૨૪.૦3

સોમલ (White Arsenic) વિષથી સોલંકી, માધવસિંહ

સોમલ (White Arsenic) વિષ

સોમલ (White Arsenic) વિષ : તીવ્ર ઝેરી ખનિજ-દ્રવ્ય. જગતના તીવ્રતમ ઝેરમાં તેની ગણતરી થાય છે. સોમલ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવતું ભયંકર ઝેરી ખનિજ છે. તેની 123 મિગ્રા. જેટલી માત્રા પણ વ્યક્તિના પ્રાણ સદ્ય હરી લે છે. તે સર્પવિષ કરતાં પણ ઝડપી મારકતા ધરાવતું દ્રવ્ય છે. આ ખનિજ-દ્રવ્યનો આયુર્વેદના રસવૈદ્યો…

વધુ વાંચો >

સોમવંશ

સોમવંશ : સોમ-ચન્દ્રથી પ્રવર્તેલો વંશ. પુરાણોમાં સૂર્ય-ચંદ્રથી પ્રવર્તેલા વંશો ઉપરાંત સ્વયંભુવ વંશ, ભવિષ્ય વંશ અને માનવેતર વંશોનાં વર્ણન મળે છે. પૌરાણિક સાહિત્યમાં ઘણોખરો રાજકીય વંશોનો ઇતિહાસ ચંદ્રવંશ સાથે સંબંધિત છે. પ્રાચીન ઇતિહાસમાં સૂર્યવંશી રાજવીઓનું પ્રાબલ્ય હતું; પરંતુ ઉત્તરકાલીન યુગમાં સૂર્યવંશી રાજ્યસત્તા અયોધ્યા, વિદેહ અને વૈશાલીમાં સૂર્યોદિત બની રહી. તેમાંય માંધાતૃ–માંધાતા…

વધુ વાંચો >

સોમશર્મા (1)

સોમશર્મા (1) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022થી 1064)ના પુરોહિત. તેઓ સોમ અથવા સોમેશ્વર તરીકે પણ જાણીતા હતા. તેમના કુલમાં સોમેશ્વરદેવ સુપ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા. તેમણે ‘સુરથોત્સવ’ મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પોતાના પૂર્વજોનો વૃત્તાંત આપ્યો છે. તે મુજબ વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુલમાં સોલશર્મા નામે ઋગ્વેદી બ્રાહ્મણ થયો.…

વધુ વાંચો >

સોમશર્મા (2)

સોમશર્મા (2) : પુરાણો મુજબ રુદ્ર-શિવનો 27મો અવતાર. પ્રભાસ-પાટણના ઈ. સ. 1169ના એક લેખ મુજબ સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવ્યું હતું. શિવની આજ્ઞાથી ત્યાં પોતાની પદ્ધતિના સંપ્રદાયની પરંપરા સ્થાપી તથા તે સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પૌરાણિક ઉલ્લેખો પણ કહે છે કે શિવે પોતે પ્રભાસમાં સોમશર્મા રૂપે આવી આ મંદિર…

વધુ વાંચો >

સોમસિદ્ધાંત

સોમસિદ્ધાંત : પ્રભાસપાટણમાં સોમશર્માએ પુનર્જીવિત કરેલી શૈવધર્મની એક શાખા. પુરાણોમાં સોમશર્મા રુદ્ર–શિવના સત્તાવીસમા અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઉલ્લેખાયા છે. કાલગણનાની દૃષ્ટિએ લકુલીશ(લગુડીશ)ના પિતામહ સોમશર્મા અને સોમસિદ્ધાંતના પ્રસારક સોમેશ્વર એક હોવાની સંભાવના છે. કુમારપાળના વલભી(સં. 850 : ઈ. સ. 1169)ના પ્રભાસપાટણના, ભીમદેવ બીજાના વેરાવળના અને વિષ્ણુગુપ્તના ચંદ્રેશ્વર(નેપાળ)ના શિલાલેખોમાં આ સંપ્રદાયનો…

વધુ વાંચો >

સોમસુંદરમ્ મી. પા.

સોમસુંદરમ્, મી. પા. (જ. 17 જૂન 1921, મીનાક્ષીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 15 જાન્યુઆરી 1999) : તમિળ ભાષાના નવલકથાકાર. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઑલ ઇન્ડિયા રેડિયોના મુખ્ય કાર્યક્રમ-નિર્માતા તરીકે નિવૃત્ત; માનાર્હ નિયામક, મ્યુઝિક કૉલેજ, તમિળ ઈસાઈ સંગમ, ચેન્નાઈ; સંપાદક, ‘કલ્કી’, તમિળ સાપ્તાહિક, 1954—1956; સભ્ય, સલાહકાર બોર્ડ, સધર્ન લૅંગ્વેજિઝ…

