૪.૨૭
કાર્યસર્દશતાથી કાલ્ડર, ઍલેક્ઝાન્ડર સ્ટર્લિન્ગ
કાર્યસર્દશતા (analogous action)
કાર્યસર્દશતા (analogous action) : ઉદભવ અને રચનામાં ભિન્નતા અને કાર્યમાં સામ્ય દર્શાવતાં અંગોની પ્રવૃત્તિ. આવી રચનાઓને કાર્યસર્દશ રચનાઓ કહે છે. (1) વિહગ અને કીટકોમાં પાંખોનો ઉદભવ અને વિકાસ જુદાં જુદાં હોય છે, પરંતુ આ અંગો ઉડ્ડયનના કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. વિહગમાં પાંખો અગ્ર ઉપાંગનું રૂપાંતર છે, જ્યારે કીટકોમાં તે…
વધુ વાંચો >કાર્યસંવૃદ્ધિ (job-enrichment)
કાર્યસંવૃદ્ધિ (job-enrichment) : જે કાર્યમાં વિપુલ પ્રમાણમાં વિવિધતા રહેલી હોય, જેમાં ઉચ્ચસ્તરનું જ્ઞાન તથા નિપુણતાની આવશ્યકતા હોય અને જેમાં કારીગરને વધુ સ્વાયત્તતા તથા જવાબદારી સોંપાતી હોય તેવા કાર્યનું આયોજન. ઐતિહાસિક ર્દષ્ટિએ 1940 સુધી વધુ અને વધુ વિશિષ્ટ કાર્યો (specialised jobs) કરવા તરફ વલણ વધતું ગયેલું હતું. ત્યારપછીથી અતિવિશિષ્ટીકરણ (overspecialisation) નહિ…
વધુ વાંચો >કાર્યાલય-સંચાલનવ્યવસ્થા
કાર્યાલય-સંચાલનવ્યવસ્થા : સંસ્થા, પેઢી, ઉદ્યોગ, સંગઠન કે તેવા કોઈ એકમની સમગ્ર કારીગરીનાં આયોજન, સંકલન અને નિયમનની વહીવટી પ્રક્રિયા. વિવિધ પ્રકારના એકમના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા માટે અસરકારક, સમયસર, હેતુલક્ષી અને વસ્તુનિષ્ઠ નિર્ણયો લેવા આવશ્યક હોય છે; તેના કાર્યક્ષમ અમલ માટે સંચાર કે માહિતી-વ્યવસ્થા દ્વારા કેન્દ્રીકૃત અથવા વિકેન્દ્રિત પદ્ધતિએ વહીવટ ચલાવવા માટે…
વધુ વાંચો >કાર્લ, જેરોમ
કાર્લ, જેરોમ (જ. 18 જૂન 1918, ન્યૂયૉર્ક) : અમેરિકન રસાયણશાસ્ત્રી અને સ્ફટિકવિજ્ઞ (crystallographer) તથા હર્બર્ટ એ હૉપ્ટમૅન સાથે 1985ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કાર્લ અને હૉપ્ટમૅન બંને સહાધ્યાયીઓ હતા અને તેઓ 1937માં ન્યૂયૉર્કની સિટી કૉલેજમાંથી એક અન્ય નોબેલ પારિતોષિક (1959) વિજેતા આર્થર કૉર્નબર્ગ સાથે સ્નાતક થયા હતા. 1938માં કાર્લે હાર્વર્ડ અને…
વધુ વાંચો >કાર્લફેત, એરિક એક્સેલ
કાર્લફેત, એરિક એક્સેલ (જ. 20 જુલાઈ 1864, ફોકર્ના; અ. 8 એપ્રિલ 1931, સ્ટૉકહોમ) : સ્વીડિશ કવિ. 1918માં તેમણે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કરેલો. 1931માં આ પારિતોષિક તેમને મરણોત્તર મળેલું. પ્રાદેશિક, પરંપરાગત રચનાઓ દ્વારા તે ખૂબ જાણીતા બન્યા હતા. કાર્લફેતના સમગ્ર જીવન પર પોતાના ગ્રામીણ વતનના ખેડૂત-સમાજની સંસ્કૃતિની ખૂબ જ…
વધુ વાંચો >કાર્લ રીટર
કાર્લ રીટર (જ. 1779, ક્વેડિંગબર્ગ, જર્મની; અ. 1859) : વિખ્યાત જર્મન ભૂગોળવેત્તા તથા આધુનિક ભૂગોળવિજ્ઞાનના અગ્રેસર. શરૂઆતનું શિક્ષણ ગોથા પાસેના શુએફેન્થાલ ખાતે. ત્યાં તેમના પર જર્મન દાર્શનિક જોહાન ગૉટફ્રીડ વૉન હર્ડર, ફ્રેંચ દાર્શનિક રૂસો તથા સ્વિટ્ઝર્લૅન્ડના જાણીતા શિક્ષણવિદ્ જોહાન હેન્રિચ પેસ્ટાલોઝીની વિચારસરણીનો પ્રભાવ પડ્યો. માનવ અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક, જન્મજાત…
