સાહુ, નટવર (. 3 એપ્રિલ 1939, બાલિચંદરપુર, જિ. જયપુર, ઓરિસા) : ઊડિયા લેખક. તેમણે બી.એસસી.; એમ.એડ્.ની પદવી મેળવી. તેઓ માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ઓરિસાના મૂલ્યાંકન-અધિકારી રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આમાર વૈજ્ઞાનિક મેઘાનંદ સહા’ (1971) અને ‘વિવેકાનંદ’ (1978) તેમના ઉલ્લેખનીય ચરિત્ર-ગ્રંથો; ‘આઉ એકા અધ્યાયારા આરંભા’ (1976), ‘ગોતિઆ અલિવા જ્યોતિ’ (1977), ‘આમારી-રાયજા મૌદા મણિ : ઉત્કલમણિ’ (1976), ‘તામે આયે ઑ વિજ્ઞાન’ (1980), ‘આલિવા સાલિટા’ (1987), ‘અનુચરિત સ્વરલિપિ’ (1992) અને ‘અનેકા દિના તાલારા કથા’ (1993) તેમનું લોકપ્રિય બાલસાહિત્ય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ભારત સરકારના શિક્ષણ અને સમાજકલ્યાણ મંત્રાલય ઍવૉર્ડ અને ઓરિસા ચિલ્ડ્રન્સ લિટરરી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા