૨૩.૩૩

સેશલ્સ (Seychelles)થી સૈરંધ્રી

સૈનિક શાળા  બાલાચડી

સૈનિક શાળા  બાલાચડી : ગુજરાત રાજ્યની એકમાત્ર સૈનિક શાળા. તે સૌરાષ્ટ્રના જામનગર શહેરથી 32 કિમી. દૂર જામનગર અને રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર આવેલી છે. લગભગ 426 એકર જેટલો વિશાળ ભૂભાગ તે આવરી લે છે. તેની સ્થાપના 1961માં થયેલી. 1961-64 દરમિયાન તે જામનગર શહેરમાં કાર્યરત હતી અને ત્યારબાદ તે બાલાચડી…

વધુ વાંચો >

સૈની અજીત

સૈની, અજીત (જ. 23 જુલાઈ 1922, બોલવાલ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી લેખક અને પત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.; ગ્યાનીની પદવી મેળવી. તેઓ સ્વાતંત્ર્યસૈનિક હતા; 1943માં ઇન્ડિયન નૅશનલ આર્મી, મલાયામાં અધિકારી; ‘આઝાદ હિંદ’ના સંપાદક; 1945માં ઇન્ડિયન નૅશનલ આર્મીના મુખ્ય મથક હાલના મ્યાનમાર દેશના રંગુન (યાન્ગોંગ) શહેરના પ્રેસ અને રેડિયો સંપર્ક…

વધુ વાંચો >

સૈની પ્રીતમ

સૈની, પ્રીતમ [જ. 7 જૂન 1926, કરવાલ, જિ. સિયાલકોટ (હાલ પાકિસ્તાન)] : પંજાબી લેખક અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાંથી એમ.એ., પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. પછી પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ કેન્દ્રીય પંજાબી લેખક સભાના આજીવન સભ્ય; પંજાબી લેખક સભા, સંગરૂરના પ્રમુખ અને યુનિયન ઑવ્ જર્નાલિસ્ટ્સ, સંગરૂરના સિનિયર ઉપપ્રમુખ રહ્યા…

વધુ વાંચો >

સૈની રાજકુમાર

સૈની, રાજકુમાર (જ. 7 સપ્ટેમ્બર 1942, દિલ્હી) : હિંદી વિવેચક અને લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. (હિંદી) તથા એલએલ.બી.ની તેમજ ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી, પછી તેઓ ગૃહ-વિષયક બાબતોના મંત્રાલય હેઠળ રાજભાષા વિભાગના નિયામક (સંશોધન) તરીકે જોડાયા. તેઓ રાજભાષા અંગેની સંસદ સમિતિમાં કાર્યકારી સેક્રેટરી; ‘રાજભાષા ભારતી’ અને ‘રાજભાષા પુષ્પમાલા’ના સંપાદક; ફણીશ્વરનાથ રેણુ…

વધુ વાંચો >

સૈન્ધવ રાજ્ય

સૈન્ધવ રાજ્ય : સૌરાષ્ટ્રમાં 8મી સદીમાં અહિવર્મા 1લાના પુત્ર પુષ્યેણે આશરે ઈ. સ. 711માં સ્થાપેલ રાજવંશ. સૌરાષ્ટ્રના આ સૈન્ધવ વંશમાં કુલ 14 શાસકો થયા હતા, જેનો છેલ્લો શાસક જાઈક 2જો આશરે ઈ. સ. 900થી 920 દરમિયાન સત્તા ઉપર હતો. આ વંશના મૂળપુરુષને સિંધદેશનો માનવામાં આવે છે. આ વંશનો મૂળપુરુષ આરબ…

વધુ વાંચો >

સૈફખાન-1થી 4

સૈફખાન-1 : તારીખ 5 એપ્રિલ, 1526થી તારીખ 26મી મે, 1526 દરમિયાન ગુજરાત પર શાસન કરનાર સુલતાન સિકંદરખાનને પોતાના જ શયનખંડમાં મારી નાખનારા કાવતરાબાજોમાંનો એક. આ કાવતરાખોરોની ટોળકીમાં બહાઉલ્મુલ્ક, દાર-ઉલ-મુલ્ક, એક હબસી ગુલામ અને કેટલાક તુર્ક ગુલામો સાથે તે પણ સામેલ થયો હતો. સૈફખાન સહિત તમામની માહિતી ‘મિરાતે સિકંદરી’નો કર્તા આપે…

