૪.૨૭

કાર્યસર્દશતાથી કાલ્ડર, ઍલેક્ઝાન્ડર સ્ટર્લિન્ગ

કાર્યસર્દશતા (analogous action)

કાર્યસર્દશતા (analogous action) : ઉદભવ અને રચનામાં ભિન્નતા અને કાર્યમાં સામ્ય દર્શાવતાં અંગોની પ્રવૃત્તિ. આવી રચનાઓને કાર્યસર્દશ રચનાઓ કહે છે. (1) વિહગ અને કીટકોમાં પાંખોનો ઉદભવ અને વિકાસ જુદાં જુદાં હોય છે, પરંતુ આ અંગો ઉડ્ડયનના કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. વિહગમાં પાંખો અગ્ર ઉપાંગનું રૂપાંતર છે, જ્યારે કીટકોમાં તે…

વધુ વાંચો >

કાર્યસંવૃદ્ધિ (job-enrichment)

કાર્યસંવૃદ્ધિ (job-enrichment) : જે કાર્યમાં વિપુલ પ્રમાણમાં વિવિધતા રહેલી હોય, જેમાં ઉચ્ચસ્તરનું જ્ઞાન તથા નિપુણતાની આવશ્યકતા હોય અને જેમાં કારીગરને વધુ સ્વાયત્તતા તથા જવાબદારી સોંપાતી હોય તેવા કાર્યનું આયોજન. ઐતિહાસિક ર્દષ્ટિએ 1940 સુધી વધુ અને વધુ વિશિષ્ટ કાર્યો (specialised jobs) કરવા તરફ વલણ વધતું ગયેલું હતું. ત્યારપછીથી અતિવિશિષ્ટીકરણ (overspecialisation) નહિ…

વધુ વાંચો >

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા

કાર્યાલય-સંચાલનવ્યવસ્થા : સંસ્થા, પેઢી, ઉદ્યોગ, સંગઠન કે તેવા કોઈ એકમની સમગ્ર કારીગરીનાં આયોજન, સંકલન અને નિયમનની વહીવટી પ્રક્રિયા. વિવિધ પ્રકારના એકમના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા માટે અસરકારક, સમયસર, હેતુલક્ષી અને વસ્તુનિષ્ઠ નિર્ણયો લેવા આવશ્યક હોય છે; તેના કાર્યક્ષમ અમલ માટે સંચાર કે માહિતી-વ્યવસ્થા દ્વારા કેન્દ્રીકૃત અથવા વિકેન્દ્રિત પદ્ધતિએ વહીવટ ચલાવવા માટે…

વધુ વાંચો >

કાર્લ, જેરોમ

કાર્લ, જેરોમ (જ. 18 જૂન 1918, ન્યૂયૉર્ક) : અમેરિકન રસાયણશાસ્ત્રી અને સ્ફટિકવિજ્ઞ (crystallographer) તથા હર્બર્ટ એ હૉપ્ટમૅન સાથે 1985ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કાર્લ અને હૉપ્ટમૅન બંને સહાધ્યાયીઓ હતા અને તેઓ 1937માં ન્યૂયૉર્કની સિટી કૉલેજમાંથી એક અન્ય નોબેલ પારિતોષિક (1959) વિજેતા આર્થર કૉર્નબર્ગ સાથે સ્નાતક થયા હતા. 1938માં કાર્લે હાર્વર્ડ અને…

વધુ વાંચો >

કાર્લફેત, એરિક એક્સેલ

કાર્લફેત, એરિક એક્સેલ (જ. 20 જુલાઈ 1864, ફોકર્ના; અ. 8 એપ્રિલ 1931, સ્ટૉકહોમ) : સ્વીડિશ કવિ. 1918માં તેમણે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કરેલો. 1931માં આ પારિતોષિક તેમને મરણોત્તર મળેલું. પ્રાદેશિક, પરંપરાગત રચનાઓ દ્વારા તે ખૂબ જાણીતા બન્યા હતા. કાર્લફેતના સમગ્ર જીવન પર પોતાના ગ્રામીણ વતનના ખેડૂત-સમાજની સંસ્કૃતિની ખૂબ જ…

વધુ વાંચો >

કાર્લ રીટર

કાર્લ રીટર (જ. 1779, ક્વેડિંગબર્ગ, જર્મની; અ. 1859) : વિખ્યાત જર્મન ભૂગોળવેત્તા તથા આધુનિક ભૂગોળવિજ્ઞાનના અગ્રેસર. શરૂઆતનું શિક્ષણ ગોથા પાસેના શુએફેન્થાલ ખાતે. ત્યાં તેમના પર જર્મન દાર્શનિક જોહાન ગૉટફ્રીડ વૉન હર્ડર, ફ્રેંચ દાર્શનિક રૂસો તથા સ્વિટ્ઝર્લૅન્ડના જાણીતા શિક્ષણવિદ્ જોહાન હેન્રિચ પેસ્ટાલોઝીની વિચારસરણીનો પ્રભાવ પડ્યો. માનવ અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક, જન્મજાત…

