૫.૧૦

કૃષ્ણથી કેથીડ્રલ

કૃષ્ણપ્રેમ

કૃષ્ણપ્રેમ (જ. 10 મે 1898, ચેલ્ટનહૅમ, ઇંગ્લૅન્ડ; અ. 14 નવેમ્બર 1965, આલમોડા) : અંગ્રેજ કૃષ્ણભક્ત. સરળ સાધુસ્વભાવ, મૂળ નામ રોનાલ્ડ હૅન્રી નિક્સન. પહેલા વિશ્વયુદ્ધ સમયે 1917માં હવાઈદળમાં પાઇલટ તરીકે જોડાયા; જર્મની ઉપર બૉમ્બમારો કરવા ઊપડ્યા ત્યારે કાફલામાંનાં બધાં વિમાન તૂટ્યાં, પરંતુ એક બલવંત શ્યામ હાથે એમને બચાવ્યા. યુદ્ધ પછી કૅમ્બ્રિજમાં…

વધુ વાંચો >

કૃષ્ણમંદિર (અમદાવાદ)

કૃષ્ણમંદિર (અમદાવાદ) : ભદ્રવિસ્તારમાં સ્નાનાગાર પાસે આવેલું પ્રસિદ્ધ મરાઠાકાલીન મંદિર. તેના મનોહર કોતરણીયુક્ત બલાણક(પ્રવેશદ્વાર)માં થઈ મંદિરમાં દાખલ થતાં વચ્ચેના ખુલ્લા ચોકની મધ્યમમાં મુખ્ય મંદિરનાં દર્શન થાય છે. તલમાનમાં એ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ અને મુખચોકી તેમજ ઊર્ધ્વમાનમાં પીઠ, મંડોવર અને પિરામિડ ઘાટનું દક્ષિણી શૈલીનું ત્રિછાદ્ય શિખર ધરાવે છે. મંડપ પરનું છાવણ…

વધુ વાંચો >

કૃષ્ણમાચારી ધર્માવવિરમ્

કૃષ્ણમાચારી ધર્માવવિરમ્ (જ. 1853, વેલ્લરી; અ. 1913) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના તેલુગુ ભાષાના ખ્યાતનામ નાટકકાર. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વેલ્લરીમાં, ઉચ્ચશિક્ષણ હૈદરાબાદમાં. એમણે તેલુગુ નાટ્યસાહિત્યને એક નવો જ વળાંક આપ્યો. એમણે એમનાં નાટકોમાં યક્ષગાન શૈલીનો પ્રયોગ કર્યો અને નાટકમાં પ્રસંગાનુરૂપ ગીતોનો પણ સમાવેશ કર્યો. એમણે ચૌદ પૌરાણિક નાટકો લખ્યાં છે,…

વધુ વાંચો >

કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર)

કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર) (જ. ફેબ્રુઆરી 1881; અ. 1964) : કુશળ વહીવટકર્તા તથા ભારતની બંધારણ સભાના પૂર્વ ઉપાધ્યક્ષ (1946-49). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજ તથા લૉ કૉલેજમાં શિક્ષણ લીધું. 1903માં ચેન્નાઈ પ્રાંતની મુલકી સેવામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા. 1908-11 દરમિયાન કોચીન રાજ્યના મુખ્ય મહેસૂલી અધિકારી રહ્યા. 1916-19 દરમિયાન તત્કાલીન ચેન્નાઈ પ્રાંતના…

વધુ વાંચો >

કૃષ્ણમાચાર્યુલુ

કૃષ્ણમાચાર્યુલુ (ચૌદમી સદી) : તેલુગુ લેખક, પ્રસિદ્ધ યાત્રાધામ સિંહાચલના નિવાસી. તે તેલુગુમાં ‘વચન સાહિત્ય’ના પ્રવર્તક ગણાય છે. ‘વચન વાઙ્મય’ કન્નડમાં જાણીતું છે, પરંતુ તેલુગુમાં તેનો ખાસ પ્રચાર ન હતો. આ સાહિત્યપ્રકારથી આંધ્રભારતી-તેલુગુ સાહિત્યને અલંકૃત કરવાનું શ્રેય આ કવિને છે. કાકતીય સમ્રાટ દ્વિતીય પ્રતાપરુદ્ર- (1295-1326)ના તે સમકાલીન ગણાય છે. સિંહાચલના સ્વામી…

વધુ વાંચો >

કૃષ્ણમૂર્તિ જે.

