રતોના સંગ્રહથી થયો…

વધુ વાંચો >

ખુદાવંદ ખાન ખ્વાજા સફર

ખુદાવંદ ખાન ખ્વાજા સફર (જ. ?; અ.1546) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ તથા મહમુદશાહ ત્રીજાના અમીર અને સૂરત તથા દીવના રક્ષક. એ ખ્વાજા સફર એ જ ખુદાવંદ ખાન. તેમનો જન્મ ઇટાલીના બ્રિન્ડિસી કે ઑન્ટ્રાટો નગરમાં રોમન કૅથલિક કુટુંબમાં થયો હતો. તેમણે ઇટાલી અને ફ્લૅન્ડર્સમાં નોકરી કરી હતી. કૅરોના સુલતાનના નૌકાધિપતિ સુલેમાન…

વધુ વાંચો >

ખુમાણ, જોગીદાસ

ખુમાણ, જોગીદાસ : ખેલદિલી અને વીરધર્મના પાલનથી ખ્યાતનામ થયેલો ભાવનગર રાજ્યનો કાઠી બહારવટિયો. જોગીદાસના દાદા સામંત ખાચરે ખસિયાઓને હરાવી કુંડલાની ચોવીસી કબજે કરી હતી. સામંતના પુત્ર આલા ખાચરના 1784માં અવસાન બાદ રાજ્યની વહેંચણીમાં ઝઘડો થતાં ભોજ ખાચરે કુહાડીનો હાથો થઈને ભાવનગરના રાજવી વખતસિંહ ઉર્ફે આતાભાઈનું શરણ સ્વીકાર્યું અને તેનો ભાગ…

વધુ વાંચો >

ખુમાણ લોમો

ખુમાણ લોમો : સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ખેરડી ગામનો કાઠી સરદાર. બહાદુરશાહ પછી ગુજરાતના સુલતાનોની સત્તા નબળી પડતાં તેના ઘોડેસવારો ધંધૂકા સુધીના પ્રદેશમાં લૂંટફાટ કરતા હતા. ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો (1561-73) મીરજાખાનના લશ્કરથી બચવા નાસભાગ કરતા હતા ત્યારે લોમા ખુમાણે 1583 સુધી તેમને ખેરડીમાં આશ્રય આપ્યો હતો. 1590માં ભૂચર મોરીના…

વધુ વાંચો >

ખુમ્માણ 1લો

ખુમ્માણ 1લો : જુઓ કાલભોજ

વધુ વાંચો >

ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની

ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની : ફારસી વિદ્વાન અને ઇતિહાસકાર. સુલતાન કુલી કુતુબશાહના પુત્ર જમશેદ કુલી કુતુબશાહ(ઈ. સ. 1543-1550)ના ખાસ દરબારી હતા. તે મૂળ ઇરાકના વતની હતા. તેમણે બાદશાહની આજ્ઞાથી એક દળદાર ઇતિહાસ રચ્યો હતો જેમાં ઈરાનના પ્રાચીન ઇતિહાસથી માંડીને ઈ. સ. 1562 સુધીની ઐતિહાસિક ઘટનાઓ નોંધવામાં આવી છે. આ…

વધુ વાંચો >

ખુરશીદ

Jan 15, 1994

ખુરશીદ (જ. 14 એપ્રિલ 1914, ચુનિયન, લાહોર; અ. 18 એપ્રિલ 2001, કરાચી) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત ગાયિકા-અભિનેત્રી. તેનું પ્રથમ ચલચિત્ર ‘કૌન કિસી કા’ (હિંદી). તેને પ્રથમ વાર રૂપેરી પડદે લાવવાનો જશ ગુજરાતી ચલચિત્રનિર્માતા નાનુભાઈ દેસાઈના ફાળે જાય છે. તેનું બીજું ચલચિત્ર ઇઝરામીરનું ‘સિતારા’. તે લોકપ્રિય બની વિખ્યાત ચલચિત્રઅભિનેતા મોતીલાલની ભૂમિકાવાળા…

વધુ વાંચો >

ખુરશીદ અલીખાં

Jan 15, 1994

ખુરશીદ અલીખાં (જ. 1845; અ. 1950, લખનૌ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા લખનૌ ઘરાણાના મુખ્ય પ્રતિનિધિ. લખનૌ ખયાલ તથા ઠૂમરીના પ્રવર્તક ઉસ્તાદ સાદિક અલી ખાનના તેઓ એક પ્રમુખ શિષ્ય હતા. બાળપણથી જ શાસ્ત્રીય સંગીત પ્રત્યે અભિરુચિ. નેપાળમાં બિરગંજ ખાતે યોજાયેલ સંગીતસંમેલનમાં તેમની ગાયકીની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી તેઓ…

વધુ વાંચો >

ખુરશેદજી અરદેશર

Jan 15, 1994

ખુરશેદજી અરદેશર : જુઓ વાડિયા અરદેશર ખુરશેદજી

વધુ વાંચો >

ખુરાસાની (અબૂ મુસ્લિમ)

