૫.૦૫

કુનૂરથી કુલકર્ણી દત્તાત્રેય ગુન્ડો

કુનૂર

કુનૂર : તામિલનાડુ રાજ્યમાં આવેલું હવાખાવાનું સ્થળ. તે 11° 21’ ઉ. અ. અને 76° 46’ પૂ. રે. પર આવેલું છે. નીલગિરિ પર્વતના ટાઇગર શિખર નજીક વસેલું આ સ્થળ વનરાજિથી આચ્છાદિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 1830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનાથી લગભગ અગિયાર કિમી. દૂર ઈશાનમાં સેંટ કેથેરિન જળધોધ આવેલો…

વધુ વાંચો >

કુન્તક

કુન્તક (950-1050 આસપાસ) : કુન્તક, કુન્તલ કે કુન્તલક વગેરે અભિધાનોથી જાણીતા કાશ્મીરી વિદ્વાન. કાવ્યનો આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં તેમણે પોતાના ગ્રંથનું શીર્ષક ‘વક્રોક્તિજીવિત’ આપ્યું હોવાથી વક્રોક્તિજીવિતકાર તરીકે તે પ્રસિદ્ધ છે. 950 પહેલાં થયેલા રાજશેખરનો કુન્તકે ઉલ્લેખ કર્યો છે અને 1050 પછી થયેલા મહિમ ભટ્ટે કુન્તકનો નામોલ્લેખ કર્યો…

વધુ વાંચો >

કુન્દકુન્દાચાર્ય

કુન્દકુન્દાચાર્ય (ત્રીજી-ચોથી સદી ?) : અધ્યાત્મપરક શાસ્ત્રગ્રંથોના કર્તા. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ પછી આદરપૂર્વક જેનું નામ લેવામાં આવે છે તે આચાર્ય કુન્દકુન્દ પરંપરા મુજબ પ્રથમ શતાબ્દીમાં થઈ ગયા. પરંતુ વિદ્વાનો તેમને ત્રીજી-ચોથી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું માને છે. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશના કોંડકુંડપુરના નિવાસી હતા. આથી…

વધુ વાંચો >

કુન્દુર્તી આંજનેયુલુ

કુન્દુર્તી આંજનેયુલુ (જ. 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી. એ આધુનિક તેલુગુ કવિતાના શ્રીગણેશ કરનારાઓમાંના એક હતા. ‘નયાગરા’…

વધુ વાંચો >

કુન્દેરા મિલાન

કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્ ઝાહરાદા શીરા’ (‘મૅન : ઍ બ્રૉડ…

વધુ વાંચો >

કુન્હીરામન્ કાનાઈ

કુન્હીરામન્, કાનાઈ (જ. 1937, કેરળ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની યક્ષ અને યક્ષીની આકૃતિઓને આધુનિક અભિગમથી કંડારવા માટે તેઓ જાણીતા છે. તેમણે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં કલાનો અભ્યાસ કર્યો. બ્રિટનની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ઉપલબ્ધ થતાં તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. ત્યાં…

વધુ વાંચો >

કુપરિન ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ

કુપરિન, ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ (જ. 7 સપ્ટેમ્બર 1870, નરોવખાત; અ. 25 ઑગસ્ટ 1938, લેનિનગ્રાડ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. કુપરિનના પિતા સરકારી નોકર, માતા ઉચ્ચ તાર્તાર કુટુંબમાંથી આવેલાં. પ્રથમ કેડેટ અને ત્યારપછી મિલિટરી શાળામાં રહ્યા પછી કુપરિન લશ્કરી અધિકારી બનેલ. 1894માં લશ્કરમાંથી મરજિયાત નિવૃત્તિ લીધી અને ત્યારપછી કારકુન તરીકે,…

વધુ વાંચો >

કુપવારા

કુપવારા (Kupwara) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34° 20′ ઉ. અ. અને 74° 20′ પૂ. રે.ની આજુબાજુનો 2,379 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફફરાબાદ, પૂર્વમાં બારામુલા, દક્ષિણે અને પશ્ચિમે મુઝફફરાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કુપવારા શ્રીનગરથી વાયવ્યમાં આશરે…

