ખંડ-૨૩

૨૩.૦૯ સાહિત્યિક ઇતિહાસથી સાંચીનો સ્તૂપ

સાળવી દિલિપ એમ.

સાળવી, દિલિપ એમ. (જ. 19 જુલાઈ 1952, રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજીના વિજ્ઞાનકથા-લેખક. તેઓ એમ.એસસી.ની પદવી મેળવ્યા બાદ વિજ્ઞાનના પત્રકારત્વ અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ ‘સાયન્સ રિપોર્ટર’ના સંપાદક અને ‘લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝ’માં સલાહકાર રહ્યા. તેમણે અંગ્રેજીમાં 28 ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા છે. ‘અ પેસેજ ટુ ઍન્ટાર્ટિકા’ (1986); ‘રૉબોટ્સ આર કમિંગ’ (1989);…

વધુ વાંચો >

સાળંગપુર

સાળંગપુર : અમદાવાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 09´ ઉ. અ. અને 71° 46´ પૂ.રે.. તે ભાવનગર જિલ્લાના બોટાદથી તદ્દન નજીક પૂર્વ તરફ, અમદાવાદ-ભાવનગરની જિલ્લાસીમા પાસે આવેલું છે. તે અમદાવાદ-ભાવનગર મીટરગેજ રેલમાર્ગ પર આવેલા સાળંગપુર રોડ સ્ટેશનથી આશરે સાત કિમી.ને અંતરે છે. વળી તે રાજ્ય ધોરી…

વધુ વાંચો >

સાંઈનાથ પાલાગુમ્મી

સાંઈનાથ, પાલાગુમ્મી (જ. 1957, આંધ્રપ્રદેશ) : પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક પ્રત્યાયન માટે 2007ના વર્ષનો રેમન મૅગ્સેસે પુરસ્કાર મેળવનાર પત્રકાર. એશિયા ખંડના નોબેલ પુરસ્કારની બરોબરીનો આ પુરસ્કાર 50,000 ડૉલરનું મૂલ્ય ધરાવે છે; જે સપ્ટેમ્બર, 2007માં તેમને એનાયત થયો. પાલાગુમ્મી સાંઈનાથ તેમણે ચેન્નાઈની લૉયોલા કૉલેજમાં અભ્યાસ દરમિયાન સામાજિક સમસ્યાઓને રાજકીય અભિગમથી તપાસવાની…

વધુ વાંચો >

સાંઈબાબા

સાંઈબાબા (જ. ? ; અ. 15 ઑક્ટોબર 1918, શિરડી) : ભારતની અગ્રણી આધ્યાત્મિક વિભૂતિ, સમાજસેવક અને માનવતાવાદી સત્પુરુષ. તેમના જીવન વિશે નક્કર અને પ્રમાણભૂત માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, પરંતુ દાસગણુ-કૃત ‘સંતકથામૃત’ શીર્ષક હેઠળના તેમના જીવનચરિત્રમાં ઉલ્લેખિત કેટલીક છૂટીછવાઈ માહિતી તથા તેમના કેટલાક અગ્રણી શિષ્યોને તેમણે પોતે કહેલી માહિતીને આધારે…

વધુ વાંચો >

સાંઈ, સુરેન્દ્ર

સાંઈ, સુરેન્દ્ર (જ. 23 જાન્યુઆરી 1809, બોરગામ, સાંબલપુર મંડલ, ઓરિસા; અ. 28 ફેબ્રુઆરી 1884, આંદામાન) : સ્વાતંત્ર્ય-સંગ્રામના આરંભકાળે જેનો બલિ લેવાયો તે સ્વાતંત્ર્યવીર. તેના જન્મ અને બાળપણના સમયે હજુ અંગ્રેજોની સત્તા મજબૂત બની નહોતી; તેમ છતાં પરદેશી શાસનની અનિષ્ટતા પારખી સુરેન્દ્ર નાની વયથી જ અંગ્રેજોનો વિરોધી બન્યો. ત્યારે વનરાજિ ગાઢ…

વધુ વાંચો >

સાંકળ-પ્રક્રિયા

સાંકળ–પ્રક્રિયા : જુઓ શૃંખલા-પ્રક્રિયા.

