૪.૦૬

કણથી કતારગામ

કણ

કણ (particle) : કોઈ દ્રવ્યનો અવગણી શકાય તેવા પરિમાણવાળો સૂક્ષ્મ ભાગ અથવા નિશ્ચિત દ્રવ્યમાન, પરંતુ નહિવત્ વિસ્તૃત પિંડ કણને દ્રવ્યમાન હોય છે પણ કદ હોતું નથી, તેથી તે જગા રોકતો નથી. કણનું સ્થાન, બિંદુ વડે દર્શાવી શકાય છે. જો પિંડ કેન્દ્ર કે ધરીની આસપાસ ચાકગતિ (rotational motion) કરતો ન હોય…

વધુ વાંચો >

કણજન્ય ખનિજનિક્ષેપો

કણજન્ય ખનિજનિક્ષેપો (detrital mineral deposits) : ખવાણ અને/અથવા ઘસારાની ક્રિયાઓ દ્વારા વિભંજન-વિઘટન પામીને ખડકોમાંથી છૂટા પડી તૈયાર થયેલા ખનિજકણોમાંથી બનતા નિક્ષેપો. જે ખનિજકણો વધુ ઘનતાવાળા હોય, સ્થાયી હોય અને ભૌતિક સન્નિઘર્ષણનો પ્રતિકાર કરી શકે એવા હોય તેમજ સંભેદવિહીન હોય તે પ્રમાણમાં ઓછી વહનક્રિયા પામી પાછળ રહી જાય છે અને અનુકૂળ…

વધુ વાંચો >

કણજમાવટ

કણજમાવટ (sedimentation) : કણો દ્વારા થતી નિક્ષેપક્રિયા. ભૂપૃષ્ઠ પરના ખડક-ખનિજ જથ્થા પર સતત કાર્યરત રહેતાં ભૌતિક, રાસાયણિક, જીવરાસાયણિક ખવાણ, ઘસારો અને ધોવાણનાં પરિબળો દ્વારા તેમાંથી છૂટા પડતા નાનામોટા કદ અને આકારના ટુકડા તેમજ કણોની ગુરુત્વાકર્ષણ, પવન કે પાણી મારફતે વહનક્રિયા થઈને પાણીમાં કે ભૂમિ પરનાં અનુકૂળ સ્થાનોમાં એકત્રીકરણથી જમાવટ થાય…

વધુ વાંચો >

કણજ્ઞાપકો

કણજ્ઞાપકો (particle detectors) : ઇલેક્ટ્રૉન, પૉઝિટ્રૉન, પ્રોટૉન, α-કણ, આયનો જેવા વિદ્યુતભાર ધરાવતા કણો, વિદ્યુતભારરહિત ન્યૂટ્રૉન, ફોટૉન (x-કિરણો, γ-કિરણો) તથા મેસૉનના અર્દશ્ય કણને પ્રત્યક્ષ કરતાં તેમજ તેમનું મૂલ્યાંકન કરતાં ઉપકરણો. કણના અસ્તિત્વના જ્ઞાપન (detection) માટે કણ તથા જ્ઞાપકનો દ્રવ્ય વચ્ચે કોઈ પ્રકારની આંતરક્રિયા થવી જરૂરી છે. સામાન્ય રીતે આ આંતરક્રિયા (i)…

વધુ વાંચો >

કણપ્રવેગકો

કણપ્રવેગકો (particle accelerators) : પરમાણુ-બંધારણના અભ્યાસ માટે જરૂરી, પ્રચંડ ઊર્જા ધરાવતા કણો ઉત્પન્ન કરવા માટેનાં ઉપકરણો. તેમની મદદથી વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરી તેમની ગતિજ ઊર્જામાં બહુ મોટા પ્રમાણમાં વધારો કરી શકાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા આવા કણોમાં ઇલેક્ટ્રૉન પ્રોટૉન, ડ્યૂટરોન અને આલ્ફા કણોનો સમાવેશ થાય છે. કાર્બન, બેરિલિયમ, ઑક્સિજન…

