૫.૦૫

કુનૂરથી કુલકર્ણી દત્તાત્રેય ગુન્ડો

કુમારકલ્યાણ ઘૃત

કુમારકલ્યાણ ઘૃત : એક આયુર્વેદિક ઔષધિ. શંખાવળી, વજ, કઠ, બ્રાહ્મી, હરડે, બહેડાં, આમળાં, દ્રાક્ષ, સાકર, સૂંઠ, ડોડી (જીવંતી), જીવક, ખરેંટી (બલા), કચૂરો (ષટ્કચૂરો), ધમાસો, બીલાની છાલ, દાડમની છાલ, તુલસીનાં પાન, શાલવણ (શાલિપર્ણી), નાગરમોથ, પુષ્કર મૂળ, નાની એલચી, લીંડીપીપર, વાળો, ગોખરુ, અતિવિષ, કાળીપાટ, વાવડિંગ, દેવદાર, ચમેલીનાં ફૂલ, મહુડાનાં ફૂલ, ખજૂર, મીઠાં…

વધુ વાંચો >

કુમારકલ્યાણરસ

કુમારકલ્યાણરસ : એક આયુર્વેદિક ઔષધ. રસસિંદૂર, મોતીપિષ્ટિ, સુવર્ણભસ્મ, અભ્રકભસ્મ, લોહભસ્મ અને સુવર્ણમાક્ષિક ભસ્મ – આ 6 ચીજો સરખે ભાગે એક ખરલમાં નાંખી, તેમાં કુંવારપાઠાનો રસ ઉમેરી, 1 દિવસ સુધી ઘૂંટાઈ કર્યા બાદ તેની મગ જેવડી ગોળીઓ વાળી લેવામાં આવે છે. બે વર્ષની વય સુધીના બાળકને  ગોળી; 2થી 5 વર્ષની વય…

વધુ વાંચો >

કુમાર ગંધર્વ

કુમાર ગંધર્વ (જ. 8 એપ્રિલ 1925, સુલેભાવી, જિ. બેલગાંવ; અ. 12 જાન્યુઆરી 1992, દેવાસ, જિ. મધ્યપ્રદેશ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. લિંગાયત પરિવારમાં જન્મ. તેમનું મૂળ નામ શિવપુત્ર સિદ્ધરામય્યા કોમકલી. બાળપણથી જ તેમની સંગીતસાધના શરૂ થઈ હતી. સાત વર્ષની ઉંમરે એક મઠના ગુરુએ તેમને ‘કુમાર ગંધર્વ’ની ઉપાધિ આપી…

વધુ વાંચો >

કુમારગુપ્ત 1લો

કુમારગુપ્ત 1લો (આશરે ઈ. સ. 415થી 456) : મગધના ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ. મહેન્દ્રાદિત્ય તરીકે પણ તે ઓળખાતા. પિતા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, માતા ધ્રુવદેવી. વારસામાં મળેલ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખ્યું. તેમના સિક્કા પર કુમાર કાર્તિકેયની છાપ છે. સિક્કાના અગ્રભાગ પર મોરને ચણ આપતા રાજાની છાપ છે. પૃષ્ઠભાગ પર કાર્તિકેય મયૂરારૂઢ છે. લખાણમાં…

વધુ વાંચો >

કુમારગુપ્ત 2જો

કુમારગુપ્ત 2જો (ઈ. સ. 473થી ઈ. સ. 476) : ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત કે પુરુગુપ્ત પછી સિંહાસનારૂઢ થયેલો રાજવી. સારનાથની બૌદ્ધ પ્રતિમાની પીઠિકા પર કોતરેલો તેમનો એકમાત્ર અભિલેખ ઉપલબ્ધ છે, જેમાં ગુપ્ત સંવત 154(ઈ. સ. 473)માં એમનું શાસન હોવાનો ઉલ્લેખ છે. આ લેખમાં રાજાની વંશાવળી આપી નથી. સંભવત: એ સ્કંદગુપ્તનો પુત્ર…

વધુ વાંચો >

કુમારગુપ્ત 3જો

કુમારગુપ્ત 3જો (ઈ. સ. 508-509) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્ત પછી મિત્રદેવીથી ઉત્પન્ન થયેલો તેમનો પુત્ર. આ રાજવીની માટીની મુદ્રાઓ નાલંદામાંથી અને ધાતુ-મુદ્રા ભીતરીમાંથી ઉપલબ્ધ થઈ છે. એમના સુવર્ણના સિક્કા પર ‘શ્રી ક્રમાદિત્ય’ એવું એમનું બિરુદ મળે છે. અગાઉના ગુપ્ત સમ્રાટોના સિક્કાની અપેક્ષાએ આ રાજાના સુવર્ણના સિક્કાનું વજન વધારે હતું પરંતુ…