વધુ વાંચો >

સાંકળિયા હસમુખ ધીરજલાલ

સાંકળિયા, હસમુખ ધીરજલાલ (જ. 10 ડિસેમ્બર 1908, મુંબઈ; અ. ? 1989) : વિશ્વપ્રસિદ્ધ ભારતીય પુરાતત્વાચાર્ય. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈ ત્યાંની લંડન યુનિવર્સિટીમાંથી પ્રોફેસર કોડિંગ્ટનના માર્ગદર્શન નીચે ‘The Dynastic History of Gujarat Monuments’ વિષય પર કામ કરી 1933માં…

વધુ વાંચો >

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને (S. Carlo alle Quattro Fontaneનું ચર્ચ) : રોમમાં આવેલું બરોક-સ્થાપત્ય-શૈલીનું પ્રસિદ્ધ ચર્ચ. તેનો સ્થપતિ ફ્રાન્સેસ્કો બોર્રોમિનિ હતો. રોમન બરોક-સ્થાપત્યનો આ એક ઉત્તમ નમૂનો છે. આ અંડાકાર (oval shaped) ઇમારતની ઉપરનો ઘુંમટ પણ અંડાકાર છે. તેની બહારની સપાટી સીધી નથી પણ ચડતા-ઊતરતા ઘાટની (undulating) છે. સાં…

વધુ વાંચો >

સાંકૃત્યાયન કમલા

સાંકૃત્યાયન, કમલા (જ. 15 ઑગસ્ટ 1930; કલિમ્પોંગ, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી અને હિંદી લેખિકા. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી. તેઓ દાર્જિલિંગમાં લોરેટો કૉલેજના હિંદી વિભાગનાં રીડર રહ્યાં; નવી દિલ્હીમાં લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય કમિશનનાં સભ્ય હતાં. તેમની માતૃભાષા નેપાળી હોવા…

વધુ વાંચો >

સાંકૃત્યાયન રાહુલ

સાંકૃત્યાયન, રાહુલ (જ. 9 એપ્રિલ 1893, પન્દ્રાહા, જિ. આઝમગઢ, ઉત્તર પ્રદેશ; અ. એપ્રિલ 1963) : સર્વતોમુખી સર્જક પ્રતિભા ધરાવનાર નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રલેખક, ચિંતક તથા વિશ્વયાત્રી. મૂળ નામ કેદારનાથ પાંડેય. બાળપણમાં જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને ગૃહત્યાગ કર્યો. મૂળ નામ બદલીને બિહારમાં રામઉદારદાસ નામ ધારણ કરી વૈષ્ણવ સાધુ બની ગયા. પછી હિન્દુ ધર્મનો…

વધુ વાંચો >

સાહિત્યિક ઇતિહાસ

Jan 9, 2008

સાહિત્યિક ઇતિહાસ : સાહિત્યની ગતિવિધિનો વિકાસ દર્શાવતો કાલક્રમાનુસારી અધિકૃત આલેખ. સાહિત્યના ઇતિહાસ વિશે કર્તા અને કૃતિની કાલક્રમાનુસારી ગોઠવણી અને તેમનો વિવેચનાત્મક પરિચય એવો સ્થૂળ ખ્યાલ ઘણુંખરું પ્રવર્તતો હોય છે. સાહિત્યનો ઇતિહાસ લખનાર કાં તો સાહિત્યને નિમિત્તે તેમાં ઊતરેલી સમકાલીન સમાજની તાસીર પર ભાર મૂકે છે અથવા તો તેનું લખાણ ઇતિહાસ…

વધુ વાંચો >

સાહિત્યિક પત્રકારત્વ – ગુજરાતનું

Jan 9, 2008

સાહિત્યિક પત્રકારત્વ – ગુજરાતનું : સાહિત્યને લગતું ગુજરાતનું પત્રકારત્વ. ગુજરાતી સાહિત્યના સર્જન-વિવેચન તેમ રચાતા જતા સાહિત્યના ઇતિહાસનો જીવંત દસ્તાવેજ સાહિત્યિક પત્રોમાં ઝિલાયો છે. સાહિત્યનો વિકાસ-વિસ્તાર, એની દૃઢ થતી પરંપરાઓ અને સાહિત્યની બદલાતી જતી ભાત (design) પુસ્તકોમાં પ્રકટે છે એનાથી વિશેષ સાહિત્યિક પત્રોમાં છતી થાય એવું ઘણુંખરું બને છે. એથી સાહિત્યિક…

વધુ વાંચો >

સાહિબગંજ

Jan 9, 2008

સાહિબગંજ : ઝારખંડ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે આશરે 24° 15´થી 25° 20´ ઉ. અ. અને 87° 25´થી 87° 50´ પૂ. રે. વચ્ચેનો 1,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં ભાગલપુર, ઉત્તરમાં કટિહાર, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળના જિલ્લા, દક્ષિણમાં પાકૌર જિલ્લો…

વધુ વાંચો >

સાહિબ બીબી ઔર ગુલામ

Jan 9, 2008

સાહિબ, બીબી ઔર ગુલામ : લોકપ્રિય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1962. ભાષા : હિંદી-ઉર્દૂ. શ્વેત અને શ્યામ. નિર્માતા : ગુરુદત્ત. દિગ્દર્શક, પટકથા-સંવાદ : અબ્રાર અલવી. કથા : બિમલ મિત્રની નવલકથા પર આધારિત. છબિકલા : વી. કે. મૂર્તિ. ગીતકાર : શકીલ બદાયૂંની. સંગીત : હેમંતકુમાર. મુખ્ય કલાકારો : ગુરુદત્ત, મીનાકુમારી, રહેમાન, વહીદા…

