૫.૦૫

કુનૂરથી કુલકર્ણી દત્તાત્રેય ગુન્ડો

કુનૂર

કુનૂર : તામિલનાડુ રાજ્યમાં આવેલું હવાખાવાનું સ્થળ. તે 11° 21’ ઉ. અ. અને 76° 46’ પૂ. રે. પર આવેલું છે. નીલગિરિ પર્વતના ટાઇગર શિખર નજીક વસેલું આ સ્થળ વનરાજિથી આચ્છાદિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 1830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનાથી લગભગ અગિયાર કિમી. દૂર ઈશાનમાં સેંટ કેથેરિન જળધોધ આવેલો…

વધુ વાંચો >

કુન્તક

કુન્તક (950-1050 આસપાસ) : કુન્તક, કુન્તલ કે કુન્તલક વગેરે અભિધાનોથી જાણીતા કાશ્મીરી વિદ્વાન. કાવ્યનો આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં તેમણે પોતાના ગ્રંથનું શીર્ષક ‘વક્રોક્તિજીવિત’ આપ્યું હોવાથી વક્રોક્તિજીવિતકાર તરીકે તે પ્રસિદ્ધ છે. 950 પહેલાં થયેલા રાજશેખરનો કુન્તકે ઉલ્લેખ કર્યો છે અને 1050 પછી થયેલા મહિમ ભટ્ટે કુન્તકનો નામોલ્લેખ કર્યો…

વધુ વાંચો >

કુન્દકુન્દાચાર્ય

કુન્દકુન્દાચાર્ય (ત્રીજી-ચોથી સદી ?) : અધ્યાત્મપરક શાસ્ત્રગ્રંથોના કર્તા. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ પછી આદરપૂર્વક જેનું નામ લેવામાં આવે છે તે આચાર્ય કુન્દકુન્દ પરંપરા મુજબ પ્રથમ શતાબ્દીમાં થઈ ગયા. પરંતુ વિદ્વાનો તેમને ત્રીજી-ચોથી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું માને છે. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશના કોંડકુંડપુરના નિવાસી હતા. આથી…

વધુ વાંચો >

કુન્દુર્તી આંજનેયુલુ

કુન્દુર્તી આંજનેયુલુ (જ. 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી. એ આધુનિક તેલુગુ કવિતાના શ્રીગણેશ કરનારાઓમાંના એક હતા. ‘નયાગરા’…

વધુ વાંચો >

કુન્દેરા મિલાન

કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્ ઝાહરાદા શીરા’ (‘મૅન : ઍ બ્રૉડ…

વધુ વાંચો >

કુન્હીરામન્ કાનાઈ

કુન્હીરામન્, કાનાઈ (જ. 1937, કેરળ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની યક્ષ અને યક્ષીની આકૃતિઓને આધુનિક અભિગમથી કંડારવા માટે તેઓ જાણીતા છે. તેમણે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં કલાનો અભ્યાસ કર્યો. બ્રિટનની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ઉપલબ્ધ થતાં તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. ત્યાં…

વધુ વાંચો >

કુપરિન ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ

કુપરિન, ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ (જ. 7 સપ્ટેમ્બર 1870, નરોવખાત; અ. 25 ઑગસ્ટ 1938, લેનિનગ્રાડ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. કુપરિનના પિતા સરકારી નોકર, માતા ઉચ્ચ તાર્તાર કુટુંબમાંથી આવેલાં. પ્રથમ કેડેટ અને ત્યારપછી મિલિટરી શાળામાં રહ્યા પછી કુપરિન લશ્કરી અધિકારી બનેલ. 1894માં લશ્કરમાંથી મરજિયાત નિવૃત્તિ લીધી અને ત્યારપછી કારકુન તરીકે,…

વધુ વાંચો >

કુપવારા

કુપવારા (Kupwara) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34° 20′ ઉ. અ. અને 74° 20′ પૂ. રે.ની આજુબાજુનો 2,379 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફફરાબાદ, પૂર્વમાં બારામુલા, દક્ષિણે અને પશ્ચિમે મુઝફફરાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કુપવારા શ્રીનગરથી વાયવ્યમાં આશરે…

વધુ વાંચો >

કુપેરિન ફ્રાંસ્વા

કુપેરિન, ફ્રાંસ્વા (Couperin Francois) (જ. 10 નવેમ્બર 1668, ફ્રાંસ; અ. 11 સપ્ટેમ્બર 1733, ફ્રાંસ) : ફ્રેંચ બરોક-સંગીતકાર. તરુણાવસ્થામાં જ એક ઉત્તમ ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. ફ્રેંચ રાજા લુઈ ચૌદમાએ પોતાનાં બાળકોના સંગીત-શિક્ષણની જવાબદારી કુપેરિનને સોંપી. તેમણે ઑર્ગન માટે સંખ્યાબંધ કૃતિઓ લખી. તેઓ એક ઉત્તમ હાર્પિસ્કૉર્ડ વાદક પણ બન્યા. આ…

