૫.૧૦

કૃષ્ણથી કેથીડ્રલ

કૃષ્ણગીતાવલિ

કૃષ્ણગીતાવલિ : તુલસીદાસનો કૃષ્ણચરિતને લગતો ગીત-સંગ્રહ. આ ગ્રંથમાં 61 ગીતો સમાવિષ્ટ છે. કૃષ્ણચરિતના કોમલ અને મધુર અંશોને ચિત્રિત કરવા માટે તુલસીદાસને આ ગીત-રચનામાં મોકળાશ મળી હતી. તેથી વર્ણન-વિસ્તારમાં બિલકુલ ગયા નથી અને માત્ર રૂપરેખા દ્વારા એમણે કૃષ્ણકથા કહી દીધી છે. આ ગીતોમાં પણ તુલસીદાસે ઘણે અંશે પોતાની માન્યતા અનુસાર મર્યાદાવાદનું…

વધુ વાંચો >

કૃષ્ણગુપ્ત

કૃષ્ણગુપ્ત (છઠ્ઠી સદી) : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. સ્કંદગુપ્તના મૃત્યુ પછી મગધના ગુપ્ત સામ્રાજ્યની પડતી શરૂ થઈ હતી તે બાલાદિત્યના મૃત્યુ પછી લગભગ પૂરી થઈ (લગભગ 530). એ અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોનો રાજવંશ સત્તારૂઢ થયો. એનો પહેલો જ્ઞાત રાજા કૃષ્ણગુપ્ત છે. પ્રશસ્તિમાં એને ગિરિ જેવો ઉન્નત અને સિંહ જેવો પરાક્રમી કહ્યો…

વધુ વાંચો >

કૃષ્ણદાસ

કૃષ્ણદાસ (જ. 1496, ચિલોતરા, ગુજરાત; અ. 1582) : અષ્ટછાપના પ્રથમ ચાર કવિઓમાં અંતિમ કૃષ્ણદાસ અધિકારી તરીકે જાણીતા કવિ. તેઓ ગુજરાતના વતની અને શૂદ્ર જાતિના હતા. 12–13 વર્ષની વયે તેમણે એમના પિતાના ચોરીના અપરાધથી પકડાવી દેવાથી એને મુખીના પદ પરથી દૂર કરાયેલા. પરિણામે પિતાએ એને ઘરની બહાર કાઢી મૂકેલા, જે ભ્રમણ…

વધુ વાંચો >

કૃષ્ણદાસ

કૃષ્ણદાસ : મીરજાપુરનિવાસી કૃષ્ણદાસ માધુર્યભક્તિના ઉપાસક ભક્ત કવિ. ‘માધુર્યલહરી’ તેમની પ્રસિદ્ધ રચના છે જે મુખ્યત્વે ગીતિકા છંદમાં રચાઈ છે. એમાં રાધાકૃષ્ણના નિત્યવિહારને લગતા પ્રસંગોની સરસ પ્રાંજલ શૈલીમાં વર્ણન મળે છે. આ કૃતિની રચના વિ. સં. 1852–53 (ઈ. સ. 1795–96)માં  થયાનું ગ્રંથની પુસ્તિકામાં જણાવ્યું છે. કૃષ્ણદાસ પોતે નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હોવાનું…

વધુ વાંચો >

કૃષ્ણદાસ કવિરાજ

કૃષ્ણદાસ કવિરાજ (જ. 1527, કામયપુર, પશ્ચિમ બંગાળ; અ. 1615) : મધ્યકાલીન પ્રસિદ્ધ બંગાળી કવિ. ધનાઢ્ય વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા ભગીરથ અને માતા સુનંદા. શિવભક્તિ વારસામાં મળેલી છતાં બાળપણથી તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદના પ્રભાવ હેઠળ તેમને કૃષ્ણપ્રેમ જાગ્યો. દુન્યવી જીવનથી કંટાળીને તેમણે ગૃહત્યાગ કર્યો અને 1550ના…

વધુ વાંચો >

કૃષ્ણદેવ

કૃષ્ણદેવ (જ. 24 ઑગસ્ટ 1914) : પુરાતત્વનિષ્ણાત. તે 1938માં પુરાતત્વ-સર્વેક્ષણમાં જોડાયા અને જાન્યુઆરી 1973માં તેના નિયામક તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડી, વારાણસીમાં તેમણે કામ કર્યું. કૃષ્ણદેવ પુરાવસ્તુનાં ઉત્ખનનો અગ્રોદા, કુમરાહાર, વૈશાલી આદિ સ્થળોએ કર્યાં છે. પરંતુ ભારતનાં દેવસ્થાનોના સ્થાપત્યના તે નિષ્ણાત…