વધુ વાંચો >

કુમારજીવ

કુમારજીવ (જ. 344, કુચી; અ. 413) : પાંચમી સદી સુધી ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રવર્તક કુચીના બૌદ્ધ પંડિત અને તત્વવેત્તા. પિતા કુમારાયણ ભારતીય રાજાના અમાત્ય કુળના હતા. પદનો ત્યાગ કરી તે કુચી ગયા. પાંડિત્ય તથા કુશળતાને કારણે કુચીના રાજપુરોહિત બન્યા અને રાજકુમારી જીવાને પરણ્યા. પુત્રજન્મ પછી માતા જીવા બૌદ્ધ ભિક્ષુણી બન્યાં.…

વધુ વાંચો >

કુમારદાસ

કુમારદાસ (ઈ. સ. આઠમી સદી) : સિંહાલી કવિ અને રાજપુત્ર. રાજા કુમારમણિ યુદ્ધમાં મૃત્યુ પામ્યા તે જ સમયે તેમના પુત્ર, રાજા અને કવિ કુમારદાસનો જન્મ થયો હોવાથી કુમારદાસ શ્રીમેધ અને અગ્રબોધી નામના બે મામા પાસે ઊછરેલા. કુમારદાસ લંકાના રાજા હોવાની અને પોતાના મિત્ર કવિ કાલિદાસના આકસ્મિક મૃત્યુના સમાચારે મિત્ર પાછળ…

વધુ વાંચો >

કુમારદેવી

કુમારદેવી : વૈશાલીના પ્રાચીન પ્રજાતંત્ર રાજ્ય લિચ્છવી કુળની રાજકુમારી. કુમારદેવી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા(લગભગ ઈ. સ. 319થી 330)ની પટ્ટમહિષી હતી. લિચ્છવી રાજકુમારી સાથેના ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન બાદ ગુપ્ત સામ્રાજ્યના ઉત્કર્ષનો પ્રારંભ થયો. આથી આ ઘટનાનું ઇતિહાસમાં વિશેષ મહત્વ છે. સમુદ્રગુપ્તના અલ્લાહાબાદ પ્રશસ્તિલેખમાં એ કુમારદેવીનો પુત્ર હોઈ એને ‘લિચ્છવીઓનો દૌહિત્ર’ કહ્યો…

વધુ વાંચો >

કુમારપાલચરિયં

કુમારપાલચરિયં (કુમારપાલચરિત) (બારમી સદીનો ઉત્તરાર્ધ) : પરમાર્હત કુમારપાળની એક દિવસની જીવનચર્યાનું પ્રાકૃત ભાષામાં કરેલું કાવ્યાત્મક વર્ણન. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે તેમાં શિરમોર સમાન છે, તેમનું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. પોતાના આ મહાવ્યાકરણના પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ તેમણે સૂત્રોમાં આપ્યું છે. આ વ્યાકરણ-સૂત્રોમાં પ્રતિપાદિત…

વધુ વાંચો >

કુનૂર

Jan 5, 1993

કુનૂર : તામિલનાડુ રાજ્યમાં આવેલું હવાખાવાનું સ્થળ. તે 11° 21’ ઉ. અ. અને 76° 46’ પૂ. રે. પર આવેલું છે. નીલગિરિ પર્વતના ટાઇગર શિખર નજીક વસેલું આ સ્થળ વનરાજિથી આચ્છાદિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 1830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનાથી લગભગ અગિયાર કિમી. દૂર ઈશાનમાં સેંટ કેથેરિન જળધોધ આવેલો…

વધુ વાંચો >

કુન્તક

Jan 5, 1993

કુન્તક (950-1050 આસપાસ) : કુન્તક, કુન્તલ કે કુન્તલક વગેરે અભિધાનોથી જાણીતા કાશ્મીરી વિદ્વાન. કાવ્યનો આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં તેમણે પોતાના ગ્રંથનું શીર્ષક ‘વક્રોક્તિજીવિત’ આપ્યું હોવાથી વક્રોક્તિજીવિતકાર તરીકે તે પ્રસિદ્ધ છે. 950 પહેલાં થયેલા રાજશેખરનો કુન્તકે ઉલ્લેખ કર્યો છે અને 1050 પછી થયેલા મહિમ ભટ્ટે કુન્તકનો નામોલ્લેખ કર્યો…