Jan 15, 1994

ખુરાસાની (અબૂ મુસ્લિમ) (જ ?; અ. 755) : પૂર્વ ઈરાનના ખુરાસાન પ્રાંતમાં અબ્બાસીઓની રાજકીય ક્રાંતિની ચળવળના આગેવાન સેનાની. તે વંશે ઈરાની અને પંથે શિયા હતા. ઇમામ ઇબ્રાહીમ બિન મુહમ્મદે ઈ. સ. 746માં તેમને અબ્બાસીઓના શાસનપ્રાપ્તિ આંદોલનના સૂત્રધાર બનાવી ખુરાસાન પ્રાંતમાં મોકલ્યા હતા. તેમણે ઈ. સ. 747માં મર્વ શહેર પર કબજો…

વધુ વાંચો >

ખુરાસાની અજમો

Jan 15, 1994

ખુરાસાની અજમો : અં. Henbane; સં. यावनी. દ્વિબીજદલામાં યુક્તદલા Gamopetalaeના કુળ Solanaceaeની વનસ્પતિ. તેનાં સહસભ્યોમાં બેલાડોના, પ્રિયદર્શિની, તમાકુ, ધતૂરો વગેરે છે. તેનું લૅટિન નામ Hyocyamus niger L છે. તે ચતુષ્કોણીય પ્રકાંડ ધરાવતો નાનો સદા હરિત છોડ છે. ગૂંચળાવાળાં પરંતુ પહોળાં સાદાં સુગંધિત પાન હોય છે. પ્રકાંડ ઉપર બધી જ જગાએ…

વધુ વાંચો >

ખુલના

Jan 15, 1994

ખુલના : બાંગ્લાદેશના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ જિલ્લો અને તે જ નામનું મુખ્ય શહેર. ડિવિઝનનું ક્ષેત્રફળ 22,274 ચોકિમી. અને વસ્તી આશરે બે કરોડ (2020) જેટલી છે. ડિવિઝનમાં સિલ્હટ, કોમિલ્લા, નોઆખલી, ચિતાગોંગ, ચિતાગોંગનો પહાડી વિસ્તાર અને બંદારબન મળીને કુલ 15 જિલ્લા આવેલા છે. સમગ્ર પ્રદેશ હૂગલી અને મેઘના વચ્ચેના ગંગાના…

વધુ વાંચો >

‘ખુલ્લાં દ્વાર’ની નીતિ

Jan 15, 1994

‘ખુલ્લાં દ્વાર’ની નીતિ : જુઓ ચીન.

વધુ વાંચો >

ખુવારી

Jan 15, 1994

ખુવારી : યુદ્ધમાં સૈનિકો કે અધિકારીઓનાં મૃત્યુ, ઈજા, શત્રુ દ્વારા યુદ્ધકેદી તરીકે ધરપકડ અથવા બેપત્તા થવારૂપે થતી હાનિ. પરંતુ હવે યુદ્ધ દરમિયાન નાગરિકોનું મૃત્યુ થાય અથવા તેમને ઈજા થાય તો તેની પણ યુદ્ધની ખુવારીમાં ગણતરી થાય છે. મહાભારતના 18 દિવસના યુદ્ધમાં 39,36,590 જેટલી ખુવારી થઈ હતી. સ્વિટ્ઝર્લૅન્ડના એક વિદ્વાન ઝાં-જાક…

વધુ વાંચો >

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી)

Jan 15, 1994

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી) : ફારસી કવિ. મૂળ નામ બિંદ્રાબનદાસ. ઉપનામ ખુશગૂ. તેઓ હિન્દુધર્મી અને જ્ઞાતિએ વૈશ્ય તેમજ મથુરાના રહીશ હતા. તે ફારસીના પ્રસિદ્ધ કવિ અબ્દુલકાદિર બૈદિલ અને શેખ સઅદુલ્લા ગુલશનના ખાસ મિત્ર હતા. તે પ્રસિદ્ધ કવિ ખાન આરઝૂના અંતેવાસી હતા. ગુરુએ પોતાના પુસ્તક ‘મજ્મઉન્ન ફાઇસ’માં શિષ્ય ખુશગૂનો નોંધપાત્ર ઉલ્લેખ…

વધુ વાંચો >

ખુશવંતસિંગ

Jan 15, 1994

ખુશવંતસિંગ (જ. 2 ફેબ્રુઆરી 1915, હડાલી, પાકિસ્તાન; અ. 20 માર્ચ 2014, ન્યૂદિલ્હી) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને લેખક. પિતાનું નામ સર શોભાસિંગ અને માતાનું નામ લેડી વિરનબાઈ. ખુશવંતસિંગે લંડનમાં એલએલ.બી. અને બૅરિસ્ટર-ઍટ-લૉનું શિક્ષણ મેળવ્યા પછી 1939થી’ 47 સુધી લાહોર હાઈકોર્ટમાં વકીલાત કરી. દેશના ભાગલા પડ્યા પછી 1951 સુધી લંડન અને…

વધુ વાંચો >