વધુ વાંચો >

કુપ્કા ફ્રૅન્ટિસૅક

કુપ્કા, ફ્રૅન્ટિસૅક (જ. 23 સપ્ટેમ્બર 1871, ઓપો નો (opocono), બોહેમિયા (ચેક રિપબ્લિક); અ. 24 જૂન 1957, પુત્યા (Puteaux), ફ્રાંસ) : અમૂર્ત ચિત્રણાનો પ્રારંભ કરનાર પ્રણેતાઓમાંનો એક. અમૂર્ત ચિત્રણાનો પ્રસાર કરવામાં પણ તેનો ફાળો અગત્યનો છે. પ્રાગ (Prague) અને વિયેના ખાતેની કલાશાળાઓમાં અભ્યાસ કર્યા પછી કુપ્કાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા એકૉલે દ…

વધુ વાંચો >

કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ)

Jan 5, 1993

કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ) આશરે (ઈ. સ. 1185) : પ્રાકૃત કથાગ્રંથ. તેના કર્તા આચાર્ય સોમપ્રભસૂરિ છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને ચાલુક્યવંશી રાજા કુમારપાળે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે આ કૃતિનો મુખ્ય વિષય છે. આ કથાગ્રંથની રચના કુમારપાળના મૃત્યુનાં અગિયાર વર્ષ પછી થઈ. તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…

વધુ વાંચો >

કુમારપાળ

Jan 5, 1993

કુમારપાળ (શાસનકાળ : 1142-1172) : ગુજરાતના સોલંકી વંશનો મહાન રાજવી અને જૈન ધર્મનો પ્રસિદ્ધ પ્રભાવક. એ ભીમદેવ બકુલાદેવીના પ્રપૌત્ર ત્રિભુવનપાલનો જ્યેષ્ઠ પુત્ર હતો. સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકાર કુમારપાળને મળ્યો, ત્યારે એ 50 વર્ષની પ્રૌઢ વયનો હતો. એને ગાદી અપાવવામાં મદદ કરનાર બનેવી કૃષ્ણદેવ આપખુદ બનતાં એને શિક્ષા કરી. શાકંભરીના ચાહમાન રાજા…

વધુ વાંચો >

કુમારપ્પા જે. સી.

Jan 5, 1993

કુમારપ્પા, જે. સી. (જ. 4 જાન્યુઆરી 1892, તંજાવુર, તામિલનાડુ; અ. 30 જાન્યુઆરી 1960, ગાંધીનિકેતન આશ્રમ, કલ્લુપરી, જિ. મદુરાઈ) : વિખ્યાત ગાંધીવાદી અર્થશાસ્ત્રી, રચનાત્મક કાર્યકર તથા પાયાની કેળવણીના પ્રખર હિમાયતી. મધ્યમ વર્ગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ. પિતા એસ. ડી. કૉર્નેલિયસ જાહેર બાંધકામ ખાતામાં અધિકારી. માતાનું નામ એસ્થર રાજનાયકમ્. તેમનું ભારતીય નામ ચેલ્લાદુરાઈ…

વધુ વાંચો >

કુમાર વ્યાસ

Jan 5, 1993

કુમાર વ્યાસ (જ. 1430, ગદગુ, જિ. ધારવાડ) : કન્નડના પ્રતિભાવાન કવિ. તેઓ પંડિતોની સાથે સાથે સામાન્ય જનતાના પણ પ્રિય કવિ હતા. એમનું ‘મહાભારત’ આજે પણ કર્ણાટકના ગામેગામમાં વંચાય છે અને ગવાય છે. કુમાર વ્યાસનું પોતાનું નામ હતું નારણપ્પા. ગદગુના ભગવાન વીર નારાયણના સાન્નિધ્યમાં તેમણે પોતાનું મહાકાવ્ય રચ્યું છે. કુમાર વ્યાસ…

વધુ વાંચો >

કુમાર શિવ કે.

Jan 5, 1993

કુમાર, શિવ કે. [જ. 1921, લાહોર (હાલ પાકિસ્તાનમાં)] : ભારતીય અંગ્રેજી સાહિત્યના વિદ્વાન સર્જક. તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ટ્રૅપફૉલ્સ ઇન ધ સ્કાય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પહેલાં તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી કેમ્બ્રિજમાં અભ્યાસ કરી અંગ્રેજી સાહિત્યમાં ડૉક્ટરેટ મેળવી. ત્યારબાદ તેમણે સમગ્ર જીવન એક લબ્ધપ્રતિષ્ઠ…

વધુ વાંચો >

કુમારસંભવ

Jan 5, 1993

કુમારસંભવ : મહાકવિ કાલિદાસનાં બે મહાકાવ્યોમાંનું એક. કૃતિના અભિધાન અનુસાર તેમાં શિવ-પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયની જન્મકથા નિરૂપાઈ છે. મહાકાવ્યનું ‘तत्रैको नायकः सुरः’ – ‘તેમાં કોઈ એક દેવ નાયક હોય છે’ એ લક્ષણ આ મહાકાવ્યના આધારે નિશ્ચિત થયું લાગે છે. કથા અનુસાર બ્રહ્મા પાસેથી વરદાન મેળવી દુર્જય બનેલો તારક નામે અસુર…

વધુ વાંચો >

કુમારસ્વામી

Jan 5, 1993

કુમારસ્વામી (પંદરમી સદી પૂર્વાર્ધ) : પ્રસિદ્ધ ટીકાકાર મલ્લિનાથના પુત્ર, તેમણે વિદ્યાનાથના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથ ‘પ્રતાપરુદ્દીય’ ઉપર ‘રત્નાપણ’ નામે ટીકા રચી છે. કુમારસ્વામીએ પોતાની ટીકામાં અનેક ઉદ્ધરણો આપ્યાં છે, જેમાં શૃંગારતિલક, એકાવલી, સાહિત્યદર્પણ, રસાર્ણવસુધાકર, ભાવપ્રકાશ અને મલ્લિનાથની ટીકા વગેરેનો સમાવેશ થાય છે. તપસ્વી નાન્દી

વધુ વાંચો >

કુમારસ્વામી આનંદકેંટિશ

Jan 5, 1993

કુમારસ્વામી, આનંદકેંટિશ (જ. 22 ઑગસ્ટ 1877, કોલંબો, શ્રીલંકા; અ. 8 સપ્ટેમ્બર 1947, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : પૂર્વની કલાના વિશ્વવિખ્યાત સંશોધક અને વિદ્વાન ભાષ્યકાર. એમનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં થયેલું. શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી. તે ભૂસ્તરવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી 1903થી 1906 સુધી શ્રીલંકાની ખનિજવિજ્ઞાન સર્વેક્ષણ સંસ્થાના સંચાલક હતા. આ ત્રણ વર્ષો દરમિયાન તે…

વધુ વાંચો >

કુમારિકાતીર્થ

Jan 5, 1993

કુમારિકાતીર્થ : સ્કંદપુરાણના કુમારિકાખંડમાં ઉલ્લેખાયેલું મહી નદીના સાગર સંગમ પાસેનું કામ્યનગર. આ નગરનું પ્રાચીન નામ તે સ્તંભતીર્થ (વધુ સાચું તો  स्कम्भतीर्थ ખંભાત). એને જ ‘ગુપ્તક્ષેત્ર’ કે ‘કુમારિકાક્ષેત્ર’ પણ કહેવામાં આવે છે. ‘પૅરિપ્લસ’ નામની ભૂગોળમાં ઈ. સ.ની પહેલી સદી આસપાસના મુસાફરે આ પુણ્યતીર્થને ‘કૌમાર’ નામથી બતાવ્યું છે. (ભારતવર્ષના તદ્દન દક્ષિણ છેડે…

વધુ વાંચો >

કુમારિલ ભટ્ટ

Jan 5, 1993

કુમારિલ ભટ્ટ (પૂ. મી.) (સાતમી સદી ઉત્તરાર્ધ) (Oસ્વામી, Oમિશ્ર, Oભટ્ટપાદ) : પ્રાચીન બ્રાહ્મણધર્મ અને કર્મકાંડના પ્રબળ પુરસ્કર્તા મીમાંસક. દંતકથાના આધારે તેમના જીવન અંગેની માહિતી મળે છે. ઉત્તર બિહાર(સંભવત: મિથિલા)માં બ્રાહ્મણકુળમાં જન્મ. પિતા યજ્ઞેશ્વર ભટ્ટ અને માતા ચંદ્રગુણા. જયમિશ્ર તેમનો પુત્ર હતો. બુદ્ધાચાર્ય પાસે બૌદ્ધ સિદ્ધાંતો શીખ્યા હતા. પ્રભાકરમિશ્ર, મંડનમિશ્ર અને…

વધુ વાંચો >