વધુ વાંચો >

કણબંધન

કણબંધન (nucleation) : ન્યૂક્લિયસના સર્જનની પ્રક્રિયા. પદાર્થની બાષ્પ, પ્રવાહી, ગલન કે ઘન અવસ્થામાંથી સ્ફટિક મેળવી શકાય. સ્ફટિક બનાવવા (crystal growth) માટેનું પ્રથમ પગલું ‘ન્યૂક્લિયસ’નું સર્જન છે. અણુ કે પરમાણુનો નાનામાં નાનો સમૂહ કે જેમાં અણુ/પરમાણુની ગોઠવણી સ્ફટિકના ‘સ્પેસલેટિસ’ મુજબ હોય તથા જે સ્ફટિકવિકાસના આરંભબિંદુ (embryo) તરીકે વર્તે તેને ન્યૂક્લિયસ કહે…

વધુ વાંચો >

કણભક્ષણ

કણભક્ષણ (phagocytosis) : કોષની બાહ્ય સપાટી દ્વારા પોષક કે હાનિકારક પદાર્થોનું થતું ભક્ષણ. આ પ્રક્રિયામાં કોષરસનું બાહ્ય પડ અંતર્વલન દ્વારા આવા પદાર્થોને ઘેરીને રસધાની (vacuole) બનાવે છે. આ પ્રમાણે સ્વીકારેલા પદાર્થોનું પાચન કોષમાં આવેલા લયનકાયો(lysosomes)ના પાચક રસો કરે છે. આ પ્રમાણે કણભક્ષણ કરી કોષો પોષકતત્વો મેળવવા ઉપરાંત શરીરમાં પ્રવેશેલા વાઇરસ,…

વધુ વાંચો >

કણ-ભૌતિકી

કણ-ભૌતિકી (particle physics) : દ્રવ્યના સૂક્ષ્મતમ ઘટક કણો, તેમના ગુણધર્મો તથા તેમની વચ્ચે પ્રવર્તતાં બળોનો અભ્યાસ. તેને કણ-ભૌતિકશાસ્ત્ર પણ કહે છે. વિજ્ઞાનના પ્રારંભથી જ માનવીને પદાર્થના મૂળભૂત ઘટકો વિશે જાણવાની ઉત્કંઠા રહી છે. આ જિજ્ઞાસાએ પદાર્થના બંધારણ તથા તેના ઘટકસ્વરૂપનો અભ્યાસ તેમજ સંશોધન કરવા માટે સતત પ્રેરણા આપી છે, જેના…

વધુ વાંચો >

કણરચના

કણરચના (textures) : વિવિધ પ્રકારના ખડકોમાં જોવા મળતી ઘટકોની પરસ્પર ગોઠવણી અથવા ખનિજસ્ફટિકો અને સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્ય કે કાચદ્રવ્યની ગોઠવણી. પૃથ્વીના બંધારણમાં રહેલા ખડકોમાં ખનિજો કે ખડક-ટુકડા જેવા ઘટકોની પરસ્પર ભૌમિતિક ગોઠવણી અથવા ખનિજકણો વચ્ચે ગોઠવણીનો આંતરસંબંધ જોવા મળે છે. જુદા જુદા ખડકોમાં જુદી જુદી કણરચના હોઈ શકે છે, જેના…

વધુ વાંચો >

કણવિભંજનક્રિયા

કણવિભંજનક્રિયા : ખડકોના અપક્ષયની પ્રક્રિયા. ખડકોની સપાટીના ધોવાણ પૂર્વે વિયોજન તથા વિઘટનની પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. આ બંને પ્રક્રિયાઓ સમન્વિત (integrated) સ્વરૂપની હોય છે. વિયોજન એ ખડકોના નૈસર્ગિક વિભંજનની પ્રક્રિયા છે જ્યારે વિઘટન તેનાં ખનિજોના રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે તથા તે…

વધુ વાંચો >

કણ્ણુનીર્ત્તુળિળ (1924)

Jan 6, 1992

કણ્ણુનીર્ત્તુળિળ (1924) : મલયાળમ ભાષાનું કરુણપ્રશસ્તિ કાવ્ય (elegy). કણ્ણુનીર્ત્તુળિળ એટલે ‘આંસુનાં બુંદ’. નાલપ્પાટ્ટુ નારાયણ મેનન(1888-1954)નું રચેલું આ શોકકાવ્ય તેમનાં પત્નીના મૃત્યુને આપેલી સ્મરણાંજલિ છે. આ સ્મરણમંદિરની ઈંટો આંસુના સિંચનથી ચણાઈ છે. આ કાવ્ય કવિ મેનનના વ્યથાપૂર્ણ જીવનની છંદોમય અભિવ્યક્તિ છે. પોતાની બાલ-સખી અને પ્રાણપ્રિય પત્નીના મૃત્યુથી જન્મેલ ભીષણ એકાંત અને…

