૨૪.૧૮

સ્વરપેટીનિરીક્ષાથી સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty)

સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy)

સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy) : સ્વરરજ્જુઓ (vocal cords) તથા તેમની વચ્ચે આવેલ સ્વરછિદ્ર(glottis)થી બનેલા સ્વરયંત્રનાં નિદાન-ચિકિત્સા માટે જરૂરી સાધન વડે નિરીક્ષણ કરવું તે. તે માટે વપરાતા સાધનને સ્વરપેટીદર્શક (laryngoscope) કહે છે. સ્વરપેટીદર્શકના વિવિધ પ્રકારો છે. દા. ત., લવચીક (flexible), નિર્લવચીક (rigid) વગેરે. નિર્લવચીક સ્વરપેટીદર્શક (rigid laryngoscope) : તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા પહેલાં દર્દીને…

વધુ વાંચો >

સ્વરભંગ (hoarseness)

સ્વરભંગ (hoarseness) : અવાજ બેસી જવો તે. તેને ‘અવાજ તણાવો’ (voice strain) અથવા ‘દુર્ધ્વનિતા’ (dysphonia) પણ કહે છે. બોલવામાં તકલીફ પડવી, અવાજની ધ્વનિતીવ્રતા (pitch) કે અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય તેને સ્વરભંગ કહે છે. અવાજ નબળો પડે, બોલતાં જાણે શ્વાસ ભરાય, કર્કશ કે ખોખરો બને તો તેનું કારણ સ્વરરજ્જુ સાથે જોડાયેલી…

વધુ વાંચો >

સ્વરભેદ (hoarseness of voice)

સ્વરભેદ (hoarseness of voice) : આયુર્વેદમાં બોલતી વખતે શબ્દોના ઉચ્ચારણમાં થતા વિકાર કે ખામીથી અવાજ ઘોઘરો થવો, બોલતાં પૂરા શબ્દો ન બોલી શકાવા કે અવાજ સાવ બેસી જવાના વિકારને ‘સ્વરભંગ’ રોગ કહેલ છે. પ્રાય: કઠંમાં રહેલ સ્વરયંત્ર(larynx)ની સ્થાનિક વિકૃતિ તથા મગજમાં રહેલ વાણીકેન્દ્રની વિકૃતિને કારણે કંઠમાં સોજો આવવાથી આ દર્દ…

વધુ વાંચો >

સ્વરમાન (tone)

સ્વરમાન (tone) : સંગીતવાદ્ય અથવા માનવધ્વનિનાં કંપનોથી મળતો અવાજ અથવા તારત્વ (pitch) સહિત શ્રાવ્ય સંવેદન(sensation)ને ઉત્તેજિત કરવા શક્તિમાન એવું ધ્વનિ-દોલન. તે (સ્વરમાન) પોતે સંવેદન છે. આથી ‘સ્વરમાન’ શબ્દ કારણ અને કાર્ય (અસર) એમ બંને માટે વપરાય છે. બંને વચ્ચે સંપૂર્ણ સામ્ય હોય તે જરૂરી નથી. રૂપાંતરક (modifier), સંદર્ભ અથવા માપનના…

વધુ વાંચો >

સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule)

સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule) : સ્વરપેટીમાં ધ્વનિ ઉત્પન્ન કરતાં સ્વરરજ્જુ પર પેશીની ગાંઠ થવી તે. સામાન્ય રીતે તે સ્વરરજ્જુના આગળના 2 ભાગમાં થાય છે. સ્વરરજ્જુનો આ ભાગ અવાજ ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ બળપૂર્વક સંકોચન પામે છે. તે ભાગમાં ગંડિકા થાય ત્યારે ગંડિકા સ્વરરજ્જુના સંકોચનમાં વિક્ષેપ કરે છે. સ્વરરજ્જુના સંકોચનથી…

વધુ વાંચો >

સ્વરાજ

સ્વરાજ : પોતાનું રાજ. ભારતના રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આ એક રાજકીય પરિમાણ ધરાવતો શબ્દપ્રયોગ છે. ભારત પરના અંગ્રેજોના શાસનને દૂર કરીને પ્રજાકીય–લોકશાહી શાસન સ્થાપવામાં આવે તે સ્વરાજ એવો તેનો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. તેના વિકલ્પે સ્વાતંત્ર્ય અને આઝાદી જેવા શબ્દો પણ પ્રયોજાયા છે. એ બધાનો અર્થ એક જ થાય છે…

વધુ વાંચો >

સ્વરાજ આશ્રમ બારડોલી

સ્વરાજ આશ્રમ, બારડોલી : સ્વરાજની લડત સમયે સ્વાતંત્ર્ય-સેનાનીઓ ભેગા મળીને લડત વિશે વિચાર-વિમર્શ કરી શકે તે માટે બારડોલી (જિ. સૂરત) મુકામે સ્થાપવામાં આવેલો આશ્રમ. સ્વાતંત્ર્ય માટેની લાંબી લડતની અનેક ઘટનાઓ આ આશ્રમમાં બની હતી. આઝાદી માટેની લડતના અનેક નામાંકિત નેતાઓ આ આશ્રમમાં વત્તોઓછો સમય રોકાયેલા. આજે જ્યાં આશ્રમ છે ત્યાં…