વધુ વાંચો >

સાહુ કિશોર

Jan 9, 2008

સાહુ, કિશોર (જ. 22 ઑક્ટોબર 1915, રાયગઢ, દુર્ગ જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 22 ઑગસ્ટ 1980) : અભિનેતા, નિર્માતા, નિર્દેશક. નાનપણથી ચલચિત્રો તરફ આકર્ષાયેલા કિશોર સાહુએ શિક્ષણ નાગપુરમાં લીધું હતું. મેરિસ કૉલેજમાંથી બી.એ. થયા બાદ મુંબઈ આવી ગયા હતા, પણ ચિત્રોમાં કામ મેળવતાં પહેલાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. 1939માં ‘બૉમ્બે ટોકીઝ’ના…

વધુ વાંચો >

સાહુ કેશવચંદ્ર

Jan 9, 2008

સાહુ, કેશવચંદ્ર (જ. 1 જુલાઈ 1917, કુમુદ જયપુર, જિ. કટક, ઓરિસા) : ઊડિયા કવિ અને નિબંધકાર. તેમણે એમ.ડી., પીએચ.ડી. (મેડિસિન); ઉત્કલ યુનિવર્સિટીમાંથી ડી.લિટ. તેમજ ડી.પી.એચ. (લંડન); ડી.સી.એચ.એફ.આર.એસ. (લંડન); એફ.એ.એ.ડી.-(અમેરિકા)ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ઉત્કલ સાહિત્ય સમાજના પેટ્રન; ઓરિસા મેડિકલ કાઉન્સિલના સભ્ય; ઓરિસા વિજ્ઞાન અકાદમીના પ્રમુખ રહ્યા. તેઓ કટકની એસ.સી.બી. મેડિકલ…

વધુ વાંચો >

સાહુ દોમન સમીર

Jan 9, 2008

સાહુ, દોમન સમીર (જ. 30 જૂન 1924, પંડાહા, જિ. ગોડ્ડા, બિહાર) : સંથાલી અને હિંદી લેખક. તેમણે ભાગલપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; બી.એલ. અને વિશારદની પદવી મેળવી. તેઓ 1955થી એસ.પી. હિંદી સાહિત્ય સંમેલન, દેવધરના સેક્રેટરી; 1989થી ભારતીય સંથાલી સાહિત્ય પરિષદ અને ઉદિત અંગિકા સાહિત્ય પરિષદ, દેવધરના પ્રમુખ; બિહાર ટ્રાઇબલ રિસર્ચ ઍન્ડ…

વધુ વાંચો >

સાહુ નટવર

Jan 9, 2008

સાહુ, નટવર (જ. 3 એપ્રિલ 1939, બાલિચંદરપુર, જિ. જયપુર, ઓરિસા) : ઊડિયા લેખક. તેમણે બી.એસસી.; એમ.એડ્.ની પદવી મેળવી. તેઓ માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ઓરિસાના મૂલ્યાંકન-અધિકારી રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આમાર વૈજ્ઞાનિક મેઘાનંદ સહા’ (1971) અને ‘વિવેકાનંદ’ (1978) તેમના ઉલ્લેખનીય ચરિત્ર-ગ્રંથો; ‘આઉ એકા અધ્યાયારા આરંભા’ (1976), ‘ગોતિઆ…

વધુ વાંચો >

સાહુ મોહપાત્ર નીલમણિ

Jan 9, 2008

સાહુ, મોહપાત્ર નીલમણિ (જ. 1926, નિઆલી, જિ. કટક, ઓરિસા; અ. 25 જૂન 2016, ભુવનેશ્વર ) : અદ્યતન ઊડિયા લેખક. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અભિસપ્ત ગંધર્વ’ (1981) બદલ 1984ના વર્ષનો પ્રતિષ્ઠિત સરલા ઍવૉર્ડ તેમજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 19 વાર્તાસંગ્રહો, 2 નવલકથાઓ અને 10 નિબંધસંગ્રહો…

વધુ વાંચો >

સાહુ સહદેવ

Jan 9, 2008

સાહુ, સહદેવ (જ. 9 એપ્રિલ 1941, રેકાબી બજાર, જજપુર, ઓરિસા) : ઊડિયા અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1963માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. 1964માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. 1963-64માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક; માઇમા(MIMA)ના વ્યાવસાયિક સભ્ય; 1964માં વિશ્વભારતીમાં રાજ્યવહીવટના પ્રાધ્યાપક; અંગ્રેજી અઠવાડિક ‘સ્ટૅમ્પ્સ ઍન્ડ સ્ટૅમ્પ્સ’ના સંપાદક તથા…

વધુ વાંચો >