૪.૧૭

કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામથી કાઇહો યુશો

કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ

કંથારિયા, બાલાશંકર ઉલ્લાસરામ (જ. 17 મે 1858, નડિયાદ; અ. 1 એપ્રિલ 1898, નડિયાદ) : ગુજરાતીમાં ગઝલના આદ્યપ્રવર્તક કવિ. વતન નડિયાદ. પિતા મામલતદાર હતા એટલે આર્થિક સ્થિતિ સારી. બાલાશંકર અતિ લાડકોડમાં ઊછરેલા ને નાનપણથી જ મસ્ત પ્રકૃતિના હતા. મૅટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ. કૉલેજના અભ્યાસ માટે એમણે બે વર્ષ એફ. એ.ની પરીક્ષા માટે…

વધુ વાંચો >

કંદ

કંદ (ganglion) : મોટેભાગે કાંડાં, આંગળીઓ, ઢીંચણ, ઘૂંટણ અને પગના પંજાના આગળ અને પાછળના ભાગમાં, સાંધા કે સ્નાયુબંધ(tendon)ની પાસે જોવા મળતી, ચોખ્ખા જિલેટીન જેવા પ્રવાહીથી ઠસોઠસ ભરેલી કોથળીઓનો સોજો. તેમાં દુખાવો થતો નથી. સોજો જ્યાં હોય ત્યાં જ રહે છે, પણ કોઈક વાર એક કંદ બીજા કંદ સાથે સંબંધિત હોવાથી…

વધુ વાંચો >

કંદનો કોહવારો

કંદનો કોહવારો : કંદ ઉપર ફૂગ, જીવાણુઓ વગેરે દ્વારા થતા આક્રમણને કારણે કંદની પેશીઓને થતું નુકસાન. વનસ્પતિ સુષુપ્ત અવસ્થા બાદ જીવનચક્ર ચાલુ રાખવા મૂળ કે થડમાં ખોરાકનો સંગ્રહ કરે છે તે કંદ તરીકે ઓળખાય છે. સૂક્ષ્મ પરોપજીવી જેવાં કે ફૂગ, જીવાણુઓ વગેરે કંદ ઉપર આક્રમણ કરી જરૂરી ખોરાક મેળવે છે,…

વધુ વાંચો >

કંદરિયા મહાદેવ, ખજુરાહો

કંદરિયા મહાદેવ, ખજુરાહો : મધ્યયુગીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકલામાં નોંધપાત્ર સ્થાન ધરાવતું ખજુરાહોનું મંદિર. ખજુરાહો મધ્યભારતના છત્તરપુર જિલ્લામાં 24o 51′ ઉ. અ. અને 80o પૂ. રે. ઉપર મહોબાથી 54 કિમી., છત્તરપુરથી 40 કિમી. અને પન્નાથી ઉત્તરે 38 કિમી. દૂર આવેલું છે. ઈ. સ.ની દસમી-અગિયારમી સદીમાં (950-1050) ચંદેલવંશીય રાજાઓની રાજધાની ખજુરાહોમાં…

વધુ વાંચો >

કંદલિ, માધવ (ચૌદમી-પંદરમી સદી)

કંદલિ, માધવ (ચૌદમી-પંદરમી સદી) : મધ્યકાલીન અસમિયા કવિ. કંદલિ એટલે કવિઓનો રાજા. જન્મ નૌગાવના બ્રાહ્મણ પંડિત પરિવારમાં. એમણે મણિમાણિક્ય રાજા અથવા રાજાના આશ્રિત વરાલી રાજાના આગ્રહને વશ થઈને અસમિયા રામાયણની રચના કરી હતી. રામાયણ ઉપરાંત એમણે ‘દેવજિત’ તથા ‘તામ્રધ્વજ’ કાવ્યોની પણ રચના કરી છે. એમણે રચેલા રામાયણના પાંચ જ ખંડો…

વધુ વાંચો >

કંદહાર

કંદહાર : અફઘાનિસ્તાનના અગ્નિ-ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન : તે 31o 32′ ઉ. અ. અને 65o 30′ પૂ. રે.ની આજુબાજુનો 1,29,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઓટુઝગાન પ્રાંત, પૂર્વે ઝાબોલ પ્રાંત તથા દક્ષિણે હેલમંડ પ્રાંત અને પાકિસ્તાન આવેલાં છે.…

વધુ વાંચો >

કંપ

કંપ (tremor) : આંગળીઓનું અનૈચ્છિક, તાલબદ્ધ (rhythmic) અને લોલકની જેમ આજુબાજુ થતું (oscillatory) પ્રચલન. તે સામસામી દિશામાં કામ કરતા સ્નાયુઓના સંકોચનથી થાય છે અને મગજના કાબૂ બહાર હોય છે. તે ઊંઘમાં શમી જાય છે. અન્ય અનૈચ્છિક પ્રચલનો(movements)થી તેને અલગ પાડવું પડે છે, જેમકે સ્નાયુ-તીવ્ર આકુંચન (myoclonus), ટેવજન્ય આકુંચનો (tic), વીંઝણ…