વધુ વાંચો >

કુપેરિન ફ્રાંસ્વા

કુપેરિન, ફ્રાંસ્વા (Couperin Francois) (જ. 10 નવેમ્બર 1668, ફ્રાંસ; અ. 11 સપ્ટેમ્બર 1733, ફ્રાંસ) : ફ્રેંચ બરોક-સંગીતકાર. તરુણાવસ્થામાં જ એક ઉત્તમ ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. ફ્રેંચ રાજા લુઈ ચૌદમાએ પોતાનાં બાળકોના સંગીત-શિક્ષણની જવાબદારી કુપેરિનને સોંપી. તેમણે ઑર્ગન માટે સંખ્યાબંધ કૃતિઓ લખી. તેઓ એક ઉત્તમ હાર્પિસ્કૉર્ડ વાદક પણ બન્યા. આ…

વધુ વાંચો >

કુપ્કા ફ્રૅન્ટિસૅક

કુપ્કા, ફ્રૅન્ટિસૅક (જ. 23 સપ્ટેમ્બર 1871, ઓપો નો (opocono), બોહેમિયા (ચેક રિપબ્લિક); અ. 24 જૂન 1957, પુત્યા (Puteaux), ફ્રાંસ) : અમૂર્ત ચિત્રણાનો પ્રારંભ કરનાર પ્રણેતાઓમાંનો એક. અમૂર્ત ચિત્રણાનો પ્રસાર કરવામાં પણ તેનો ફાળો અગત્યનો છે. પ્રાગ (Prague) અને વિયેના ખાતેની કલાશાળાઓમાં અભ્યાસ કર્યા પછી કુપ્કાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા એકૉલે દ…

વધુ વાંચો >

કુરૈશ

Jan 5, 1993

કુરૈશ : અરબસ્તાનના મક્કા શહેરના પ્રખ્યાત કબીલાનું નામ. તેમાં મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ થયો હતો. આ કબીલાનો મુખ્ય વ્યવસાય વેપારનો હતો. તેઓ ખેતી પણ કરતા હતા અને ઇસ્લામના ઉદય પહેલાં મક્કામાં પવિત્ર કાબાનો વહીવટ કરતા હતા. કુરૈશ કબીલાના દસ જેટલા પેટાવિભાગો હતા : ઉમય્યા, નવફલ, ઝુહરા, મખ્ઝૂમ, અસદ, જુમાહ, સહમ,…

વધુ વાંચો >

કુરોશીઓ

Jan 5, 1993

કુરોશીઓ : જાપાનના પૂર્વ કિનારે વહેતો ગરમ સમુદ્રપ્રવાહ. પૅસિફિક મહાસાગરમાં 10° અને 35° ઉ. અ. વચ્ચે કાયમી વેપારી પવનો વાય છે. આથી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ જન્મે છે. આ પ્રવાહ ઉત્તર ફિલિપ્પાઇનના લ્યુઝોન ટાપુથી શરૂ થઈ તાઇવાનના કિનારે થઈને જાપાનના પૂર્વ કિનારે 35° ઉ. અ. સુધી વહે છે. તાઇવાનથી ઉત્તરે જાપાન…

વધુ વાંચો >

કુર્ચેટોવિયમ

Jan 5, 1993

કુર્ચેટોવિયમ : જુઓ રૂથરફોર્ડિયમ

વધુ વાંચો >

કુર્ડીકર મોગુબાઈ

Jan 5, 1993

કુર્ડીકર, મોગુબાઈ (જ. 1904; અ. 10 ફેબ્રુઆરી 2001, મુંબઈ) : શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાનાં શ્રેષ્ઠ અને સુવિખ્યાત ગાયિકા, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની શૈલીમાં ખ્યાલ ગાયકીના જયપુર ઘરાનાના જ્યેષ્ઠ કલાકાર અલ્લાદિયાખાંસાહેબનાં તે શિષ્યાં હતાં. 1934માં મોગુબાઈ ખાંસાહેબના ગંડાબંધ શાગીર્દ બન્યાં. મોગુબાઈનો બાલ્યકાળ ગોવાના અંતર્ગત કુર્ડી ખાતે વ્યતીત થયો અને તેને લીધે…

વધુ વાંચો >

કુર્તકોટિ કીર્તિનાથ બી.