વધુ વાંચો >

સ્વરાજ સુષમા

સ્વરાજ, સુષમા (જ. 14 ફેબ્રુઆરી 1952, અંબાલા કૅન્ટોનમેન્ટ, હરિયાણા; અ. 6 ઑગસ્ટ 2019) : દિલ્હીનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, જાણીતાં મહિલા રાજકારણી અને ભારતીય જનતા પક્ષનાં પ્રથમ હરોળનાં નેત્રી. પિતા હરદેવ શર્મા અને માતા લક્ષ્મીદેવી. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક છે. કૉલેજની શૈક્ષણિક કારર્કિદી દરમિયાન વક્તૃત્વસ્પર્ધા,…

વધુ વાંચો >

સ્વરાજ્ય પક્ષ

સ્વરાજ્ય પક્ષ : ધારાસભાઓમાં ચૂંટાઈને સરકારને ‘અંદરથી’ બંધારણીય લડત આપવા કૉંગ્રેસની અંદર જ દેશબંધુ ચિત્તરંજન દાસ તથા મોતીલાલ નેહરુએ જાન્યુઆરી, 1923માં સ્થાપેલો રાજકીય પક્ષ. ગાંધીજીએ અસહકારનું આંદોલન ફેબ્રુઆરી 1922માં બંધ રાખ્યું અને તે પછી તેમની ધરપકડ થઈ. ત્યાર બાદ દેશ સમક્ષ કોઈ કાર્યક્રમ રહ્યો નહિ. તેથી લોકોમાં હતાશા ફેલાઈ અને…

વધુ વાંચો >

સ્વરૂપ ગોવિંદ

સ્વરૂપ, ગોવિંદ (જ. 23 માર્ચ 1929, ઠાકુરવાડા, ઉત્તરપ્રદેશ) : ખ્યાતનામ ભારતીય ખગોળવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સંસ્થાઓમાંથી લીધું. ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી 1948માં બી.એસસી. અને 1950માં એમ.એસસી.ની ઉપાધિઓ મેળવી. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ ગયા. યુ.એસ.ની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં 1957–1961 દરમિયાન સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત…

વધુ વાંચો >

સ્વર્ણસિંગ

Jan 18, 2009

સ્વર્ણસિંગ (જ. 19 ઑગસ્ટ 1907; અ. 30 ઑક્ટોબર 1994, નવી દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સ્વાતંત્ર્યોત્તર કાળના ભારતના રાજદ્વારી મુત્સદ્દી. 1926માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી લાહોરની સરકારી કૉલેજમાં વિજ્ઞાન વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા. 1930માં બી.એસસી.ની સ્નાતક પદવી, 1932માં ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી.ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

સ્વલ્પ તત્વો

Jan 18, 2009

સ્વલ્પ તત્વો : 20 મિગ્રા./દિવસથી ઓછી માત્રામાં દૈનિક આવશ્યકતા હોય તેવાં પોષક તત્વો. તેમાં સ્વલ્પ ધાતુઓ  જસત (zinc), ક્રોમિયમ, સેલેનિયમનો સમાવેશ થાય છે. ઉપર જણાવેલી વ્યાખ્યા પ્રમાણે, લોહતત્વ, મૅન્ગેનીઝ તથા તાંબું નામની ધાતુઓ અને આયોડિન અને ફ્લોરાઇડ – એ અધાતુ તત્વોનો પણ સ્વલ્પ તત્વોમાં સમાવેશ કરી શકાય છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

સ્વ-સંમોહન (selfhypnosis)

Jan 18, 2009

સ્વ-સંમોહન (selfhypnosis) : એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા. જ્યારે વ્યક્તિ પોતાની જાત પર સંમોહનની પ્રક્રિયા કરે ત્યારે તેને સ્વ-સંમોહન કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન (meditation) જેવી પરિસ્થિતિ ઉદભવે છે. ખરેખર તો ધ્યાન (meditation) એ જ એક પ્રકારનું સ્વ-સંમોહન છે. આ માટે મહાવરાની જરૂર હોય છે. નિષ્ણાત સંમોહનકર્તા પાસેથી કેવા પ્રકારનાં સૂચનો પોતાની…

વધુ વાંચો >

સ્વસ્તિક

Jan 18, 2009

સ્વસ્તિક : એક માંગલિક ચિહ્ન. ‘સ્વસ્તિક’ શબ્દ सु + उस् ઉપરથી નિષ્પન્ન થયો છે. सु = શુભ, મંગલપ્રદ; उस् = હોવું. अस्ति = સત્તા, અસ્તિત્વ; ‘સ્વસ્તિક’ એટલે કલ્યાણકારી સત્તા. स्वस्ति = કલ્યાણ હો તેવી ભાવના. આ માંગલિક ચિહન પ્રસન્નતાનું દ્યોતક છે. પ્રાચીન ભારતીયોનું મંગળ પ્રતીક છે. તેની ચાર ભુજાઓ ચાર…

