૩.૧૩

ઊર્જા-સંવિભાગથી ઋષિપત્તન

ઋગ્વિધાન

ઋગ્વિધાન : શ્રૌત કે ગૃહ્ય કલ્પમાં ઉક્ત કર્મો સિવાયનાં કામ્યકર્મોમાં પ્રયોજવાનાં ઋક્સંહિતાનાં સૂક્ત, વર્ગ, મંત્ર, મંત્રચરણ આદિના વિનિયોગનું નિરૂપણ કરતો ગ્રંથ. ઋષ્યાદિ અનુક્રમણીઓના રચયિતા શૌનકની એ કૃતિ છે. તેમાં કુલ 506 શ્લોકો છે. ગ્રંથમાં ‘ઇત્યાહ…. શૌનક:’ જેવા શબ્દપ્રયોગો છે તેથી જણાય છે કે ઋગ્વિધાનના મૂળ શૌનકોક્ત પાઠનું સમયાંતરે પુન: સંપાદન…

વધુ વાંચો >

ઋગ્વેદ

ઋગ્વેદ : હિંદુ ધર્મના ચાર વેદમાંનો પ્રથમ. ભારતીય ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ, સમાજ, ભાષા, તત્વજ્ઞાન અને લોકમાનસના ઘડતરમાં વેદનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે. વેદ ચાર છે : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ચારે વેદમાં ઋગ્વેદનું મહત્વ પરંપરાથી સવિશેષ સ્વીકારાયું છે. ઋક્ અર્થાત્ ઋચા અને તેનો વેદ તે ઋગ્વેદ. अर्च (પૂજા…

વધુ વાંચો >

ઋણમોકૂફી

ઋણમોકૂફી (moratorium) : ઋણની સમયસરની ચુકવણીની ફરજમાંથી અમુક સમય માટે દેવાદારોને અપાતી વૈધિક મુક્તિ. દેશના આંતરિક દેવાદારોને આવી મુક્તિ સરકારના ફરમાન દ્વારા આપવામાં આવે છે, તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તર પર તે ઋણ આપનાર સંસ્થા બે પક્ષ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર આપે છે. ફરજિયાત ધોરણે ભરતી કરાયેલા (conscripted) સૈનિકોને આવી સવલત…

વધુ વાંચો >

ઋત

ઋત : વિશ્વયોજનાના હાર્દરૂપ શાશ્વત નિયમ. ગતિવાચક ‘ઋ’ ધાતુ પરથી બનેલા ઋત શબ્દના ગતિ, પ્રગતિ, ગતિનો ક્રમ, સત્ય, વિશ્વવ્યવસ્થા, સત્યનો માર્ગ, પ્રશસ્ય આચાર અને યજ્ઞ વગેરે પર્યાયો વપરાયેલા છે. વિશ્વની વ્યવસ્થા, પ્રતિષ્ઠા અને તેના નિયમન માટે જે કારણરૂપ છે તથા સકળ સૃષ્ટિનું જે આદિ તત્વ છે તે ઋત છે. સૃષ્ટિની…

વધુ વાંચો >

ઋતાદેવી

ઋતાદેવી : ભરતનાટ્યમ્, કથકલી, કુચિપુડી, મોહિનીઅટ્ટમ્, ઉડીસી અને મણિપુરી – એ પરંપરાગત નૃત્યશૈલીઓનું અધ્યયન કરનાર ભારતની પ્રથમ નૃત્યાંગના. આસામના પ્રાચીન સત્રિયા નૃત્યને ઋતાદેવી પહેલાં કોઈએ તે પ્રદેશ બહાર રજૂ કર્યું નહોતું. એમના કાર્યક્રમમાં નવીનતા હોય છે. નૃત્ય સાથે પ્રવચન પણ કરે છે. માહરી નૃત્યની રજૂઆતમાં એમની આગલી વિશેષતા જોવા મળે…

વધુ વાંચો >

ઋતુકાવ્ય

ઋતુકાવ્ય : પ્રકૃતિનિરૂપણને પ્રાધાન્ય આપતી કાવ્યરચના. વર્ષના અમુક કાલખંડમાં પલટાતી નિસર્ગની વિભિન્ન મુદ્રાઓરૂપ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ છ ભારતીય ઋતુઓમાંથી કોઈ એક, વધુ કે આખા ઋતુચક્રમાં બદલાતા વાતાવરણનું વર્ણન તેમાં મળે છે. તે ઋતુચક્રનું એના નિશ્ચિત ક્રમમાં જ નહિ પણ કોઈ એક ઋતુથી પ્રારંભીને પછી ક્રમશ:…