કૃષ્ણમૂર્તિ જે. (જ. 11 મે 1895, મદનાપલ્લી, ત્રિચુર, આંધ્રપ્રદેશ; અ. 17 ફેબ્રુઆરી 1986, ઓ’હેર, કૅલિફૉર્નિયા) : વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કૅલિફૉર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને…

વધુ વાંચો >

કૃષ્ણમૂર્તિ યામિની

કૃષ્ણમૂર્તિ યામિની : વિખ્યાત ભારતીય નૃત્યકલાકાર. તેમના પિતા પ્રો. કૃષ્ણમૂર્તિ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. મૂળે તે આંધ્રપ્રદેશના મદનાપલ્લી ગામના વતની. બાલ્યકાળથી યામિનીનો ઉછેર સંસ્કારી વાતાવરણમાં થયો હતો. પાંચ સંતાનોમાં યામિની સૌથી મોટાં. બે ભાઈઓ તથા બીજી બે નાની બહેનો હતી. યામિનીને બાલ્યકાળથી જ નૃત્યની નૈસર્ગિક બક્ષિસ હતી. એટલે પાંચ વર્ષની…

વધુ વાંચો >

કૃષ્ણરાવ અરકલગુડુ નરસિંહરાવ

કૃષ્ણરાવ અરકલગુડુ નરસિંહરાવ (જ. 1908, કોલાર, જિ. બૅંગલોર, કર્ણાટક; અ. 1971) : કન્નડ સાહિત્યના ‘નવલકથા સમ્રાટ’. કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું અરકલગુડુ ગામ તેમના પૂર્વજોનું વતન છે. પિતાનું નામ નરસિંહરાવ તથા માતાનું નામ અન્નપૂર્ણમ્મા. સાહિત્યમાં અ. ન. કૃ. નામથી તે જાણીતા છે. બાલ્યકાળથી જ કૃષ્ણરાવે સાહિત્યપ્રેમ તથા દેશપ્રેમના સંસ્કારો ઝીલ્યા. સાહિત્યક્ષેત્રમાં…

વધુ વાંચો >

કૃષ્ણવડ

કૃષ્ણવડ : હિ. कृष्णकटोरी; ગુ. માખણકટોરી; અં. Krishna’s butter-cup. દ્વિદલા વર્ગના ઉપવર્ગ અદલાના કુલ Urticaceaeનું મધ્યમથી નીચા કદનું વૃક્ષ. તેનાં પાન સાદાં, વડનાં પાન જેવા આકારવાળાં હોય છે. તે અદંડી છે પરંતુ ડીંટાને બદલે પર્ણપત્ર નીચલી બાજુએ વળી ખિસ્સા જેવો પ્યાલો બનાવે છે. તેનું વૃક્ષ સયાજીબાગ, વડોદરા અને રાણીબાગ, મુંબઈમાં…

વધુ વાંચો >

કૃષ્ણ વારિયર એન. વી.

કૃષ્ણ વારિયર, એન. વી. (જ. 1917, ત્રિચૂર, કેરળ; અ.?) : મલયાળમ કવિ, ચિંતક, વિવેચક અને પત્રકાર. તૃપૂણીતુરાની સંસ્કૃત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ સંસ્કૃતના શિક્ષક બાદ 12 વર્ષ સુધી કૉલેજમાં અધ્યાપક રહ્યા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં ઝંપલાવ્યું અને ‘સ્વતંત્ર ભારતમ્’ નામનું અખબાર અને સંખ્યાબંધ પત્રિકાઓ પ્રગટ કરી. ‘અહિંસક સૈન્યમ્’ (1939) અને ‘મહાત્મા…

વધુ વાંચો >

કૃષ્ણ

Jan 10, 1993

કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…

વધુ વાંચો >

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)

Jan 10, 1993

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…

વધુ વાંચો >

કૃષ્ણ–2

Jan 10, 1993

કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…

વધુ વાંચો >

કૃષ્ણ–3

Jan 10, 1993

કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…

વધુ વાંચો >

કૃષ્ણ આંગિરસ

Jan 10, 1993

કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા

વધુ વાંચો >

કૃષ્ણકમળ

Jan 10, 1993

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…

વધુ વાંચો >

કૃષ્ણકાંત

Jan 10, 1993

કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…

વધુ વાંચો >

કૃષ્ણકુમારસિંહજી

Jan 10, 1993

કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…

વધુ વાંચો >

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ

Jan 10, 1993

કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…

વધુ વાંચો >

કૃષ્ણગાથા

Jan 10, 1993

કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…

વધુ વાંચો >