વધુ વાંચો >

કાર્લસન, ઍરવિડ

કાર્લસન, ઍરવિડ (જ. 25 જાન્યુઆરી 1923, ઉપ્સલા, સ્વીડન) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ઔષધગુણવિજ્ઞાની (pharmacologist). તેમણે 1951માં યુનિવર્સિટી ઑવ્ લૂન્ડ, સ્વીડનમાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી, જ્યાં જુદાં જુદાં પદસ્થાનો પર તેમણે શૈક્ષણિક કાર્ય કર્યું. 1959માં તે ગૂટેનબર્ગ યુનિવર્સિટીમાં ઔષધગુણવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. મનુષ્યના મગજમાં 100 અબજ કરતાં વધારે ચેતાકોષો હોય…

વધુ વાંચો >

કાર્લ સ્નાર્ફ

કાર્લ સ્નાર્ફ : જર્મન વનસ્પતિવિદોની પરંપરામાં અજોડ ગણાતા ગર્ભવિજ્ઞાની. વિયેનામાં અભ્યાસ કરીને વિશ્વવિદ્યાલયમાં તે પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્કમાં રહેવા તે વિશ્વવિદ્યાલયથી ઘર સુધી જવાઆવવા વાહન વાપરતા નહિ. તે 1929-1941 સુધી અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્ત રહેલા. પુષ્પની બાહ્યાકારવિદ્યાને જાતીય ર્દષ્ટિએ નિહાળી 1936માં અંદરની રચના, જેવી કે પરાગરજ, ગર્ભપુટ (embryo sac),…

વધુ વાંચો >

કાર્લાઇલ, ટૉમસ

  કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…

વધુ વાંચો >

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે. કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં.…

વધુ વાંચો >

કાલગણના (જ્યોતિષ)

Jan 27, 1992

કાલગણના (જ્યોતિષ) : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારના આધારે સમયની ગણતરી કરવાની પ્રાચીન ભારતીય પદ્ધતિ. પૂર્વક્ષિતિજ ઉપર સૂર્ય આવતાં તેને સૂર્યોદય કહીએ છીએ અને પશ્ચિમ ક્ષિતિજ ઉપર ગયા પછી સૂર્ય દેખાતો બંધ થવા માંડે છે તેને સૂર્યાસ્ત કહીએ છીએ. સૂર્યાસ્ત થયા પછી ફરી સૂર્યનો ઉદય થાય તેટલા સમયને રાત્રિ કહીએ…

વધુ વાંચો >

કાલગણના (પુરાતત્ત્વ)

Jan 27, 1992

કાલગણના (પુરાતત્ત્વ) : ભૂતકાળના વૃત્તાન્ત તરીકે ઇતિહાસના બનાવોને સમયના માપદંડમાં મૂકવાની પદ્ધતિ. મનુષ્યના વ્યક્તિગત અને સામૂહિક વ્યવહારોના નિશ્ચય માટે કાલગણના આવશ્યક છે. અન્ય જાતિઓની જેમ, આર્યજાતિઓમાં પણ અતિપ્રાચીન કાળથી કાલગણના પ્રવર્તમાન હતી. વૈદિક આર્યોની પ્રાચીનતમ કાલગણના કલ્પ, મન્વન્તર અને યુગપરક હતી. પૂર્વસૃષ્ટિના વિલય પછી નવસૃષ્ટિનો આરંભ તે કલ્પ. કલ્પમાં મન્વન્તરો…

વધુ વાંચો >

કાલગુર્લી

Jan 27, 1992

કાલગુર્લી : પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. સોનાની સમૃદ્ધ ખાણો માટે આ શહેર વિશ્વભરમાં જાણીતું બનેલું છે. ભૌગોલિક સ્થાન : 30o 45′ દ. અ. અને 121o 28′ પૂ.રે.. ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે આવેલા પર્થ શહેરથી આશરે 600 કિમી.ના અંતરે તે આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ વેરાન અને શુષ્ક છે. તે…

વધુ વાંચો >

કાલ-દીપ્તિ નિયમ

Jan 27, 1992

કાલ-દીપ્તિ નિયમ (Period Luminosity Relation) : જેમના તેજાંકમાં વધઘટ થતી રહે છે તેવા (cepheid) પ્રકારના રૂપવિકારી તારાના આવર્તકાળના અભ્યાસ ઉપરથી તેમનું અંતર જાણવા માટેનો નિયમ. આ નિયમ હેનરિટા લેવિર નામની વૈજ્ઞાનિક મહિલાએ 1912માં તારવ્યો હતો. આ પ્રકારના તારાઓના તેજાંકમાં થતી વધઘટ નિયતકાલીન (periodic) હોય છે. તેમનો આવર્તકાળ તેમના તેજાંકના સમપ્રમાણમાં…