વધુ વાંચો >

સૈફી પ્રેમી

સૈફી પ્રેમી (ખલિલ–ઉર્–રેહમાન, સૈયદ) (જ. 2 જાન્યુઆરી 1913, ગુન્નુર, જિ. બદાઉન, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ કવિ અને લેખક. તેમણે 1948માં અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1959માં એમ.એડ. તથા 1969માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, જામિયાનગર, નવી દિલ્હીના સેક્રેટરી રહ્યા હતા. તેઓ રુરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જામિયા મિલિયા, નવી…

વધુ વાંચો >

સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ

સૈયદ, અબ્દુલ્લાહ ઇદ્રસ : ઇદ્રસિયા ફિરકાના સ્થાપક, અરબીના વિદ્વાન અને લેખક. તેમનું આખું નામ સૈયદ હજરત શમ્સ શેખબીન અબ્દુલ્લા અલ ઇદ્રસ હતું; પરંતુ આમજનતા તેમને ‘સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ’ તરીકે ઓળખે છે. એમના વડવા સૈયદ અબુબકાર ઇદ્રસ સોળમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં આવીને વસ્યા હતા. તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત હતું. સૂરતમાં તેમની…

વધુ વાંચો >

સૈયદ અહમદ (1)

સૈયદ, અહમદ (1) : સોહરાવર્દી ફિરકાના એક સૂફી સંત. તેમને સૈયદ અહમદ જહાનશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સૈયદ બુરહાનુદ્દીન કુત્બે આલમ સાહેબના ભાવિક મુરીદ હતા. પોતાના ગુરુની માફક તેઓ પણ વિદ્વાન હતા. તેમણે લખેલાં અનેક પુસ્તકોમાં ફારસી ભાષાનાં ‘સફીન તુલ અનસાબ’ (વંશાવળીઓનું પુસ્તક) અને ‘દસ્તૂરે ખિલાફત ફી અલદે…

વધુ વાંચો >

સૈયદ અહમદખાન (બરેલવી)

સૈયદ, અહમદખાન (બરેલવી) (જ. 1786; અ. 8 મે 1831, બાલાકોટ) : ઈસુની 19મી સદીમાં હિંદના મુસ્લિમોમાં ધાર્મિક, રાજકીય અને લડાયક જાગૃતિ લાવનાર મુસ્લિમ નેતા. તેઓ રાયબરેલીના વતની હોવાને લીધે ‘બરેલવી’ તરીકે ઓળખાય છે. હિંદમાં ‘વહાબી આંદોલન’ની શરૂઆત કરનાર અથવા તેનો પાયો નાખનાર તરીકે તેઓ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સામાન્ય મુસ્લિમ…

વધુ વાંચો >

સેશલ્સ (Seychelles)

Feb 2, 2008

સેશલ્સ (Seychelles) : હિન્દી મહાસાગરમાં માડાગાસ્કરની ઉત્તરે આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : 4° 35´ દ. અ. અને 55° 40´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આફ્રિકાની મુખ્ય ભૂમિથી પૂર્વમાં આશરે 1600 કિમી. અંતરે હિન્દી મહાસાગરના 10,35,995 ચોકિમી. જળવિસ્તારમાં છૂટાછવાયા વહેંચાયેલા આશરે 70થી 100 જેટલા ટાપુઓથી આ દેશ બનેલો છે. તેનો ભૂમિવિસ્તાર માત્ર…

વધુ વાંચો >

સેશુ (Sesshu)

Feb 2, 2008

સેશુ (Sesshu) (જ. 1420, આકાહામા, બિચુ (Bitchu), જાપાન; અ. 26 ઑગસ્ટ 1506, ઇવામી, જાપાન) : પશુઓ, પંખીઓ, નિસર્ગદૃશ્યો, ઝેન બૌદ્ધ સાધુઓ અને પુષ્પો આલેખવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. મૂળ અટક ઓડા; જેનો તેમણે ત્યાગ કરેલો. તેમનાં ત્રણ તખલ્લુસ છે : ‘ટોયો’, ‘ઉન્કોકુ’ અને ‘બિકેસાઈ’. 1431માં ચૌદ વરસની ઉંમરે તેમણે હોકુફુજી…

વધુ વાંચો >

સેશ્વરવાદ

Feb 2, 2008

સેશ્વરવાદ : જુઓ ઈશ્વર.