વધુ વાંચો >

કંપન

કંપન (vibrations) : સ્થિતિસ્થાપક પદાર્થ કે માધ્યમના કણને તેના સમતોલન-સ્થાનમાંથી સ્થાનાંતરિત કરવાથી, તેમાં ઉદભવતાં પુન:સ્થાપક બળ(restoring force)ના પ્રભાવથી થતાં દોલન. તેના બે પ્રકાર છે : (i) પ્રાકૃતિક (natural) મુક્ત (free) કંપન અને (ii) પ્રણોદિત (forced) કંપન. સંહતિ(system)ને વિક્ષોભિત (disturb) કરી, કોઈ પણ પ્રકારના નિયંત્રણ સિવાયની નૈસર્ગિક ગતિ કરવા દેવામાં આવે…

વધુ વાંચો >

કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર)

કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર) : વિદ્યુતપ્રવાહ જાણવા અને માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન (ઉપકરણ). અહીં જેમાં થઈને વિદ્યુતપ્રવાહ પસાર થાય છે તેવા ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. બિનચુંબકીય ધાત્વિક (metallic) ચોકઠા ઉપર અવાહક પડવાળા પાતળા તાંબાના મોટી સંખ્યામાં આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું હોય છે. ચોકઠું અને ગૂંચળું પ્રમાણમાં…

વધુ વાંચો >

કંપની

કંપની : ઔદ્યોગિક-ધંધાકીય પ્રવૃત્તિઓ અપનાવવા માટે આધુનિક યુગની શરૂઆતથી ઉત્ક્રાંતિ પામેલું સમષ્ટિનિગમ (corporate entity) સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર. રાજ્યસત્તાએ આપેલ સનદ દ્વારા કંપની સ્થાપવામાં આવતી; તેનાં કાર્યો, કાર્યક્ષેત્રો, અધિકારો, જવાબદારીઓ વગેરે સનદમાંના લખાણ પ્રમાણે રહેતાં. આવી કંપની ચાર્ટર્ડ કંપની કહેવાતી. સોળમી સદીના ઉત્તરાર્ધ અને સત્તરમી સદીના પૂર્વાર્ધમાં વ્યાપાર તથા વ્યાપારી વસાહતો વિકસાવવા…

વધુ વાંચો >

કંબાર, ચંદ્રશેખર

Jan 17, 1992

કંબાર, ચંદ્રશેખર (જ. 1937, ઘોડગેરી, બેલગાંવ, કર્ણાટક) : કર્ણાટકના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, લોકવાર્તાકાર, ફિલ્મ-દિગ્દર્શક. તેમના મહત્વાકાંક્ષી લોકનાટક ‘સિરિસંપિગે’ માટે તેમને 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. કન્નડ યુનિવર્સિટીમાંથી નાટકના વિષય સાથે એમ.એ.ની તથા પીએચ.ડી.ની પદવી તેમણે પ્રાપ્ત કરી (1975). તે પહેલાં શિકાગો યુનિવર્સિટીમાં 1968-69 દરમિયાન અધ્યાપનકાર્ય કર્યું. 1970થી બૅંગલોર…

વધુ વાંચો >

કંવર (1958)

Jan 17, 1992

કંવર (1958) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું 1959નું પારિતોષિક પ્રાપ્ત કરેલ સિંધી ભાષાનું ચરિત્રપુસ્તક. પુસ્તકના રચયિતા તીર્થ વસંતનો જન્મ 7 સપ્ટેમ્બર 1909ના રોજ સિંધમાં થયો હતો. ‘કંવર’માં તેમણે સિંધના ભગત કંવરરામના જીવનચરિત્રનું નિરૂપણ કરેલ છે. કથક કથાનૃત્યના સિંધી દેશજ પ્રકાર ‘ભગત’ને લોકપ્રિયતા પ્રદાન કરાવનાર ભગત કંવરરામનો જન્મ 1885માં સિંધના જટવારન ગામે…

વધુ વાંચો >

કંવલ, જશવંતસિંહ

Jan 17, 1992

કંવલ, જશવંતસિંહ (જ. 1919, ધુદિકે, જિ. મોગા, પંજાબ) : પંજાબના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમની નવલકથા ‘તૌશાલી દી હંસો’ માટે તેમને 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી. ખેતીનો વ્યવસાય અપનાવવાની સાથે સામાજિક કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવી છે. તેમણે દેશ-વિદેશનો લાંબો પ્રવાસ ખેડ્યો…

વધુ વાંચો >

કંસવહો (કંસવધ)