વધુ વાંચો >

સ્વસ્તિક તારામંડળ (Crux)

Jan 18, 2009

સ્વસ્તિક તારામંડળ (Crux) : ચાર તારાઓનું બનેલું નાનું પણ ઉઠાવદાર મંડળ. આકાશનું તે સહુથી નાનું તારામંડળ છે. સ્વસ્તિકનો આકાર ‘ક્રૉસ’ એટલે કે ખ્રિસ્તી ધર્મના એક ચિહન યા ઈસુના વધસ્તંભ (ક્રૂસ) જેવો છે. એટલે તેનું પાશ્ચાત્ય નામ ‘ક્રક્સ’ (Crux) છે. તેને ‘સધર્ન ક્રૉસ’ (The Southern Cross / દક્ષિણી ક્રૉસ) અથવા ‘ક્રક્સ…

વધુ વાંચો >

સ્વાઇત્ઝર આલ્બર્ટ

Jan 18, 2009

સ્વાઇત્ઝર, આલ્બર્ટ (જ. 14 જાન્યુઆરી 1875, કૈસરબર્ગ, જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1965, લૅમ્બારેને, આફ્રિકા) : વિશ્વવિખ્યાત માનવતાવાદી ડૉક્ટર, સમાજસેવક અને વર્ષ 1952ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા લૂઈ (Louis) ધર્મોપદેશક હતા જેમની પ્રેરણાથી આલ્બર્ટમાં સંગીત પ્રત્યેની રુચિ જાગી, તેઓ બાળપણમાં  જ ઑર્ગન વાદ્ય વગાડવાનું શીખ્યા અને આઠ વર્ષની ઉંમરે 1883માં…

વધુ વાંચો >

સ્વાઝલર આર્થર

Jan 18, 2009

સ્વાઝલર, આર્થર (Schwatzler, Arthur) (જ. 15 મે 1862, વિયેના; અ. 21 ઑક્ટોબર 1931, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. એમના યહૂદી પિતા પ્રા. જ્હૉન સ્વાઝલર જાણીતા ગળાચિકિત્સક હતા. પિતાની જેમ પોતે પણ શારીરિક ચિકિત્સક તરીકેનો વ્યવસાય સ્વીકારેલો. તેઓ માનસચિકિત્સક પણ હતા. સ્વાઝલરે કિશોરાવસ્થામાં જ કવિતા લખવાનું શરૂ કર્યું…

વધુ વાંચો >

સ્વાઝીલૅન્ડ (Swaziland)

Jan 18, 2009

સ્વાઝીલૅન્ડ (Swaziland) : આફ્રિકા ખંડના અગ્નિ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ દ. અ. અને 31° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 17,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં મોઝામ્બિક દેશ આવેલો છે, જ્યારે બાકીની બધી બાજુઓ પર દક્ષિણ આફ્રિકા દેશ આવેલો છે. તેનું સત્તાવાર રાષ્ટ્રીય…

વધુ વાંચો >

સ્વાર્ટ્ઝચાઇલ્ડ કાર્લ

Jan 18, 2009

સ્વાર્ટ્ઝચાઇલ્ડ, કાર્લ (જ. 9 ઑક્ટોબર 1873, ફ્રેન્કફર્ટ મેઇન; અ. 11 મે 1916, પોટ્સડમ, જર્મની) : વીસમી સદીના ખગોળવિજ્ઞાન માટે વિકાસપાયો નાખનાર ખ્યાતનામ જર્મન ખગોળવિદ. તેમણે આ ક્ષેત્રે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક નોંધપાત્ર ફાળો આપ્યો છે, જે પ્રાથમિક અને તાત્વિક મૂલ્ય ધરાવે છે. કાર્લ સ્વાર્ટ્ઝચાઇલ્ડ વિજ્ઞાનક્ષેત્રે તે અપવાદરૂપ શક્તિ અને ક્ષમતા ધરાવતા…

વધુ વાંચો >

સ્વાતંત્ર્યદિન

Jan 18, 2009

સ્વાતંત્ર્યદિન : કોઈ પણ રાષ્ટ્રનો જન્મદિન, જ્યારે તે અન્ય વિદેશી શાસકથી સ્વતંત્ર બને છે અથવા સ્વયંસમજ કે ક્રાંતિ દ્વારા જૂની રાજ્યવ્યવસ્થા ફગાવી દઈ નવી રાજ્યવ્યવસ્થાનો સ્વીકાર કરે છે. કેટલાક દેશો કે જ્યાં રાજા બંધારણીય વડો કે વાસ્તવિક વડો હોય છે ત્યાં રાજાનો તાજ ધારણ કરવાનો દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવાની પ્રથા…

વધુ વાંચો >