૨૪.૧૨

સ્થાપત્યકલાથી સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન)

સ્થિરાંત્રશોથ (colitis) અને વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis)

સ્થિરાંત્રશોથ (colitis) અને વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis) : અનુક્રમે મોટા આંતરડાનો સોજો તથા તેને વારંવાર ચાંદાં પડે તેવો દીર્ઘકાલી વિકાર થવો તે. મોટા આંતરડામાં શોથજન્ય (inflammatory) વિકાર થાય તેને સ્થિરાંત્રશોથ (colitis) કહે છે. તે સમયે તેની પેશીમાં કોઈ સંક્ષોભન(irritation)ને કારણે લોહીનું ભ્રમણ વધે છે અને લોહીના વિવિધ શ્વેતકોષોનો પેશીમાં ભરાવો…

વધુ વાંચો >

સ્થિરાંત્રશોથ વ્રણીય

સ્થિરાંત્રશોથ, વ્રણીય : જુઓ સ્થિરાંત્રશોથ અને વ્રણીય સ્થિરાંત્રશોથ

વધુ વાંચો >

સ્થૂલકોણક

સ્થૂલકોણક : સરળ સ્થાયી વનસ્પતિ પેશીનો એક પ્રકાર. તે શાકીય દ્વિદળી વનસ્પતિઓનાં પ્રકાંડ અને પર્ણોમાં જોવા મળે છે. દ્વિદળીઓનાં મૂળ અને કાષ્ઠમય પ્રકાંડમાં તથા એકદળીઓમાં આ પેશીનો અભાવ હોય છે; છતાં એકદળીમાં નાગદમણ (Crinum) અને ગાર્ડન લીલી(Pancratium)નાં પર્ણોમાં આ સ્થૂલકોણક (collenchyma) પેશી આવેલી હોય છે. સ્થાન : આ પેશી શાકીય…

વધુ વાંચો >

સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus)

સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus) : હૂકના નિયમનું પાલન કરતા પદાર્થ માટે પ્રતિબળ (stress) અને વિકૃતિ(strain)નો ગુણોત્તર. સ્થિતિસ્થાપકતા એ દ્રવ્યનો અગત્યનો યાંત્રિક ગુણધર્મ છે. આવો ગુણધર્મ આંતર-અણુ અથવા પરમાણુ બળો અને પદાર્થના સ્ફટિક બંધારણ પર આધાર રાખે છે. સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (કદ સ્થિતિસ્થાપકતા અંક) B : જ્યારે પદાર્થ પર…

વધુ વાંચો >

સ્થૂલિભદ્ર

સ્થૂલિભદ્ર : એક પ્રાચીન મહાન જૈન આચાર્ય. તેમનાં ત્યાગ અને તપશ્ચર્યાના કારણે જૈન ધર્મમાં તેમનું અત્યંત ઊંચું સ્થાન છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરો – મુખ્ય પ્રત્યક્ષ શિષ્યો – માંથી માત્ર બે, પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ અને પંચમ ગણધર સુધર્મા, ભગવાન મહાવીરના નિર્વાણ પછી જીવિત હતા. ભગવાન મહાવીરના ઉપદેશનું અંગ આગમ…

વધુ વાંચો >

સ્થૈતિક (static) :

સ્થૈતિક (static) : સામાન્ય રીતે વિદ્યુતભારિત કણોની હવામાં હિલચાલને લીધે વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસારણ (broadcasting) ઉપર બિનજરૂરી અવાજ (ઘોંઘાટ) સ્વરૂપે થતી અસર. સ્થૈતિકમાં સુસવાટા કે પાર્શ્વભૂમિ-ઘોંઘાટ હોય છે. ગ્રાહી પ્રયોજન અથવા મનોરંજનના ઇચ્છિત સંકેતોમાં સુસવાટા, તડતડાટ કે એકાએક તીક્ષ્ણ ઘોંઘાટનો પ્રવેશ વિક્ષેપ પેદા કરે છે. વિદ્યુત-તોફાનો દરમિયાન સામાન્ય પ્રસારણ-અભિગ્રાહીમાં સાવ સાદા…

વધુ વાંચો >

સ્થૌણ-નરસિંહ

સ્થૌણ-નરસિંહ : સ્તંભમાંથી પ્રગટ થતું વિષ્ણુના નરસિંહ અવતારનું વિશિષ્ટ સ્વરૂપ, જેણે હિરણ્યકશિપુનો વધ કર્યો. પુરાણોમાં જણાવ્યા મુજબ હિરણ્યકશિપુએ ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માની પાસેથી એવા વરદાન મેળવ્યાં હતાં કે તે કોઈ પણ માણસ કે પશુથી ન મરે, તે દિવસે કે રાત્ર ન મરે, કોઈ પણ જાતના આયુધથી તે ઈજા પામી ન…

વધુ વાંચો >

સ્નાતક વિજયેન્દ્ર (જ. 23 ડિસેમ્બર 1914 વૃંદાવન મથુરા ઉત્તરપ્રદેશ)