Jan 17, 1992

કંસવહો (કંસવધ) (અઢારમી સદી) : કેરળનિવાસી બહુશ્રુત કવિ રામપાણિવાદ(1707-1775)ની પ્રાકૃત કાવ્યરચના. વિષ્ણુભક્ત રામપાણિવાદે સંસ્કૃત, પ્રાકૃત અને મલયાળમ – આ ત્રણે ભાષાઓમાં રચના કરેલી છે. પ્રાકૃતમાં તેમણે ‘કંસવહો’ ઉપરાંત ‘ઉસાણિરુદ્ધ’ (ઉષાનિરુદ્ધ) નામે કાવ્ય તથા વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ની ટીકા રચી છે. ‘કંસવહો’ 233 પદ્યોનું, ચાર સર્ગોમાં રચાયેલું ખંડકાવ્ય છે. સંસ્કૃત મહાકાવ્યોનો, વિશેષે કરીને…

વધુ વાંચો >

કંસારી

Jan 17, 1992

કંસારી (cricket) : ખેતરમાં તેમજ ઘરમાં ઉપદ્રવ કરતું સરલપક્ષ (Orthroptera) શ્રેણીના ગ્રાઇલિડી કુળનુ એક કીટક. તે નિશાચર (nocturnal) પ્રાણી છે. તેને ગરમી માફક આવે છે. તેથી તે દિવસ દરમિયાન કબાટમાં, ખુરશી પાછળ, પલંગ નીચે, ફોટા પાછળ એમ વિવિધ સ્થળોમાં અને ખાસ કરીને રાંધણિયું, રસોડું, ભોયરું વગેરે જગ્યાએ સંતાઈ રહે છે.…

વધુ વાંચો >

કંસારો

Jan 17, 1992

કંસારો (Coppersmith) : દાર્વાઘાટ કુળનું બારેમાસ જોવા મળતું પંખી. તેને અંગ્રેજીમાં crimson breasted barbet પણ કહે છે. તેનું શાસ્ત્રીય નામ Megalaima haemacephala અને હિંદી નામ ‘છોટા બસંતા’ અથવા ‘ફાઉક બસ્સુંતા’ છે. સૌરાષ્ટ્રમાં તેને ‘ટુકટુક’ પણ કહે છે. કંસારો ચકલી કરતાં જરાક મોટો અને ભરાવદાર હોય છે, થોડો ઠિંગુજી પણ લાગે…

વધુ વાંચો >

કાઆની મોહમ્મદ હબીબ

Jan 17, 1992

કાઆની મોહમ્મદ હબીબ (જ. ઈ. સ. 1807, શીરાઝ; અ. 1855, તેહરાન) : અઢારમી સદીના ફારસીના પ્રખ્યાત કસીદા કવિ. તે ફારસી ઉપરાંત અરબી અને તુર્કી ભાષાઓ પણ જાણતા હતા. તેમને બાળપણથી કવિતા લખવાનો શોખ હતો. સૌપ્રથમ ‘હબીબ’ તખલ્લુસ સાથે ઈરાનના રાજકુંવર હસન અલી મિર્ઝાના દરબારમાં રહીને તેમણે કસીદાકાવ્યો લખવાની શરૂઆત કરી…

વધુ વાંચો >

કાઇનિન

Jan 17, 1992

કાઇનિન : વનસ્પતિ અંત:સ્રાવનો એક પ્રકાર. મિલર અને તેમના સહકાર્યકરોએ (1956) હેરિંગના શુક્રકોષીય DNA(ડિઑક્સિ-રાઇબૉન્યૂક્લિઇક ઍસિડ)માંથી શુદ્ધ સ્ફટિક-સ્વરૂપે પ્યુરીન પ્રાપ્ત કર્યું અને તેનું નામ કાઇનેટિન આપ્યું; કારણ કે સંવર્ધન-માધ્યમમાં રહેલા તમાકુના કોષોમાં તે કોષરસ-વિભાજન(cytokinesis)ની ક્રિયાને ઉત્તેજે છે. તે DNAના ડિઑક્સિએડિનોસાઇનમાંથી પ્રાપ્ત થતી નીપજ છે. ‘સાયટોકાઇનિન’ એવાં સંયોજનો માટે વપરાતું નામ છે,…

વધુ વાંચો >

કાઇહો, યુશો

Jan 17, 1992

કાઇહો, યુશો (જ. 1533, ઓમી, જાપાન; અ. 1 માર્ચ 1615) : આઝુચી-મોમોયામા સમયનો જાપાનનો મહત્વનો ચિત્રકાર. લશ્કરી કારકિર્દીની પરંપરા ધરાવતા કુટુંબમાં તેનો જન્મ થયેલો. ક્યોતો જઈને તે સાધુ બનેલો. સંભવત: એઇતોકુ નામના ચિત્રકાર પાસે તેણે ચિત્રકળાની તાલીમ લીધી. એઇતોકુની માફક તેનાં ચિત્રોમાં પણ ઝળહળતા રંગીન રંગો જોવા મળે છે. વળી…

વધુ વાંચો >