૩.૦૨

ઉકાઈ બંધથી ઉત્ક્ષેપ

ઉચ્ચ શિક્ષણ

ઉચ્ચ શિક્ષણ : માધ્યમિક શિક્ષણ પછીના શિક્ષણનો તબક્કો. સામાન્ય રીતે તેમાં યુનિવર્સિટીના માળખામાં અપાતા શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વમાં સામાન્ય રીતે સર્વત્ર ઔપચારિક (formal) શિક્ષણની વ્યવસ્થા ક્રમિક ત્રણ તબક્કાઓમાં ગોઠવાયેલી જોવા મળે છે : પ્રાથમિક (primary), માધ્યમિક (secondary) અને ઉચ્ચ (tertiary). પ્રાથમિક કક્ષાએ બાળકની જ્ઞાનેન્દ્રિયોના વિકાસની સાથે સાથે તેનામાં…

વધુ વાંચો >

ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau)

ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau) : આજુબાજુના ભૂમિવિસ્તારની અપેક્ષાએ વધુ ઊંચાઈવાળા, વધુ પહોળાઈવાળા તેમજ સપાટ શિરોભાગવાળા ભૂમિઆકારનો એક પ્રકાર. ઉચ્ચ સપાટ પ્રદેશ તેના શિરોભાગમાં સમતલ તેમજ મેજઆકારના હોય છે અને તે સમુદ્રસપાટીથી 165 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા હોય છે. ઉચ્ચ સપાટ પ્રદેશનો ઢોળાવ આજુબાજુના વિસ્તારની સરખામણીમાં વધુ હોય છે.…

વધુ વાંચો >

ઉચ્ચાલન (lever)

ઉચ્ચાલન (lever) : આધારબિંદુ અથવા ફલકની આજુબાજુ છૂટથી ફરી શકે તેવી લાકડી કે સળિયો (જડેલો, સજ્જડ કરેલો કે ટાંગેલો). ફલકથી વજન અને બળના કાર્યની રેખાઓ વચ્ચેનાં લંબઅંતરોને ઉચ્ચાલનના ભુજ (arm) કહે છે. જ્યાં વજન લાગે તે ભુજને વજનભુજ અને જ્યાં બળ લાગે તેને બળભુજ કહે છે. ઉચ્ચાલન પરિબળના નિયમ (law…

વધુ વાંચો >

ઉચ્ચાવચ બિંદુઓ (apsides)

ઉચ્ચાવચ બિંદુઓ (apsides) : ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુ તેના મુખ્ય જ્યોતિ(સૂર્ય કે ગ્રહ)ની આસપાસ પ્રદક્ષિણા કરે ત્યારે, મુખ્ય જ્યોતિથી વધુમાં વધુ દૂર તેમજ વધુમાં વધુ નજીક આવે તે સ્થાનો. આમ તે ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુની દીર્ઘવૃત્ત ભ્રમણકક્ષાની દીર્ઘઅક્ષ(major axis)નાં અંતબિંદુઓ કે છેડા છે. નજીકના બિંદુને ભૂમિ-નીચ કે અપભૂ (perigee) કહે…

વધુ વાંચો >

ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo)

ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo) (જ. 1394, ફ્લૉરેન્સ નજીક પ્રેટોવેકિયો, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1475, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રારંભિક રેનેસાંસનો ચિત્રકાર. મૂળ નામ પાઓલો દિ દોનો. (Paolo Di Dono). ઉચ્ચેલો 10 વરસનો થયો તે અગાઉ જ શિલ્પી લૉરેન્ઝો ઘીબર્તીના વર્કશૉપમાં તાલીમાર્થે જોડાઈ ગયો હતો. 1415માં તે ફ્લૉરેન્સના કલાકારોના ટ્રેડ યુનિયન ‘આર્તે…

વધુ વાંચો >

ઉજ્જયંત

ઉજ્જયંત : સૌરાષ્ટ્રનો પર્વતવિશેષ. અનેક સિદ્ધ મહાત્માઓના તપથી પુનિત બનેલો ઉજ્જયંત જૈન અનુશ્રુતિ સાથે સંકળાયેલો છે. જૈનોના બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિની દીક્ષા તથા કેવલજ્ઞાન-નિર્વાણના પ્રસંગો અનુક્રમે રૈવતક તથા ઉજ્જયંત પર થયા હોવાની અનુશ્રુતિ છે. ઉજ્જયંતમાંથી નીકળતી સુવર્ણસિક્તા, પલાશિની ઇત્યાદિ નદીઓના પ્રવાહમાંથી  સુદર્શન તળાવ મહાક્ષત્રપ રુદ્રદામાએ બંધાવ્યું હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય(457)નો…

વધુ વાંચો >

ઉજ્જ્વલનીલમણિ

ઉજ્જ્વલનીલમણિ : 1490થી 1563માં થઈ ગયેલા રૂપ ગોસ્વામીએ રચેલો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તે કાવ્યમાલા સીરિઝ, બૉમ્બેમાં પ્રકાશિત થયેલ છે. તેમાં ભક્તિરસના વિશ્લેષણની વ્યાખ્યા અપાયેલ છે. મુખ્ય રસ પાંચ છે : શાંતિ, પ્રીતિ, પ્રેયસ, વત્સલ અને ઉજ્જ્વલ (મધુર). ભક્તિરસનો ઉત્તમ પ્રકાર તે મધુરા ભક્તિ અને તે જ ઉજ્જ્વલ રસ છે. તેમાં ઉદાહરણરૂપ…