વધુ વાંચો >

કુન્દકુન્દાચાર્ય

Jan 5, 1993

કુન્દકુન્દાચાર્ય (ત્રીજી-ચોથી સદી ?) : અધ્યાત્મપરક શાસ્ત્રગ્રંથોના કર્તા. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ પછી આદરપૂર્વક જેનું નામ લેવામાં આવે છે તે આચાર્ય કુન્દકુન્દ પરંપરા મુજબ પ્રથમ શતાબ્દીમાં થઈ ગયા. પરંતુ વિદ્વાનો તેમને ત્રીજી-ચોથી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું માને છે. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશના કોંડકુંડપુરના નિવાસી હતા. આથી…

વધુ વાંચો >

કુન્દુર્તી આંજનેયુલુ

Jan 5, 1993

કુન્દુર્તી આંજનેયુલુ (જ. 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી. એ આધુનિક તેલુગુ કવિતાના શ્રીગણેશ કરનારાઓમાંના એક હતા. ‘નયાગરા’…

વધુ વાંચો >

કુન્દેરા મિલાન

Jan 5, 1993

કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્ ઝાહરાદા શીરા’ (‘મૅન : ઍ બ્રૉડ…

વધુ વાંચો >

કુન્હીરામન્ કાનાઈ

Jan 5, 1993

કુન્હીરામન્, કાનાઈ (જ. 1937, કેરળ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની યક્ષ અને યક્ષીની આકૃતિઓને આધુનિક અભિગમથી કંડારવા માટે તેઓ જાણીતા છે. તેમણે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં કલાનો અભ્યાસ કર્યો. બ્રિટનની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ઉપલબ્ધ થતાં તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. ત્યાં…

વધુ વાંચો >

કુપરિન ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ

Jan 5, 1993

કુપરિન, ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ (જ. 7 સપ્ટેમ્બર 1870, નરોવખાત; અ. 25 ઑગસ્ટ 1938, લેનિનગ્રાડ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. કુપરિનના પિતા સરકારી નોકર, માતા ઉચ્ચ તાર્તાર કુટુંબમાંથી આવેલાં. પ્રથમ કેડેટ અને ત્યારપછી મિલિટરી શાળામાં રહ્યા પછી કુપરિન લશ્કરી અધિકારી બનેલ. 1894માં લશ્કરમાંથી મરજિયાત નિવૃત્તિ લીધી અને ત્યારપછી કારકુન તરીકે,…

વધુ વાંચો >

કુપવારા

Jan 5, 1993

કુપવારા (Kupwara) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34° 20′ ઉ. અ. અને 74° 20′ પૂ. રે.ની આજુબાજુનો 2,379 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફફરાબાદ, પૂર્વમાં બારામુલા, દક્ષિણે અને પશ્ચિમે મુઝફફરાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કુપવારા શ્રીનગરથી વાયવ્યમાં આશરે…

વધુ વાંચો >

કુપેરિન ફ્રાંસ્વા

Jan 5, 1993

કુપેરિન, ફ્રાંસ્વા (Couperin Francois) (જ. 10 નવેમ્બર 1668, ફ્રાંસ; અ. 11 સપ્ટેમ્બર 1733, ફ્રાંસ) : ફ્રેંચ બરોક-સંગીતકાર. તરુણાવસ્થામાં જ એક ઉત્તમ ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. ફ્રેંચ રાજા લુઈ ચૌદમાએ પોતાનાં બાળકોના સંગીત-શિક્ષણની જવાબદારી કુપેરિનને સોંપી. તેમણે ઑર્ગન માટે સંખ્યાબંધ કૃતિઓ લખી. તેઓ એક ઉત્તમ હાર્પિસ્કૉર્ડ વાદક પણ બન્યા. આ…

વધુ વાંચો >

કુપ્કા ફ્રૅન્ટિસૅક

Jan 5, 1993

કુપ્કા, ફ્રૅન્ટિસૅક (જ. 23 સપ્ટેમ્બર 1871, ઓપો નો (opocono), બોહેમિયા (ચેક રિપબ્લિક); અ. 24 જૂન 1957, પુત્યા (Puteaux), ફ્રાંસ) : અમૂર્ત ચિત્રણાનો પ્રારંભ કરનાર પ્રણેતાઓમાંનો એક. અમૂર્ત ચિત્રણાનો પ્રસાર કરવામાં પણ તેનો ફાળો અગત્યનો છે. પ્રાગ (Prague) અને વિયેના ખાતેની કલાશાળાઓમાં અભ્યાસ કર્યા પછી કુપ્કાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા એકૉલે દ…

વધુ વાંચો >