વધુ વાંચો >કાર્લસન, ઍરવિડ
કાર્લસન, ઍરવિડ (જ. 25 જાન્યુઆરી 1923, ઉપ્સલા, સ્વીડન) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ઔષધગુણવિજ્ઞાની (pharmacologist). તેમણે 1951માં યુનિવર્સિટી ઑવ્ લૂન્ડ, સ્વીડનમાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી, જ્યાં જુદાં જુદાં પદસ્થાનો પર તેમણે શૈક્ષણિક કાર્ય કર્યું. 1959માં તે ગૂટેનબર્ગ યુનિવર્સિટીમાં ઔષધગુણવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. મનુષ્યના મગજમાં 100 અબજ કરતાં વધારે ચેતાકોષો હોય…
વધુ વાંચો >કાર્લ સ્નાર્ફ
કાર્લ સ્નાર્ફ : જર્મન વનસ્પતિવિદોની પરંપરામાં અજોડ ગણાતા ગર્ભવિજ્ઞાની. વિયેનામાં અભ્યાસ કરીને વિશ્વવિદ્યાલયમાં તે પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્કમાં રહેવા તે વિશ્વવિદ્યાલયથી ઘર સુધી જવાઆવવા વાહન વાપરતા નહિ. તે 1929-1941 સુધી અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્ત રહેલા. પુષ્પની બાહ્યાકારવિદ્યાને જાતીય ર્દષ્ટિએ નિહાળી 1936માં અંદરની રચના, જેવી કે પરાગરજ, ગર્ભપુટ (embryo sac),…
વધુ વાંચો >કાર્લાઇલ, ટૉમસ
કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…
વધુ વાંચો >કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય
કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે. કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં.…
વધુ વાંચો >કાલવાદ
કાલવાદ : ભારતીય દર્શનો અનુસાર કાલ વિશે પ્રવર્તતા વિભિન્ન મતો. કાલનું મહત્વ સામાન્ય માનવ સ્વીકારે છે તેમ તત્વચિંતકોએ પણ તેને વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરી છે. કુદરતમાં બધું કાલ અનુસાર જ થાય છે; માનવજીવનમાં પણ કાલ અનુસાર પરિવર્તન આવ્યા કરે છે. અથર્વવેદ(19.53, 54)માં કાલને પ્રજાપતિની જેમ પરમ સર્જક-ઉત્પાદક શક્તિ માનીને તેની…
વધુ વાંચો >કાલવિચાર (આયુર્વેદ)
કાલવિચાર (આયુર્વેદ) : કાલના પરિમાણનો વિચાર. કાળ વિશેનો તાત્વિક વિચાર મુખ્યત્વે ‘કણાદ’ મહર્ષિના વૈશેષિક દર્શનમાં પ્રાપ્ત થાય છે. ન્યાયદર્શનમાં પણ કાળત્રયનો વિચાર કરેલ છે. વૈશેષિક દર્શનમાં કાળનો વિચાર કરેલ છે તે પ્રમાણે જ બીજાં શાસ્ત્રોએ અનુકરણ કરેલ છે. વૃદ્ધત્વ, તારુણ્ય, યૌગપદ્ય, ચિરત્વ તથા શીઘ્રત્વ – આ ‘કાળજ્ઞાપક’ લક્ષણો છે. વૈશેષિકોના…
વધુ વાંચો >કાલવિસ્તરણ
કાલવિસ્તરણ (time dilatation) : વિશિષ્ટ સાપેક્ષવાદ (special theory of relativity) અનુસાર, ઘડિયાળ પરત્વે સાપેક્ષ ગતિ ધરાવતા કોઈ અવલોકનકાર દ્વારા, નિર્ણીત થતું તે ઘડિયાળનું ‘ધીમું પડવું’. ધારો કે કોઈ અવલોકનકાર A જડત્વવાળી પ્રવેગવિહીન ગતિ ધરાવે છે. આપેલી કોઈક ઘટના સાથે, કઈ ઘટનાઓ એકીસમયે (simultaneously) ઉદભવે છે તે નિર્ણીત કરવા માટે તેની…
વધુ વાંચો >કાલવૈશાખી (લૂ)