વધુ વાંચો >

સેશ્વાન (સિચુઆન)

Feb 2, 2008

સેશ્વાન (સિચુઆન) : નૈર્ઋત્ય ચીનની યાંગત્સે નદીની ખીણના ઉપરવાસમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 31° 00´ ઉ. અ. અને 105° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 5,46,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંતની કુલ વસ્તી 11,43,00,000 (1997) જેટલી છે અને વસ્તીગીચતા દર ચોકિમી. સરેરાશ 190 છે. સેશ્વાન-થાળામાં આવેલું…

વધુ વાંચો >

સે સભુ સંધિયમ્ સહાસેન (1987)

Feb 2, 2008

સે સભુ સંધિયમ્ સહાસેન (1987) : સિંધી લેખક મોતીપ્રકાશ (જ. 1931) રચિત પ્રવાસકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. દેશના વિભાજનમાં 37 વર્ષ પછી 1984માં લેખક, તેમનાં પત્ની અને તેમના મિત્ર મોહન ગેહાની માતૃભૂમિ સિંધની મુલાકાતે જાય છે. તેમાંથી આ પ્રવાસકથા સર્જાઈ છે. આ કૃતિમાં તત્કાલીન…

વધુ વાંચો >

સેસિલ વિસ્કાઉન્ટ

Feb 2, 2008

સેસિલ, વિસ્કાઉન્ટ (જ. 14 સપ્ટેમ્બર 1864, લંડન; અ. 24 નવેમ્બર 1958, ટનબ્રિજ વેલ્સ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના મુત્સદ્દી, પૂર્વ પ્રધાનમંત્રી તથા વર્ષ 1937 માટેના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક-વિજેતા. 1923 સુધી તેઓ લૉર્ડ રૉબર્ટ સેસિલ નામથી જાણીતા હતા. મૂળ આખું નામ એડગર અલ્ગરનૉન રૉબર્ટ. પાછળથી વિસ્કાઉન્ટ સેસિલ ઑવ્ ચેલવૂડ પહેલા તરીકે ખ્યાતિ…

વધુ વાંચો >

સેસોન શુકેઈ (Sesson Shukei)

Feb 2, 2008

સેસોન, શુકેઈ (Sesson, Shukei) (જ. 1504, હિટાચી, જાપાન; અ. આશરે 1589, ઈવાશિરો, જાપાન) : પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર. મૂળ નામ સાટાકે હેઈઝો (Satake Heizo). પંદરમી સદીના પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર સેશુની ચિત્રશૈલીનો વધુ વિકાસ કરવામાં સેસોનનું નામ મોખરે છે. જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુ પર છવાયેલાં જંગલોમાં બૌદ્ધ ધર્મના સોટો સંપ્રદાયના એક…

વધુ વાંચો >

સેહગલ હરદર્શન

Feb 2, 2008

સેહગલ, હરદર્શન (જ. 26 ફેબ્રુઆરી 1935, કુન્ડિયન, જિ. મિન્યાંવલી, હાલ પાકિસ્તાનમાં) : હિંદી લેખક. વાયરલેસ ટૅક્નૉલૉજી ડિપ્લોમા. રેલવેના અધિકારીપદેથી સેવાનિવૃત્ત. તેમની માતૃભાષા સરિયાકી (પંજાબી) હોવા છતાં તેમણે હિંદીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મૌસમ’ (1980), ‘તેરહ મુંહવાલા દિન’ (1982), ‘ગોલ લિફાફે’ (1997) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘સફેદ પાંખોં કી ઉડાન’…

વધુ વાંચો >

સેહગલ અમરનાથ

Feb 2, 2008

સેહગલ, અમરનાથ [જ. 5 ફેબ્રુઆરી 1922, કૅમ્પ્બેલપુર, જિલ્લો ઍટોક, ભારત (હવે પાકિસ્તાન)] : આધુનિક ભારતીય શિલ્પી. શાલેય અભ્યાસ પછી લાહોર ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરીને 1941માં તેઓ વિજ્ઞાનના સ્નાતક થયા. એ જ વર્ષે પિતાનું મૃત્યુ થતાં લાહોર ખાતેની એક ફૅક્ટરીમાં મૅનેજરની નોકરી શરૂ કરી. નાણાકીય સગવડ થતાં એક જ…

વધુ વાંચો >

સેહરાઈ પિઆરા સિંઘ

Feb 2, 2008

સેહરાઈ, પિઆરા સિંઘ (જ. 16 સપ્ટેમ્બર 1915, છપિયાં વાલી, જિ. મંસા, પંજાબ) : પંજાબી કવિ. બી.એ.ની પદવી મેળવ્યા બાદ તેઓ ‘સોવિયેત લૅન્ડ’ (પંજાબી), નવી દિલ્હીમાં જોડાયા અને સંયુક્ત સંપાદક તરીકે સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત બન્યા. તેમણે 19 ગ્રંથો આપ્યા છે. તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહોમાં ‘લગ્રન’ (1955), ‘વન-ત્રિન’ (1970), ‘ગુઝર્ગાહ’ (1979),…

વધુ વાંચો >