વધુ વાંચો >

ઉજ્જૈન

ઉજ્જૈન : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને પ્રાચીન ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 23o 11′ ઉ. અ. અને 75o 46′ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઉત્તરે રતલામ અને શાજાપુર (Shajapur), અગ્નિદિશાએ દેવાસ, દક્ષિણે ઇંદોર અને નૈર્ઋત્યે ધાર જિલ્લો આવેલો છે. આ જિલ્લો માળવાના ઉચ્ચપ્રદેશમાં આવેલો હોવાથી તે અસમતળ…

વધુ વાંચો >

ઉઝબેકિસ્તાન

ઉઝબેકિસ્તાન : મધ્ય એશિયામાંના રશિયાથી અલગ થયેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક માહિતી : આ દેશ 37oથી 48o ઉ. અ. અને 56oથી 68o પૂ. રે. વચ્ચે આવેલો છે આ ભૂમિબંદીસ્ત દેશ કે  જેની ઉત્તરે અને વાયવ્યે કઝાકિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાઝીકિસ્તાન જ્યારે દક્ષિણ અને નૈર્ઋત્યે અફઘાનિસ્તાન તેમજ તુર્કમેનિસ્તાન સરહદરૂપે આવેલાં…

વધુ વાંચો >

ઉઝલત સૂરતી

ઉઝલત સૂરતી (જ. 1692, સૂરત; અ. 1745) : ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અબ્દુલવલી ‘ઉઝલત’ સૂરતી. ‘ઉઝલત’ તેમનું તખલ્લુસ છે. વિદ્વાન પિતા પાસે શિક્ષણ લઈને ઉઝલતે સ્વપ્રયત્ને તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન, કુરાને શરીફ અને ધર્મશાસ્ત્ર તથા સાહિત્યમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. વિશેષ અભ્યાસ અર્થે દિલ્હી તથા હૈદરાબાદ પણ ગયા હતા. તેમણે નાની…

વધુ વાંચો >

ઉકાઈ બંધ

Jan 2, 1991

ઉકાઈ બંધ : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલો ગુજરાતના મોટા બંધો પૈકીનો બહુહેતુક બંધ. ભૌગોલિક સ્થાન : 21o 15′ ઉ. અ. અને 73o 36′ પૂ. રે.. તે તાપી નદી પરના કાકરાપાર આડબંધના સ્થળેથી  પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિમી. અંતરે આવેલો છે. ભૂસ્તરીય રચનાઓ અને…

વધુ વાંચો >

ઉક્થ-ઉક્થ્ય

Jan 2, 1991

ઉક્થ-ઉક્થ્ય : વૈદિક મંત્રસાધ્ય સ્તુતિનો એક પ્રકાર. સંગીતના સપ્ત સ્વરો વડે સાધ્ય મંત્રસ્તુતિ તે સ્તોમ કે સામ કહેવાય અને અપ્રગીત એટલે કે માત્ર સંહિતાપાઠની પદ્ધતિએ પઠિત મંત્રસ્તુતિ તે શસ્ત્ર કે ઉક્થ કહેવાય. સોમયાગોમાં સ્તોમ અને શસ્ત્ર એમ બન્ને પાઠ થાય છે. વચ્ ધાતુને ઉણાદિ યક્ પ્રત્યય લાગી ધાતુના વકારનું સંપ્રસારણ…

વધુ વાંચો >

ઉખાણું

Jan 2, 1991

ઉખાણું : લોકાનુભવમાંથી ચળાઈને આવેલી, વ્યાપક સમાજજીવનમાં રૂઢ થયેલી અને ચલણી સિક્કાની જેમ પ્રજામુખે વપરાતી ઉક્તિ. ‘ઉખાણું’ શબ્દ સં. उपाख्यानकम् ઉપરથી ગુજરાતીમાં ઊતર્યો છે. ઉખાણાંની ઉક્તિઓમાં પ્રજાકીય જીવનનું એટલે લોકોનાં સંસ્કૃતિ, સ્વભાવ, રહેણીકરણી આદિનું પ્રતિબિંબ પડતું હોય છે. આ ઉક્તિઓ લાઘવયુક્ત અને ચોટવાળી હોય છે. તે લાંબા સમય સુધી ‘કહેતી’…

વધુ વાંચો >

ઉગ્ર વળાંક (syntaxis)