સ્નાતક, વિજયેન્દ્ર (જ. 23 ડિસેમ્બર 1914, વૃંદાવન, મથુરા, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિવેચક અને વિદ્વાન. તેમણે હિંદી અને સંસ્કૃતમાં એમ.એ.ની પદવી, ‘શાસ્ત્રી’ તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે સેવાનિવૃત્ત થયા છે. તેઓ હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ, 1996માં હિંદી સાહિત્ય સંમેલન(અલ્લાહાબાદ)ના પ્રમુખ રહેલા.…

વધુ વાંચો >

સ્નાનગૃહ (swimming-pool)

સ્નાનગૃહ (swimming-pool) : સ્નાન અને સ્નાનક્રીડા માટેનું ખાસ તૈયાર કરેલ સ્થળ. સ્નાનગૃહો પુરાણકાળથી જાણીતાં છે. રાજા-મહારાજાઓનાં આવાસ-સંકુલોમાં સ્નાનગૃહોનો સમાવેશ થતો હતો. આજે પણ મોટાં ધનિક કુટુંબોના આવાસોમાં તેમજ મોટી હોટેલોમાં ખાસ સ્નાનગૃહો રાખવામાં આવે છે. સ્નાનક્રિયા એ માત્ર ચાલુ દૈનિક ક્રિયાને બદલે અમુક સમયે આનંદ-પ્રમોદ અને મોજમજા માટેની ક્રિયા બની…

વધુ વાંચો >

સ્નાયુ(પીડા)કર્ષણ (muscle cramps)

સ્નાયુ(પીડા)કર્ષણ (muscle cramps) : સ્નાયુના સંકોચન કે અતિશય ટૂંકા થવાથી તેમાં પીડા કે અસ્વીકાર્ય સંવેદના થવી તે. તેનું મુખ્ય કારણ ઠંડી, અતિશય શ્રમ કે લોહીમાં કૅલ્શિયમનું ઘટેલું પ્રમાણ હોય છે. આ ઉપરાંત તે શરીરમાં પ્રવાહી ઘટે, ક્ષાર ઘટે કે ઑક્સિજનની ઊણપ થાય ત્યારે પણ થાય છે. ક્યારેક માંદગી કે ઝેરની…

વધુ વાંચો >

સ્થાપત્યકલા

Jan 12, 2009

સ્થાપત્યકલા લલિતકલાઓના વર્ગમાંની એક રૂપપ્રદ કલા. ચિત્રકલા અને શિલ્પકલાની જેમ સ્થાપત્યકલા રૂપપ્રદ કલા છે. સ્થાપત્યની વ્યાખ્યા આપતાં સર સીડની કોલવીન જણાવે છે : ‘સ્થાપત્ય ઘાટ આપવાની કલા છે. એનું કાર્ય ક્રમબદ્ધ અને વિભૂષિત પિંડોના સંયોજનથી લાગણી વ્યક્ત અને ઉત્તેજિત કરવાનું છે.’ લાગણીનો સ્પર્શ ધરાવતી ઇમારતને સ્થાપત્ય કહી શકાય. સંસ્કૃતમાં સ્થાપત્ય…

વધુ વાંચો >

સ્થાયી તુષારભૂમિ (permafrost)

Jan 12, 2009

સ્થાયી તુષારભૂમિ (permafrost) : હિમસંજોગની અસર હેઠળ કાયમી ઠરેલો રહેતો ભૂમિસ્તરવિભાગ. કેટલાંય વર્ષો સુધી જ્યાં તાપમાન 0° સે.થી નીચે રહેતું હોય એવો ભૂમિપ્રદેશ, પછી ભલે તે પ્રદેશ બરફથી જામેલો રહેતો હોય કે ન રહેતો હોય, ત્યાંના ખડકો કે જમીન-પ્રકાર ગમે તે હોય. તુષારભૂમિની ઉપલી તલસપાટી બરફ હોવા–ન હોવાને કારણે લગભગ…

વધુ વાંચો >

સ્થાયી મૂડી (fixed capital)

Jan 12, 2009

સ્થાયી મૂડી (fixed capital) : જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રી વસાવવા માટે તથા જાળવવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની મૂડી. ઉદ્યોગપતિ નવી કંપની શરૂ કરતાં અગાઉ ઇજનેરો, સ્થપતિઓ અને તજ્જ્ઞોની મદદ વડે ધંધા અંગેની નાણાકીય જરૂરિયાતોનો અડસટ્ટો કઢાવે છે; કારણ કે જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રીમાં રોકાણ કરવા માટે સ્થાયી…

વધુ વાંચો >

સ્થિત તરલની યાંત્રિકી (mechanics of static fluid)

Jan 12, 2009

સ્થિત તરલની યાંત્રિકી (mechanics of static fluid) : વિરામવાળા પ્રવાહી અને વાયુની યાંત્રિકી. પ્રવાહી અને વાયુ તરલ તરીકે ઓળખાય છે. તરલ એવો પદાર્થ છે જે વહી શકે છે. આથી ‘તરલ’ શબ્દમાં પ્રવાહીઓનો અને વાયુઓનો સમાવેશ થાય છે. આવાં વર્ગીકરણ હંમેશાં સ્પષ્ટ હોતાં નથી. કાચ અને ડામર જેવાં કેટલાંક તરલો એટલાં…