Jan 5, 1993

કુર્તકોટિ, કીર્તિનાથ બી. (જ. 1928, ગદગ, કર્ણાટક) : કર્ણાટકના પ્રસિદ્ધ વિદ્વાન અને વિવેચક. તેમને તેમના નિબંધ-સંગ્રહ ‘ઉરિયા નાલગે’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાં અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ.એ.ની પદવી મેળવી. ગુજરાતમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપકપદે દીર્ઘ સમય અધ્યાપનકાર્ય કરી તેઓ…

વધુ વાંચો >

કુર્તબા (શહેર)

Jan 5, 1993

કુર્તબા (શહેર) : આજના સ્પેન ઉપર મધ્યયુગમાં ઉમૈય્યા વંશના અરબોનું શાસન હતું ત્યારનું તેનું પાટનગર. ઉમૈય્યા વંશના ખલીફા અબ્દુર્-રહેમાન ત્રીજાએ 936માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું. આ ખલીફા અલ-નાસિરના નામે પણ ઓળખાય છે. ખલીફાએ પોતાની એક કનીઝના નામ ઉપરથી સૌપ્રથમ એક ભવ્ય મહેલ અલ-ઝહરા બંધાવ્યો હતો. આ મહેલમાં ચારસો ખંડો…

વધુ વાંચો >

કુર્દ

Jan 5, 1993

કુર્દ : કુર્દિસ્તાન તરીકે ઓળખાતા, નૈર્ઋત્ય એશિયાના પૂર્વ તુર્કી, પશ્ચિમ ઈરાન અને ઉત્તર ઇરાકના ટૉરસ અને સૅગ્રોસ પર્વતોમાં વસતી જાતિના લોકો. ઐતિહાસિક ર્દષ્ટિએ કુર્દિસ્તાન નામ ‘કુર્દ લોકોની ભૂમિ’ અર્થવાળા ઈરાની શબ્દમાંથી ઊતરી આવેલું છે. આ લોકોનું મૂળ વતન ઇરાક, સીરિયા, તુર્કી અને રશિયા હતું. આજે તેઓ મોટેભાગે ગ્રામીણ વસાહતોમાં રહે…

વધુ વાંચો >

કુર્દ અહમદ બિન સુલેમાન (મૌલાના)

Jan 5, 1993

કુર્દ, અહમદ બિન સુલેમાન (મૌલાના) (જ. ?; અ. 13 ડિસેમ્બર 1698, અમદાવાદ) : ઇસ્લામ ધર્મશાસ્ત્રના ફારસી વિદ્વાન. મૌલાના સુલેમાન કુર્દના પુત્ર અને સત્તરમા શતકના પૂર્વાર્ધના એક વિદ્વાન અને શિક્ષક. પિતા પાસેથી હદીસ અને મૌલાના મુહંમદ શરીફ, મૌલાના વલીમોહંમદ તથા શેખફરીદ જેવા વિદ્વાનો પાસેથી પારંપારિક ધાર્મિક શાસ્ત્રોમાં શિક્ષણ પ્રાપ્ત કરી પારંગત…

વધુ વાંચો >

કુર્દ મૌલાના સુલેમાન

Jan 5, 1993

કુર્દ, મૌલાના સુલેમાન (અ. ઈસવી. સત્તરમી સદી ઉત્તરાર્ધ, અમદાવાદ) : અરબી અને ફારસીના સમર્થ વિદ્વાન પિતાનું નામ મુહંમદ. મૂળ કુર્દસ્તાનના વતની અને બહુધા જન્મસ્થાન પણ તે જ. વતનથી લાહોર આવ્યા અને ત્યાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી આવીને પ્રખ્યાત મુહદ્દિસ વિદ્વાન લેખક અને સંત શેખ અબ્દુલહક્ મુહદ્દિસ દહેલ્વી પાસે…

વધુ વાંચો >

કુર્નૂલ (Kurnool)

Jan 5, 1993

કુર્નૂલ (Kurnool) : આંધ્રપ્રદેશ(રાજ્ય)ના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 14° 54’થી 16° 18′ ઉ. અ. અને 76° 58′ થી 79° 34′ પૂ. રે.ની વચ્ચેનો આશરે 17,658 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તુંગભદ્રા નદી, કૃષ્ણા નદી અને મહેબૂબનગર જિલ્લો, પૂર્વે પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >