૪.૨૭

કાર્યસર્દશતાથી કાલ્ડર, ઍલેક્ઝાન્ડર સ્ટર્લિન્ગ

કાર્યસર્દશતા (analogous action)

કાર્યસર્દશતા (analogous action) : ઉદભવ અને રચનામાં ભિન્નતા અને કાર્યમાં સામ્ય દર્શાવતાં અંગોની પ્રવૃત્તિ. આવી રચનાઓને કાર્યસર્દશ રચનાઓ કહે છે. (1) વિહગ અને કીટકોમાં પાંખોનો ઉદભવ અને વિકાસ જુદાં જુદાં હોય છે, પરંતુ આ અંગો ઉડ્ડયનના કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. વિહગમાં પાંખો અગ્ર ઉપાંગનું રૂપાંતર છે, જ્યારે કીટકોમાં તે…

વધુ વાંચો >

કાર્યસંવૃદ્ધિ (job-enrichment)

કાર્યસંવૃદ્ધિ (job-enrichment) : જે કાર્યમાં વિપુલ પ્રમાણમાં વિવિધતા રહેલી હોય, જેમાં ઉચ્ચસ્તરનું જ્ઞાન તથા નિપુણતાની આવશ્યકતા હોય અને જેમાં કારીગરને વધુ સ્વાયત્તતા તથા જવાબદારી સોંપાતી હોય તેવા કાર્યનું આયોજન. ઐતિહાસિક ર્દષ્ટિએ 1940 સુધી વધુ અને વધુ વિશિષ્ટ કાર્યો (specialised jobs) કરવા તરફ વલણ વધતું ગયેલું હતું. ત્યારપછીથી અતિવિશિષ્ટીકરણ (overspecialisation) નહિ…

વધુ વાંચો >

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા : સંસ્થા, પેઢી, ઉદ્યોગ, સંગઠન કે તેવા કોઈ એકમની સમગ્ર કારીગરીનાં આયોજન, સંકલન અને નિયમનની વહીવટી પ્રક્રિયા. વિવિધ પ્રકારના એકમના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા માટે અસરકારક, સમયસર, હેતુલક્ષી અને વસ્તુનિષ્ઠ નિર્ણયો લેવા આવશ્યક હોય છે; તેના કાર્યક્ષમ અમલ માટે સંચાર કે માહિતી-વ્યવસ્થા દ્વારા કેન્દ્રીકૃત અથવા વિકેન્દ્રિત પદ્ધતિએ વહીવટ ચલાવવા માટે…

વધુ વાંચો >

કાર્લ, જેરોમ

કાર્લ, જેરોમ (જ. 18 જૂન 1918, ન્યૂયૉર્ક) : અમેરિકન રસાયણશાસ્ત્રી અને સ્ફટિકવિજ્ઞ (crystallographer) તથા હર્બર્ટ એ હૉપ્ટમૅન સાથે 1985ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કાર્લ અને હૉપ્ટમૅન બંને સહાધ્યાયીઓ હતા અને તેઓ 1937માં ન્યૂયૉર્કની સિટી કૉલેજમાંથી એક અન્ય નોબેલ પારિતોષિક (1959) વિજેતા આર્થર કૉર્નબર્ગ સાથે સ્નાતક થયા હતા. 1938માં કાર્લે હાર્વર્ડ અને…

વધુ વાંચો >

કાર્લફેત, એરિક એક્સેલ

કાર્લફેત, એરિક એક્સેલ (જ. 20 જુલાઈ 1864, ફોકર્ના; અ. 8 એપ્રિલ 1931, સ્ટૉકહોમ) : સ્વીડિશ કવિ. 1918માં તેમણે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કરેલો. 1931માં આ પારિતોષિક તેમને મરણોત્તર મળેલું. પ્રાદેશિક, પરંપરાગત રચનાઓ દ્વારા તે ખૂબ જાણીતા બન્યા હતા. કાર્લફેતના સમગ્ર જીવન પર પોતાના ગ્રામીણ વતનના ખેડૂત-સમાજની સંસ્કૃતિની ખૂબ જ…

વધુ વાંચો >

કાર્લ રીટર

કાર્લ રીટર (જ. 1779, ક્વેડિંગબર્ગ, જર્મની; અ. 1859) : વિખ્યાત જર્મન ભૂગોળવેત્તા તથા આધુનિક ભૂગોળવિજ્ઞાનના અગ્રેસર. શરૂઆતનું શિક્ષણ ગોથા પાસેના શુએફેન્થાલ ખાતે. ત્યાં તેમના પર જર્મન દાર્શનિક જોહાન ગૉટફ્રીડ વૉન હર્ડર, ફ્રેંચ દાર્શનિક રૂસો તથા સ્વિટ્ઝર્લૅન્ડના જાણીતા શિક્ષણવિદ્ જોહાન હેન્રિચ પેસ્ટાલોઝીની વિચારસરણીનો પ્રભાવ પડ્યો. માનવ અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક, જન્મજાત…