Jan 2, 1991

ઉગ્ર વળાંક (syntaxis) : પર્વતમાળાઓનું કોઈ એક સ્થળે કેન્દ્રીકરણ થવું તે. કોઈ એક ઉપસ્થિતિવાળી પર્વતમાળા એકાએક વળાંક લઈ અન્ય ઉપસ્થિતિનું વલણ ધરાવે એવા લઘુકોણીય રચનાત્મક વળાંકને ઉગ્ર વળાંક કહી શકાય. હિમાલયમાં આ પ્રકારના ઉગ્ર વળાંક તેના વાયવ્ય અને ઈશાનમાં વિશિષ્ટપણે તૈયાર થયેલા જોવા મળે છે. હિમાલય ગિરિમાળાની ઉપસ્થિતિ (trend-line) સામાન્યપણે…

વધુ વાંચો >

ઉગ્ર સજળસ્ફોટ (pemphigus)

Jan 2, 1991

ઉગ્ર સજળસ્ફોટ (pemphigus) : ચામડી પર વારંવાર થતા ફોલ્લાનો રોગ. અગાઉ ચામડી પર ફોલ્લા કરનારા ઘણા વિકારોનો તેમાં સમાવેશ કરાતો હતો, પરંતુ હવે તેમાં મુખ્યત્વે બે જૂથના વિકારોનો જ સમાવેશ કરાય છે : (1) સામાન્ય સજળસ્ફોટ (p. vulgaris) અને તેનું વિશિષ્ટ રૂપ શૃંગસ્તરવર્ધક સજળસ્ફોટ (p. vegetans) તથા (2) પોપડીકારી સજળસ્ફોટ…

વધુ વાંચો >

ઉગ્રસેન (1)

Jan 2, 1991

ઉગ્રસેન (1) : પૌરાણિક સમયના મથુરાના યદુવંશી રાજા. તેઓ આહુકના પુત્ર હતા. તેમના કંસ ઇત્યાદિ નવ પુત્રોનાં તથા પાંચ પુત્રીઓનાં નામ પુરાણોમાં જણાવેલાં છે. વૃષ્ણિકુળના વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. ઉગ્રસેનને તેના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. યાદવકુળના વડીલો કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ.…

વધુ વાંચો >

ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ)

Jan 2, 1991

ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ) (ઈ.પૂ. છઠ્ઠી કે પાંચમી સદી) : નંદ વંશનો સ્થાપક. મહાપદ્મ કે અગ્રમ્મીસ (= ઔગ્ર સેન્ય) તરીકે ઓળખાતો. તે વાળંદ જ્ઞાતિનો હતો. એક મત મુજબ તેને 8 પુત્રો હતા. 9 ભાઈઓમાં તે સૌથી મોટો હતો, એમ ઉલ્લેખ મળે છે. તેણે ઐક્ષ્વાકુઓ, પાંચાલો, કાશીઓ, હૈહયો, કલિંગો, અશ્મકો, કુરુઓ,…

વધુ વાંચો >

ઉગ્રાદિત્યાચાર્ય (નવમી સદી)

Jan 2, 1991

ઉગ્રાદિત્યાચાર્ય (નવમી સદી) : આયુર્વેદના ‘કલ્યાણકારક’ ગ્રંથના કર્તા. તે જૈનાચાર્ય નન્દિ આચાર્યના શિષ્ય ગણાય છે. જૈન ધર્મની અસરને કારણે મધના સ્થાને ગોળ કે સાકરનો ઉપયોગ તેમણે સૂચવ્યો છે. આ ગ્રંથમાં શાલાક્યતંત્રના કર્તા પૂજ્યપાદ, શલ્યતંત્રના કર્તા પાત્રસ્વામી, વિષતંત્ર અને ભૂતવિદ્યાના કર્તા સિદ્ધસેન, કૌમારભૃત્યના કર્તા દશરથગુરુ અને રસાયણવાજીકરણના કર્તા સિંહનાદ વગેરે જૈન…

વધુ વાંચો >

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પ્રવર્તમાન તરાહ

Jan 2, 1991

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પ્રવર્તમાન તરાહ (10 + 2 + 3) : ભારતમાં દાખલ થયેલી શિક્ષણની નવી તરાહ. સામાન્યત: 10 + 2 + 3 ની સંજ્ઞાથી ઓળખાય છે. તે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રત્યેક તબક્કાને આવરી લે છે. નવી શિક્ષણતરાહ કેવળ આંકડાકીય ફેરફારમાં સીમિત નથી. શિક્ષણની નવી તરાહ…

વધુ વાંચો >

ઉચ્ચપ્રદેશ (Plateau)

Jan 2, 1991

ઉચ્ચપ્રદેશ (Plateau) : ભૂ-સપાટી પરનું બીજી શ્રેણીનું વિશિષ્ટ ભૂમિસ્વરૂપ. તેની ઓછામાં ઓછી એક બાજુનો ઢોળાવ આસપાસની ભૂ-સપાટીથી અથવા સમુદ્રસપાટીથી વધારે ઊંચો અને સીધો હોય છે અને એનો ઉપરનો મથાળાનો ભાગ મેજ આકારે સપાટ હોય છે. આ ઉચ્ચપ્રદેશો પૃથ્વીનાં આંતરિક બળોને કારણે ભૂમિભાગો ઉંચકાવાથી અથવા આસપાસના ભૂમિભાગો નીચે બેસવાથી અથવા જ્વાળામુખીય…

વધુ વાંચો >