વધુ વાંચો >

સ્થિતિજ ઊર્જા

Jan 12, 2009

સ્થિતિજ ઊર્જા : સ્થાન કે અવસ્થાને કારણે પદાર્થની ઊર્જા પદાર્થને પ્રમાણભૂત અવસ્થા(configuration)માંથી વર્તમાન સ્થિતિમાં લાવવા માટે તેના ઉપર કરવા પડતા કાર્યને પણ સ્થિતિજ (potential) ઊર્જા કહે છે. યંત્રશાસ્ત્રમાં ઊર્જાનું મહત્વ ઘણું છે. પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઊર્જાને ગતિ-ઊર્જા કહે છે. તેવી જ રીતે ઊર્જાનું બીજું અગત્યનું સ્વરૂપ ગતિ દરમિયાન પદાર્થના…

વધુ વાંચો >

સ્થિતિશાસ્ત્ર (statics)

Jan 12, 2009

સ્થિતિશાસ્ત્ર (statics) : દૃઢ (rigid) પદાર્થ ઉપર બળોના સમતોલન(equillibrium)નો સિદ્ધાંત. તે યંત્રશાસ્ત્ર(mechanics)ની એક શાખા છે. બીજી રીતે સ્થિર કે અચળ ગતિ કરતા પદાર્થ ઉપર લાગતાં બળોની અસરનું વિજ્ઞાન છે. સ્થિર કે અચળ ગતિ અને એક જ દિશા ધરાવતા પદાર્થ સાથે સ્થિતિશાસ્ત્ર નિસબત ધરાવે છે. આવો પદાર્થ સમતોલનમાં હોય છે. સ્થિતિશાસ્ત્રનો,…

વધુ વાંચો >

સ્થિતિ(સ્થાન)-સદિશ (position vector)

Jan 12, 2009

સ્થિતિ(સ્થાન)-સદિશ (position vector) : યંત્રશાસ્ત્રમાં, કણના ગતિપથ ઉપરના કોઈક બિંદુ અને સંદર્ભબિંદુને જોડતી રેખા કે સદિશ. અવકાશમાં કોઈ એક બિંદુ Pનું સ્થાન નિરપેક્ષ રીતે દર્શાવી શકાતું નથી. P બિંદુનું સ્થાન દર્શાવવા માટે કોઈ એક સંદર્ભતંત્રનો આધાર લેવો પડે છે. એ સંદર્ભતંત્રના ઊગમબિંદુ O અને P બિંદુને જોડતા સદિશ ને તે…

વધુ વાંચો >

સ્થિર તરંગ (standing wave)

Jan 12, 2009

સ્થિર તરંગ (standing wave) : દોલનો કે કંપનો જે અવકાશમાં ગતિ કરતાં ન હોય તેથી પ્રત્યેક બિંદુ કોઈ પણ ફેરફાર સિવાય દોલન કે ગતિ કરે તેવી તરંગ-ગતિ. સ્થિર તરંગો મેળવવાની શરત આ પ્રમાણે છે : સમાન તરંગલંબાઈવાળા બે તરંગોનો કંપવિસ્તાર (amplitude) સમાન હોવો જોઈએ, તેમની આવૃત્તિ (frequency) સમાન હોવી જોઈએ…

વધુ વાંચો >

સ્થિરમતિ

Jan 12, 2009

સ્થિરમતિ : ચોથી સદીમાં અર્થાત્ ક્ષત્રપકાલ દરમિયાન થઈ ગયેલા બોધિસત્વ (બૌદ્ધ સાધક). તેઓ અસંગના શિષ્ય હતા. આચાર્ય સ્થિરમતિએ વલભીમાં બપ્પપાદીય વિહાર નામે વિહાર બંધાવ્યો હતો. એ નામમાં ‘બપ્પપાદ’થી એમના ગુરુ અસંગ અભિપ્રેત હશે. ચીની પ્રવાસી યુઅન શ્વાંગ નોંધે છે કે વલભીપુરથી થોડે દૂર અચલે બંધાવેલો સંઘારામ (વિહાર) છે, જ્યાં બોધિસત્વ…

વધુ વાંચો >

સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy)

Jan 12, 2009

સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy) : મોટા આંતરડામાં નળી નાંખીને તેના પોલાણનું નિદાનલક્ષી નિરીક્ષણ તથા કેટલીક સારવાર કરવી તે. તે આમ એક પ્રકારની અંત:દર્શકીય (endoscopic) તપાસ છે. તેમાં વપરાતા મુખ્ય સાધનને સ્થિરાંત્રદર્શક (colonoscope) કહે છે. તેમાં સાધનો અને પ્રકાશવાહીતંતુઓ (optical fibres), લવચીક (flexible) નળીઓ, પ્રકાશનું સ્રોતમૂળ, તંતુપ્રકાશવાહી (fibreoptic) કૅમેરા કે ટીવી સાથે જોડી…

વધુ વાંચો >