વધુ વાંચો >

કણ્વ – કાણ્વ

Jan 6, 1992

કણ્વ – કાણ્વ : ગોત્રપ્રવર્તક અને સૂક્તદ્રષ્ટા આંગિરસ. ‘ઋગ્વેદ’નાં કુલ સાત મંડળોના પ્રમુખ ઋષિઓમાંના એક. આઠમા મંડળની ઋચાઓની રચના કણ્વ પરિવારની છે. ‘ઋગ્વેદ’ અને અન્ય વૈદિક સાહિત્યમાં કણ્વનો વારંવાર ઉલ્લેખ આવે છે. એમના પુત્ર અને વંશજોનો નિર્દેશ कण्वा:, कण्वस्य सूनव:, काण्वायना: અને કાણ્વ નામોથી આવે છે. કણ્વના વંશજનો ઉલ્લેખ એકવચનમાં…

વધુ વાંચો >

કણ્વવંશ

Jan 6, 1992

કણ્વવંશ (ઈ. પૂ. 75થી ઈ. પૂ. 30) : શુંગકાળ પછીનો રાજવંશ. શુંગરાજ દેવભૂતિનો ઘાત કરાવનાર વસુદેવથી કણ્વવંશની શરૂઆત થાય છે. કણ્વ અથવા કાણ્વાયન રાજવંશમાં ચાર રાજાઓ થઈ ગયા. તેમનાં નામ વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશર્મા. તેમણે મગધમાં અનુક્રમે 9, 14, 12 અને 10 વર્ષ અર્થાત્ કુલ 45 વર્ષ સુધી રાજ્ય…

વધુ વાંચો >

કણ્હચરિય (કૃષ્ણચરિત્ર)

Jan 6, 1992

કણ્હચરિય (કૃષ્ણચરિત્ર) : પ્રાકૃત ભાષાનો ચરિત્રગ્રંથ. કર્તા દેવેન્દ્રસૂરિ. રામના ચરિત્રની જેમ શ્રીકૃષ્ણચરિત્રની અનેક રચનાઓ પ્રાકૃતમાં મળે છે. દેવેન્દ્રસૂરિ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હતા અને 1270માં વસ્તુપાલ મંત્રી સમક્ષ આબુ પર તેમને સૂરિપદ મળેલું. આ ચરિત્રગ્રંથમાં જૈન પુરાણકલ્પના અનુસાર વસુદેવના પૂર્વભવ, કંસનો જન્મ, વસુદેવના પ્રવાસો અને અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ, દેવકી સાથે લગ્ન,…

વધુ વાંચો >

કતલખાનું

Jan 6, 1992

કતલખાનું : માંસાહારી પ્રજાના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવતું માંસ મેળવવા માટે જીવંત પશુઓની કતલ કરવાનું સ્થાન. જે પશુઓનું માંસ મનુષ્ય ખાવાના ઉપયોગમાં લે છે તે પશુઓને ભોજ્ય પશુઓ કહેવામાં આવે છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં અને ભુંડ જેવાં વનસ્પતિ-આહારી જીવતાં પાલતુ પશુઓને ભોજ્ય પશુઓ કહેવામાં આવે છે. દુકાળ,…

વધુ વાંચો >

કતાર

Jan 6, 1992

કતાર (Qatar) : એશિયા ખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 25o 00′ ઉ. અ. અને 51o 10′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 11,586 ચોકિમી. અને સમુદ્રકિનારો 563 કિમી. છે. તે અરબ દ્વીપકલ્પને પૂર્વ છેડે તેમજ ઈરાની અખાતના મુખભાગ પર આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે ઈરાની અખાત,…

વધુ વાંચો >

કતારગામ

Jan 6, 1992

કતારગામ : ગુજરાતમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 21o 10′ ઉ. અ. અને 72o પૂ. રે. ઉપર સુરતથી 3.2 કિમી.ના અંતરે આવેલું ગામ. અગાઉ અહીં મોટું વન હતું તે કારણે તેનું કાંતારગ્રામ નામ પડ્યું હતું. તે તાપીને કાંઠે છે અને તેના ભાઠાની જમીન ફળદ્રૂપ છે; તેથી શાકભાજીનું વાવેતર વિશેષ છે. કતારગામની…

વધુ વાંચો >