વધુ વાંચો >

સોમસુંદરસૂરિ

સોમસુંદરસૂરિ (જ. 1374/સં. 1430 મહા વદ 14, શુક્રવાર, પાલનપુર; અ. 1443/સં. 1499) : પ્રસિદ્ધ જૈનાચાર્ય. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન શ્રેષ્ઠી અને માતાનું નામ માલ્હણદેવી. એમનું સંસારી નામ સોમ. માતાપિતાની સંમતિથી સાત વર્ષની કુમળી વયે 1381(સં. 1437)માં એમને દીક્ષા અપાઈ. એમના દીક્ષાગુરુ આચાર્ય જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા…

વધુ વાંચો >

સોમસ્કંદ

સોમસ્કંદ : બાલ સ્વરૂપા સ્કંદ સાથેનું શિવ અને ઉમાનું મૂર્તિસ્વરૂપ. ‘શિલ્પરત્ન’ ગ્રંથમાં આ મૂર્તિસ્વરૂપનું વિધાન ખૂબ વિગતે અપાયું છે. આમાં શિવ ત્રિનેત્ર, ચતુર્ભુજ, સ્વરૂપે ભદ્રપીઠ પર સુખાસનમાં પણ ટટ્ટાર બેઠેલા છે. તેમના જમણા હાથમાં પરશુ અને ડાબા પાછલા હાથમાં મૃગ છે. જ્યારે બાકીના બે હાથ પૈકી એક અભય મુદ્રામાં અને…

વધુ વાંચો >

સોમાલિયા

સોમાલિયા : આફ્રિકાખંડની મુખ્ય ભૂમિ પર છેક ઈશાનકોણમાં આવેલો દેશ. હિંદ મહાસાગર અને એડનના અખાત વચ્ચે આવેલી તેની ભૂશિર શિંગડાનો આકાર રચે છે. તે 2° 00´ દ. અ.થી 12° 00´ ઉ. અ. તથા 41° 00´થી 51° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 6,37,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ…

વધુ વાંચો >

સોમાલી (થાળું)

સોમાલી (થાળું) : હિન્દી મહાસાગરના ફાંટારૂપ અરબી સમુદ્રના નૈર્ઋત્ય ભાગના તળ પર આવેલું અધોદરિયાઈ થાળું. તે સોમાલિયાની ભૂશિરથી પૂર્વ તરફ આવેલું છે. કાર્લ્સબર્ગ ડુંગરધાર તેને ઈશાન તરફ આવેલા અરબી ગર્તથી અલગ પાડે છે. આ થાળું દક્ષિણમાં રહેલા મૅસ્કેરીન અને માડાગાસ્કર થાળાંને સાંકળે છે. અહીંની તળ-ઊંડાઈ 3,600 મીટર જેટલી છે. સોમાલી…

વધુ વાંચો >

સોરઠ તારાં વહેતાં પાણી

Jan 3, 2009

સોરઠ, તારાં વહેતાં પાણી (1937) : ઝવેરચંદ મેઘાણીકૃત કીર્તિદા અને લોકપ્રિય નવલકથા. ગુજરાતીની વાતાવરણપ્રધાન પ્રાદેશિક કૃતિઓમાં તે ઘણી ધ્યાનપાત્ર રહી છે. હેતુલક્ષી ઘટનાઓને ક્રમશ: આલેખતી આ નવલકથા સોરઠના જાનપદી જીવનને ઊંડળમાં લે છે. આ નવલકથામાં મહત્વનાં પાત્રો તો અનેક છે પણ તેમાં નાયક-નાયિકા કોઈ નથી. કહેવું હોય તો કહી શકાય…

વધુ વાંચો >

સોરઠા

Jan 3, 2009

સોરઠા : મુક્તક સ્વરૂપનો લઘુકાવ્યનો એક પ્રકાર. સોરઠા એક છંદ તો છે જ, પણ સાહિત્યના ક્ષેત્રમાં એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે પણ પ્રાચીન સમયથી ખેડાતો આવ્યો છે. દોહરા / દોહા / દુહા નામે ઓળખાતા પરંપરિત બે પંક્તિઓનાં ચાર ચરણોમાં ચોવીસ માત્રા ધરાવતા માત્રામેળ છંદને જ્યારે ઉલટાવાય, એટલે કે દોહરાની 13 +…

વધુ વાંચો >

સોરાબજી સોલી જહાંગીર

Jan 3, 2009

સોરાબજી, સોલી જહાંગીર (જ. 9 માર્ચ 1930, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી અને દેશના પૂર્વ ઍટર્ની-જનરલ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી 1953માં તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને તરત જ એક અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી. શરૂઆતમાં 1953–1970 દરમિયાન મુંબઈની વડી અદાલતમાં કામ…

વધુ વાંચો >

સોરાયાસિસ (psoriasis)