વધુ વાંચો >

કાર્લસન, ઍરવિડ

કાર્લસન, ઍરવિડ (જ. 25 જાન્યુઆરી 1923, ઉપ્સલા, સ્વીડન) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ઔષધગુણવિજ્ઞાની (pharmacologist). તેમણે 1951માં યુનિવર્સિટી ઑવ્ લૂન્ડ, સ્વીડનમાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી, જ્યાં જુદાં જુદાં પદસ્થાનો પર તેમણે શૈક્ષણિક કાર્ય કર્યું. 1959માં તે ગૂટેનબર્ગ યુનિવર્સિટીમાં ઔષધગુણવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. મનુષ્યના મગજમાં 100 અબજ કરતાં વધારે ચેતાકોષો હોય…

વધુ વાંચો >

કાર્લ સ્નાર્ફ

કાર્લ સ્નાર્ફ : જર્મન વનસ્પતિવિદોની પરંપરામાં અજોડ ગણાતા ગર્ભવિજ્ઞાની. વિયેનામાં અભ્યાસ કરીને વિશ્વવિદ્યાલયમાં તે પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્કમાં રહેવા તે વિશ્વવિદ્યાલયથી ઘર સુધી જવાઆવવા વાહન વાપરતા નહિ. તે 1929-1941 સુધી અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્ત રહેલા. પુષ્પની બાહ્યાકારવિદ્યાને જાતીય ર્દષ્ટિએ નિહાળી 1936માં અંદરની રચના, જેવી કે પરાગરજ, ગર્ભપુટ (embryo sac),…

વધુ વાંચો >

કાર્લાઇલ, ટૉમસ

  કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…

વધુ વાંચો >

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે. કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં.…

વધુ વાંચો >

કાલાબુરાગી

Jan 27, 1992

કાલાબુરાગી : જુઓ ગુલબર્ગ

વધુ વાંચો >

કાલાવડ

Jan 27, 1992

કાલાવડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના દસ પૈકીનો એક તાલુકો અને તે જ નામનું તાલુકામથક. તાલુકાનું ક્ષેત્રફળ 12,445 ચોકિમી. કાલાવડ 22o 10′ ઉ. અ. અને 70o 20′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 106 ગામ આવેલાં છે. તાલુકાની ઉત્તરે જામનગર અને ધ્રોળ તાલુકા, પૂર્વે અને દક્ષિણે રાજકોટ જિલ્લો…

વધુ વાંચો >

કાલાસ, મારિયા

Jan 27, 1992

કાલાસ, મારિયા (જ. 2 ડિસેમ્બર 1923, ન્યૂયૉર્ક નગર, યુ.એસ.; અ. 16 સપ્ટેમ્બર 1977, પૅરિસ, ફ્રાંસ) : ઑપેરાની વિખ્યાત શાસ્ત્રીય સોપ્રાનો(ઊંચા તાર સપ્તકોમાં)-ગાયિકા. મૂળ નામ મારિયા સેસિલિયા સોફિયા આના કાલોગેરોપૂલૉસ. માતા સાથે 1937માં અમેરિકા છોડી મારિયા ગ્રીસ ગઈ અને ત્યાં ઍથેન્સ કૉન્ઝર્વેટરીમાં સોપ્રાનો-ગાયિકા એલ્વિરા દે હિદાલ્યો હેઠળ સોપ્રાનો-ગાયનનો અભ્યાસ કર્યો. ઍથેન્સમાં…

વધુ વાંચો >

કાલાહંડી

Jan 27, 1992

કાલાહંડી : ઓડિસા રાજ્યમાં સંબલપુર અને નવાપરાના કેટલાક ભૂમિભાગોને જોડીને રચવામાં આવેલો જિલ્લો. આ રાજ્યની અગત્યની નદી ગોદાવરી અને ટેલ નદીની શાખા મહાનદીને કારણે આ પ્રદેશમાં કાંપનું ફળદ્રૂપ મેદાન બનેલું છે. સાથે સાથે આ જિલ્લામાં ભવાનીપટણા અને જૂનાગઢ જિલ્લાનો ફળદ્રૂપ મેદાની પ્રદેશ ઉમેરાયેલો હોવાથી અહીં ડાંગર, તમાકુ, ઘઉં અને તેલીબિયાંની…