વધુ વાંચો >

ઋતુનિવૃત્તિકાળ

ઋતુનિવૃત્તિકાળ (menopause) : ઋતુસ્રાવચક્રોનું બંધ થવું તે. પ્રજનનનિવૃત્તિકાળ (climecteric) અને ઋતુનિવૃત્તિકાળને ક્યારેક એક ગણવામાં આવે છે, પરંતુ ઋતુનિવૃત્તિકાળ તો પ્રજનન-નિવૃત્તિકાળનું એક લક્ષણ માત્ર છે. પ્રજનનનિવૃત્તિકાળમાં 1થી 5 વર્ષ દરમિયાન, જનનગ્રંથિઓ(gonads)ના અંત:સ્રાવો (hormones) ઘટે છે અને તેથી જનનાંગો (genitalia) પણ નાનાં થાય છે. પ્રજનનનિવૃત્તિકાળ ફક્ત માનવજાતમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે.…

વધુ વાંચો >

ઋતુમૂર્તિ

ઋતુમૂર્તિ : મલયાળમ નાટક. મલયાળમ નાટ્યકાર અને કવિ એમ. પી. ભટ્ટતિરિપાદે (જ. 1908) આ નાટક વીસમી સદીના પાંચમા દાયકામાં રચ્યું હતું. સામાજિક પ્રશ્નો ચર્ચતાં આધુનિક મલયાળમ નાટકોમાં તે અગ્રગણ્ય છે. નિર્દય સામાજિક પરંપરાએ લાદેલા કુરિવાજોની ભીંસમાં પિલાતી નામ્બુદિરિ સ્ત્રીઓની કરુણ દુર્દશાનું તેમાં તાશ ચિત્ર છે. નામ્બુદિરિ કન્યા વયમાં આવતાં ઋતુમતિ-રજસ્વલા…

વધુ વાંચો >

ઋતુસંહાર

ઋતુસંહાર : મહાકવિ કાલિદાસરચિત ઊર્મિકાવ્ય. તેના છ સર્ગોમાં કુલ 144 શ્લોકો છે. તેમાં અનુક્રમે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એ છ ઋતુઓનું સુંદર કવિત્વમય વર્ણન પ્રાપ્ત થાય છે. વિભિન્ન ઋતુચિત્રોનો આ આલેખ પ્રકૃતિની માનવમન ઉપર થતી અસર વ્યક્ત કરે છે, જેમાં સૃષ્ટિસૌંદર્ય અને માનવહૃદયની ઊર્મિઓનું સુભગ સંયોજન સધાયું…

વધુ વાંચો >

ઋતુસ્રાવ કષ્ટદાયી

ઋતુસ્રાવ, કષ્ટદાયી (dysmenarrhoea) : દુખાવા સાથે થતો ઋતુસ્રાવ. તેને કષ્ટાર્તવ અથવા દુરઋતુસ્રાવ પણ કહે છે. પહેલાંનાં વર્ષોમાં ઋતુસ્રાવ સમયના દુખાવાનું કારણ નીચલા જનનમાર્ગમાં અવરોધ (obstruction) થાય છે એવું મનાતું હતું. તેથી 1832માં મેકિન્ટોશે ગર્ભાશયગ્રીવા(cervix)ની નલિકાને પહોળી કરીને કેટલાક કિસ્સાઓમાં તેની સફળતાપૂર્વક સારવાર કરી હતી. તેનાં કારણોના અજ્ઞાનને લીધે અંડગ્રંથિ કાઢી…

વધુ વાંચો >

ઊર્જા-સંવિભાગ

Jan 13, 1991

ઊર્જા-સંવિભાગ (equipartition of energy) : ઉષ્માસમતુલામાં રહેલી પ્રણાલીના પ્રત્યેક નિરપેક્ષ ઊર્જાસ્તર સાથે, એકસરખા પ્રમાણમાં ઊર્જા સંકળાયેલી છે તે દર્શાવતો સાંખ્યિકીય યાંત્રિકી(statistical mechanics)નો સિદ્ધાંત. સ્કૉટલૅન્ડના ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મૅક્સવેલ અને જર્મનીના લુડવિક-બૉલ્ટ્ઝમૅનના કાર્ય ઉપર આધારિત આ સિદ્ધાંત દર્શાવે છે કે To કેલ્વિન તાપમાને સમતુલામાં રહેલી કણસંહતિની પ્રત્યેક સ્વાતંત્ર્યકક્ષા (degreee of freedom)…

વધુ વાંચો >

ઊર્ત જાં હેન્દ્રિક

Jan 13, 1991

ઊર્ત, જાં હેન્દ્રિક (Oort Jan Hendrik) (જ. 28 એપ્રિલ 1900, નેધરલેન્ડઝ; અ. 5 નવેમ્બર 1992 લાઈજન, દક્ષિણ હોલેન્ડ) : નેધરલૅન્ડનો એક અગ્રણી ખગોળશાસ્ત્રી. ગ્રોનિંજન (Groningen) યુનિવર્સિટીનો સ્નાતક. લાઇડન (Leiden) યુનિવર્સિટી તેમજ વેધશાળા સાથે આજીવન સંબંધ. 1945થી 1970 સુધી વેધશાળામાં પૂર્ણ સમયના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી. ઊર્તની શોધ :…

વધુ વાંચો >

ઊર્ધ્વગામી સ્તંભ

Jan 13, 1991

ઊર્ધ્વગામી સ્તંભ : જુઓ અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ.