Jan 3, 2009

સોરાયાસિસ (psoriasis) : ખૂજલી અને પોપડીવાળી ચકતીઓ (plaques) કરતો ચામડીનો અને ક્યારેક સાંધાઓને અસર કરતો એક રોગ. વધુ પડતી ચામડીના ઉત્પાદન અને શોથ-(inflammation)ને કારણે પોપડીઓ વળતી ચકતીઓ થાય છે. તે ચાંદી જેવી સફેદ હોય છે. મોટેભાગે કોણી તથા ઢીંચણ પર થાય છે, પરંતુ તે અન્ય સ્થળે  શીર્ષ ચર્મ (scalp) તથા…

વધુ વાંચો >

સોરેલ જ્યૉર્જ

Jan 3, 2009

સોરેલ, જ્યૉર્જ (જ. 22 નવેમ્બર 1847, ચેરબર્ગ, ફ્રાન્સ; અ. 30 ઑગસ્ટ 1922, Boulongnesur, સેઇન, પૅરિસ) : ફ્રેન્ચ સમાજવાદી ચિંતક, ક્રાંતિકારી સિન્ડિકાલિસ્ટ. મધ્યમવર્ગીય કુટુંબના આ સંતાન સિવિલ એન્જિનિયર હતા. ફ્રેન્ચ સરકારના પુલો અને માર્ગો બાંધવાના વિભાગમાં તેઓ કામગીરી બજાવતા હતા. 1870-1892 સુધી તેમણે આ વ્યાવસાયિક કામગીરી કરી હતી; પરંતુ વ્યાવસાયિક કામગીરીના…

વધુ વાંચો >

સોરોકિન મિતિરિમ એ

Jan 3, 2009

સોરોકિન મિતિરિમ એ. (જ. 1899; અ. 1968) : મૂળ રશિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા સમાજશાસ્ત્રી. સોરોકિનનો જન્મ ઉત્તર રશિયાના એક નાના ગામડામાં થયો હતો. પૂર્વજોનો વ્યવસાય ખેતીનો હતો. પિતા શ્રમજીવી હતા. ત્રણ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયા પછી માસીને ત્યાં ઊછર્યા. વીસ વર્ષે ઝાર સામેની ક્રાંતિમાં ઝંપલાવ્યું. સ્વાધ્યાયનાં પચાસ વર્ષના…

વધુ વાંચો >

સોરોખૈબામ લલિતસિંઘ

Jan 3, 2009

સોરોખૈબામ, લલિતસિંઘ (જ. 1893, ઇમ્ફાલ; અ. 1955) : મણિપુરી નાટ્યકાર, અભિનેતા અને દિગ્દર્શક. નાની વયથી તેમની રુચિ રંગમંચ તરફ રહી હતી અને તેમણે કેચર, આસામના બિહારીસિંઘ દ્વારા મણિપુરીમાં અનૂદિત બંગાળી નાટક ‘પાગલિની’માં અભિનય આપ્યો હતો. 1931માં મણિપુરના જાણીતા રંગમંચ એમ.ડી.યુ.ની સ્થાપના સાથે તેઓ સક્રિયપણે સંકળાયેલા હતા અને તેમણે તેમાં નાટ્યકાર,…

વધુ વાંચો >

સોરોલા ઈ બાસ્ટિડા જોઆકીન

Jan 3, 2009

સોરોલા, ઈ બાસ્ટિડા જોઆકીન (Sorolla, Y Bastida Joaquin) [જ. 1865, વાલેન્ચિયા (Valencia), સ્પેન; અ. 1923] : સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. માનવીના મૂળભૂત મનોભાવોને વાચા આપતાં લાગણીસભર ચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. પૅરિસ તથા રોમમાં કલા-અભ્યાસ કરીને તેમણે તેમનું પ્રથમ વૈયક્તિક ચિત્ર-પ્રદર્શન પૅરિસમાં 1906માં યોજ્યું હતું. સોરોલાનું એક ચિત્ર : ‘વૉક…

વધુ વાંચો >

સોલન (સોલોન)

Jan 3, 2009

સોલન (સોલોન) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 05´થી 31° 15´ ઉ. અ. અને 76° 42´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 1,936 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ બિલાસપુર, ઈશાન તરફ મંડી, પૂર્વ તરફ સિમલા અને અગ્નિ…

વધુ વાંચો >

સોલના

Jan 3, 2009

સોલના : સ્વીડનના મધ્ય-પૂર્વભાગમાં, સ્ટૉકહોમ પરગણામાં, સ્ટૉકહોમથી વાયવ્ય તરફ આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 22´ ઉ. અ. અને 18° 01´ પૂ. રે.. અહીં આઠમાથી દસમા સૈકાના, યુરોપના વેપારી-ચાંચિયાના કાળગાળાના પાષાણના અક્ષરો તથા ઘણાં દફનસ્થળો ધરાવતી પ્રાચીન વસાહત જોવા મળે છે. અહીંની જાણીતી ઇમારતોમાં બારમી સદીનું ચર્ચ, કાર્લબર્ગ મહેલ, અઢારમી…

વધુ વાંચો >