કાલવૈશાખી (લૂ) : ગરમ અને સૂકા પવનો. ભારતમાં 15 માર્ચથી 15 જૂન સુધી ઉનાળાની ગરમ ઋતુ પ્રવર્તે છે. કર્કવૃત્ત ભારતના મધ્યભાગમાંથી પસાર થાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત પર સૂર્યનાં સીધાં કિરણો પડતાં હોવાથી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. આ કારણે ભારતમાં હલકા દબાણનાં કેન્દ્રો ઉદભવે છે. વિશેષે કરીને…
વધુ વાંચો >કાલવ્યુત્ક્રમ
કાલવ્યુત્ક્રમ (anachronism) : ઐતિહાસિક ઘટનાઓમાં ક્રમ ઉલટાવવાથી થતો દોષ. કોઈ પણ વક્તવ્યમાં કે લખાણમાં એના વિષયભૂત ઐતિહાસિક સમયમાં અસ્તિત્વ ન ધરાવતાં (ખાસ કરીને ભૂતકાળનાં) વ્યક્તિ, વસ્તુ, વિચાર, રૂઢિ, રિવાજ કે ઘટનાનું નિરૂપણ થાય ત્યારે આ દોષ ઉદભવે છે. ઉ.ત. ‘જુલિયસ સીઝર’ નાટકમાં શેક્સપિયરે ઘડિયાળમાં પડતા ડંકાનો ઉલ્લેખ કરેલો છે તે…
વધુ વાંચો >કાલવ્રણ
કાલવ્રણ : જુવાર, જામફળ, આંબો જેવા પાકોમાં જોવા મળતો રોગ. જે તે પાકના નામ સાથે આ નામને સાંકળી લેવામાં આવે છે. આંબામાં તે કાળિયાના રોગથી પણ જાણીતો છે. આ રોગ Colletotrichum Spp નામની ફૂગથી થાય છે. વધુ વિગતો જે તે પાકના રોગના વર્ણનમાં આપેલી છે. ભીષ્મદેવ કીશાભાઇ પટેલ
વધુ વાંચો >કાલસર્પયોગ
કાલસર્પયોગ : અત્યંત ચર્ચાયેલો પણ કપોલકલ્પિત મનાયેલો ગ્રહયોગ. લગભગ 1930-1940ના ગાળાથી જ્યોતિષીઓમાં કાલસર્પ નામના અશુભ યોગની ચર્ચા થાય છે. આ યોગ જ્યોતિષશાસ્ત્રના ફલિતવિભાગના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય જોવામાં આવતો નથી. કેટલાક લોકો કપોલકલ્પિત રીતે, પ્રાચીન કાળથી આ યોગ જાણવામાં હતો અને તેનું કેટલાક ગ્રંથોમાં વિવેચન છે એમ પ્રતિપાદન પણ કરે છે,…
વધુ વાંચો >કાલા-આઝાર
કાલા-આઝાર : રેતમાખી (sand fly) દ્વારા ફેલાતા લિશમેનિયા ડોનોવાની નામના પરોપજીવીના ચેપથી થતો રોગ. તેમાં લાંબા સમય સુધી વારંવાર તાવ આવે છે, બરોળ અને યકૃત મોટાં થાય છે, વજન ઘટે છે, ચામડીનો રંગ ગાઢો થાય છે તથા રુધિરકોષઅલ્પતા (pancytopenia – લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો) થવાથી શરીર ફિક્કું, કાળું થઈ જાય…
વધુ વાંચો >કાલાણી, હેમુ
કાલાણી, હેમુ (જ. 23 જાન્યુઆરી 1923, જૂન સખર, સિંધ; અ. 21 જાન્યુઆરી 1943) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન શહીદ થયેલ સિંધી યુવાન. તેનામાં બચપણથી જ રાષ્ટ્રીય ભાવના હતી. કસરતબાજ હેમુ સખરના લેન્સડાઉન પુલ ઉપરથી સિંધુ નદીમાં કૂદી પડતો અને તરીને સામે કિનારે નીકળી જતો. શરીરે ખડતલ તે યુવાન કબડ્ડી રમતનો…
વધુ વાંચો >કાલાનીન મિશેલ મોરીસ
કાલાનીન મિશેલ મોરીસ (જ. 30 જુલાઈ 1914; અ. ?) : ઓલિમ્પિક કાઉન્સિલના એક વખતના પ્રમુખ. કૅમ્બ્રિજની મગડેનેલ કૉલેજમાં ભણીને અનુસ્નાતકની પદવી મેળવી. ચીન-જાપાન યુદ્ધ વખતે 1937-38માં પત્રકાર તરીકેની કામગીરી બજાવી. 1938માં સ્વેચ્છાએ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિગેડમેજર તરીકે કામગીરી અને નોર્મન્ડીના આક્રમણમાં ભાગ લેવા માટે ‘મેમ્બર ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ…
વધુ વાંચો >