વધુ વાંચો >

કૃષ્ણદેવરાય

કૃષ્ણદેવરાય (જ. 1489; અ. 1529) : સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન વિજયનગરમાં થયેલ મહાપ્રતાપી રાજા. વીર નરસિંહદેવરાયના સાવકા ભાઈ કે પુત્ર કૃષ્ણદેવરાય 8 ઑગસ્ટ 1509ના રોજ વિજયનગરની ગાદીએ આવ્યા. તેમણે 1510માં બિજાપુરના આદિલશાહ અને બીદરના સંયુક્ત લશ્કરને હાર આપી. રાયચુર, ગુલબર્ગ અને બીદર જીતી લીધાં. મહમૂદ શાહને બીદરની ગાદી સોંપી ‘યવનરાજ…

વધુ વાંચો >

કૃષ્ણન્ કારેઆમ્માનીકમ્ શ્રીનિવાસ (સર)

કૃષ્ણન્, કારેઆમ્માનીકમ્ શ્રીનિવાસ (સર) (જ. 4 ડિસેમ્બર 1898, વત્રપ, રામનાડ જિલ્લો, તામિલનાડુ; અ. 14 જૂન 1961) : દિલ્હીની ‘રાષ્ટ્રીય ભૌતિકી પ્રયોગશાળા’(NPL)ના પ્રથમ નિયામક અને પ્રખર ભૌતિકશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ તેમના જન્મસ્થળ વત્રપ ગામમાં, માધ્યમિક શિક્ષણ શ્રી વિલ્લીપુત્તુરની ‘હિંદુ હાઈસ્કૂલ’માં અને કૉલેજ શિક્ષણ ‘ક્રિશ્ચિયન કૉલેજ’ અને કોલકાતાની ‘યુનિવર્સિટી કૉલેજ ઑવ્ સાયન્સ’માં લીધું.…

વધુ વાંચો >

કૃષ્ણન્ રમેશ

કૃષ્ણન્, રમેશ (જ. 5 જૂન 1961, તાંજોર, તામિલનાડુ) : ભારતના વિખ્યાત ટેનિસ ખેલાડી. મહાન ટેનિસ ખેલાડી રામનાથન કૃષ્ણનના પુત્ર. 1979માં તેમણે વિમ્બલ્ડન અને ફ્રેન્ચ જુનિયર ચૅમ્પિયનશિપ મેળવી. લૉસ એન્જિલીઝમાં આવેલા હૅરી હોપમન કોચિંગ સેન્ટરમાં હૅરી હોપમન (8 ડિસેમ્બર 1908-27 ડિસેમ્બર 1985) પાસે તેમણે તાલીમ મેળવી છે. 1986માં ગૌસ મહમદ, રામનાથન્…

વધુ વાંચો >

કૃષ્ણન્ રામનાથન્

કૃષ્ણન્, રામનાથન્ (જ. 11 એપ્રિલ 1937, ચેન્નાઈ) : ‘પદ્મભૂષણ’થી વિભૂષિત (1966). આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ભારતના ટેનિસ- ખેલાડી. અગિયાર વર્ષની નાની વયે સારું ટેનિસ ખેલી જાણતા એમના પિતા ટી. કે. રામનાથનની પ્રેરણાથી તેમણે ટેનિસ રમવાનો પ્રારંભ કર્યો. 1950માં તેર વર્ષની ઉંમરે કલકત્તામાં જુનિયર નૅશનલ ટેનિસ-સ્પર્ધામાં વિજય મેળવ્યો. 1953માં રાષ્ટ્રીય ચૅમ્પિયન થયા.…

વધુ વાંચો >

કૃષ્ણ

Jan 10, 1993

કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…

વધુ વાંચો >

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)

Jan 10, 1993

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…

વધુ વાંચો >

કૃષ્ણ–2

Jan 10, 1993

કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…

વધુ વાંચો >

કૃષ્ણ–3

Jan 10, 1993

કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…

વધુ વાંચો >

કૃષ્ણ આંગિરસ

Jan 10, 1993

કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા

વધુ વાંચો >

કૃષ્ણકમળ

Jan 10, 1993

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…

વધુ વાંચો >

કૃષ્ણકાંત

Jan 10, 1993

કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…

વધુ વાંચો >

કૃષ્ણકુમારસિંહજી

Jan 10, 1993

કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…

વધુ વાંચો >

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ

Jan 10, 1993

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…

વધુ વાંચો >

કૃષ્ણગાથા

Jan 10, 1993

કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…

વધુ વાંચો >