વધુ વાંચો >

ઊર્ધ્વયુતિ

Jan 13, 1991

ઊર્ધ્વયુતિ : જુઓ અધોયુતિ અને ઊર્ધ્વયુતિ.

વધુ વાંચો >

ઊર્ધ્વરેષે પ્રભાકર વામન

Jan 13, 1991

ઊર્ધ્વરેષે, પ્રભાકર વામન (જ. 9 જાન્યુઆરી 1918, ઇન્દોર; અ. 10 જુલાઈ 1989, નાગપુર) : પ્રસિદ્ધ મરાઠી લેખક અને અનુવાદક. તેમની આત્મકથાસ્વરૂપ કૃતિ ‘હરવલેલે દિવસ’ માટે તેમને 1989નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇન્દોરમાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. મરાઠીનાં પ્રસિદ્ધ સામયિકોમાં સામાજિક…

વધુ વાંચો >

ઊર્મિકાવ્ય

Jan 13, 1991

ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…

વધુ વાંચો >

ઊર્મિ-નવરચના

Jan 13, 1991

ઊર્મિ-નવરચના : બે જુદાં જુદાં ગુજરાતી સામયિકો ‘ઊર્મિ’ અને ‘નવરચના’નું એકત્ર થયા પછીનું નામ. ‘ઊર્મિ’ 1930ના એપ્રિલમાં કરાંચીથી શરૂ થયેલું. ‘નવરચના’ 1938માં અમદાવાદથી શરૂ થયેલું. 1942થી બે સામયિકો એક થઈને ‘ઊર્મિનવરચના’ નામથી પ્રકટ થાય છે. સાહિત્ય, સમાજ અને સંસ્કારનું માસિક ‘ઊર્મિ’ શરૂ થયું ત્યારે તેના તંત્રીઓ તરીકે ડોલરરાય માંકડ, ઇન્દુલાલ…

વધુ વાંચો >

ઊર્મિલા (પંદરમી સદી)

Jan 13, 1991

ઊર્મિલા (પંદરમી સદી) : મધ્યકાલીન ઊડિયા કાવ્ય. પંદરમી સદીના ભક્તકવિ લક્ષણ મહાંતિનું આ કાવ્ય એટલા માટે જુદું તરી આવે છે કે મધ્યકાલીન ભારતીય કવિતામાં રામાયણમાંથી કથાનક લઈને અનેક કાવ્યો રચાયાં છે, પણ એ કાવ્યોમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાને નાયિકાપદે સ્થાપીને એને જ કેન્દ્રમાં રાખી રચેલું કાવ્ય અન્ય કોઈ ભારતીય ભાષાના મધ્યકાલીન…

વધુ વાંચો >

ઊલટી-ગંગા

Jan 13, 1991

ઊલટી-ગંગા : યોગ સાધનાની એક પ્રક્રિયા. હઠયોગમાં ઇડા નાડીને ગંગા અને પિંગળા નાડીને યમુના કહી છે. ગંગાને ઉલટાવીને યમુનામાં મેળવવી એને ઊલટી-ગંગા કહેવામાં આવી છે. સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી એ ઊલટી-ગંગાનું તાત્પર્ય છે. સાધારણ રીતે જગતમાં યમુના ગંગાને મળે છે, પરંતુ સંતોનું કહેવું છે કે જેઓ ગંગાને ઉલટાવીને…

વધુ વાંચો >

ઊશી બહાઉદ્દીન મહંમદ

Jan 13, 1991

ઊશી બહાઉદ્દીન મહંમદ (તેરમી સદી) : ફારસી સૂફી કવિ અને કથાકાર. તેમનો જન્મ ઊશમાં થયો હતો, જે માવરાઉન્નહરમાં આવેલું છે. ઊશ ઉપરથી તેમને ‘ઊશી’ કહેવામાં આવે છે. પ્રખ્યાત સૂફી સંત બખત્યાર કાકી ઊશના રહેવાસી હતા. બહાઉદ્દીન ઉચ્ચ કોટિના ધાર્મિક કથાકાર પણ હતા. શુષ્ક વિષયની કથાને તે એવી રમૂજી રીતે લોકોની…

વધુ વાંચો >