વધુ વાંચો >

કાલપી

Jan 27, 1992

કાલપી : મધ્યપ્રદેશમાં બુંદેલખંડ વિસ્તારમાં યમુના નદીના દક્ષિણકાંઠે આવેલી પ્રાચીન નગરી. ત્યાંના વ્યાસક્ષેત્રને કારણે તે પ્રસિદ્ધ છે. અહીં વેદવ્યાસે પોતાના અમર ગ્રંથોની રચના કર્યાનું મનાય છે. દશમી સદીમાં ચંદેલ્લ રાજાઓનું આધિપત્ય પ્રવર્તતાં કાલપીનો અભ્યુદય થયો. તે યમુના નદી પરનું વેપારી કેન્દ્ર બન્યું. ચંદેલ્લાઓએ અહીં દુર્ગ તેમજ બીજી ઇમારતો બાંધ્યાં. મુઘલ…

વધુ વાંચો >

કાલબેલા (1983)

Jan 27, 1992

કાલબેલા (1983) : જાણીતા બંગાળી નવલકથાકાર સમરેશ મજમુદારની 1984નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા.  એની વિશેષતા એ છે કે એમાં નાયક કાળ છે અને કાળ કેવી રીતે પાત્રોને અને પ્રસંગોને ઘડતો જાય છે તેનું ગતિમાન ચિત્ર કથાકારે આપ્યું છે. કાળ જ બધું કરાવે છે; એનો દોરાયો જ પુરુષ દોરવાય છે.…

વધુ વાંચો >

કાલભોજ

Jan 27, 1992

કાલભોજ (ઈ.સ. 734થી ઈ.સ. 753) : મેવાડના ગુહિલોત વંશનો પ્રતાપી રાજા. તે બાપા રાવળને નામે ઓળખાતો. અભિલેખોમાં આવતી વંશાવળીઓમાં આ નામનો કોઈ રાજા દેખા દેતો નથી. પંડિત ગૌ. હી. ઓઝા બાપારાવળને આ વંશના આઠમા રાજા કાલભોજનું ઉપનામ હોવાનું માને છે, જ્યારે ડૉ. ભાંડારકર એને નવમા રાજા ખુમ્માણ પહેલાનું અપર નામ…

વધુ વાંચો >

કાલમેઘ

Jan 27, 1992

કાલમેઘ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Andrographis paniculata (Burom f.) Wall ex Nees (સં. ભૂનિંબ, ગુ. કરિયાતું, દેશી કરિયાતું, લીલું કરિયાતું, કાલામેથી; હિં. કાલમેઘ, કિરાયત; બં. કાલમેઘ; ક. નેલાબેરુ, મલા. કિરિયાત્તુ, નેલાવેપ્પુ; ત. નીલાવેમ્બુ; તે. નીલાવીમુ; અં. ધ ક્રિએટ) છે. તેના સહસભ્યોમાં કાળી અંઘેડી,…

વધુ વાંચો >

કાલમ્ (1969)

Jan 27, 1992

કાલમ્ (1969) : મલયાલમ સર્જક એમ. ટી. વાસુદેવન નાયરની 1970નો સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા. ‘કાલમ્’નો અર્થ થાય છે સમય. કથાનું વસ્તુ કેરળની સાંપ્રતકાલીન રાજકીય, સામાજિક પરિસ્થિતિ છે, જેમાં બધા વર્ગના લોકોમાં અસહ્ય મોંઘવારી, દેશપ્રેમની ઓટ, કુટુંબનાં બંધનોની શિથિલતા વગેરેને કારણે પ્રવર્તેલી હતાશાનું નિરૂપણ કરાયું છે. કથાનાયક મધ્યમ વર્ગનો છે. એણે…

વધુ વાંચો >

કાલયવન

Jan 27, 1992

કાલયવન : પુરાણકથા અનુસાર એક યવનાધિપતિએ યાદવોના પરાજય માટે ગર્ગમુનિ પાસે ઉત્પન્ન કરાવેલો પુત્ર. તે ઘણો પ્રતાપી અને યાદવોથી જિતાય નહિ એવો હતો. જરાસંધની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી હતી. શ્રીકૃષ્ણને લાગ્યું કે મથુરાવાસીઓ એને હરાવી શકશે નહિ, ત્યારે તેમણે એક યુક્તિ કરી. યુદ્ધમાંથી પોતે નાસી જવાનો દેખાવ…

વધુ વાંચો >