વધુ વાંચો >

કાલિક્રાટેસ

Jan 27, 1992

કાલિક્રાટેસ (ઈ. પૂ. પાંચમી સદી) : પ્રાચીન ગ્રીક સ્થપતિ. એક્રોપૉલિસ ખાતે દેવી ઍથિના નાઇકીનાં અને સ્થપતિ ઇક્ટિનૂસ સાથે પાર્થેનૉનનાં મંદિરોની ડિઝાઇન તેણે કરેલી. એક્રોપૉલિસ ખાતેનું દેવી ઍથિના નાઇકીનું મંદિર કાલિક્રાટોસે ગ્રીક સ્થાપત્યની આયૉનિક શૈલીમાં ડિઝાઇન કર્યું છે. આ મંદિરનું બાંધકામ ઈ. પૂ. 427માં શરૂ થયું અને ઈ. પૂ. 424માં પૂર્ણ…

વધુ વાંચો >

કાલિદાસ

Jan 27, 1992

કાલિદાસ : સંસ્કૃતના પ્રથિતયશ કવિ અને નાટ્યકાર. સંસ્કૃતમાં એમની કક્ષાનો કવિ હજી સુધી થયો નથી. એમની રસાર્દ્ર કૃતિઓએ એમને વૈશ્વિક કવિની ભૂમિકા પર મૂક્યા છે. સંસ્કૃતના અનેક કવિઓની જેમ કાલિદાસે પોતાને વિશે કશુંય કહ્યું નથી. કવિની કાવ્યમાધુરીમાં મગ્ન રસિકવર્ગ પણ કવિના દેશકાલ વિશે કહેવાનું વીસરી ગયો. પરિણામે કાલિદાસના વ્યક્તિત્વ અને…

વધુ વાંચો >

કાલિનિકૉવ, વાસિલી

Jan 27, 1992

કાલિનિકૉવ, વાસિલી (જ. 13 જાન્યુઆરી 1866, ગામ વોઇન, ઑરેલ જિલ્લો, રશિયા; અ. 11 જાન્યુઆરી 1901, પૅરિસ, ફ્રાંસ) : રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. બાળપણમાં કાલિનિકૉવનું ઘર સંગીતના જલસાથી હંમેશાં ગુંજતું રહેતું. પહેલેથી જ તેમને સંગીતમાં ખૂબ રસ હતો અને કોન્ચર્તિના વાજિંત્ર વગાડવું શરૂ કરેલું. કાલિનિકૉવે સાંભળવા મળતાં રશિયન લોકગીતોની સૂરાવલિઓને કોન્ચર્તિના…

વધુ વાંચો >

કાલિનીનગ્રાડ

Jan 27, 1992

કાલિનીનગ્રાડ : રશિયાનું એ જ નામના જિલ્લાનું રાજકીય અને વહીવટી મથક અને બંદર. તેનું જૂનું નામ કોનીસબર્ગ છે. ભૌગોલિક સ્થાન : 54o 43’ ઉ. અ. અને 20o 30’ પૂ. રે.. તે પ્રેગલ નદીને કાંઠે તેમજ વિસ્તુલા ખાડીસરોવરના મૂળ પર વસેલું છે. 1945ના પોસ્ટડામ કરાર અન્વયે બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ પ્રશિયાના…

વધુ વાંચો >

કાલિનીન, મિખાઇલ ઇવાનોવિચ

Jan 27, 1992

કાલિનીન, મિખાઇલ ઇવાનોવિચ (જ. 19 નવેમ્બર, 1875, વરખનયાયા, ટ્રૉઇટસા; અ. 3 જૂન 1945, મૉસ્કો) : રશિયાના ક્રાંતિકારી નેતા અને રાજદ્વારી મુત્સદ્દી. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા પછી 1893માં સેન્ટ પિટર્સબર્ગ ખાતેના ધાતુના કારખાનામાં તાલીમાર્થી કામદાર તરીકે જોડાયા. 1898માં રિવૉલ્યૂશનરી સોશિયલ ડેમોક્રેટિક વર્કર્સ પાર્ટીના પ્રથમ ટેકેદારોમાં તે પણ હતા. 1899માં દસ…

વધુ વાંચો >

કાલિન્જર

Jan 27, 1992

કાલિન્જર : ઉત્તર પ્રદેશના ભાગરૂપ બુંદેલખંડના બાંદા જિલ્લામાં 1230 ફૂટ ઊંચી પહાડી પરનો અજેય ગણાતો કિલ્લો. ચંદેલા રાજા ચંદ્રવર્માએ આ દુર્ગ બંધાવ્યો હતો અને કીર્તિવર્માએ તેનો વિસ્તાર કર્યો હતો. 1202માં કુત્બ-ઉદ્-દીને કાલિન્જર ઉપર હુમલો કરી, બુંદેલા રાજા પરમર્દીના પ્રધાન અજયદેવને પાણીની તંગીને કારણે હાર સ્વીકારવા ફરજ પાડી હતી. શેરશાહ સુરે…

વધુ વાંચો >